Page #1
--------------------------------------------------------------------------
________________
સંવત્સરી પ્રતિક્રમણ
વિધિ સહિત
(મૂળસૂત્રોનો ગુજરાતી ભાવાનુવાદ)
સંકલન ઇલા દીપક મહેતા
Page #2
--------------------------------------------------------------------------
________________
સંવત્સરી પ્રતિક્રમણ
વિધિ સહિત
(મૂળસૂત્રોનો ગુજરાતી ભાવાનુવાદ)
સંકલન ઇલા દીપક મહેતા
Page #3
--------------------------------------------------------------------------
________________
સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સંકલન : ઇલા દીપક મહેતા
:
પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪
:
પ્રત: ૧૦૦૦
મૂલ્ય : ૨ ૩૫૦
પ્રકાશક : ઇલા દીપક મહેતા, email : samvatsaripratikraman@gmail.com
મુદ્રણસજ્જા : ‘લલિતા’, વડોદરા. ફોન ઃ +૯૧-૨૬૫-૨૩૩૪૫૭૫
મુખપૃષ્ઠ : જ્યોતિ પરમાર
મુદ્રક : એગન ઓફસેટ, નોઈડા
:
પ્રાપ્તિસ્થાન :
૧. ‘દીપક ફાર્મ’, ગોત્રી રોડ, વડોદરા - ૩૯૦૦૨૧. ફોન નં : +૯૧-૨૬૫-૨૩૭૧૪૧૦
૨. ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’, ૩૩, મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ - ૪૦૦ ૦૦૪.
ફોન નં : +૯૧-૨૨-૨૩૮૨૦૨૯૬, email : shrimjys@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મના ગૂઢ રહસ્યોનાં દરેક શોધકને... અર્પણ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આજથી થોડાં વર્ષો પૂર્વે મારા પૂ.સસરાજી શ્રી સી.કે.મહેતાએ તેમની દરેક પુત્રવધુઓને રૂ.૧ લાખ આપીને તેને કોઈપણ શુભ કાર્યમાં વાવવા માટે તાકીદ કરી. આ રીતે તેઓને દાનક્ષેત્રમાં અમારી રસરુચિ સૌથી વધુ શેમાં છે તે જાણવું હતું. હું તે સમયે અમારા અગ્રજ ચિ.મૌલિક માટે સુકન્યાની શોધમાં હતી એટલે તે કવ૨ કબાટમાં રાખીને પછી તે કાર્યવિસ્મરાઈ ગયું.
નવેમ્બર ૨૦૧૨માં પરિણય પછી ચિ.રિદ્ધિ અમારા ઘરે પુત્રવધુ બનીને આવી. જૈનકુળમાં જન્મ ન થયો હોવાનાં કારણે સ્વાભાવિક રીતે એ જૈન સંસ્કૃતિ, સાહિત્ય કે ક્રિયાઓની અને તેની પાછળનાં રહસ્યભૂત કારણોથી અજાણ હોય. થોડા વખત પછી જ્યારે ઘરની સંસ્કારલઢણ મુજબ પર્યુષણા મહાપર્વમાં ચતુદર્શી અને સાંવત્સરિક પ્રતિક્રમણ સહુએ સાથે કરવાનો સમય આવવાનો હતો, તે પહેલાંથી જ ગણધ૨રચિત આપણાં સૂત્રોનો અનુવાદ અંગ્રેજીમાં શોધવાનો અને એ રીતે ચિ.રિદ્ધિ સાથે અમારા બંને પુત્રો ચિ.મૌલિક તથા ચિ.મેઘવને પણ આ મહાન વૈજ્ઞાનિક વિધિનો અર્થ સમજાય અને અહોભાવ વધે તે માટેનો પુરુષાર્થ મેં આદર્યો. અને સમયાંતરે તેમાંથી જ ઉદ્ભવ્યો એક વિચાર કે આપણાં સંવત્સરી પ્રતિક્રમણ સૂત્રોને ગુજરાતીમાં ભાવાર્થ સાથે હું જ કેમ પ્રકાશિત ન કરી શકું ? અને તરત સ્મરણમાં આવ્યું પૂ. ડેડીએ આપેલું પેલું કાર્ય ! મને જ્ઞાનયોગમાં રસરુચિ છે તેને પુષ્ટિ પણ મળશે તે વિચારે ૩-૪ મહિનામાં પૂરું થઈ જશે તેવા આશયથી શરૂ કરેલાં આ કાર્યને સંપન્ન થતાં એક વર્ષ થઈ ગયું. પ્રુફ રિડીંગ થકી જેમ જેમ તેમ તેમ સૂત્રાર્થનું સંશોધન કરતી ગઈ તેમ તેમ એ સૂત્રોમાં હું વધુ ઓતપ્રોત થવા માંડી. જૈન ધર્મ વિશેની સમજણ વધુ ઊંડી થતાં તેનાં પ્રત્યેનો અહોભાવ વધ્યો. વળી સ્વપ્નમાં રાચવા લાગી કે જે કોઈ આ પુસ્તકનો લાભ લઈ સૂત્રાર્થ સમજશે તેઓ પણ આ સૂત્રો માટે મારી જેમ જ ગર્વ અનુભવશે.
એક સાવ બિનઅનુભવી પરંતુ કુતુહલતાથી આતુર મન લઈને કાર્ય કરવા નીકળી પડેલી મને સૌ પ્રથમ મારા પૂ.સાસુ કાંતાબહેનનાં આંતર આશીર્વાદ મળ્યાં. મુજ જીવનસખા દીપકનાં અનન્ય સહકાર વિના તો આ કાર્ય અશક્ય જ હતું. પરિવાર સમસ્ત આ કાર્યમાં જોડાયો તેનું મને ખૂબ ગૌરવ છે. અઝરાએ
Page #7
--------------------------------------------------------------------------
________________
તથા જ્યોતિએ જૈન સાહિત્યથી અજાણ હોવા છતાં જોત જોતામાં સૂત્રો બરાબર બોલવાની કુશળતા હાંસલ કરીને મારા સ્વપ્નસમા આ પ્રસ્તુત ગ્રંથ નિર્માણમાં જોડતી સાંકળની ભૂમિકા ભજવી. પંડિતજી શ્રી કીર્તિભાઈએ સૂત્ર સમજણ અને પ્રુફ રીડિંગમાં ખૂબ જ જહેમત ઊઠાવી છે. આ સર્વેનો ઉપકાર ભૂલાય એવો નથી.
અંતમાં આ કાર્ય માટે પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ તથા પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશભાઈ ઝવેરીનાં આશીર્વાદ પામીને હું ખરે જ કૃત્કૃત્ય બનીછું. - વર્ધમાન ઉલ્લાસ સાથે કરેલા આ કાર્યમાં ભૂલથી રહી ગયેલી દરેક ક્ષતિઓની હું ક્ષમા યાચું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે મારા આ અવતારકૃત્ય દ્વારા હું મોક્ષપ્રતિનું એક સોપાન આગળ વધુ.
