________________
નયવાદ
૧
૪ ૧
યુક્ત પદાર્થનો સંગ્રહ થયો હોય છે. સંગ્રહનયે બધા વિષયોનો સામાન્યમાં સમાવેશ કરીને સામાન્યનો જ સ્વીકાર કરેલો હોય છે (37) કહેવાનો મતલબ એ છે કે, બધા વિશેષોનો વિરોધ (નિષેધ) કર્યા વગર તે બધા જ વિશેષોનો સામાન્યમાં સમાવેશ કરીને સત્તાવેન સર્વ પદાર્થોને એક માનવા એ સંગ્રહનયની દષ્ટિ છે(38). સંગ્રહનયની માન્યતા :
સંગ્રહાયની માન્યતા બતાવતાં શ્રી નયકર્ણિકામાં પૂ. શ્રી વિનયવિજયજી મહારાજજી કહે છે કે,
संग्रहो मन्यते वस्तु सामान्यात्मकमेव हि। सामान्यव्यतिरिक्तोऽस्ति न विशेष : खपुष्पवत् ।।६।।
- સંગ્રહનય માને છે કે, વસ્તુ સામાન્ય સ્વરૂપ જ છે. સામાન્યથી અતિરિક્ત વિશેષ છે જ નહીં. જેમ આકાશ કુસુમ અસત્ છે, તેમ સામાન્યથી અતિરિક્ત વિશેષ પણ અસત્ છે. અહીંયાં યાદ રાખવું કે, વિશેષોને સામાન્યમાં સમાવેશ કરીને સામાન્યને પ્રધાનતા આપીને આ કથન કરવામાં આવ્યું છે.
સંગ્રહનયની આ દષ્ટિને વધારે સ્પષ્ટ કરતાં અનુયોગદ્વાર સૂત્રશ્રીહારીભદ્રીયવિવૃત્તિમાં કહ્યું છે કે :
- જો વિશેષ સામાન્યથી અતિરિક્ત હોય, તો અમને અમારા પ્રશ્નનો જવાબ આપો કે, શું વિશેષ સામાન્યથી અર્થાન્તરભૂત (અલગ
37. सगृहीतः - सत्ताख्यमहासामान्यभावमापन्नोऽर्थो यस्य तत्तशा संग्रहवचनम्। अन्तःक्रोडीकृतसर्वविशेषस्य सामान्यस्यैव तेनाभ्युपगमात्। (अनेकान्त - व्यवस्था) 38. स्वजात्यविरोधेनैकत्वमुपनीयार्थानाक्रान्तभेदात् समस्तसंग्रहणात् सङ्ग्रहः। (नयप्रकाशस्तव)। सामान्यवस्तुसत्तासङ्ग्राहकः संग्रहः (नयचक्रसार)