________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૨૭
છે. એક “અસ્તિત્વ' રૂપથી અને બીજો “નાસ્તિત્વ' રૂપથી. તેમાં ઘટનો સ્વપર્યાયોની સાથે અસ્તિત્વ સંબંધ છે. જેમ કે, ઘટનો રૂપાદિ પર્યાયો સાથે અસ્તિત્વ સંબંધ તથા ઘટનો પરપર્યાયની સાથે નાસ્તિત્વ સંબંધ છે. કારણ કે, વિવક્ષિત વસ્તુમાં તે પરપર્યાયોનો સંભવ નથી. (તેથી નાસ્તિત્વ રૂપથી સંબંધ છે.) જેમ કે, ઘટાકાર અવસ્થામાં મૃદુરુપતા પર્યાયની સાથે સંબંધ નથી. કારણ કે, તે પર્યાય (વર્તમાનમાં) તેનો નથી. તેથી તે પર્યાય નાસ્તિત્વ સંબંધથી વસ્તુની સાથે જોડાયેલ છે અને તેથી તે પર્યાયોનો પરપર્યાયોના રૂપમાં વ્યપદેશ કરાય છે. સારાંશ એ છે કે, જે કારણથી તે પરપર્યાયો વિવક્ષિત પદાર્થમાં રહેતા નથી, અસત્ છે, તે કારણથી તે પરપર્યાયો કહેવાય છે. જો તે પર્યાયો વસ્તુમાં અસ્તિત્વ રાખતા હોત, તો તે વસ્તુના સ્વપર્યાય જ કહેવાત તથા પરની અપેક્ષાથી નાસ્તિત્વ નામનો ધર્મ તો ઘટ આદિ વસ્તુઓમાં જ દેખવા મળશે અને જો ઘટ પટરૂપથી અસતું ન હોય, તો તે પટરૂપ જ બની જાય, કે જે કોઈને ઈષ્ટ નથી. તેથી પરપર્યાયોથી વસ્તુનો “નાસ્તિત્વ સંબંધ માનવો જોઈએ. શંકા4િ) :
જે પર્યાય જે વસ્તુમાં વિદ્યમાન જ નથી, તે પર્યાય કઈ રીતે “તે વસ્તુનો પર્યાય છે' એમ વ્યપદેશ કરી શકાય. જેમ કે, ગરીબને ધન હોતું નથી. તેથી ધનનો ગરીબના સંબંધીના રૂપમાં વ્યપદેશ કરવો સંભવિત નથી અર્થાત્ ગરીબ પાસે ધન ન હોવાથી “ગરીબનું ધન' એવો વ્યવહાર થતો નથી. તેથી વસ્તુમાં પરપર્યાયોનો વ્યપદેશ કરવાથી લોક વ્યવહારનું અતિક્રમણ થઈ જશે.
34. ननु ये यत्र न विद्यन्ते ते कथं तस्येति व्यपदिश्यन्ते, न खलु धनं दरिद्रस्य न विद्यत इति तत्तस्य सम्बन्धि व्यपदेष्टुं शक्यम्, मा प्रापल्लोकव्यवहारातिक्रमः । (षड्.समु.बृ.वृ.श्लो ५५)