અસ્તુ ઈલા દીપક મહેતા
Page #8
--------------------------------------------------------------------------
________________
સંવત્સરી પ્રતિક્રમણરૂપ મહા યોગની સાધના
ભવ્યાત્માઓના હાથમાં આ પુસ્તકનું દર્શન થતાં અત્યંત આનંદની ઉર્મિ પ્રગટ થશે. વિશેષતો તારક તીર્થંકર પરમાત્માએ બતાવેલ “સંવત્સરી પ્રતિક્રમણ'ની સાધના કેવી રીતે, કેવા ભાવોથી કરવી જોઈએ, તેની સંપૂર્ણ વિધિ અને સમજણથી પરિપૂર્ણ થયેલા એવા આ પુસ્તક માટે કરાયેલો પ્રયત્ન ખુબ ખુબ અનુમોદનીય છે. પ્રતિક્રમણ તે એક મહાન યોગની સાધના છે. અને “સંવત્સરી પ્રતિક્રમણ' દ્વારા વાર્ષિક પાપોનો નાશ કરવા માટે, આમાં બતાવેલ-ગણધર ભગવંત રચિત મહાન સૂત્રોને - મુખપાઠ કરવા માટે ખુબ જ પ્રયત્ન કરવો જોઈએ. દરેક ભવ્યાત્માઓ આ સાધના તેના અર્થ અને વિધિ અત્યંત આદરપૂર્વક કરી શકે એવી આંતરિક ભાવનાથી ઇલાબેન દીપકભાઈ મહેતાએ જે વિરાટ પ્રયત્ન કર્યો છે તે ઉપરથી વિશ્વના સર્વજીવો પ્રત્યે કેવી ભાવકરૂણા તેમને પ્રગટી છે તે જાણી શકાય છે.
આ સૂત્રોની અદભૂત રચના અને તેનો ભાવવૈભવ દરેક જીવોને અમૃતક્રિયારૂપ બને અને આત્મહિત સાધી સર્વજીવો મોક્ષ માર્ગના સાધક બને.
એ જ અભ્યર્થનાપૂ.હિતધર્માશ્રીજી મ.સા.
Page #9
--------------------------------------------------------------------------
________________
ધર્મઆરાધકને માટે માર્ગદર્શક ગ્રંથ
શ્રી ઇલાબહેન મહેતાની આગવી ધર્મભાવના જ આ ગ્રંથસર્જનનું પ્રેરકબળ છે. યુવા પેઢી સંવત્સરી પ્રતિક્રમણ સમજીને સરળતાથી કરી શકે અને એ રીતે ધર્મ-મર્મની ઓળખ પામે એવો આની પાછળનો એમનો શુભ-મંગલ આશય છે. આવતી પેઢી ધર્મવિમુખ નહીં, બલ્ક ધર્મ અભિમુખ બને, એને માટે એમણે સંવત્સરી પ્રતિક્રમણનાં મૂળ સૂત્રોનો ભાવાનુવાદ અહીં પ્રસ્તુત કર્યો છે.
પ્રતિક્રમણ' શબ્દ “પ્રતિ” અને “ક્રમણ' એમ બે શબ્દોનો બનેલો છે. શાસ્ત્રીય દષ્ટિએ એનો શબ્દાર્થ કરીએ તો “પ્રતિ” એટલે “પાછું” અને “ક્રમણ” એટલે “ચાલવું'. અર્થાત અહીં પાછા ફરવાની વાત છે. ભૂલા પડેલા પ્રવાસીને એનો સાચો રસ્તો બતાવવાની વાત છે. એક અર્થમાં કહીએ તો સંસારના ભ્રમણમાં ભૂલી પડેલી વ્યક્તિને એના સાચા માર્ગની ઓળખ આપવાનો એનો હેતુ છે. એને આસવના માર્ગમાંથી પાછા વાળી સંવર નિર્જરાના માર્ગ પર પહોંચાડવાનો છે. આથી જ કહેવાયું છે,
स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशादगतः ।
तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ।। પ્રમાદ વગેરે દોષોને વશ થઈને સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલા આત્માને પુનઃ પોતાના (મૂળ) સ્વસ્થાનમાં લાવવાની જે ક્રિયા, તેનું નામ પ્રતિક્રમણ.'
આ સ્વસ્થાન અને પરસ્થાન છે શું? સ્વસ્થાન એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં સ્થિરતા અને એમાં ત્રિવિધ યોગે, ત્રિકરણ ભાવે રમણતા એ જીવનું સ્વસ્થાન છે. પોતાનું નિવાસસ્થાન છે. આ સ્વસ્થાનમાં વસવું એટલે શુભ યોગમાં રહેવું કે સ્વભાવ દશામાં જીવવું.
પરસ્થાન એટલે સ્વસ્થાનમાં જે છે, તેનાથી તદ્દન વિરોધી ભાવોમાં રહેવું તે પરસ્થાન. હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, કષાયો કે ઇન્દ્રિયોની વાસનાઓ વગેરેને વશવર્તીને જીવવું તે પરસ્થાન છે. સંક્ષેપમાં કહીએ તો અઢાર પાપસ્થાનકોમાં રચ્યાપચ્યા રહેવું તે જીવનું પરસ્થાન છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
આમ પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા હઠવું, વિભાવદશામાંથી સ્વભાવ દશામાં આવવું. પરઘરમાંથી સ્વઘરમાં આવવું. અપ્રશસ્ત યોગમાંથી પ્રશસ્ત યોગમાં આવવું. સ્થિર થવું તેમ જ કરેલાં પાપનો સાચા દિલથી પશ્ચાત્તાપ કરીને ક્ષમાભાવ જગાડવો અને જાળવવો.
પ્રતિક્રમણ એ ચિત્ત અને આત્માની શુદ્ધિ માટે છે. જેમ દેહને માટે પૌષ્ટિક ભોજનની આવશ્યકતા છે, એટલી જ આત્મિક ગુણોને પુષ્ટ કરવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે. એ પ્રતિક્રમણ દ્વારા રાગદ્વેષાદિ કષાયોની મંદતા, વાસનાવૃત્તિમાં ક્ષીણતા અને એ રીતે ચિત્તની નિર્મળતા સાંપડે છે. આનું કારણ એ છે કે એના સૂત્રોમાં દેવ-ગુરૂની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાન વગેરેની ઉપાસના, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલદાયી વ્યવસ્થા છે. એ રીતે ચિત્તની વિશુદ્ધિ માટે, જૂનાં કર્મોને ખપાવવા માટે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ જરૂરી છે.
આ પ્રતિક્રમણ સમયે ચિત્તને બહારની સાંસારિક ઉપાધિઓથી અળગું કરીને એને પ્રતિક્રમણના સૂત્રોમાં એકાગ્ર કરવું જોઈએ, કારણકે પ્રતિક્રમણમાં આરાધકે કયા કયા દોષોમાંથી પાછા વળવાનું છે કે કઈ બાબતનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે તે જાણવાનું જરૂરી છે. પ્રતિક્રમણમાં એકાગ્ર ચિત્તે થયેલા દોષોને સ્મરીને એમાંથી પાછા વળવાનું હોય છે.
સમ્યક્દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા આપતા ગુણોની ખાણ પ્રતિક્રમણ છે અને જેમ પ્રતિક્રમણથી પોતાના ભીતરના દોષો જોઈ શકાય છે, એ જ રીતે એ દોષદર્શનમાં ભવિષ્યમાં પણ એનાથી દૂર રહેવાનો સંકલ્પ છે. પોતાનાં કર્મો વિશે વિચારીને ભોગવાયેલાં કર્મોમાંથી મુક્ત થઈ નવાં કર્મો નથી જ બાંધવા એવો પ્રબળ સંકલ્પ પ્રતિક્રમણમાં નિહિત છે. આવી ભાવના ધારણ કરીને પ્રતિક્રમણ કરવું જોઈએ.
દૈનિક પ્રતિક્રમણથી ચોવીસ કલાકની ભૂલની ક્ષમા માગીએ છીએ. પાક્ષિક ક્ષમાપનાથી પખવાડિયાની, ચોમાસી પ્રતિક્રમણથી ચાર મહિનાની ભૂલોની ક્ષમા માગીએ છીએ, પરંતુ કોઈનો ક્રોધ હઠીલો હોય તો એના વેરની ગાંઠ વર્ષે ખૂલે. આને માટે સંવત્સરી પ્રતિક્રમણ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
દૈનિક ક્ષમાપનાથી કષાયોની મંદતા થાય છે. પાક્ષિક ક્ષમાપનાથી સંજ્વલના ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાયોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે. ચાતુર્માસિક ક્ષમાપનાથી પ્રત્યાખ્યાન કષાયો અત્યંત ઉપશમ પામે છે અને સાંવત્સરિક ક્ષમાપનાથી અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયોનું જોર ટળે છે અને અનંતાનુબંધી-કષાયોનો ઉદય થતો નથી.
