________________
પ્રમાણ
પ૯
આકારોનું પ્રતિભાસન થતું નથી, તે આકારોનું પણ પ્રતિભાસન થવું તે જ પ્રત્યક્ષની અંદર રહેલું સ્પષ્ટત્વ છે.
કહેવાનો આશય એ છે કે, અનુમાનાદિ પ્રમાણો દ્વારા જે આકારાદિનું પ્રતિભાસન થતું નથી, તે સર્વેનું પ્રતિભાસન પ્રત્યક્ષ પ્રમાણથી થાય છે. પ્રત્યક્ષ પ્રમાણના બે પ્રકાર : પ્રત્યક્ષના બે પ્રકાર બતાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહ્યું છે કે,
તદ્ધિપ્રારમ્ - સાંવ્યાવહારિવં પારમાર્થિવં ચ ૨-૪૧) પ્રત્યક્ષના બે પ્રકાર : (૧) સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને (૨) પારમાર્થિક પ્રત્યક્ષ. સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું લક્ષણ :સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું લક્ષણ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે, __समीचीनो बाधारहितो व्यवहार : प्रवृत्तिनिवृत्तिलोकाभिलापलक्षण: संव्यवहारः, तत्प्रयोजनकं सांव्यावहारिकम् - अपारमार्थिकमित्यर्थ: यथा अस्मदादिप्रत्यक्षम्।
- પ્રવૃત્તિ, નિવૃત્તિ અને અભિશાપરૂપ જે બાધારહિત વ્યવહાર છે, તે સંવ્યવહાર છે. સંવ્યવહાર જેનું પ્રયોજન છે તે સાંવ્યાવહારિક કહેવાય છે. તે પારમાર્થિક નથી. જેમ કે, આપણા લોકોનું પ્રત્યક્ષ.
કહેવાનો આશય એ છે કે, ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા જ્યારે વસ્ત્ર આદિને દેખે છે, ત્યારે તેને લેવા માટેની પ્રવૃત્તિ કરે છે. લેવા માટે પ્રવૃત્તિ રૂ૫ વ્યવહાર, વસ્ત્રના પ્રત્યક્ષનું પ્રયોજન છે. જે પદાર્થોમાં ઈષ્ટ તરીકેની સિદ્ધિ થાય છે, તે પદાર્થોને જોઈને લેવા માટેની પ્રવૃત્તિ થાય છે. જે પદાર્થ 4. તદ્ધિમાર સાંવ્યાવહારિવં પારમાર્થિ વા (.મુ.પો.-૫, ટીવા) प्रत्यक्षं द्विविधं - सांव्यावहारिकम् पारमार्थिकं चेति । (जैनतर्कभाषा)