________________
૧૪૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः। यथा यत् सत् तद् द्रव्यं पर्यायो वा। यद् द्रव्यं तज्जीवादिषड्विधम्। યઃ પર્યાયઃ ૩ દ્વિવિદ: મમવી સમાવી ત્યવિ (48)
સંગ્રહનય દ્વારા વિષય કરેલા પ્રકાશિત) પદાર્થોનો વિધિપૂર્વક વિભાગ જે અભિપ્રાય દ્વારા કરવામાં આવે છે, તે અભિપ્રાય વિશેષને વ્યવહારનય કહેવાય છે. જે પદાર્થ ભિન્ન હોવાં છતાં પણ સાધારણ ધર્મ દ્વારા એક પ્રતીત થાય છે, તે પદાર્થોનો તેના વિશેષ ધર્મ દ્વારા વિભાગ કરવો તે વ્યવહાર છે. જેમ કે, જે સત્ છે, તે દ્રવ્યરૂપ અથવા પર્યાયરૂપ હોય છે, જે દ્રવ્ય છે, તે જીવાદિ છ પ્રકારના છે, અને જે પર્યાય છે, તે બે પ્રકારનો છે -ક્રમભાવી અને સહભાવી ઈત્યાદિ.
કહેવાનો અર્થ એ છે કે, અગાઉ બતાવ્યા પ્રમાણે અપર સંગ્રહ અનેક પ્રકારનો છે અને પર સંગ્રહ એક પ્રકારનો છે. બંને સંગ્રહોથી જેનું જ્ઞાન થાય છે, તેનો ભેદ વ્યવહાર કરે છે, સમસ્ત પદાર્થોને પરસંગ્રહનય “સ રૂપે એક કરે છે અને વ્યવહાર નય તેનો વિભાગ કરે છે. અપરસંગ્રહનય સમસ્ત દ્રવ્યોનો દ્રવ્યરૂપે સંગ્રહ કરે છે અને વ્યવહાર નય તે દ્રવ્યોનો જીવ, પુલ આદિ રૂપે વિભાગ કરે છે. તે જ રીતે પર્યાયરૂપે સમસ્ત પર્યાયોનો સંગ્રહ સંગ્રહનય કરે છે અને વ્યવહાર નય તેનો ક્રમભાવી અને સહભાવી રૂપે ભેદ કરે છે. તે પછી પણ વિભાગ થાય છે.(19) જીવ બે પ્રકારનો છે : મુક્ત અને સંસારી, પુદ્ગલ બે પ્રકારનાં છે, અણુ અને સ્કંધ. ક્રમભાવી પર્યાય પણ ક્રિયારૂપ અને અક્રિયારૂપ છે. 48. સંપ્રદેશ પરીકૃતનામથન વિધિપૂર્વમવિયેનામિશ્વિનાયિતે વ્યવહાર: II૭-૨રૂા यथा - यत् सत् तद् द्रव्यं पर्यायो वेत्यादिः ।।७-२४।। (प्रमाणनयतत्त्वालोक:) 49.आदि शब्दादपरसंग्रहसंगृहीतार्थगोचरव्यवहारोदाहरणम्, यद् द्रव्यं तज्जीवादिषड्विधम्।यः पर्यायः स द्विविधः क्रमभावी सहभावी चेति। एवं यो जीव: स मुक्त: संसारी च। यः क्रमभावी पर्यायः स क्रियारुपोऽक्रियारुपश्चेति। (प्रमाणनयतत्त्वालोक-वृत्ति)।