________________
નયવાદ
૧ ૨ ૩
विवक्षणम्(21), अत्र विषयासक्तजीवाख्यस्य धर्मिणो विशेष्यत्वेन मुख्यत्वात्, सुखलक्षणस्य तु धर्मस्य तद्विशेषणत्वेनामुख्यत्वात्।
અર્થ : વિષયમાં આસક્ત જીવ એક ક્ષણ સુખી થાય છે. આ રીતિથી પર્યાય અને દ્રવ્યની મુખ્ય અને અમુખ્ય રૂપથી વિવક્ષા થાય છે. અહીંયાં વિષયમાં આસક્ત જીવ નામક ધર્મી વિશેષ્ય હોવાને કારણે મુખ્ય છે. સુખ રૂપ ધર્મ તેનું વિશેષણ હોવાને કારણે અમુખ્ય છે. અહીંયાં જીવ દ્રવ્ય છે અને સુખ પર્યાય છે. તેથી અહીંયાં ધર્મ અને ધર્મીને લઈને નગમ છે. વિશેષ્ય હોવાના કારણે ધર્મી જીવ મુખ્ય છે અને સુખ નામક ધર્મ વિશેષણ હોવાને કારણે મુખ્ય નથી.
અહીંયાં એક શંકા ઉપસ્થિત થાય છે કે, નગમનય દ્રવ્ય અને પર્યાય બંનેનો પ્રકાશક હોવાથી તે “પ્રમાણ” ની કક્ષામાં આવી જશે. તેને નય કઈ રીતે કહી શકીશું? - આ શંકાનું સમાધાન આપતા જૈનતર્ક ભાષામાં જણાવ્યું છે કે,
न चैवं द्रव्यपर्यायोभयावगाहित्वेन नैगमस्य प्रामाण्यप्रसङ्गः, प्राधान्येन तदुभयावगाहिन एव ज्ञानस्य प्रमाणत्वात्।
અર્થ : દ્રવ્ય અને પર્યાય બંનેનો પ્રકાશક હોવાથી નૈગમ પ્રમાણ થઈ જવો જોઈએ, આ પ્રકારની શંકા ઉત્પન્ન થાય છે, તેનો ઉત્તર એ છે કે, પ્રધાનરૂપથી જે દ્રવ્ય અને પર્યાયને પ્રકાશિત કરે છે, તે જ જ્ઞાન પ્રમાણ થાય છે. (પરંતુ ગૌણ-મુખ્ય ભાવથી ઉભયને પ્રકાશિત કરતો નગમ નય “પ્રમાણ” ની કક્ષામાં નથી આવતો.)
કહેવાનો આશય એ છે કે, સામાન્ય અને વિશેષનું, દ્રવ્ય અને 21. क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्म-धर्मिणोः ।।१०।। अत्र विषयाऽऽसक्तजीवस्य प्राधान्यं, विशेष्यत्वेनोपात्तत्वात्, सुखरूपस्य धर्मस्य तु अप्राधान्यं, विशेषणत्वेन निर्दिष्टत्वाद् इति ધર્મદિયાડડનમ્નનોડ્યું નૈવામી તૃતીયો મેઢઃ u૨૦I (પ્ર.ન.તા.)