આ રીતે આખા વર્ષ દરમિયાન પરભાવ-દશાના પંથે દૂરસુદૂર પહોંચી ગયેલા આત્માને સ્વભાવદશામાં લાવવાની આ ક્રિયા છે. પ્રતિક્રમણની ક્રિયાથી વ્યક્તિનો આત્મા પાપના બોજથી હળવો બને છે અને તેને પરિણામે એનું મન શાંત-પ્રશાંત બને છે તથા ચિત્ત અંતર્મુખ થાય છે. આવા પ્રતિક્રમણને અંતે આરાધકને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવનો અનુભવ થાય છે.
આવી ઉત્તમ ક્રિયા ક્યારે ઉત્તમ ફળ આપે ? એની યોગ્ય જાણકારીને પરિણામે. એટલે કે ક્રિયાની સાથોસાથ વિધિની શુદ્ધિ અને ક્રિયાના અર્થની સમજ એ બંને ભળે, ત્યારે એનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય. એ દષ્ટિએ અહીં ચિત્રો સહિત આ બધી ક્રિયાઓ અર્થસહિત આલેખવામાં આવી છે. એ રીતે શ્રી ઇલાબેન દીપકભાઈ મહેતાનું ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભાવાર્થ સાથે “સંવત્સરી પ્રતિક્રમણ : વિધિસહિત” ગ્રંથનું પ્રકાશન એ જૈન ધર્મના આરાધકોને માટે મૂલ્યવાન અને માર્ગસૂચક ગ્રંથ બની રહ્યો છે.
એમની ઉત્કૃષ્ટ ધર્મભાવના અને અથાગ પ્રયત્નને માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ.
ડો. કુમારપાળ દેસાઈ
Page #12
--------------------------------------------------------------------------
________________
ગૃહિણી શ્રાવિકાનું જ્ઞાનતપ
કેટલાંક નિમિત્તો વ્યક્તિને કર્મોના વમળોમાં લઈ જતાં હોય છે, તો કેટલાંક શુભ નિમિત્તો વ્યક્તિને કર્મનિર્જરા તરફ ગતિ કરાવી શુભ કર્મોનું પાથેય પણ બંધાવી દેતાં હોય છે.
આ પવિત્ર પુસ્તકની રચના કરવા માટે ઇલાબેનના ખોળામાં એક શુભ નિમિત્ત આવી પડ્યું અને એમનાથી આ જ્ઞાનકર્મનું તપ થઈ ગયું. આ રીતે એમના પુત્રવધૂના પગલાં એમને અને એમના પરિવારને વિશેષ ફળ્યાં. આ સદ્ભાગ્ય તો છે જ, ઉપરાંત પૂર્વના શુભ કાર્યોનો ઉદય પણ ખરો. તો જ આવા ભાવ જાગે, અને નિમિત્તો પ્રાપ્ત થાય. - વર્તમાનનો યુવા વર્ગ ધર્મ અને ક્રિયાથી વિમુખ થતો જાય છે, કારણકે એમની પાસે આ ક્રિયાનું જ્ઞાન નથી. જ્ઞાન વગરની ક્રિયા નિષ્ફળ છે એટલે આ વર્ગને ધર્મ અને ક્રિયાની સાચી અને અર્થ સભર “સમજ આપવામાં આવે તો અવશ્ય આ વર્ગ દઢ શ્રધ્ધાથી ધર્મ અને ક્રિયાને પોતાના જીવનમાં સ્થાન આપે.
આ યુવા વર્ગ અને પ્રત્યેક વર્ગ માટે, ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રકાશિત થતું આ પુસ્તક “સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત” એ મેજિક ટચ જેવું છે. સૂત્રોના અર્થ અને એની સમજનું આકાશ આ પુસ્તક ઉઘાડે છે.
સંવત્સરી પ્રતિક્રમણ એટલે વડીલોના આગ્રહથી અઢી કલાક એક સ્થાને બેસીને માત્ર સૂત્રો સાંભળવા એટલું જ નહિ પણ પ્રત્યેક સૂત્ર અને ક્રિયા-વિધિનો અર્થ અને એ ક્રિયાનું વિવરણ સમજાય તો આ પ્રતિક્રમણ, કર્મ નિર્જરા, પશ્ચાતાપ અને ક્ષમાનો ત્રિવેણી સંગમ છે એની પ્રતીતિ જિજ્ઞાસુને થયા વગર રહેતી નથી. આ સત્યનું દર્શન આ પુસ્તક કરાવે છે.
આ પુસ્તકમાં આ સમજણ છે, સામાયિક, પ્રતિક્રમણનો અર્થ, એ વિધીના ચિત્રો, પ્રતિક્રમણ કરતી વખતે એમાં ઉપયોગમાં લેવાતા સૂત્રો, એ સૂત્રોનો અર્થ, એ પણ પ્રત્યેક પંક્તિ પ્રમાણે, ઉપરાંત એક જ સૂત્ર જો ફરી ફરી આવતું હોય તો ફરી ફરી ક્રમ પ્રમાણે એ સૂત્ર અને એનો અર્થ, જેથી પ્રતિક્રમણ સમયે વારે વારે પાછળના પાને જવું ન પડે, ઉપરાંત સૂત્ર રહસ્ય, સવાલ-જવાબ, એ સૂત્રની
Page #13
--------------------------------------------------------------------------
________________
રચનાના રચયિતાની વિગત, આ બધું જ આ પુસ્તકમાં છે જે આ પુસ્તકના રચનાકાર ઇલા બહેનના પુરુષાર્થ અને પરિશીલન તેમજ એમની ધર્મ પ્રત્યેની શ્રધ્ધાની વાચક જિજ્ઞાસુને પ્રતીતિ કરાવે છે.
કોઈ પંડિત કે પૂજ્ય મુનિજને કરવા જેવું, શોધ નિબંધ જેવું આ યશસ્વી કાર્ય કરીને બહેન ઇલાબેને જિન શાસનની અવિસ્મરણીય સેવા કરી છે.
વાચક, જિજ્ઞાસુ અને સાધકને જ્ઞાનના ઊંડાણમાં અને ભાવના ઉર્ધ્વગમન તરફ લઈ જનારા આ ભવ્ય પુસ્તકના નિર્માણ માટે જે જે નિમિત્તો મળ્યા અને બહેનશ્રીને એમના પરિવારે જે સહકાર આપ્યો એ માટે આપણે એ સર્વેને પણ ધન્યવાદ પાઠવી, એ સર્વેનો આભાર માનીએ.
મા શારદા અને શ્રુતદેવતાની જેમના ઉપર કૃપા ઉતરી છે એવા ઇલાબેન પાસેથી વધુ જૈનધર્મવિશેના પુસ્તકની આશા રાખીએ તો હવે આપણો એકબનેછે.
જિન શાસન અને શ્રુતદેવની કૃપા બહેન ઇલાબેન ઉપર વરસતી રહો એવી ભાવના આપણે સૌ ભાવીએ.
વંદન શ્રુતદેવને.
