________________
૩૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ન્યાયાવતારતાત્પર્ય ટીકામાં પણ કહ્યું છે કે, ‘‘ફ્ળો ભાવ: સર્વથા યેન દૃષ્ટ:, सर्वे भावा: सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः । ।
- જેના દ્વારા એક ભાવ સર્વથા (સર્વપ્રકારે) જોવાયો છે, તેના દ્વારા સર્વપ્રકારે સર્વભાવ જોવાય છે તથા જેના દ્વારા સર્વભાવ સર્વથા જોવાયા છે, તેના દ્વારા સર્વપ્રકારથી એક ભાવ દેખાયો છે.
આ રીતે કોઈપણ પદાર્થનું પૂર્ણ જ્ઞાન મેળવવા માટે તેના સ્વપર્યાયો અને પ૨પર્યાયો જાણવા આવશ્યક છે. તેથી વસ્તુના ૫૨૫ર્યાયો પણ ઉપયોગી જ છે.
આ પ્રમાણે સકલ વસ્તુ અનંતધર્માત્મક છે અને અનંતધર્માત્મક વસ્તુ પ્રમાણનો વિષય હોવાથી પ્રમેય છે. વસ્તુની ત્રયાત્મકતા :
અનંતધર્માત્મક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા (સ્થિરતા) - આ ત્રણથી યુક્ત હોય છે. વસ્તુને અનંતધર્મોવાળી માનીએ તો જ વસ્તુના ઉત્પાદાદિ ત્રણ સ્વભાવો સંગત થાય છે અન્યથા સંગત થતા નથી.
જગતના તમામ પદાર્થો ઉત્પન્ન થતા અને વિનાશ થતા જોવા મળે છે અને સ્થિર રહેતા પણ જોવા મળે છે. જેમ કે, (સુવર્ણનો) મુગુટ નાશ પામે છે અને હાર ઉત્પન્ન થાય છે અને બંને અવસ્થામાં સુવર્ણ સ્થિર રહે છે. આ રીતે જગતના તમામ પદાર્થો ઉત્પાદાદિ ત્રણથી યુક્ત છે(38)
38. वस्तुतत्त्वं चोत्पादव्ययध्रौव्यात्मकम् । तथा सर्वं द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा, परिस्फुटान्वयदर्शनात्। लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमान बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात्। न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरूद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात्। ‘“सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्’।।