________________
નયવાદ
૧૩૭
પર્યાય શબ્દ ચાસ પણ છે. નિક્ષેપના ઓછામાં ઓછા ચાર ભેદ છે. નામ, દ્રવ્ય, સ્થાપના અને ભાવ. કોઈ વસ્તુના નામકરણને નામનિક્ષેપ કહેવાય છે. શાસ્ત્રકારે સંજ્ઞાકર્મથી પણ નામનિક્ષેપનું લક્ષણ બતાવ્યું છે. નામકરણ અને સંજ્ઞાકર્મ એમાં શબ્દથી જ ભેદ છે, અર્થ તો એક જ બંને શબ્દોથી બોધિત થાય છે. કારણ કે, સંજ્ઞા અને નામ આ બંને શબ્દ પર્યાયવાચક છે અને કર્મ શબ્દ અહીંયાં ક્રિયાવાચક હોવાથી કર્મ અને કરણ આ બંને શબ્દો વડે એક જ અર્થ બોધિત થાય છે. નામનિક્ષેપમાં જે વસ્તુનું કંઈક નામ રાખવામાં આવે તે નામવાચક શબ્દના અવયવાર્થોનો તે શબ્દથી બોધ થવો આવશ્યક નથી હોતો. જેમ કે કોઈ વ્યક્તિનું “ઈન્દ્ર' એવું નામ રાખવામાં આવે તો, તે નામથી ઈન્દ્ર કહેવાશે, પરંતુ તેમાં ઈન્દ્ર શબ્દાવયવ “ઈ” ધાતુથી પ્રતીયમાન પારઐશ્વર્ય તે વ્યક્તિમાં ન ભાસે તો પણ તે ઈન્દ્ર તો કહેવાય છે. નગમનય આ રીતના નામનિક્ષેપને પણ માને છે તથા કાષ્ઠનિર્મિત કે પાષાણાદિ નિર્મિત મૂર્તિમાં અથવા ચિત્રમાં કોઈ દેવતા વિશેષનું અનુસંધાન કરીને તેમાં ઈન્દ્ર આદિની સ્થાપનાનો વ્યવહાર થાય છે. આ રીતે કોઈપણ વસ્તુના આકારમાં તે વસ્તુના સ્થાપનને સ્થાપના નિલેપ કહે છે. ભાવિમાં ઉત્પન્ન થવાવાળા કે નષ્ટ થઈ ગયેલા કાર્ય વિશેષના ઉપાદાન કારણને દ્રવ્ય નિક્ષેપ કહે છે, ગુણ-પર્યાય સહિત વસ્તુના અસાધારણ સવરૂપનું જે પ્રદર્શન, તેને ભાવનિક્ષેપ કહે છે. આ નિક્ષેપ બધા જ પદાર્થોના જ્ઞાનમાં ઉપયુક્ત થાય છે. કારણ કે, તેના વગર વસ્તુ સ્વરૂપનું પ્રતિવિશિષ્ટ રૂપે જ્ઞાન નથી થઈ શકતુ.“નેગમનય'' આ ચારેય નિક્ષેપાઓને કેવી રીતે માને છે, તેને ઉદાહરણ દ્વારા શ્રી મહોપાધ્યાયજી સ્પષ્ટ કરે છે.
(ઘટ ઈત્યભિધાન) જવાહરણ સાધનભૂત પાત્ર વિશેષનું “ઘટ” એવું નામ કરવામાં આવે છે. આ “ઘટ” એવું અભિધાન પણ ઘટ જ