ડો.ધનવંત શાહ
પ્રબુદ્ધ જીવન” – તંત્રી drdtshah@hotmail.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષમાર્ગ:
જ્ઞાન ક્રિયા બે અંગ છે, નિશ્ચયને વ્યવહાર;
યથા યોગ્ય આદર કરે, સમ્યગજ્ઞાન વિચાર... ઘણાં વર્ષો પહેલાની એક વાત છે. એક શ્રેષ્ઠીને ચાર પુત્રવધૂ હતી. ઘરની સર્વ જવાબદારી કોને સોંપવી, તે વિચારે શ્રેષ્ઠીએ ચારેની પરિક્ષા કરવાનું નક્કી કર્યું. પુત્રવધુના નામ ક્રમથી ઉજ્જિતા, ભક્ષિતા, રક્ષિતા અને નાની પુત્રવધુનું નામ વર્ધિતા હતું. ચારેને ઘઉંના થોડા દાણા આપ્યા અને કહ્યું કે જ્યારે માંગુ ત્યારે મને પાછા આપજો. ઉર્જિતાને થયું સાઠે બુદ્ધિ નાઠી. આપી આપીને ઘઉંના દાણા આપ્યા, તેણે ફેકી દીધા. ભક્ષિતાને થયું સસરાએ આપ્યા છે, માન રાખવું જોઈએ તેથી તે પ્રસાદની જેમ ખાઈ ગઈ. રક્ષિતાને થયું સસરાએ દાણા આપ્યા છે, નક્કી કાંઈક કારણ હશે, તેથી તિજોરીમાં સોનાની ડબ્બીમાં સાચવી રાખ્યા. વર્ધિતાને પણ એ જ રીતે દાણા આપ્યા, તેણે વિચાર્યું મારા સસરા ઘણા બુદ્ધિશાળી છે તેમણે આ દાણા આપ્યા છે તો નક્કી કાંઈક રહસ્ય હશે, તેથી તે દાણા પિયર મોકલી આપ્યા અને તે દાણાને એક અલગ જમીનના ટુકડામાં વાવવાનું જણાવ્યું અને તેને અવસરે મંગાવીશ એમ કહેવડાવ્યું. ચારેક વર્ષે સસરાએ દાણા માંગ્યા. ઉર્જાિતાએ “ફેકી દીધા જણાવ્યું, ભક્ષિતાએ “ખાઈ ગઈ' જણાવ્યું, રક્ષિતાએ દાણા પાછા આપ્યા અને
જ્યારે વર્ધિતાએ બે હાથ જોડી સસરાને વિનંતી કરી કે આપે આપેલ દાણા લાવવા માટે મારા પિયર ગાડાઓ મોકલવા પડશે.
આ કાળમાં પણ આવી જ વાત બની..... અહીંયા પરીક્ષાની વાત નથી પણ સસરા પૂજ્ય ચિમનભાઈ ખીમચંદ મહેતાએ એક દિવસ અચાનક સર્વે પુત્રવધુઓને સારા કાર્યમાં વાપરવા ? એક લાખ આપ્યા. પુત્રવધુ ઇલાને, વાપરવા આપેલા એક લાખને કેમ વાપરવા? તે પ્રશ્ન હતો અને તે જ વખતે ઘરમાં પર્યુષણ પર્વના કારણે પ્રતિક્રમણની વાતો થઈ. તેમાં ઇલાબહેનને પુત્રએ પ્રશ્ન કર્યો “સમજ્યા વિના ક્રિયા શું કર્યા કરીએ?' અંગ્રેજી માધ્યમથી ભણેલા બાળકોને કેમ કરીને સમજાવવા? તેના જવાબમાં ગુજરાતી-હિન્દી, અંગ્રેજી અર્થ
Page #15
--------------------------------------------------------------------------
________________
સાથે, આ વિધિ સહિત પંચ પ્રતિક્રમણસૂત્રના પુસ્તકનું સંકલન થયું. સ્વનો સ્વાધ્યાય અને પરને જ્ઞાનની પ્રાપ્તિ તેથી સ્વ-પર ‘જ્ઞાનસ્ય ફલં વિરતી’.
વર્તમાન પેઢીના યુવાનોને પક્ખી-ચોમાસી-સંવચ્છરી પ્રતિક્રમણ સમજણ સાથે કરવામાં ખાસ ઉપયોગી...આ યાંત્રિકયુગના ભયાનક નાસ્તિકવાદી સંસારમાં, આપણો સમય અને આપણું જ્ઞાન કોઈકને ધર્મમાં જોડનાર થાય, તે તો મહાપુણ્યોદય કહેવાય...ચાલો વાંચીએ...સમજીએ...અને ભેગા મળીને પ્રતિક્રમણ કરીએ.
કીર્તિભાઈ પંડિતજી બોરીવલી, મુંબઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પ્રતિક્રમણ વિવેચન પ્રતિક્રમણનીછ આવશ્યકક્રિયાઓ પ્રતિક્રમણમાં ઉપયોગી ઉપકરણો અને વિવેચન મુદ્રાદર્શક ચિત્રો અને વિવેચન
- ખમાસમણું કેમ દેવું? - કાઉસ્સગ્ન કેમ કરવો? - મુહપત્તી પડિલહેણા અને વિવેચન - સુગુરૂ વંદના અને વિવેચન - અભુઠ્ઠિઓ કેવી રીતે કરવું? - જય વીયરાય કેવી રીતે કરવું? - પ્રતિક્રમણની મુદ્રા - નમુત્થણની યોગમુદ્રા - વંદિતુનું યોગમુદ્રા
xxi
XXXi
xxxii xxxiii XXXV
xxxvi
સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિક લેવાની વિધિ સાંજના પચ્ચક્ખાણ સકલાઉત સ્તવન સ્નાતસ્યાની થોય અતિચારની ગાથા સાત લાખ અઢાર પાપસ્થાનક વંદિત સંવત્સરી અતિચાર અજિતશાંતિ સ્તવન બૃહશાંતિ (મોટી શાંતિ) શ્રી સંતિકર સ્તોત્ર સામાયિક પારવાની વિધિ
૩૫,૩૯,૪૨,૪૬
૫૪ ૬૪
૬૫
૬૯, ૧૧૫,૧૩૪
૯૨ ૧૯૬ ૨૨૩ ૨૩૩
૨૩૭
પચ્ચખાણ સંદર્ભ ગ્રંથોની સૂચિ
૨૫૩ ૨૮૦
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ વિવેચન
પ્રતિ = પાછુ અને ક્રમણ = હઠવું. પાપથી પાછા હઠવાની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. આ ક્રિયા અવશ્ય કરવાની છે તેવી જ્ઞાની ભગવંતોની આજ્ઞા છે. તેથી સમસ્ત સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા પ્રત્યેકે આ ક્રિયા કરવી જોઈએ. અવશ્ય કરવાની ક્રિયા એટલે આવશ્યક. જ્ઞાનાદિ ગુણોને અને મોક્ષનેસમસ્તપ્રકારે વશ કરેતે આવશ્યક. - જે વ્યવ્હારદશામાં રહેલા છે, જેમનું મન આત્મભાવમાં સ્થિર નથી થતું અને વારંવાર વિષયોમાં ચાલી જતાં મનને કાબુમાં રાખવાનું સાધન એટલે આવશ્યકાદિ ક્રિયાઓ. માટે આ આવશ્યક ક્રિયાઓ રોજ કરવી જ જોઈએ. રોજે રોજ બંધાતા પાપોનું પ્રાયશ્ચિત પણ રોજે રોજ જ કરવું જોઈએ. પાપ ન થાય એ પ્રતિક્રમણનો મુખ્ય ઉદેશ છે, પણ તે સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિરંતર લાગતા દોષોની શુદ્ધિ કરવી, પશ્ચાતાપ કરવો તે જ સાચું પ્રતિક્રમણ છે. ભૂતકાળની ભૂલોનો પશ્ચાતાપ કરવો, વર્તમાનમાં પાપથી વિમુખ રહેવું અને ભવિષ્યમાં પાપ નહીં કરવાનો સંકલ્પ કરવો તે પ્રતિક્રમણ.
