________________
૧ ૧ ૨
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
અર્થાત્ દ્રવ્ય કહેવાય છે. જેમ કે, “જલધારણ” ક્રિયા ઘટની એક વિશિષ્ટ ક્રિયા છે, તે ક્રિયા દ્વારા જ ઘટની ઓળખાણ થાય છે, તેથી ઘટ અર્થક્રિયાથી યુક્ત દ્રવ્ય છે.
દ્રવ્યનું અન્ય લક્ષણ કરતાં કહે છે કે, પોત-પોતાનાં સમૂહ દ્વારા અખંડવૃત્તિથી-અવિચ્છિન્ન રૂપથી સ્વાભાવિક અને સ્વભાવિક પર્યાયોને જે પ્રાપ્ત કરે છે, ભવિષ્યમાં જે પ્રાપ્ત કરશે અને ભૂતકાળમાં જે પ્રાપ્ત કરતો હતો, તેને દ્રવ્ય કહેવામાં આવે છે, તદુપરાંત, ગુણ-પર્યાયથી યુક્ત વસ્તુને દ્રવ્ય કહેવાય છે અથવા ગુણોના આશ્રયને પણ દ્રવ્ય કહેવાય છે.
પૂર્વોક્ત સ્વરૂપવાળા દ્રવ્યના છ પ્રકાર છે : (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલ, (૫) જીવ અને (૬) કાલ. આ છ દ્રવ્યોનું સ્વરૂપ નવતત્ત્વ પ્રકરણ આદિ ગ્રંથોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. આ જગત પદ્રવ્યાત્મક છે. પ્રશ્ન. દ્રવ્યના સ્વાભાવિક અને વૈભાવિક પર્યાય શું છે? અને દ્રવ્યના સ્વાભાવિક અને સ્વભાવિક પર્યાય કયા કયા છે? ઉત્તર. જેનો જે સ્વભાવ છે, તે સ્વભાવનું તે સ્વરૂપથી જ પ્રતિક્ષણ પરિણમન થાય છે, તે સ્વભાવને “સ્વભાવપર્યાય' કહેવામાં આવે છે. અર્થાત્ વસ્તુનો સ્થિર સ્વભાવ કે જે પ્રતિક્ષણ તે સ્વરૂપમાં જ પરિણમન પામે, પરંતુ ક્યારેય પણ અન્યથા સ્વરૂપમાં પરિણમિત નથી થતો, તેને “રવભાવપર્યાય' કહેવાય છે, જે પૂર્વ સ્વભાવના ત્યાગપૂર્વક અન્ય સ્વભાવમાં પરિણમન પામે છે, તે સ્વભાવને “વિભાવપર્યાય” કહેવામાં આવે છે. (16)
16. स्वभाव-विभावौ पर्यायौ प्रदर्येते - तत्रागुरुलघुद्रव्यविकार: स्वभावपर्याय:, तद्विपरीत: स्वभावादन्यथाभवनं विभावः। तत्रागुरुलघुद्रव्यं स्थिरं सिद्धिक्षेत्रम्। यदुक्तं समवायाङ्गवृत्तौ - "गुरुलघुद्रव्यं यत् तिर्यग्गामि वाय्वादि, अगुरुलघु यत् स्थिरं सिद्धिक्षेत्र घण्टाकारव्यवस्थितज्योतिष्कविमानादीनि” इति।।