________________
૧૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પર્યાય સ્વ છે અને માટીરૂપ અનંતા પર્યાયો પરપર્યાયો છે. આથી પાર્થિવ ઘટ પણ અનંતધર્માત્મક છે (15)
ધાતુરૂપ તે ઘટ પણ સુવર્ણપણાથી સત્ છે અને રજતાદિપણાથી અસત્ છે. સુવર્ણઘટ પણ ઘડાયેલા સ્વરૂપે વિદ્યમાન છે અને નહીં ઘડાયેલા સ્વરૂપે અવિદ્યમાન છે. ઘડાયેલો સુવર્ણ ઘટ પણ ઘટરૂપે વિદ્યમાન છે અને મુકુટ આદિ રૂપે અવિદ્યમાન છે - આ રીતે અવાંતર વિશેષોની અપેક્ષાએ દ્રવ્યતઃ (દ્રવ્યની અપેક્ષાએ) અનંતધર્માત્મકતા વિચારી લેવી. તે માટે પદર્શન સમુચ્ચય-બૃહવૃત્તિ અવલોકવા ભલામણ. ક્ષેત્રતઃ વસ્તુની અનંતધર્માત્મકતા :
હવે ક્ષેત્રતઃ (ક્ષેત્રની અપેક્ષાએ) વસ્તુ(ઘટ)ની અનંતધર્માત્મકતા વિચારીશું.
ક્ષેત્રની અપેક્ષાએ વિવણિત સુવર્ણ ઘટ ત્રિલોકવર્તી હોવાથી તે કોઈથી પણ વ્યાવૃત્ત થતો નથી. તેથી તેનો કોઈ પરપર્યાય બનશે નહીં. ત્રિલોકવર્તી પણ ઘટ તિચ્છલોકવર્તિત્વેન વિદ્યમાન જ છે. પરંતુ ઉર્ધ્વ-અધોલીકવર્તિત્વને અવિદ્યમાન છે. તિચ્છલોકવર્તિ ઘટ પણ જંબુદ્વીપવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ અપરદ્વીપવર્તિત્વન અવિદ્યમાન છે. જંબુદ્વીપવર્તિ ઘટ પણ ભરતક્ષેત્રવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ મહાવિદેહાદિક્ષેત્રવર્તિત્વન અવિદ્યમાન છે. ભરતક્ષેત્રવર્તિ ઘટ પણ અમદાવાદવર્તિત્વને વિદ્યમાન છે. પરંતુ અન્યસ્થાનની અપેક્ષાએ અવિદ્યમાન છે. અમદાવાદવર્તિ ઘટ પણ ચેત્રગૃહવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ દેવદત્તાદિગૃહવર્તિત્વન અવિદ્યમાન છે. ચૈત્રગૃહવર્તિ ઘટ પણ ગૃહના એક દેશમાં રહેતો હોવાથી ગૃહકદેશવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ 15. મૂળ પાઠ ષ સમુ. બૃહદ્રવૃત્તિ-શ્લોક-૫૫ની ટીકામાંથી જોઈ લેવા ભલામણ. 16. મૂળ પાઠ ષ સમુ. બૃહવૃત્તિ-શ્લોક-પપની ટીકામાંથી જોઈ લેવા ભલામણ.