________________
૧૬૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની માન્યતા :
"द्रव्यार्थिकमते सर्वे, पर्यायाः खलु कल्पिता:। तेष्वन्वयि च सद् द्रव्यं, कुण्डलादिषु हैमवत् ।।१।। પર્યાયાર્થમતે – “દ્રવ્ય, પર્યાખ્યોતિ નો પૃથ.
તૈરર્થષિા દ્વારા, નિત્યં ત્રોપયુજેતે મારા રૂત્તિા
"द्रव्यार्थपर्यायार्थनयलक्षणात् अतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः।"
અર્થ : દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે “બધા જ પર્યાય ખરેખર કલ્પિત છે અને બધા જ પર્યાયોમાં અન્વયિદ્રવ્ય જ સાચું તત્ત્વ છે.” જેમ કે કુંડળ આદિ પર્યાયોમાં સુવર્ણ જ સાચું દ્રવ્ય છે. એવું અહીંયાં જાણવું. પર્યાયાર્થિક નયના મત પ્રમાણે :- “પર્યાયોથી દ્રવ્ય એ કંઈ અલગ વસ્તુ જ નથી.... કારણ કે, તે પર્યાયો દ્વારા જ અર્થક્રિયા જોવામાં આવે છે. પરંતુ નિત્ય એવું દ્રવ્ય ક્યાંય પણ ઉપયોગમાં નથી આવતું.
આ બંને શ્લોક દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયનું સ્વરૂપ સમજાવવાવાળા છે. બધી વસ્તુઓ દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાર્થિક પણ છે જ. દ્રવ્ય વગર ક્યારેય પણ એકલા પર્યાય નથી હોતા અને પર્યાયો વગર કેવળ દ્રવ્ય ક્યારેય નથી હોતું. જેનશાસનમાં જ્ઞાની ભગવંત કહે છે કે, “છ દ્રવ્ય પરિણામી નિત્ય છે.” અને પ્રત્યક્ષમાં પણ એવું અનુભવાય છે. જેમ કે, “દૂધ-દહીં-માખણ-ઘી-લાડું” વગેરે પર્યાય બદલાતા જાય છે. તો પણ તેમાં પુગલદ્રવ્ય અન્વયિ પણ છે. દેવ-નારક-મનુષ્ય અને તિર્યંચ અવસ્થાઓ બદલાય છે. તો પણ તેમાં જીવદ્રવ્ય નિત્યરૂપમાં વર્તિત થાય જ છે એમ સર્વત્ર જાણવું. જ્યારે દ્રવ્યાર્થિકનયવાળી દૃષ્ટિ હોય છે, ત્યારે પર્યાય કલ્પિત લાગે છે અને