________________
નયવાદ
૧
૦ ૫
નય જ્ઞાનમાં વસ્તુ વિશેષ્ય બને છે અને વસ્તુનો એક ધર્મ પ્રકાર બને છે. તેથી “ચંદ્ સ્તdવીન પટ:” એવું જે જ્ઞાન થાય છે, તે નય જ્ઞાન છે અને તેનો આકાર (અગાઉ બતાવ્યા પ્રમાણે) “ચારિત ઘટ:” છે. ટૂંકમાં, એક ધર્મ પ્રકારક જ્ઞાન વિશેષને જ નય કહેવામાં આવે છે. (થાત્ = થંચિત) (२) साधकत्वं तथाविधप्रतिपत्तिजनकत्वम्।
સાધક અર્થાત્ એવા પ્રકારના (પહેલા બતાવ્યા તે પ્રકારના) જ્ઞાનના જનક (અધ્યવસાય વિશેષ) ને નય કહેવામાં આવે છે. પ્રમાણથી પ્રતિપન્ન એવી અનંતધર્માત્મક વસ્તુના કોઈ એક ધર્મના જ્ઞાનના જનક અધ્યવસાય વિશેષને નય કહેવાય છે. જેમ કે, એક ઘટાદિ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ નિત્ય-અનિત્યત્વ, અસ્તિત્વ-નાસ્તિત્વ, સત્ત્વઅસત્ત્વ, એકત્વ-અનેકત્વ આદિ અનંતા ધર્મ રહે છે, તેમાંથી કોઈ એક વિવણિત ધર્મના જ્ઞાનના જનક અધ્યવસાય વિશેષને નય કહે છે. (३) निर्वर्तकत्वं अनिवर्तमाननिश्चितस्वाभिप्रायकत्वम्।
પોતાના જે અભિપ્રાયથી અધ્યવસાય વિશેષ ઉત્પન્ન થાય છે, તે નિશ્ચિત અભિપ્રાયની નિવૃત્તિ જ્યાં થતી નથી, એવા અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે, જેમ કે, પોતાને “દ્રવ્ય” ના અભિપ્રાયથી જે “નિત્યો યદ:”એવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તે દ્રવ્યના અભિપ્રાયની નિવૃત્તિ “નિત્યો પદ:” એવા અધ્યવસાયમાં થતી નથી, તેથી તે અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “દ્રવ્ય' ની અપેક્ષાએ ઘટ નિત્ય છે, એવો વક્તાનો અભિપ્રાય “નિત્યો
દ:” એવા અધ્યવસાયરૂપમાં નિવૃત્ત નથી થતો. પરંતુ એવા અભિપ્રાયનો નિર્વાહ થાય છે, તેથી એવા અધ્યવસાય વિશેષને નય કહેવાય છે.