________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રશ્ન. દુર્નય વાક્ય પણ એક ધર્મનો ગ્રહ કરે છે અને નય વાક્ય પણ એક ધર્મનો ગ્રહ કરે છે, તો પછી નયવાક્યને દુર્નય વાક્ય કેમ ન કહેવાય?
૯૮
ઉત્તર. દુર્નય વાક્ય અને (સુ) નયવાક્યમાં ફરક છે. દુર્નય વાક્ય વસ્તુના શેષ ધર્મોનો અપલાપ કરીને એક ધર્મનું ગ્રાહક બને છે. જ્યારે, નયવાક્ય શેષ ધર્મોનો અપલાપ કર્યા વગર અપેક્ષા ભેદથી તે ધર્મોને ગૌણરૂપથી સ્વીકૃત રાખીને પોતાને અભિપ્રેત ધર્મને પુરસ્કૃત કરે છે. તેથી સર્વ ધર્મોના પુરસ્કર્તા પ્રમાણ વાક્ય અંતર્ગત નયવાક્ય આવી શકે છે. ટૂંકમાં, નયવાક્ય પ્રમાણ વાક્યને અંતર્નિષ્ઠ છે, જ્યારે દુર્નય વાક્ય પ્રમાણ વાક્યની બહિર્ભૂત છે. સુનય વાક્યોનો સમુદાય જ પ્રમાણ વાક્યનો વિષય છે. દુર્નય વાક્ય પ્રમાણ વાક્યના વિષયભૂત સમુદાયમાં આવી શકતું નથી. તેથી તે પ્રમાણ વાક્યની બહિર્ભૂત છે. પ્રશ્ન. પ્રમાણ વાક્યનો આકાર કેવા પ્રકારનો હોય છે?
ઉત્તર.પ્રમાણ વાક્યનો આકાર “સ્યાવચ્ચેવ પદ:'' ઈત્યાકારક છે. અહીંયાં સ્વાદેવ'' પદથી લાંછિત હોવાથી તેની પ્રમાણતા છે. તેમાં સ્વરૂપાદિ દ્વારા ઘટમાં ‘અસ્તિત્વ’ ધર્મનું ‘સ્વાત્’ પદ દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે. પરંતુ પરરૂપાદિ દ્વારા નહિ. ‘F’ પદ દ્વારા ‘અસ્તિત્વ' થી વિરુદ્ધ નાસ્તિત્વાદિ ધર્મોનો વ્યવચ્છેદ પ્રતિપાદિત કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે પ્રમાણ વાક્યમાં અસ્તિત્વ, સત્ત્વાદિ ધર્મોના પ્રતિપાદનની સાથે જ નાસ્તિત્વઅસત્ત્વાદિનું પણ નિષેધમુખેન પ્રતિપાદન થઈ જ જાય છે. જ્યારે નય વાક્યમાં વસ્તુના એકમાત્ર ‘અસ્તિત્વ’ આદિ ધર્મનું મુખ્યતાએ વિધાન થાય છે. પ્રમાણ વાક્યમાં સ્વરૂપથી અસ્તિત્વ અને