________________
સ્યાવાદ - અનેકાંતવાદ'
૩૯
અન્યોએ જે દોષો આપ્યા છે, તેમાં ક્રમશઃ એક-એક દોષ અંગે વિચારીને તેનું નિરાકરણ કરીશું. અનેકાંતમાં વિરોધ દોષનો આરોપવ4) :
અનેકાંતમાં વિરોધ દોષ બતાવતાં કહે છે કે... જો વસ્તુ સત્ હોય, તો તે જ વસ્તુ અસત્ કઈ રીતે હોય? તથા જો વસ્તુ અસત્ હોય, તો તે જ વસ્તુ સત્ કઈ રીતે હોય? - આ રીતે (સત્વ અને અસત્ત્વ વચ્ચે) વિરોધ છે. કારણ કે, સત્ત્વધર્મ અને અસત્ત્વધર્મ એકબીજાનો પરિહાર કરીને જ પોતાના અસ્તિત્વને ધારણ કરે છે. જેમ કે, શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ. અર્થાત્ જ્યાં શીતસ્પર્શ છે, ત્યાં ઉષ્ણસ્પર્શ નથી અને જ્યાં ઉષ્ણસ્પર્શ છે, ત્યાં શીતસ્પર્શ નથી. તે જ રીતે સત્ત્વ, અસત્ત્વધર્મનો પરિહાર કરીને પોતાનું અસ્તિત્ત્વ સિદ્ધ કરે છે અને અસત્ત્વ, સત્ત્વધર્મનો પરિવાર કરીને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આથી જેમ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને એક સાથે રહેવામાં વિરોધ છે, તેમ સત્ત્વ અને અસત્ત્વને એક સાથે વસ્તુમાં રહેવામાં વિરોધ છે.
તદુપરાંત, સત્ત્વ અને અસત્ત્વ એકબીજાનો પરિહાર કર્યા વિના સ્થિત હોય તો સત્ત્વ અસત્ત્વરૂપથી અને અસત્ત્વ સત્ત્વરૂપથી સ્થિત બની જશે. કારણ કે, બંને પોતાના અસ્તિત્વમાં એકબીજાનો પરિહાર કરતા ન હોવાથી બંનેમાં કોઈ વિશેષતા નહીં રહે. બંને એકરૂપ બની જશે. તેના યોગે “એક હાજર (ઉપસ્થિત) છે અને એક ગેરહાજર (અનુપસ્થિત)
44. યુદ્વ વસ્તુ સત્ તવેવ થમસ? મળ્યે સથમ ? ત વિરોધ:, સત્વીયો : परस्परपरिहारेण स्थितत्वात्, शीतोष्णस्पर्शवत्। यदि पुनः सत्त्वमसत्त्वात्मना असत्त्वं च सत्त्वात्मना व्यवस्थितं स्यात् तदा सत्त्वासत्त्वयोरविशेषात्प्रतिनियतव्यवहारोच्छेदः स्यात्। एवं नित्यानित्यादिष्वपि વાગ્યમ્ ?. (...મુ...સ્નો-૧ ૭)