________________
૬ ૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
છે. અર્થાત્ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને મનથી નિરપેક્ષપણે માત્ર આત્માથી ઉત્પન્ન થતા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. જેમ કે, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર :
સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર જણાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહ્યું છે કે,
तत्राऽऽद्यं द्विविधम् - इन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च।
- સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર છે. (૧) ચક્ષુ આદિ ઈન્દ્રિયથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અને (૨) અનિદ્રિય (મન) થી ઉત્પન્ન થયેલું જ્ઞાન.
જે જ્ઞાનોમાં ઈન્દ્રિય મુખ્યરૂપથી કારણ છે, તેમાં મન સહકારી કારણ હોય છે. મન વિના કેવળ ઈન્દ્રિયથી રૂ૫ આદિ વિષયોનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. પરંતુ મન ગૌણ કારણ હોવાથી ચક્ષુ આદિથી જન્ય પ્રત્યક્ષને મનથી જન્ય કહેવાતું નથી.
જેમ કે, અંકુરની ઉત્પત્તિમાં ક્ષેત્ર, પાણી, આતપ અને બીજાદિ કારણ છે. પરંતુ અંકુર જે પ્રકારના બીજથી ઉત્પન્ન થાય છે, તે બીજથી તેનો વ્યવહાર થાય છે, જેમ કે ઘઉના અંકુરા, જુવારના અંકુરા આદિ. આ મુખ્ય વ્યવહાર છે. પરંતુ પાણીના અંકુર કે ક્ષેત્રના અંકુર એવા પ્રકારે બોલાતું નથી. અંકુરમાં ભેદ બીજના કારણે થાય છે. ઘઉંના બીજ હોય તો ઘઉના અંકુર થાય છે અને જુવારના બીજ હોય તો જુવારના અંકુર થાય છે. પાણી કે ક્ષેત્ર આદિના કારણે અંકુરમાં ભેદ થતો નથી. તેથી 6. સાંવ્યાવહારિવં તેયા, વસુરાહીન્દ્રિયનિમિત્તે મનોનિમિત્તે ર (...શ્નો.-૧૧) एतच्च द्विविधम् - इन्द्रियजम्, अनिन्द्रियजं च। तत्रेन्द्रियजं चक्षुरादि जनितम्, अनिन्द्रियजं च मनोजन्यं। यद्यपीन्द्रियजज्ञानेऽपि मनो व्यापिवर्ति, तथापि तत्रेन्द्रियस्यैवासाधारणकारणत्वाददोषः। (નૈનત ભાષા)