________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૪૯
અનેકાંતમાં અસંભવ દોષનો આરોપ?) :
વસ્તુની અનેકાન્તાત્મકતામાં પ્રમાણબાધા હોવાથી તાદશ વસ્તુ કોઈ પ્રમાણનો વિષય બનતી નથી. જે વસ્તુ પ્રમાણનો વિષય બનતી ન હોય, તે વસ્તુનો જગતમાં સંભવ જ નથી. કારણ કે, જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય, તે વસ્તુ કોઈ ને કોઈ પ્રમાણનો વિષય અવશ્ય બને જ છે. તેથી તાદશવસ્તુનો અસંભવ હોવાથી તાદશવસ્તુનો સ્વીકાર કરવાથી અસંભવ દોષ આવે છે. અસંભવદોષનો પરિહાર (58) :
સૌથી પ્રથમ તો પૂર્વે જણાવ્યા મુજબ અનેકાંતમાં પ્રમાણબાધા દોષ આવતો નથી અને પ્રત્યક્ષ સિદ્ધ પદાર્થના અભાવની કલ્પના કરવી સંભવિત નથી. કારણ કે, પ્રત્યક્ષસિદ્ધ પદાર્થનો અપલાપ કરવાથી અતિપ્રસંગદોષ અને પ્રમાણાદિ સર્વ વ્યવહારોનો લોપ થાય છે અને તેના યોગે જગતના સર્વે પદાર્થોના અભાવનો પ્રસંગ આવે છે. તેથી અનેકાંતમાં અસંભવદોષ પણ નથી.
આ રીતે અન્યવાદિઓએ અનેકાંત સિદ્ધાંતમાં જે દોષો આપ્યા છે, તે તદ્દન ખોટા છે તે સિદ્ધ થાય છે. આથી જગતના સર્વે પદાર્થોનું સ્વરૂપ અનેકાંતમય જ છે, તેમ સિદ્ધ થાય છે. અનુમાન પ્રમાણથી સ્યાદ્વાદ સિદ્ધાંતની પુષ્ટિ :
સ્યાદ્વાદ સિદ્ધાંત પ્રત્યક્ષસિદ્ધ છે તે આપણે પૂર્વ વિસ્તારથી જોયું જ છે. આ સિદ્ધાંત અનુમાનપ્રમાણથી પણ યુક્તિયુક્ત છે તે હવે બતાવાય છે. (આ ચર્ચા ષદર્શન સમુચ્ચય, બૃહવૃત્તિમાં કરી છે) 57. તતૐ તારાવસ્તુનો સંભવ વા ( મુ...સ્સો.૧૭) 58. प्रमाणप्रसिद्धस्य च नाभावः कल्पयितुं शक्यः, अतिप्रसङ्गात्, प्रमाणादिव्यवहारविलोपश्च સ્થાતિતિા (ષ સમુ...પત્નો.૧૭) -