________________
નયવાદ
सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः।
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર, આ ત્રણેયના સુભગ મિલનથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, અને દીર્ઘકાલપર્યત આ2િ) રત્નત્રયીની સાધના કરતાં-કરતાં સર્વકર્મનો ક્ષય થાય છે અને અંતે આત્માની મુક્તિ થાય છે. શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપિત કરેલા જીવાદિ નવ તત્ત્વો ઉપરની સમ્યક્ શ્રદ્ધાને (સમ્યક્ રુચિને) સમ્યગ્દર્શન કહેવાય છે. તે જીવાદિ નવ તત્ત્વોના યથાર્થ બોધને સમ્યજ્ઞાન કહે છે, અને સર્વ સાવદ્યયોગોના-પાપ વ્યાપારોના ત્યાગને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં સમ્યગ્દર્શન તત્ત્વરુચિ સ્વરૂપ છે. સમ્યજ્ઞાન તત્ત્વાવબોધ સ્વરૂપ છે અને સમ્યકુચારિત્ર તત્ત્વપરિણતિ સ્વરૂપ છે.
રત્નત્રયીની પ્રાપ્તિ, શુદ્ધિ અને વૃદ્ધિમાં સમ્યગ્દર્શનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર સમ્યગુ (તાત્ત્વિક) બની શકતાં નથી. સમ્યગ્દર્શનના અભાવમાં પ્રાપ્ત થતું જ્ઞાન 1. तत्त्वार्थाधिगम सूत्र १-१ (२) जैनदर्शन में सम्यग्दर्शन आदि तीन को "रत्नत्रयी'' संज्ञा दी है। 2. रूचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते। जायते तनिसर्गेण, गुरोरधिगमेन।। 3. यथावस्थिततत्त्वानां संक्षेपाद्विस्तरेण वा। योऽवबोधस्तमत्राहुः, सम्यग्ज्ञानं मनीषिणः ।।१।। सर्वसावद्ययोगनां, त्यागश्चारित्रमिष्यते कीर्तितं तदहिंसादि-व्रतभेदेन पञ्चधा।। (योगशास्त्र-१/ ૨૬-૨૭-૨૮)