________________
૨ ૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પરિમાણતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 2) :
પરિમાણની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન દ્રવ્યોની અપેક્ષાથી ઘટમાં અણુત્વ, સ્વત્વ, મહત્ત્વ, દીર્ઘત્વ એવા અનંતભેદ પડે છે અર્થાત્ અણુવાદિ પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતા ભેદ છે. તેથી ઘટના તે સ્વપર્યાય છે. કહેવાનો આશય એ છે કે, ઘટ મકાનની અપેક્ષાએ નાનો છે અને નાની ઘડીની અપેક્ષાએ મોટો છે. આ રીતે અનંતા દ્રવ્યો હોવાના કારણે તે દ્રવ્યોના ભિન્ન-ભિન્ન પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતા ભેદ પડશે તથા તે તે પરિમાણવાળા ઘટની તેનાથી ભિન્ન પરિમાણવાળા દ્રવ્યોથી પરિમાણની અપેક્ષાએ વ્યાવૃત્તિથી પરિમાણતઃ ઘટના પરપર્યાયો પણ અનંતા જાણવા. પૃથક્વતઃ વસ્તુની અનંતધર્માત્મકતા) :
સર્વ દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી પૃથક્વતઃ તે સર્વે પદાર્થો ઘટના પરપર્યાય થાય છે. દિ-દેશતઃ વસ્તુની અનંતધર્માત્મકતા :
દિશાની અપેક્ષાએ પરત્વ-અપરત્વ દ્વારા ઘટમાં અન્ય અનંત દ્રવ્યોની અપેક્ષાએ આસન્નતા, આસન્નતરતા, આસન્નતમતા, દૂરતા, દૂરતરતા, દૂરતમતા હોય છે તથા દેશની અપેક્ષાએ ઘટમાં એક, બે, ત્રણ એમ યાવત્ અનંત યોજનો દ્વારા અનંત-દ્રવ્યોની અપેક્ષાથી આસન્નતાદૂરતા હોય છે. આથી દિશા અને દેશની અપેક્ષાએ ઘટના અનંતા સ્વપર્યાય છે. કાલતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 25) :
એજ રીતે કાલતઃ પરત્વ-અપરત્વ દ્વારા સર્વદ્રવ્યથી ક્ષણ, લવ, ઘડી, 21-22-23-24-25. મૂળપાઠ પ_સમુ.બુ.વૃશ્લિોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.