________________
૧૧૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
જે નયનો વિષય “દ્રવ્ય હોય અથવા જે અભિપ્રાય વિશેષમાં દ્રવ્ય” ને પ્રધાન બનાવવામાં આવે, તેને દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને જે નયનો વિષય “પર્યાય” હોય અથવા જે અભિપ્રાય વિશેષમાં “પર્યાય” ને પ્રધાન બનાવવામાં આવે, તેને પર્યાયાર્થિક નય કહેવાય છે. દ્રવ્યાર્થિક નયના પ્રકાર :
આ વિષયમાં ગ્રંથકાર મહર્ષિઓનાં જુદા-જુદા અભિપ્રાય છે. દ્રવ્યાર્થિક નયના પ્રકાર જણાવતાં નય રહસ્ય ગ્રંથમાં કહ્યું છે કે,
आद्यस्य चत्वारो भेदाः - नैगमः संग्रहो व्यवहार ऋजुसूत्रश्चेति जिनभद्रगणिक्षमाश्रमण प्रभृतयः। ऋजुसूत्रो यदि द्रव्यं नाभ्युपेयात् तदा “નુસુમો ગણુવક વ્યાવસર્ષ, પુદુત્ત છત્તિ” (યનું. ૨૪) इति सूत्रं विरुध्येत।
"ऋजुसूत्रवर्जास्त्रय एव द्रव्यार्थिकभेदाः" इति तु वादिनः सिद्धसेनस्य मतम्। अतीतानागत-परकीयभेद-पृथक्त्वपरित्यागात्-ऋजुसूत्रेण स्वकार्यसाधकत्वेन स्वकीय-वर्तमान वस्तुन एवोपगमात् नास्य तुल्यांश - ध्रुवांश - लक्षणद्रव्याभ्युपगमः। उक्तसूत्रं तु अनुपयोगांशमादाय वर्तमानावश्यकपर्याये द्रव्योपचारात् समाधेयम्।
(વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથોના રચયિતા) શ્રી જિનભદ્રગાિક્ષમાશ્રમણ ઈત્યાદિ પૂ. આચાર્ય ભગવંત પ્રથમ દ્રવ્યાર્થિક નયના ચાર પ્રકાર જણાવે છે. (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (૪) જુસૂત્ર. તેમના મતાનુસાર જો ઝટ જુસૂત્ર નય દ્રવ્ય ની પ્રધાનતાએ વસ્તુનું જ્ઞાન ન કરાવતો હોય, તો “ઉષ્ણુસુમસXXXXxx" આ અનુયોગ દ્વારા સૂત્ર સાથે વિરોધ આવે છે. તેથી ઋજુસૂત્ર નયનો વિષય “દ્રવ્ય હોવાથી તે દ્રવ્યાર્થિક નય છે.