________________
૧ ૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ધર્મ મુખ્ય હોય છે અને ક્યારેક સામાન્ય ધર્મ મુખ્ય હોય છે. અથવા જે નયના વસ્તુને જાણવાનાં એક નહીં. પરંતુ અનેક માર્ગ છે. તે નયને નૈગમ નય કહેવાય છે. ઉપરાંત, નગમના, અતીતકાલીન, વર્તમાનકાલીન, ભવિષ્યકાલીન, ઉપયોગી અને નિરૂપયોગી એવી તમામ અવસ્થામાં રહેલી વસ્તુને વસ્તુના રૂપમાં સ્વીકારે છે. નગમનયની માન્યતા :
શ્રી વિનયવિજયોપાધ્યાયવિરચિત નયકર્ણિકામાં નેગનયની માન્યતા જણાવતાં કહ્યું છે કે,
“નૈકામો મચત્તે વસ્તુ તમયાત્મiા. निर्विशेषं न सामान्यं विशेषोऽपि न तद्विना ।।५।।"
નિગમનય માને છે કે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક હોય છે. વિશેષ વિના સામાન્યની સત્તા નથી હોતી. અને સામાન્ય વિના વિશેષની પણ સત્તા હોતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બધા પદાર્થ સામાન્ય-વિશેષ ઉભય સ્વરૂપ હોય છે. વસ્તુઓમાં રહેલી જાતિ વગેરે સામાન્ય છે અને વસ્તુઓમાં ભેદ કરવાવાળા વિશેષ છે. સો ઘટમાં ઐક્યબુદ્ધિ સામાન્ય ધર્મ (ઘટત્વ) થી થાય છે, અર્થાત્ ઘટમાં રહેલાં ઘટત્વ ધર્મથી સો ઘટમાં એકત્વની બુદ્ધિ થાય છે. સો ઘટ અલગ-અલગ વ્યક્તિઓના છે, તે-તે અલગઅલગ વ્યક્તિ તે તે ઘડામાં રહેલા વિશેષથી (વિશેષ ધર્મથી) પોતપોતાના ઘટને અલગ કરીને ઓળખી લે છે. આ રીતે બધી વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મકશ્મ) હોય છે. ક્યારેય પણ સામાન્ય વિશેષરહિત અને વિશેષ સામાન્યરહિત નથી હોતો. નગમનય ઉભયાત્મક વસ્તુને ગ્રહણ કરે છે. 24. अर्थाः सर्वेऽपि च सामान्यविशेषोभयात्मका:। सामान्यं तत्र जात्यादि विशेषाच्च विभेदकाः ।।३।। ऐक्यबुद्धिर्घटशते भवेत्सामान्यधर्मत: विशेषाच्च निजं निजं लक्षयन्ति घटं जनाः ।।४।।