________________
પ્રમાણ
૭
૫
હેતુનું સ્વરૂપ :
જૈનદર્શન હેતુનું સ્વરૂપ નીચે મુજબ જણાવે છે. निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः, न तु त्रिलक्षणकादि:(18)।
- નિશ્ચિત “અન્યથા અનુપપત્તિ', જેનું એક લક્ષણ છે, તે હેતુ છે. હેતુ ત્રણ લક્ષણવાળો કે તેનાથી અધિક લક્ષણવાળો નથી.
કહેવાનો આશય એ છે કે, અન્યથા એટલે સાધ્ય વિના, અનુપપત્તિ એટલે ઉપપત્તિનો અભાવ. અર્થાત્ સાધ્ય વિના ઉપપત્તિનો અભાવ એ હેતુનું લક્ષણ છે. જો વહ્નિરૂપ સાધ્ય ન હોય તો ધૂમ હેતુ પણ ન હોય, આ “અન્યથા અનુપપત્તિ' એ જ હેતુનું લક્ષણ છે. પરંતુ (પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ કે વિપક્ષાસત્ત્વ આ ત્રણે કે તેનાથી અધિક) હેતુના લક્ષણો નથી. કારણ કે, પક્ષસત્ત્વાદિ હેતુના લક્ષણો માનવામાં અનેક દોષો આવે છે. તે વિગત જૈનતર્કભાષા, પ્રમાણનયતત્તાલોક, પદર્શન સમુચ્ચય આદિમાં વિસ્તારથી બતાવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણવા ભલામણ. સાધ્યનું સ્વરૂપ :
જૈનદર્શન સાધ્યનું સ્વરૂપ નીચે મુજબ બતાવે છે. अप्रतीतमनिराकृतमभीप्सितं च साध्यम्।
અર્થ : જે નિશ્ચિત નથી, જે પ્રમાણથી બાધિત નથી અને જેને સિદ્ધ કરવાની ઈચ્છા છે, તે સાધ્ય કહેવાય છે.
હેતુ દ્વારા સાધ્યનું જ્ઞાન અનુમાન કહેવાય છે. તેથી હેતુના
18. હેતુ સ્વરૂપ નિરૂપત્તિ - નિશ્ચિતાન્યાનુપપત્યેનો હેતુઃ III. अन्यथानुपपत्ति:- अविनाभावः, सा च साध्यवद् भिन्नावृत्तित्वरूपा, हेत्वधिकरणवृत्त्यभावाऽप्रतियोगिसाध्यसामानाधिकरण्यरूपा वा। निश्चिताऽन्यथानुपपत्तिरेव लक्षणं स्वरूपं यस्य स દેતુરિત્યર્થ: પતયવચ્છ સતિ - તુ ત્રિત્રક્ષાવિવિ ા૨ાા त्रीणि लक्षणानि-पक्षसत्त्व-सपक्षसत्त्व-विपक्षाऽसत्त्वानि यस्य स त्रिलक्षणक: सौगतसम्मत:, आदिपदेनासत्प्रतिपक्षत्वमबाधितविषयत्वमिति द्वयं मिलित्वा नैयायिकाभिमतः पञ्चलक्षणकश्च હેતુને મવતીતિ ભાવ: ૨ ૨ા