________________
પ્રમાણ
૮૫
મનુષ્યનું જે સ્વાભાવિક રૂપ છે તે પોતાના શુદ્ધસ્વરૂપમાં દેખાયા કરે છે. જ્યારે મનુષ્ય હાથમાં દંડ લે છે ત્યારે મનુષ્ય દંડીના સ્વરૂપમાં પ્રતીત થાય છે. દંડી સ્વરૂપમાં મનુષ્યનું પ્રત્યક્ષ દંડના સંબંધથી થાય છે. દંડનો સંબંધ બંડીસ્વરૂપમાં મનુષ્યની પ્રતીતિમાં કારણ છે. અર્થની જે સ્વરૂપની પ્રતીતિ ક્યારેક હોય અને ક્યારેક ન હોય, ક્યારેક કોઈ વસ્તુની સાથે હોય અને ક્યારેક તે વસ્તુ વિના પણ હોય તો અન્ય વસ્તુના સંબંધને પ્રકાશિત કરવાવાળી પ્રતીતિ અન્ય વસ્તુના સંબંધથી થાય છે. મનુષ્યમાં દંડીપણું દંડના સંબંધથી આવ્યું છે. ઠંડીના સ્વરૂપમાં જ્ઞાન મનુષ્ય અને દંડના સંબંધમાં પ્રમાણ છે. આ રીતે અર્થનું જ્યારે જ્ઞાન નથી થતું ત્યારે તે અજ્ઞાત રહે છે. તે વખતે અર્થ જ્ઞાતરૂપમાં પ્રતીત નથી થતો તે અજ્ઞાત સ્વરૂપમાં રહે છે. જ્ઞાતરૂપમાં પ્રતીતિ અર્થની સાથે જ્ઞાનના સંબંધને પ્રગટ કરે છે. મનુષ્યનું ઠંડીપણું જે રીતે દંડના સંબંધથી છે એ રીતે અર્થનું જ્ઞાતપણુ જ્ઞાનના સંબંધથી છે.
દંડ અને મનુષ્યનો જે સંબંધ છે એનાથી જ્ઞાન અને અર્થના સંબંધમાં કંઈક ભેદ છે. મનુષ્ય દંડ વિના પણ પ્રતીત થાય છે અને દંડની સાથે પણ, એથી મનુષ્યનું શુદ્ધ અને સંબંધ દ્વારા પ્રતીત થતું બંને સ્વરૂપ સ્પષ્ટ છે. અર્થ અને જ્ઞાનનો સંબંધ ત્યારે પ્રતીત થાય છે કે જ્યારે અર્થનું જ્ઞાન હોય. અર્થ જ્યારે અજ્ઞાત હોય છે ત્યારે અર્થનું સ્વરૂપ પ્રતીત થતું નથી. અર્થ જ્યારે પ્રતીત થાય છે ત્યારે જ્ઞાનની સાથે પ્રતીત થાય છે. દંડ વિના મનુષ્યની પ્રતીતિ થાય છે પણ જ્ઞાન વિના અર્થની પ્રતીતિ થતી નથી. એટલો જ્ઞાન અને દંડમાં ભેદ છે. દંડના સંબંધ વિના દંડીના સ્વરૂપની પ્રતીતિ થઈ શકતી નથી. જ્ઞાતરૂપમાં અર્થની પ્રતીતિ પણ જ્ઞાનના સંબંધ વિના થઈ શકતી નથી. આ જ્ઞાન અને દંડના સંબંધમાં સમાનતા છે. દંડવિના મનુષ્ય જે રીતે વિદ્યમાન છે એ રીતે જ્ઞાન વિના