________________
૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અધ્યવસાયોથી વિકૃત થતો હોવાથી) ક્રોધાદિ-અસંખ્યાતાધ્યવસાયત્વ, હાસ્ય-રતિ-ભય-શોક-જુગુપ્સા આદિ ભાવોનો સદ્ભાવ, સ્ત્રીત્વ, પુરૂષત્વ, નપુંસકત્વ, મૂર્ણત્વ, અંધત્વ, બધિરત્વ ઈત્યાદિ ક્રમભાવી ધર્મો રહે છે.
મુક્તાત્મામાં સિદ્ધત્વ, સાદિ-અનંતત્વ, જ્ઞાન-દર્શન-સાયિક સમ્યક્ત, સુખ, વીર્ય, (અનંત દ્રવ્યાદિમાં રહેવાવાળા સમસ્ત પર્યાયોનું) જ્ઞાતૃત્વદર્શિત્વ, અશરીરત્વ, અજરામરત્વ, અરૂપવ, અરસત્વ, અગંધત્વ, અસ્પર્શત્વ, અશબ્દત્વ, નિશ્ચલત્વ, નિરૂક્ત (રોગરહિતત્વ), અક્ષયત્વ, અવ્યાબાધત્વ.. ઈત્યાદિ અનેક ધર્મ હોય છે.
આ રીતે સ્યાદ્વાદ સિદ્ધાંત અનુસાર સર્વે પદાર્થો અનંતધર્માત્મક છે. શંકા 2) :
વસ્તુના જે સ્વપર્યાયો છે, તે સર્વે વસ્તુના સંબંધી હોય તેમાં કોઈ વાંધો નથી. પરંતુ જે પરપર્યાયો છે, કે જે વિભિન્ન વસ્તુઓમાં રહેલા હોવાથી કઈ રીતે (વિવણિત) વસ્તુના સંબંધીના રૂપમાં વ્યપદેશ કરી શકાય? અર્થાત્ ઘટના પોતાના સ્વરૂપ આદિની અપેક્ષાથી “અસ્તિત્વ' તો તેનો (ઘટનો) ધર્મ હોઈ શકે છે. પરંતુ પટ આદિ પરપદાર્થોનું “નાસ્તિત્વ' તો પટ આદિ પરપદાર્થોને અધીન છે. તેથી તેને ઘટનો ધર્મ કઈ રીતે કહી શકાય? સમાધાન ૩૩) :
તમે અમારી (પૂર્વેની) વાતના પરમાર્થને સમજ્યા નથી માટે જ ગેરસમજ ઉભી થઈ છે. વસ્તુમાં પર્યાયોનો સંબંધ બે પ્રકારથી હોય 32. आह - ये स्वपर्यायास्ते तस्य सम्बन्धिनो भवन्तु, ये तु परपर्यायास्ते विभिन्नवस्त्वाश्रयत्वात्कथं तस्य सम्बन्धिनो व्यपदिश्यन्ते? 33. उच्यते, इह द्विधा सम्बन्धोऽस्तित्वेन नास्तित्वेन च। तत्र स्वपर्यायैरस्तित्वेन सम्बन्ध:, यथा घटस्य रुपादिभिः। परपर्यायैस्तु नास्तित्वेन सम्बन्धस्तेषां तत्रासम्भवात्, यथा घटावस्थायां मृदूपतापर्यायेण यत एव च ते तस्य न सन्तीति नास्तित्वसंबन्धेन सम्बद्धाः अत एव च ते परपर्याया इति व्यपदिश्यन्ते। (મુ..વુ.શ્નો.૧૧)