________________
નયવાદ
૧૪૫
વ્યાપ્ત છે. તેથી જીવ આદિ છ પદાર્થ એક દ્રવ્યરૂપ છે. તે જ રીતે ચેતન અને અચેતન દ્રવ્યોના પર્યાયોમાં પર્યાયત્વ નામનું અપર સામાન્ય છે, એના લીધે સર્વ પર્યાય એક છે.
અપર સંગ્રહનયનું ઉદાહરણ આપતાં પ્રમાણનયતત્ત્વાલોકમાં કહ્યું છે કે, ___धर्माधर्माऽऽकाश-काल-पुद्गल-जीवद्रव्यणामैक्यं द्रव्यत्वाभेदाવિત્યાવિર્યથા ૭-૨-|| અર્થ (પૂર્વવતુ) સ્પષ્ટ છે.
“આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે.” ઈત્યાકારક જ્ઞાન-નામ સ્વરૂપ લિંગથી અનુમિત દ્રવ્યત્વ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોમાં વિદ્યમાન છે, તેથી દ્રવ્યત્વેન છ પદાર્થ એક છે. આવું કથન અપર સંગ્રહનયનું છે.
નયચક્રસાર(13) ગ્રંથમાં સંગ્રહાયનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદ જણાવતાં કહ્યું છે કે, | સર્વ પદાર્થોમાં રહેલી “સત્તા” ના ગ્રાહક અધ્યવસાય-વિશેષને સંગ્રહનય કહેવાય છે. તે સંગ્રહનયના બે પ્રકાર છે (૧) સામાન્ય સંગ્રહ અને (૨) વિશેષ સંગ્રહ. સામાન્ય સંગ્રહ પણ બે પ્રકારનો છે. (૧) મૂળથી અને (૨) ઉત્તરથી. મૂળથી અસ્તિત્વાદિ વગેરે છ ભેદથી છ પ્રકારનો છે અને ઉત્તરથી જાતિ અને સમુદાય ભેદરૂપ છે. (અહીં અગાઉ બતાવેલા અસ્તિત્વાદિ ધર્મોમાંથી છ ભેદોને લઈને જેમાં અસ્તિત્વાદિ ધર્મ હોય, તે દ્રવ્યોને એક બતાવવું, તે એક પ્રકારનો ઉદ્દેશ્ય છે. ગોત્વ જાતિથી બધી ગાયોને એક માનવી. ઘટત્વ જાતિથી બધાં ઘટોને એક 43. सामान्यवस्तुसत्तासंग्राहक: संग्रहः। स द्विविध: सामान्यसंग्रहो विशेषसंग्रहश्च। सामान्यसंग्रहो द्विविध:मूलतउत्तरतश्चमूलतोऽस्तित्वत्वादिभेदतःषड्विधः,उत्तरतोजातिसमुदायभेदरूपः ।जातितः गवि गोत्वं, घटे घटत्वं, वनस्पतौ वनस्पतित्वम्। समुदायतो सहकारात्मके वने सहकारवनं, मनुष्यसमुहेमनुष्यवृंदंइत्यादिसमुदायरूपः ।अथवाद्रव्यमितिसामान्यसंग्रहः। जीवइतिविशेषसंग्रहः ।