________________
નયવાદ
૧૨૯
મહોલ્લામાં, ગલીમાં, કોઈ નિશ્ચિત ઘરમાં પૂછવામાં આવે તો, “કાશીમાં આવ્યા” નો જ જવાબ મળે છે. આ રીતે ઉપર બતાવેલા બધા સ્થળે કાશી, કાશી એવો જે વ્યવહાર થાય છે, તે નગમનયની અપેક્ષાએ છે, જગતનાં તમામ વ્યવહારોમાં નેગનયની પ્રધાનતા છે.
અનેકાંત વ્યવસ્થા 27) ગ્રંથમાં એક મહત્ત્વનો ખુલાસો કર્યો છે કે, આ નગમનયમાં વિશેષોથી અન્ય (ભિન્ન) જ સામાન્ય છે. કારણ કે, સામાન્ય અનુગત બુદ્ધિનું કારણ છે. તે જ રીતે વિશેષ પણ સામાન્યથી ભિન્ન જ છે. કારણ કે, વિશેષ વ્યાવૃત્તિબુદ્ધિનું કારણ છે. તે જ રીતે આશ્રય (વસ્તુરૂપ આશ્રય) થી પણ સામાન્ય ભિન્ન જ છે. અન્યથા આશ્રયથી સામન્યને ભિન્ન માનવામાં ન આવે તો વ્યક્તિની જેમ સાધારણતાની અનુપપત્તિ જ થઈ જશે. નગમનયના પ્રકાર :
નગમનય સામાન્ય અને વિશેષનું અવલંબન લઈને પ્રવર્તિત થતો હોવાથી તેના બે પ્રકાર તત્ત્વાર્થ સૂત્રના ભાગ્યમાં જણાવ્યા છે:- (૧) સામાન્યગ્રાહી મૈગમનય અને (૨) વિશેષગ્રાહી નૈગમનય.(28) સામાન્યગ્રાહી એટલે સમગ્રગ્રાહી અને વિશેષગ્રાહી એટલે દેશગ્રાહી નગમનય.
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા કૃત તત્ત્વાર્થભાષ્યની ટીકામાં વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે,
27. अस्मिन्नये विशेषेभ्योऽन्यदेव सामान्यम्, अनुवृत्तिबुद्धिहेतुत्वात्। सामान्याच्चान्ये एव विशेषाः, व्यावृत्तिबुद्धिहेतुत्वात्। एवमाश्रयादपि भिन्नमेव सामान्यं, अन्यथा व्यक्तिवत् साधारण्यानुपपत्तेः 28. स च सामान्यविशेषावलम्बीत्येतदर्शयति - देशो विशेषः समग्रं सामान्यं अयं हि सामान्यग्राही जातिमेव पदार्थमाह-विशेषग्राही द्विकत्रिकादिकं, तथा च विचित्रप्रकारं नैगमनयमाश्रित्यानुस्मर्यते।। “एकं द्विकं त्रिकं चाथ चतुष्कं पञ्चकं तथा। नामार्थ इति सर्वेऽपि पक्षाः शास्त्रे निरुपिताः ।।१।।" निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देशसमग्रग्राही नैगमः। (तत्त्वा. सू. ३५ (भाष्य)) स सामान्यविशेषावलम्बीत्येतद् दर्शयतिदेशसमग्रगाहीति (श्रीसिद्धसेनीयटीका)