________________
૧૨૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો જે પર્યાય ઘર્મમાં અતીત અને અનાગત કાલમાં નથી પરંતુ વર્તમાનકાળમાં છે, તે અર્થપર્યાય છે, આ પર્યાય પ્રતિક્ષણ ભિન્ન થવા વાળી વસ્તુના સ્વરૂપમાં રહે છે.
હવે આ વિષયમાં વિશેષ સ્પષ્ટતા કરતાં જેનતર્ક ભાષામાં કહે છે કે,
વસ્તુ પર્યાયવત્ દ્રવ્યમતિ દ્રવ્યયોર્મુક્યામુક્યતયા વિવેક્ષણમ(20), पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेन प्राधान्यात्, वस्त्वाख्यस्य विशेषणत्वेन गौणत्वात्।
અર્થ : પર્યાયવાળુ દ્રવ્ય વસ્તુ છે, આ રૂપે બે દ્રવ્યોનું મુખ્ય અને અમુખ્ય રૂપથી પ્રતિપાદન થાય છે. પર્યાયવાળો દ્રવ્ય નામક ધર્મી વિશેષ્ય હોવાથી પ્રધાન છે. વસ્તુ નામક ધર્મી વિશેષણ હોવાથી ગૌણ છે. વસ્તુ વિશેષણ છે. તે પણ દ્રવ્ય છે. પર્યાયથી વિશિષ્ટ દ્રવ્ય પણ દ્રવ્ય છે.
જ્યારે પર્યાયો સાથે દ્રવ્યને વિશેષ્ય રૂપે કહે છે, ત્યારે તે મુખ્ય થઈ જાય છે. વસ્તુ વિશેષણ રૂપે કહેવાય છે એટલે ગૌણ થઈ જાય છે. “વસ્તુ કઈ છે? જે પર્યાયોથી વિશિષ્ટ દ્રવ્ય છે.” આ રૂપે વિવફા થાય છે, તો વસ્તુ વિશેષ્ય હોવાને લીધે પ્રધાન થઈ જાય છે અને પર્યાયથી વિશિષ્ટ દ્રવ્ય ગૌણ થઈ જાય છે. આ નેગમ બે ધર્મીઓના વિષયમાં છે.
क्षणमेकं सुखी विषयासक्त जीव इति पर्यायद्रव्ययोर्मुख्या-मुख्यतया
20. વસ્તુ પર્યાયવત્ દ્રવ્યમતિ ઇમિગો: I૭-૧iા સત્ર “પર્યાયવત્ દ્રવ્ય વસ્તુ ચ' इति धर्मिद्वयम्। 'पर्यायवद् द्रव्यं वस्तु वर्तते' इति विवक्षायां पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेनोपात्तत्वात् प्राधान्यम्, वस्त्वाख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वम्। अथवा किं वस्तु? पर्यायवद् द्रव्यमिति विवक्षायां वस्त्वाख्यस्य धर्मिणो विशेष्यत्वात् प्राधान्यं, पर्यायवद् द्रव्याख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वमिति धर्मिद्वयविषयको नैगमस्य द्वितीयो भेदः ।।९।। (પ્ર.ન.તસ્વા.)