રાત્રિ દરમ્યાન થયેલા પાપોની શુદ્ધિ માટે કરાતું “રાઈ પ્રતિક્રમણ રોજ સવારે કરવું જોઈએ.
દિવસ દરમ્યાન કરેલા પાપોની શુદ્ધિ ‘દવસિય પ્રતિક્રમણ દ્વારા થાય છે. આ પ્રતિક્રમણ રોજ સાંજે કરવામાં આવે છે. | દર પંદર દિવસે આત્માની વિશેષ શુદ્ધિ માટે કરાતુ સાંધ્ય પ્રતિક્રમણ તે “પખી પ્રતિક્રમણ” દરેક મહિનાની સુદ અને વદ ચૌદસના આ પ્રતિક્રમણ થાય છે.
દર ચાર મહિનામાં જાણતા અજાણતાં જે પાપકર્મો બંધાયા હોય તેનાથી વિશેષ મુક્તિ મેળવવા માટે “ચઉમાસી પ્રતિક્રમણ કરવાનું છે.
સાંવત્સરિક પ્રતિક્રમણ આખા વર્ષનાં જે પાપ કર્મો જાણતાં અજાણતાં થયા હોય એના પ્રાયશ્ચિત માટે થાય છે. આ પ્રતિક્રમણ દ્વારા જગતનાં સર્વ જીવોને ખમાવવામાં આવે છે અને એમ કરીને આત્મા પોતાના પાપકર્મોને ખેરવી નાખે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ii
પ્રતિક્રમણની છ આવશ્યક ક્રિયાઓ
પ્રતિક્રમણનીક્રિયામાં છ આવશ્યકનો સમાવેશ થાય છે.
૧- સામાયિક ૨- ચઉવિસત્થો ૩- વાંદણા ૪- પડિક્કમણું ૫- કાઉસ્સગ્ગ અને ૬-પચ્ચક્ખાણ.
૧) સામાયિક - બે ઘડીનાં (૪૮ મિનિટ) જેટલું, ચારિત્ર પાળતાં હોય તેવા સાધુસમ જીવન, સાવઘયોગ-પાપોની પ્રવૃત્તિને અટકાવતું અને ચિત્ત તથા મનને સ્વસ્થ અને નિર્મળ રાખવાની શ્રેષ્ઠ તક આપતું
આવશ્યક.
૨) ચઉવિસત્થો - લોગસ્સ એટલે જ ચઉવિસત્થો અથવા ચતુર્વિશતિ. લોગસ્સથી ચોવીસે તીર્થંકરોની નામપૂર્વક સ્તવના- જેનો પ્રભાવ બાહ્ય અને અત્યંતર સુખ, શાંતિ અને આરોગ્યને આપવા સાથે જીવને મુક્તિ સુધી પહોંચાડી દે છે.
૩) વાંદણા - ગુરૂ એટલે ધર્મના જાણકાર, ધર્માચરણનું પાલન કરનાર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ મહાવ્રતોનું અને ત્યાગ માર્ગનું પાલન કરનાર. આવા ગુરૂનું બહુમાનપૂર્વક વંદન કરવું તે સાધકનું કર્તવ્ય છે. આ કર્તવ્યનું સુગુરૂ વંદન-વાંદણા દ્વારા પાલન કરવાનું છે.
૪) પડિક્કમણું – પાપથી પાછા હઠવાની ક્રિયા દર્શાવતા સૂત્રો દ્વારા ક્ષણે ક્ષણે મન, વચન કાયાથી થતાં પાપ-દોષોની આલોચના કરવી, તેની ક્ષમા માંગવી તે જ પ્રતિક્રમણ છે.
૫) કાઉસ્સગ્ગ - કાઉસ્સગ્ગ દરમિયાન શરીરની શુશ્રુષાનો સર્વથા ત્યાગ, કાયાનું કષ્ટ સહન કરવાનું, મૌન અને ધ્યાન દ્વારા વાણી અને મનથી મલિન વૃત્તિઓનો ત્યાગ કરવાનો છે.
૬) પચ્ચક્ખાણ - જીવનને સંયમી બનાવવા, વિવિધ કુટેવોથી બચવા, સદાચરણમાં પ્રવૃત્ત રહેવા અને પાપાસવથી અટકવા પચ્ચક્ખાણ એટલે નિયમોનું ગ્રહણ કરવું.
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણમાં ઉપયોગી ઉપકરણોનાં ચિત્રો
XI
ખુલ્લી મુહપત્તી
કટાસણું
સ્થાપનાચાર્યજી
વાળેલી મુહપત્તી
ચરવળો
iii
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણમાં ઉપયોગી ઉપકરણોનું વિવેચન
ધર્મભાવનાની વૃદ્ધિ કરે તેવા સાધનોને ઉપકરણ કહેવાય. ૧) સ્થાપનાચાર્યજી - પ્રતિક્રમણ ગુરૂસાક્ષીએ કરવું જોઈએ. જો ગુરૂની અનુકૂળતા ન હોય તો, નવકાર અને પંચિંદિય સૂત્ર હોય તેવું પુસ્તક, ગુરૂસ્થાને સ્થાપી, સામાયિક-પ્રતિક્રમણની ક્રિયા કરવી જોઈએ. ૨) કટાસણું -દોઢ હાથ જેટલું સમચોરસમાપનું, કાણાં વગરનું, સફેદ ઉનનું હોવું જોઈએ. કટાસણું સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે તે માટે અખંડ રાખવાનું છે. સામાયિક કરતાં શરીરમાં એક ઉર્જાનો પ્રવાહજન્મે છે, તે ઉનનું કટાસણું હોય તો જમીનમાં ઉતરી જતો અટકીને શરીરને ઉર્જામય રાખે છે. ૩) મુહપત્તી - મુહપત્તી સુતરાઉ કાપડની, સામાન્યરીતે એક વેત અને ચાર આંગળીની હોય છે. મુહપત્તીની ત્રણ કોર ખુલ્લી અને એક કોર બાંધેલી હોવી જોઈએ. કારણ સંસારની ચાર ગતિ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ આમાં આત્માનો છૂટકારો કરવા માટે એક મનુષ્ય ગતિ જ સમર્થ છે તે દર્શાવ્યું છે. મુહપત્તી સ્વચ્છ હોવી જોઈએ. મુહપત્તી મુખ પાસે રાખવાના બે કારણ છે. ૧- જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે વિનય સાચવવો. બોલતાં ચૂંકન ઉડે તેનો વિવેક જાળવવો. ૨- સૂત્રો બોલતાં હવામાંના સૂક્ષ્મ જીવો મુખમાં ચાલ્યા ન જાય અને તેમની રક્ષા થાય. મુહપત્તીનું પડિલહેણ, પચાસ બોલ બોલવાપૂર્વક કરવાનું હોય છે. પુરૂષોએ પચાસ બોલ, અને સ્ત્રીઓએ ચાલીસ બોલપૂર્વક મુહપત્તીનું પડિલેહણ કરવાનું હોય છે. ૪) ચરવળો - સામાયિકમાં ઉઠતા-બેસતા, ભૂમિની પ્રમાર્જના કરવા માટે વપરાય છે. ચરવળો ૩ર આંગળ જેટલો હોય છે. તેમાં ચોવીસ આગળની દાંડી (આત્મા ૨૪ દંડકથી દંડાય છે) અને આઠ આંગળની દશીઓ (આત્માને આઠ પ્રકારના કર્મબંધથી મુક્ત કરવા) એવું દર્શાવવામાં આવેલ છે. ચરવળાની દાંડી લાકડાની જ હોવી જોઈએ. ચોરસ દાંડી સ્ત્રીઓ માટે વપરાય છે. ગોળ દાંડી પુરૂષોએ વાપરવાની હોય છે. ચરવળા વિના ક્રિયામાં ઉભા થવાય નહીં, તેમ જસ્થાનફેર પણ ન કરાય.
