________________
૧૦૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો વસ્તુના ઈતર (બીજા) અંશોનો અપલાપ કરે, તેને નયાભાસ (દુર્નય) કહેવાય છે, નિત્યસ્વાદિ ધર્મોનો એકાંતે વિધાન કરવાવાળો અભિપ્રાય વિશેષ દુર્નય કહેવાય છે. જેમ કે, “આત્મા નિત્ય જ છે, અનિત્ય છે જ નહીં.” અથવા “આત્મા અનિત્ય જ છે, નિત્ય છે જ નહીં.” એવા એકાંતથી દૂષિત બનેલા અભિપ્રાય વિશેષનેa૩) (જ્ઞાનાંશને, નયાભાસ = દુર્નય કહેવામાં આવે છે. નયાભાસોનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે. નયના મુખ્ય ભેદ - નયના ભેદ-પ્રકારને જણાવતાં પ્રમાણનયતત્તાલોકમાં બતાવે છે કે, “ વ્યાસ-સમાસાખ્યાં દિકાર: I૭-રૂપા” વ્યા તોડને વિ7: II૭-૪ समासस्तु द्विभेदो द्रव्यार्थिक:पर्यायार्थिकश्च ।।७-५।।
તે નય વિસ્તાર અને સંક્ષેપથી બે પ્રકારનો છે. વિસ્તારથી તે નયના અનેક વિકલ્પ-પ્રકાર છે, કારણ કે, વસ્તુ અનંતઅંશાત્મક છે, અને એક અંશ વિષયક વક્તાના અભિપ્રાય વિશેષને નય કહેવાય છે, તે આગળ જણાવ્યું જ છે. તેથી અનંતાંશાત્મક વસ્તુમાં એક-એકના પર્યવસાયી જેટલા વક્તાના અભિપ્રાય વિશેષ છે, તેટલા નય છે. એટલે વિસ્તારથી વિચારીએ તો નય અનેક પ્રકારનાં છે, તેથી જ કહ્યું છે કે,
"जावइया वयणपहा तावइया चेव हुँति नयवादा। जावइया नयवादा तावइया चेव हुंति परसमया।।
(વિશેષાવશ્યક ભાષ્ય-૪૫૧)
13. नयास्तु पदार्थज्ञाने ज्ञानांशा, तत्रानन्तधर्मात्मके वस्तुन्येकधर्मोन्नयनं ज्ञानं नय: इतरांशप्रतिक्षेपाभिमुखं જ્ઞાન ટુર્નય: ||