________________
૧૦ ૨
જેનદર્શનને મહત્ત્વના સિદ્ધાંતો
પણ ઘટના જ પર્યાય છે. તેથી અસ્તિત્વની અન્ય ધર્મોની સાથે અભેદવૃત્તિ છે. (૩) અર્થભેદવૃત્તિ :
અર્થ એટલે આધાર. જેવી રીતે, ઘટ વસ્તુ “અસ્તિત્વ ધર્મનો આધાર છે, તેવી રીતે તેનાથી અતિરિક્ત અન્ય ધર્મોનો પણ ઘટ આધાર છે, તેથી અર્થભેદવૃત્તિ છે. (૪) સંબંધાભેદવૃત્તિ :
અવિષ્યમ્ (અપૃથ) ભાવને સંબંધ કહેવામાં આવે છે. જેમ ઘટમાં અસ્તિત્વનો અવિષ્પગુ ભાવ છે, તેમ તે સિવાયના અન્ય ધર્મોનો પણ ઘટમાં સંબંધ છે જ. તેથી સંબંધાભેદવૃત્તિ છે. (૫) ઉપકારભેદવૃત્તિ :
જે ઘટમાં લોકપ્રવૃત્તિ સ્વરૂપ ઉપકાર અસ્તિત્વન કરવામાં આવે છે, તે જ ઉપકાર અન્ય ધર્મો દ્વારા પણ થાય છે. કારણ કે, સકલ ધર્મથી વિશિષ્ટ ઘટમાં જ લોકપ્રવૃત્તિ થાય છે, તેથી ઉપકારાભેદવૃત્તિ છે. (૬) ગુણીદેશાભેદવૃત્તિ :
ગુણી ઘટ, તેનો દેશ = ક્ષેત્ર ભૂતલાદિ, તે ભૂતલાદિનો આશ્રય કરીને જેમ ઘટમાં “અસ્તિત્વ ધર્મનો સદ્ભાવ છે, તેમ અન્ય ધર્મોનો પણ સભાવ છે તેથી ગુણીદેશભેદવૃત્તિ છે. (૭) સંસર્ગભેદવૃત્તિ :
ભેદ પ્રાધાન્ય હોવા છતાં પણ સંબંધ થાય તેને સંસર્ગ કહેવામાં આવે છે. તેથી જે ઘટમાં અસ્તિત્વનો સંસર્ગ છે, તે જ ઘટમાં અન્ય ધર્મોનો પણ સંસર્ગ છે જ. તેથી સંસર્ગભેદવૃત્તિ. અહીંયાં યાદ રાખવું કે, સંબંધ અને સંસર્ગમાં અંતર (ભેદ) છે. સંસર્ગમાં ભેદ પ્રાધાન્ય હોય