Page #22
--------------------------------------------------------------------------
________________
ખમાસમણું કેમ દેવું? પંચાંગ પ્રણિપાત રૂપ ખમાસમણ મુદ્રા
પ્રથમ સ્થિતિ. (પ્રારંભ)
| દ્વિતીય સ્થિતિ. (અંત)
પંચાંગ = બે હાથ, બે પગ અને મસ્તક - તે વડે પ્રણિપાત નમસ્કાર
ખમાસમણું કેમ દેવું તે આપણી તમામ ક્રિયાઓમાં ખમાસમણું આવવાનું જ. બીજું ચિત્ર બરાબર જુઓ, અને તમે જે રીતે ખમાસમણું દો છો તેની સાથે સરખાવો અને ખામી હોય તો દૂર કરો.
Page #23
--------------------------------------------------------------------------
________________
vi
કાઉસ્સગ્ગ કેમ કરવો ?
(બેઠા બેઠા ‘કાયોત્સર્ગ’ની મુદ્રા) અન્નત્થ સૂત્રમાં ‘અપ્પાણં વોસિરામિ' પછી કાઉસ્સગ્ગમાં બેસવાની મુદ્રા
( ઉભા ઉભા કાઉસ્સગ્ગની મુદ્રા) અન્નત્થ સૂત્રમાં ‘અપ્પાણું વોસિરામિ’ પછી કાઉસ્સગ્ગમાં ઉભા રહેવાની જિનમુદ્રા
કાઉસ્સગ્ગ કેમ કરવો તેની મુદ્રા
બેઠા બેઠા કાઉસ્સગ્ગ કરનારે હાથ કેમ રાખવા, ચરવળો કેમ રાખવો તે, ઊભા કાઉસ્સગ્ગ કરનારે બે પગનાં આગલા ભાગ વચ્ચે કેટલું અંતર રાખવું તે, મુહપત્તી અને ચરવળો કયા હાથમાં રાખવો, હાથ જંઘાની પાસે કેમ રાખવા અને ધ્યાનને લગતી મુખમુદ્રા કેમ રાખવી તે આચિત્રથીસમજાશે.
Page #24
--------------------------------------------------------------------------
________________
મુહપત્તીની પડિલેહણા ૨૫ બોલ મુહપત્તીની પડિલેહણા, ૨૫ બોલ શરીરની પડિલેહણા સુચના : ચરવળાવાળાને જ ઉભડક બેસીને પડિલેહણ કરવાનો અધિકાર છે. ન હોય તેને બેસીને પડિલેહણ કરવી.
મુહપત્તી પડિલહેણાના ૨૫ બોલ.
૧. ઉભડક બેસો, ૨. બંને હાથ બંને પગની અંદર રાખો, ૩. મુહપત્તીને ખોલો, ૪. પછી અવલોકન કરો તે સાથે
સૂત્ર” બોલને મનમાં બોલો.
UTU9િ ).
દષ્ટિપડિલેહણા
હવે મુહપત્તીને બીજી બાજુએ ફેરવી, પ્રમાર્જના કરવાની સાથે અર્થ તત્ત્વ કરી સદહું બોલો.
દષ્ટિપડિલેહણા
Page #25
--------------------------------------------------------------------------
________________
viii
૩.
૪.
દષ્ટિપડિલેહણા
લ
દષ્ટિપડિલેહણા
દૃષ્ટિપડિલેહણા
‘સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહતું.'
આ બોલ બોલીને મુહપત્તીના એક છેડાને ત્રણવાર ખંખેરવો. (૩-ઉર્ધ્વ પફોડા)
‘કામ રાગ, સ્નેહ રાગ, દષ્ટિ રાગ પરિહતું.’
આ બોલ બોલીને મુહપત્તીના બીજા છેડાને ત્રણવાર ખંખેરવો. (૩–ઉર્ધ્વ પફોડા)
પછી ચિત્ર મુજબ મુહપત્તીને ડાબા કાંડા પર નાખી, વચલી ઘડી પકડી, બેવડી કરો.
(અહીંથી મુહપત્તીને સંકેલવાનું શરૂ થાય છે)
Page #26
--------------------------------------------------------------------------
________________
મુખપત્તીને ચિત્રમાં બતાવ્યા મુજબ આંગળીઓમાં ભરાવો. પછી આંગળાથી કાંડા (પકુખોડા) તરફ અને ફરી કાંડાથી આંગળા તરફ (અખોડા) મુહપત્તી વડે ત્રણ ત્રણ વાર પ્રમાર્જના કરો, સાથે નીચેના બોલ બોલો - સુદેવ, સુગુરૂ, સુધર્મ, આદરું - પખોડા “કુદેવ, કુગુરૂ, કુધર્મ પરિહરું', – અખોડા
GHE
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું', - પખોડા જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, “ચારિત્ર વિરાધના પરિહરું,' – અખોડા મનો ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, આદરું - પખોડા મનોદંડ, વચન દંડ, કાયદંડ પરિહરું.” અખોડા પછી ડાબા હાથના પૃષ્ઠભાગે મુહપત્તી (છઠ્ઠા ચિત્ર મુજબ) ફેરવતાં (પખોડા = ૩ ટપ્પ મુહપત્તીને આંગળાના ટેરવાથી કાંડા તરફ લઈ જવું. અખોડા = મુહપત્તીને સળંગ કાંડાથી આંગળીના ટેરવા તરફ ઘસડીને લઈ જવી.)
૮.
પછી જમણા હાથમાં મુહપત્તી ભરાવીને ડાબા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં હાસ્ય, રતિ, અરતિ પરિહરું બોલો.
પછી ડાબા હાથમાં મુહપત્તી ભરાવીને જમણા હાથના પૃષ્ઠભાગે ફેરવતાં ભય, શોક, જુગુપ્સા પરિહરું બોલો.
Page #27
--------------------------------------------------------------------------
________________
શરીરની પડિલેહણના ૨૫ બોલ
પછી મુહપત્તીના બે છેડાને બે હાથથી પકડીને મસ્તકની વચ્ચોવચ્ચ અને તેની જમણી-ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે
૨-૧-૩
કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપોત વેશ્યા, પરિહરું,' બોલો. (સ્ત્રીઓએ નથી બોલવાનું)
મસ્તક
પછી મુખની અને તેની જમણી-ડાબી બાજુ પ્રમાર્જના કરતાં –
૨-૧-૩
“રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું.” બોલો.
મુખ
૨-૧-૩
પછી છાતીની વચ્ચે અને જમણી-ડાબી બાજુએ પ્રમાર્જના કરતાં –
માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું.’ આ બોલને મનમાં બોલો. (સ્ત્રીઓએ નથી બોલવાનું)
છાતી
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨.
૧૩.
જમણો ખભો
ડાબો ખભો
xi
તે પછી મનમાં નીચેના બોલ બોલવા પૂર્વક જમણા ખભાની પ્રમાર્જના કરો – ‘ક્રોધ માન પરિહરું’,
(સ્ત્રીઓએ નથી બોલવાનું)
ડાબા ખભે કરતાં – ‘માયા-લોભ પરિહરું’, બોલો.
(સ્ત્રીઓએ નથી બોલવાનું)
Page #29
--------------------------------------------------------------------------
________________
. /
),
)
I// /
/
ચરવળાથી અથવા મુહપત્તીથી જમણા પગની (૩ વાર) પ્રમાર્જના કરતાં “પૃથ્વી કાય, અકાય, તેઉકાયની રક્ષા કરું,' બોલો
t
જમણો પગ
૧૫.
