________________
૪૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
જ સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે જ અને જે સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે, તે જ સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ હશે જ. એનાથી વ્યતિકર દોષ આવે છે. કારણ કે, “એકબીજાના વિષયમાં ગમન કરવું તેને વ્યતિકર દોષ કહેવાય છે' - આવું વ્યતિકર દોષનું લક્ષણ એમાં સંગત થઈ જાય છે અર્થાત્ સત્ત્વના વિષયમાં અસત્ત્વ અને અસત્ત્વના વિષયમાં સત્ત્વ પહોંચી જાય છે. તેથી સ્પષ્ટપણે વ્યતિકર દોષ આવે છે. સંકર અને વ્યતિકર દોષનો પરિહાર-2) :
પૂર્વે આપેલા સંકર અને વ્યતિકર દોષ મેચકજ્ઞાનના દૃષ્ટાંતથી દૂર થઈ જાય છે. જેમ અનેક રંગોનો મિશ્રિત પ્રતિભાસ કરાવવાવાળું મેચકરત્નનું જ્ઞાન એક હોવા છતાં પણ અનેક પ્રકારનું કે અનેક સ્વભાવવાળું હોય છે. તે મેચકરનના જ્ઞાનમાં સંકર કે વ્યતિકર દોષ માનવામાં આવતો નથી. તે જ રીતે વસ્તુને સત્ત્વ-અસત્ત્વ આદિ અનેક ધર્મોવાળી માનવામાં સંકર કે વ્યતિકર દોષ આવતો નથી.
તદુપરાંત, જેમ મધ્યમા અને કનિષ્ઠ અંગુલીના સંયોગમાં (તે બંનેની અપેક્ષાએ વિચારીએ તો) એક અનામિકા આંગળીમાં એક સાથે
સ્વત્વ અને દીર્ઘત્વ ધર્મ આવે છે. છતાં પણ તેમાં સંકરાદિ દોષ માનવામાં આવતો નથી, તેમ વસ્તુની અનેકાંતાત્મકતામાં પણ સંકરાદિ દોષ નથી. અનેકાંતમાં વ્યવહારલોપ દોષનો આરોપ 53) :| સર્વ વસ્તુઓને અનેકાન્તાત્મક (અનેક ધર્મોવાળી) સ્વીકારવામાં 52. संकरव्यतिकरावपि मेचकज्ञानदृष्टान्तेन निरसनीयौ। यथा मेचकज्ञानमेकमप्यनेकस्वभावं, न च संकरव्यतिकरौ, एवमत्रापि। किं च यथाऽनामिकाया युगपन्मध्यमाकनिष्ठिकासंयोगे રસ્વતીર્થત્વે ન વ તત્ર સંસાવિતોષપોષ: પવમત્રપિા ( મુ.પૃ..7ો.૧ ૭) 53. तथा सर्वस्यानेकान्तात्मकत्वेऽङ्गीक्रियमाणे जलादेरप्यनलादिरुपता, अनलादेरपि जलरुपता, ततश्च जलार्थ्यनलादावपि प्रवर्तेत, अनलार्थी च जलादावपीति, ततश्च प्रतिनियतव्यवहारलोपः। (૫ સમુ..વું.નો.૧૭)