________________
પ્રમાણ
૭૧
(૨) ‘‘નો સદૃશો વય:'' ગાયની સમાન ગવય છે - જ્યારે સામે ગવય હોય છે અને એમાં પહેલા જોયેલી ગાયની સમાન આકાર દેખાય છે, ત્યારે સાદશ્યનું પ્રકાશક પ્રત્યભિજ્ઞાન થાય છે.
*
,,
(૩) “સ વાય ટેવવત્ત:'' આ તે જ દેવદત્ત છે'' - આ પ્રકારના પ્રત્યભિજ્ઞાનમાં ઉર્ધ્વતા સામાન્યનું જ્ઞાન થાય છે. ઘણા સમય પહેલાં દેવદત્ત જોયો હતો, એ જ્યારે ફરી સામે દેખાય છે, ત્યારે ‘‘આ તે જ દેવદત્ત છે’' - આવા પ્રકારનું જ્ઞાન થાય છે. પહેલા જોયેલા અને પછી (અત્યારે) જોયેલા શરીરમાં ભેદ છે. એ બંને શરીરોમાં અનુગત એક શ૨ી૨ દ્રવ્ય છે. એ દ્રવ્ય રૂપ ઉર્ધ્વતા સામાન્યને લઈને થનારું આ પ્રત્યભિજ્ઞાન છે. (૪) ‘‘સ ાનેનાર્થ: શ્ચત્તે’' - ‘‘તે જ અર્થ આના દ્વારા કહેવાય છે'' - કહેવાનો આશય એ છે કે, પૂર્વકાળનો કોઈ એક પુરૂષ જે અર્થને કહે છે, તે અર્થમાં જે જાતિ છે, તે જ જાતિ વર્તમાનકાળના કોઈ અર્થમાં પણ હોઈ શકે છે. ભિન્ન કાળના અર્થ બે ભિન્ન વ્યક્તિ છે, પરંતુ એની જાતિ એક છે. જ્યારે વ્યક્તિઓ ભિન્ન હોવા છતાં પણ વર્તમાનકાળના અર્થને પૂર્વકાળમાં દેખેલા અર્થની જાતિથી યુક્ત કહેવાય છે, તો જાતિનું પ્રત્યભિજ્ઞાન થાય છે. આ પ્રકારની જાતિના પ્રત્યભિજ્ઞાનમાં જે જાતિ હોય છે, તે તિર્યક્ સામાન્ય કહેવાય છે. પહેલાં કોઈ પુરૂષે એક આમ્રવૃક્ષને જોયું. તે જ મનુષ્ય થોડા સમય બાદ અન્ય આમ્રવૃક્ષને જુએ તો આ આમ્ર પણ એ જ આમ્ર જાતિનું છે, એવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન થાય છે. દેખવાવાળો બંને આંબાઓના વ્યક્તિભેદને જાણે છે અને એ જાતિને એક સમજે છે. આ પ્રત્યભિજ્ઞાન વૃક્ષત્વરૂપ તિર્યક્ સામાન્યને પ્રકાશિત કરે છે. (૫) ‘‘ìવિનક્ષો મદિષ:'' ગાયથી વિલક્ષણ ભેંસ છે - જ્યારે કોઈ વ્યક્તિ ભેંસને જાણવાની ઈચ્છા કરે અને અન્ય મનુષ્ય કહે