અને ડાબા પગની પ્રાર્થના કરતાં વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું'. બોલો
સ્ત્રીઓનું માથું, હૃદય અને ખભા વસ્ત્રોથી હંમેશા ઢંકાયેલા હોય છે તેથી શ્રાવિકાઓને ૯, ૧૧,૧૨,૧૩ નંબરની પ્રાર્થના હોતી નથી.
ડાબો પગ
Page #30
--------------------------------------------------------------------------
________________
મુહપત્તીની પડિલેહણાનું વિવેચન અને વિધિ અંગેનું માર્ગદર્શન
xiii
વૃદ્ધ સંપ્રદાય મુજબ આ ‘બોલ’ મનમાં બોલવાના હોય છે. અને તેનો અર્થ વિચારવાનો હોય છે. તેમાં ‘ઉપાદેય’ અને ‘હેય’ વસ્તુઓનો વિવેક અત્યંત ખૂબી પૂર્વક કરવામાં આવ્યો છે. દાખલા તરીકે પ્રવચન એ તીર્થ હોઈને પ્રથમ તેના અંગરૂપ ‘સૂત્રની અને અર્થની તત્ત્વ વડે શ્રદ્ધા કરવાની છે’ એટલે કે સૂત્ર અને અર્થ ઉભયને તત્ત્વરૂપ-સત્યરૂપ સ્વીકારીને તેમાં શ્રદ્ધા રાખવાની છે. અને તે શ્રદ્ધામાં અંતરાયરૂપ સમ્યક્ત્વમોહનીય આદિ કર્મો હોવાથી તેને પરિહરવાની ભાવના કરવાની છે.
મોહનીય કર્મમાં પણ રાગને ખાસ પરિહરવા જેવો છે. તેમાં પ્રથમ કામરાગને, પછી સ્નેહરાગને અને છેલ્લે દષ્ટિરાગને છોડવાનો છે. કારણકે એ રાગ છૂટ્યા વિના સુદેવ, સુગુરૂ અને સુધર્મની મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે. તેથી કુદેવ, કુગુરૂ અને કુધર્મને પરિહરવાનો દઢ સંકલ્પ કરવાનો છે, જો આટલું થાય તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને આદરવાનું છે. કે જેનું અપરનામ ‘સામાયિક’ છે તેની સાધના યથાર્થ થઈ શકે છે. આવી આરાધના કરવા માટે જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, અને ચારિત્રવિરાધનાને પરિહરવાની જરૂર છે.
ટૂંકમાં મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આદરવા યોગ્ય છે. એટલે ઉપાદેય છે અને મનદંડ, વચનદંડ અને કાયદંડ પરિહરવા યોગ્ય છે એટલે હેય છે. આ રીતે ‘ઉપાદેય‘ અને ‘હેય’ અંગે ભાવ્યા પછી જે વસ્તુઓ ખાસ પરિહરવા જેવી છે તથા જેના અંગે યતના કરવાની ખાસ જરૂર છે, તેનો વિચાર દેહની પડિલેહણા પ્રસંગે કરવાનો છે. તે આ રીતે ઃ
‘હાસ્ય, રતિ, અરતિ, પરિહ’
વળી ‘ભય, શોક, જુગુપ્સા પરિહરું' એટલે જે હાસ્યાદિ ષટ્ક (છ) (ચારિત્રમોહનીય) કષાયથી ઉદ્ભવે છે. તેનો ત્યાગ કરવાથી મારું ચારિત્ર સર્વાંશે (સંપૂર્ણતયા) નિર્મળ થાય.
Page #31
--------------------------------------------------------------------------
________________
xiv
“કૃષ્ણ લેશ્યા, નીલ લેગ્યા અને કાપીત વેશ્યા પરિહરું કારણ એ ત્રણે લેશ્યાઓમાં અશુભ અધ્યવસાયોની પ્રધાનતા છે અને તેનું ફળ આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું.”
રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ પરિહરું કારણકે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું. તેની સાથે “માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય પરિહરું” કારણકે તે ધર્મકરણીનાં અમૂલ્ય ફળનો નાશ કરનાર છે. આ બધાનો ઉપસંહાર કરતાં હું એવી ભાવના રાખું છું કે “ક્રોધ અને માન તથા માયા અને લોભ પરિહરું કે જે અનુક્રમે રાગ અને દ્વેષના સ્વરૂપો છે.
સામાયિકની સાધનાને સફલ બનાવનારી જે મૈત્રી ભાવના છે. તેનો હુંબને તેટલો અમલ કરીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, તથા ત્રસકાય’ એ છયે કાયના જીવોનીયતના કરું. જો આટલું કરું તો આ મુહપત્તી રૂપી સાધુતાનું જે પ્રતીકમૅહાથમાં લીધું છે, તે સફલ થયું ગણાશે.
મુહપત્તપડિલેહણ કરતી વખતેમનમાં બોલવા-વિચારવાયોગ્ય ૨૫બોલ
ગુરૂવંદન કરનાર પ્રથમ સંડાસાપૂર્વક ખમાસમણ દઈ ગુરૂની આજ્ઞા માંગી, મુહપત્તિ પડિલહેણ ઉત્કટિક આસને બન્ને પગના પંજાના આધારે ઉભડક બેસવું) નીચે બેસી બે પગની વચ્ચે બે હાથ રાખીને કરવું જોઈએ. તેમાં મુખપત્તીના ૨૫ બોલ = (૧) દષ્ટિ પડિલેહણા + (૬) ઉર્ધ્વ પફોડા (પુરિમ) + (૯) અખોડા + (૯) પખોડા = ૨૫
(૧)દષ્ટિપડિલેહણા : મુહપત્તીનાં પડ ઉખેડી દ્રષ્ટિ સન્મુખ તીર્થો વિસ્તારીને, દષ્ટિ સન્મુખ રહેલું પાસું, દષ્ટિથી બરાબર તપાસવું. તેમાં જો કોઈ જીવ જંતુ દેખાય તો તેને જયણા પૂર્વક યોગ્ય સ્થાને મૂકવાં. પછી બોલ મનમાં બોલવાના છે અને તેનો અર્થ વિચારવાનો છે.)
