________________
૪૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પાણીરૂપે સત્ છે, અગ્નિરૂપથી તો અસત્ છે. તેથી પાણીનો અર્થી જીવ અગ્નિમાં પ્રવૃત્તિ કરતો નથી.
તદુપરાંત, ભૂત-ભવિષ્યની અપેક્ષાએ જલપરમાણુઓમાં પણ ભૂતભાવિ વહ્નિ પરિણામની અપેક્ષાએ વહ્નિરૂપતા છે જ. (કહેવાનો આશય એ છે કે, પુદ્ગલ દ્રવ્યનું વિચિત્ર પરિણમન થાય છે. જે વર્તમાનમાં જલરૂપે હોય છે, તે ભવિષ્યમાં અગ્નિરૂપમાં પણ પરિણમન પામી શકે છે અને ભૂતકાળમાં તે અગ્નિરૂપ હતો એમ પણ કહી શકાય છે અને તે ભૂતભાવિ પર્યાયની અપેક્ષાએ જલમાં અગ્નિરૂપતા માનવામાં બાધ નથી.) વળી ગરમ કરેલા પાણીમાં કથંચિત્ અગ્નિરૂપતા સ્વીકાર કરવામાં આવી જ છે. અનેકાંતમાં પ્રમાણબાધા દોષનો આરોપ 55) :
કોઈક વાદ કહે છે કે, વસ્તુની અનેકાન્તાત્મકતાને સિદ્ધ કરવા માટે કોઈપણ પ્રત્યક્ષાદિ પ્રમાણોની સહાયતા મળતી નથી. તેથી અનેકાંતમાં પ્રમાણબાધા આવે છે. પ્રમાણબાધા દોષનો પરિહાર(56) :
જ્યારે સત્ત્વ અને અસત્ત્વ બંને પ્રત્યક્ષબુદ્ધિમાં સ્પષ્ટપણે પ્રતિભાસિત થતા હોય, ત્યારે એમાં તમે આપેલી) પ્રમાણબાધાનો પ્રસંગ ક્યાંથી આવે? પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં અસંગતિનું નામનિશાન હોતું નથી. નહીંતર (અર્થાત્ પ્રત્યક્ષ સિદ્ધ પદાર્થમાં પણ અસંગતિ આવતી હોય તો) પ્રત્યેક સ્થળે પ્રમાણબાધાનો પ્રસંગ આવશે. એટલે અનેકાંતમાં પ્રમાણબાધા દોષ નથી. ભિન્ન-ભિન્ન અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મો એક જ પદાર્થમાં રહી શકે છે, તે પ્રત્યક્ષસિદ્ધ જ છે. 55. તથા ૨ પ્રત્યક્ષાવિકમાણવાધ: (૫મુ..વૃત્તિો .૧૭) 56. प्रत्यक्षादिबुद्धौ प्रतिभासमानयोः सत्त्वासत्त्वयोः का नाम प्रमाणबाधा। न हि दुष्टेऽनुपपन्नं નામ, અન્યથા સર્વત્રા તત્પરા ( મુ....૧૭)