________________
પ્રમાણ
૬૩
અંકુરની ઉત્પત્તિમાં બીજ મુખ્ય કારણ છે અને ક્ષેત્ર, પાણી આદિ સહકારી કારણ છે. તે જ રીતે જ્યારે જ્ઞાન ઈન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે ત્યારે મન કારણ હોય છે, પરંતુ સહકા૨ી કારણ હોય છે. મનના કારણે જ્ઞાનમાં ભેદ પડતો નથી. ચક્ષુ, શ્રોત્ર આદિ ના કારણે જ્ઞાનમાં ભેદ પડે છે તેથી એ જ્ઞાનમાં ઈન્દ્રિય અસાધારણ કારણ હોય છે. તેથી ઈન્દ્રિય) દ્વારા ઉત્પન્ન જ્ઞાન ઈન્દ્રિયજન્ય જ કહેવાય છે.
હવે બંને પ્રકારના સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે ભેદ જણાવતાં જૈનતર્કભાષા ગ્રંથમાં જણાવ્યું છે કે,
द्वयमपीदं मतिश्रुतभेदाद् द्विधा । तत्रेन्द्रियमनोनिमित्तं श्रुताननुसारि ज्ञानं મતિજ્ઞાનમ, શ્રુતાનુસારિ = શ્રુતજ્ઞાનમ્। આ બંને પ્રકા૨નું ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિયજન્ય જ્ઞાન, મતિ અને શ્રુત એમ બે પ્રકારનું છે. જે જ્ઞાન ઈન્દ્રિય અને મન બંને નિમિત્તોથી ઉત્પન્ન થાય છે, પરંતુ શ્રુતનું અનુસરણ કરતું નથી, તે ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન છે અને જે જ્ઞાન ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થાય છે, પરંતુ સાથે શ્રુતની સહાયતા લે છે તે ઈન્દ્રિયજન્ય શ્રુતજ્ઞાન છે.
એ જ રીતે મન દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જો શ્રુતનું અનુસરણ ન કરે તો અનિન્દ્રિયજન્ય મતિજ્ઞાન છે અને મનથી ઉત્પન્ન 7. इन्द्रियं द्विविधं, द्रव्येन्द्रिय-भावेन्द्रियभेदात्, द्रव्येन्द्रियं द्विविधं निवृत्तीन्द्रियोपकरणेन्द्रियभेदात्, निवृत्तीन्द्रियं द्विविधं, बाह्याभ्यन्तरभेदात्, तत्र बाह्यप्रत्यक्षेण परिदृश्यमानं कर्णशष्कुल्याद्यनेकप्रकारम्, आन्तरं - कदम्बपुष्पाद्याकारम् । उपकरणेन्द्रियं - आभ्यन्तरनिवृत्तीन्द्रियस्थितं स्वस्वविषयग्रहणशक्तिरुपं, यस्मिन् उपहते निवृत्तीन्द्रियसत्त्वेऽपि विषयग्रहणं न भवति तत् ।
भावेन्द्रियमपि द्विविधं, लब्ध्युपयोगभेदात्, तत्र लब्धीन्द्रियं - इन्द्रियावरणक्षयोपशमापरपर्यायार्थग्रहणशक्तिरुपम्। अर्थग्रहणव्यापाररुपमुपयोगेन्द्रियम्। चक्षुषोऽप्राप्यप्रकाशकारित्वम्, अन्येषामिन्द्रियाणां तु प्राप्यप्रकाशकारित्वमिति ।
मनोऽपि द्रव्यभावभेदाद् द्विविधं अप्राप्यप्रकाशकारि चास्ति इति ।