________________
૧૦૪
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નયરહસ્ય પ્રકરણ માં ન્યાયની શૈલીમાં તે પર્યાયોના અર્થ કર્યા છે. તેનાથી વિશેષત: નયનો વિષય પરિફુટ થશે. તેથી અહીયાં તે નયના પર્યાયવાચી શબ્દોને અર્થ સહિત વિચારીશું.
“નયા: પ્રાપ:, સાથal:, નિર્વર્તા:, ૩પતા :, વ્યાસ, રૂનત્તરમ્ તિ" (તસ્વાર્થ ભાષ્ય ૨-૩૫) -
પ્રત્યેક પર્યાયોનું સ્વરૂપ ન રહસ્ય ગ્રંથના માધ્યમથી વિચારીશું. (૨) પ્રાપવā - પ્રમાપન પ્રતિપન્ન - પ્રતિયોનિપ્રતિયોીિમદ્ - भावापन्ननानाधर्मेकतरमात्रप्रकारकत्वम्।
પ્રમાણ દ્વારા પ્રતિપન્ન (સુનિશ્ચિત) અને પ્રતિયોગિ-પ્રતિયોગિમભાવાપન્ન (અર્થાત્ વિરોધી - વિરોધિમદ્ ભાવથી યુક્ત) જે વસ્તુના) અનેક ધર્મ છે, તેમાંથી કોઈ એક ધર્મ માત્ર પ્રકારક જ્ઞાનને “નય” કહેવામાં આવે છે.
કહેવાનો આશય એ છે કે, પ્રમાણથી પ્રતિપન્ન વસ્તુ અનંતધર્માત્મક છે, તે અનંત ધર્માત્મક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ રહેલા હોય છે, જેમ કે, ઘટ વસ્તુમાં અપેક્ષાએ નિત્યત્વ અને અપેક્ષાએ અનિત્યત્વ એમ પરસ્પર વિરુદ્ધ ધર્મ રહે છે. નિત્યત્વનો વિરોધી ધર્મ અનિત્યત્વ છે અને અનિત્યત્વનો વિરોધી ધર્મ નિત્યત્વ છે. તેથી નિયત્વ જ્યારે વિરોધી છે ત્યારે અનિત્યત્વ વિરોધીમદ્ (વિરોધ્ય) છે અને અનિત્યત્વ જ્યારે વિરોધી છે, ત્યારે નિત્યત્વ વિરોધ્ધ છે, તેથી તે બંને ધર્મોથી યુક્ત વસ્તુ વિરોધિ-વિરોધિમર્ભાવથી યુક્ત છે.
તેથી પ્રમાણથી પ્રતિપન્ન અને વિરોધિ-વિરોધિમદ્ ભાવથી યુક્ત અનંતધર્માત્મક વસ્તુનો કોઈ એક ધર્મ (નિત્યત્વ કે અનિત્યત્વ અથવા અસ્તિત્વ યા નાસ્તિત્વ ઈત્યાદિ કોઈ એક ધર્મ) જે અધ્યવસાય વિશેષમાં પ્રકાર બને છે, તે અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે.