________________
૪૨.
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
- આવો પ્રથમપક્ષ કહેશો તો સ્યાદ્વાદની હાની થશે. કારણ કે, વસ્તુનું જે સ્વરૂપ સત્ છે, તે સ્વરૂપથી સત્ માનવાથી એકાંતવાદ થઈ જાય છે અને સર્વથા સત્ પક્ષ માનવાથી સ્યાદ્વાદ સિદ્ધાંત કઈ રીતે ટકી શકે?
જો બીજો પક્ષ “જે સ્વરૂપથી વસ્તુ સત્ છે, તે જ સ્વરૂપથી વસ્તુ સદસત્ હોય છે' - આવો બીજો પક્ષ સ્વીકારશો તો અનવસ્થા દોષ આવશે. કારણ કે, ત્યાં પણ પ્રશ્ન ઉપસ્થિત થયા કરશે કે, વસ્તુ જે રૂપથી સત્ છે, તે સ્વરૂપથી સત્ છે કે સદસત્ છે? જો સત્ છે તો સ્યાદ્વાદની હાની અને સદસ છે, તો તે જ પ્રશ્ન પુનઃ ઉપસ્થિત થશે. આ રીતે અપ્રામાણિક ધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવશે.
તે જ રીતે વસ્તુમાં જે સ્વરૂપથી ભેદ છે, તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ છે કે ભેદભેદ છે? પ્રથમપક્ષમાં સ્યાદ્વાદની હાની છે અને દ્વિતીય પક્ષમાં અનવસ્થા દોષ આવે છે. સંશય અને અનવસ્થા દોષનો પરિહાર) :
તમે અનેકાન્તમાં જે સંશયદોષ આપ્યો છે તે યોગ્ય નથી. કારણ કે, વસ્તુમાં (સ્વરૂપની અપેક્ષાએ) સત્ત્વ અને (પરરૂપની અપેક્ષાએ) અસત્ત્વ
સ્પષ્ટપણે પ્રતીત થાય છે. તેથી સંશયદોષ નથી. અસ્પષ્ટ પ્રતીતિમાં જ સંશય દોષ આવે છે જેમ કે, કોઈ પ્રદેશમાં થવાવાળી “આ સ્થાણુ છે કે પુરૂષ છે” આવી ચલિત પ્રતીતિ અસ્પષ્ટ હોવાના કારણે સંશય કહેવાય છે. પરંતુ 47. तथा संशयोऽपि न युक्तः, सत्त्वासत्त्वयोः स्फूटरुपेणैव प्रतीयमानत्वात्। अदृढप्रतीतौ हि संशयः, यथा क्वचित्प्रदेशे स्थाणुपुरुषयोः। तथा यदुक्तं "अनवस्था" इति तदप्यनुपासितगुरोर्वचः, यतः सत्त्वासत्त्वादयो वस्तुनो एव धर्माः, न तु धर्माणां धर्माः, “धर्माणां धर्मा न भवन्ति' इति वचनात्। न चैवमेकान्ताभ्युपगमादनेकान्तहानिः, अनेकान्तस्य सम्यगेकान्ताविनाभावित्वात्, अन्यथानेकान्तस्यैवाघटनात् नयार्पणादेकान्तस्य प्रमाणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाभ्यामविरूद्धस्य तस्य व्यवस्थितेः। किं च, प्रमाणार्पणया सत्त्वेऽपि सत्त्वासत्त्वकल्पनापि भवतु। न च तत्र कश्चनापि दोषः। (षड्. સમુ..વૃશ્નિો . ૭)