૧) સૂત્ર,-ચિત્ર નં-૧ (આ વખતે મુહપત્તીની એક બાજુની પ્રતિલેખના થાય છે. એટલે કે તેની એ બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે)
૨) ત્યારબાદ મુહપત્તીનો બે હાથે પકડેલો ઉપલો ભાગ ડાબા હાથ ઉપર (જમણા હાથ વડે) નાખીને, બીજું પાસું એવી રીતે બદલી નાંખવું કે
Page #32
--------------------------------------------------------------------------
________________
XV
પ્રથમ ડાબા હાથમાં પકડેલો = દાબેલો ખૂણો જમણા હાથમાં આવે અને બીજું પાસું દષ્ટિસન્મુખ થઈ જાય, ત્યારબાદ તે દષ્ટિસન્મુખ થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાની જેમ દષ્ટિથી તપાસવું. એ પ્રમાણે મુહપત્તીનાં બે પાસાં દષ્ટિથી તપાસવાં તે “દષ્ટિપડિલેહણા” જાણવી. તે વખતે મનમાં બોલવું કે....અર્થ, તત્ત્વ કરી સદઉં. ચિત્ર નં-૨ સૂત્ર તથા અર્થ ઉભયને તત્ત્વરૂપ એટલે સત્ય સ્વરૂપ સમજું છું અને તેની પ્રતીતિ કરી, તેના પર શ્રદ્ધા કરું છું. આ વખતે મુહપત્તીની બીજી બાજુની પ્રતિલેખના થાય છે. (એટલે કે મુહપત્તીની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) ૩) દ-ઉર્ધ્વ-પફોડા (કપુરિમ) પડિલેહણ વિધિ
૩- બીજા પાસાની દષ્ટિ પડિલેહણા કરીને તે ઉર્ધ્વ એટલે તીર્જી વિસ્તારેલી એવી મુહપત્તીનો પ્રથમ ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો, તે પહેલા ત્રણ ઉર્ધ્વ પફોડા (પુરિમ)' કહેવાય. મનમાં બોલવું કે...૨- સમ્યકત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪મિથ્યાત્વમોહનીય પરિહરું. ચિત્રનં-૩ ૪) ત્યારબાદ (દષ્ટિ પડિલહેણમાં કહ્યા પ્રમાણે) મુહપત્તીનું બીજું પાસું બદલીને અને દષ્ટિથી તપાસીને જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે બીજા “ત્રણ ઊર્ધ્વપફોડા (પુરિમ) કહેવાય, તે વખતે મનમાં બોલવું કે...પ- કામરાગ, ૪- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહર. ચિત્ર નં- ૪ (ત્રણે પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે. એટલે અહપત્તીને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.) આ પ્રમાણે પહેલા ત્રણ અને બીજા ત્રણ એમ કુલ મળીને છ ઊર્ધ્વપફોડા (પુરિમ=પ્રસ્ફોટક) કહેવાય. ૫) મુહપત્તીનો મધ્યભાગ ડાબા હાથ પર નાંખી, વચલીઘડી પકડી બેવડી કરો. (અહીંથી મુહપત્તીને સંકેલવાનું શરૂ થાય છે.) ચિત્ર નં-૫
Page #33
--------------------------------------------------------------------------
________________
Xvi
(૯) અખોડા અને (૯) પખોડા પડિલેહણ વિધિ
(૯) અખોડા પછી મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય. અને (તે બે પડવાળી થયેલી મુહપત્તી) દષ્ટિ સન્મુખ આવી જાય. ત્યારબાદ તરત તેના ત્રણ વધૂટક કરીને જમણા હાથની ચાર અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવા-દાબવા અને તેવી રીતે ત્રણ વર્ઘટક કરેલી મુહપત્તીને ડાબા હાથની હથેળી ઉપર હથેલીને ન અડે-ના સ્પર્શે તેવી રીતે પ્રથમ ત્રણવાર કાંડા સુધી લઈ જવી અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પખોડા કરવા પૂર્વક ત્રણ ત્રણ વાર અંદર લેવી તે ૯ અકુખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.)
(૯) પખોડા પ્રમાર્જના) : ઉપર કહ્યા પ્રમાણે પહેલી વાર કાંડા તરફ ચઢતાં ત્રણ અખોડા કરીને નીચે ઉતરતી વખતે હથેલીને મુહપત્તી અડે = સ્પર્શે એવી રીતે (મુહપત્તી વડે) ત્રણ ઘસરકા ડાબી હથેલીને કરવા-તે પહેલી ૩ પ્રમાર્જના ત્યારબાદ (કાંડા તરફ ચડતા ૩ અખોડા કરી) બીજા વાર ઊતરતાં ૩પ્રમાના અને એજ પ્રમાણે (વચ્ચે ૩ અખાડા કરી) પુનઃ ત્રીજી વખત ૩ પ્રમાર્જના કરવી, તે ૯ પ્રમાર્જના અથવા ૯ પકૂખોડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય.
(ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જુદા જાણવા, કારણ કે ૬ ઊર્ધ્વ પફોડા અથવા ૬ પુરિમ કહેવાય છે, પરંતુ પ્રસિદ્ધિમાં ૯ પખોડા ગણાય છે, તો તે આ પ્રમાર્જનાનું નામ છે.)
એ ૯ અકૂખોડા અને ૯ પકૂખોડા તિગ તિગ અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતાં ૩ પકુખોડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઊતરતાં ૩ અકુખોડા કરવા, ત્યારબાદ પુનઃ ૩પખોડા, પુનઃ ૩ અખોડા, પુનઃ ૩ પખોડા, પુનઃ ૩ અખોડા, એ અનુક્રમે ૯ પખોડા, અને ૯ અખોડા પરસ્પર અંતરિત ગણાય છે. અથવા પખોડાના આંતરે અખોડા એમ પણ ગણાય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
xvii
૮-સુદેવ૮-સુગુરૂ ૧૦-સુધર્મઆદ. ૬) સુદેવ, સુગુરૂ વિષેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઇચ્છા છે. તેથી મુહપત્તીને આંગળીઓના અગ્રભાગથી અંદર તરફ લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલા ટપ્પ મુહપત્તી લગભગ આંગળીના અગ્રભાગે રાખવી અને તે વખતે “સુદેવ” બોલવું પછી બીજા ટપ્પ મુહપત્તીને હથેલીના મધ્યભાગ સુધી લાવવી અને તે વખતે “સુગુરુ” બોલવું અને ત્રીજા ટપ્પ મુહપત્તીને હાથના કાંડા સુધી લાવવી અને તે વખતે સુધર્મ' બોલવું. તેથી આગળ કોણી સુધી પહોંચતાં “આદરૂં” એટલા શબ્દો બોલવા. મુહપત્તિ હાથને સ્પર્શવી ન જોઈએ. ચિત્ર નં-૬ ૭) હવે ઉપરની રીતથી ઉલટી રીતે મુહપત્તીને કાંડાથી આંગળીના ટેરવા સુધી ઘસીને લઈ જાઓ તે વખતે ઝાટકીને કાંઈ કાઢી નાંખતા હોઈએ, તેમ ઘસીને મુહપત્તી લઈ જવી અને મનમાં બોલવું કે. ૧૧-કુદેવ, ૧૨-કુગુરૂ, ૧૩-કુધર્મ પરિહરું. (આ એક જાતની પ્રમાર્જન વિધિ થઈ, તેથી તેની ક્રિયા પણ તેવી જ રાખવામાં આવી છે.) ચિત્ર નં- ૬ ૮) હવે મુહપત્તી ત્રણ ટર્પે આંગળીના અગ્રભાગેથી હથેલીના કાંડા સુધી મુહપત્તી સહેજ અદ્ધર રાખી અંદર લેવી અને બોલો કે....૧૪-જ્ઞાન, ૧૫દર્શન, ૧૬-ચારિત્ર આદરું. ચિત્ર નં- ૬ (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો વ્યાપક-ન્યાસ કરવામાં આવે છે.) ૯) હવે ઉપરથી ઉલટી રીતે હથેલીના કાંડાથી હાથની આંગળી સુધી મુહપત્તી ઘસીને લઈ જવી અને બોલવું કે...૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮-દર્શન-વિરાધના, ૧૯-ચારિત્ર-વિરાધના પરિહરે. ચિત્ર નં- ૬ (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું ઘસીને પ્રમાર્જન કરવામાં આવે છે.)
૨૦-મનગુપ્તિ, ૨૧-વચનગુપ્તિ, ૨૨-કાયગુપ્તિ આદરું. (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો વ્યાપક ન્યાસ કરવામાં આવે છે)
Page #35
--------------------------------------------------------------------------
________________
xviii
૧૦) હવે મુહપત્તીને હથેલીના કાંડાથી હાથની આંગળી સુધી ઘસીને લઈ જવી અનેબોલવું કે..૨૩-મનદંડ ૨૪-વચનદંડ, ૨૫-કાયદંડ પરિહરું. (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું પ્રમાર્જન કરવામાં આવે છે.) ચિત્ર નં- ૬
શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ (આ બોલ વખતે અત્યંતર પ્રમાર્જન કરવાનું હોવાથી બધી વખતે
પ્રમાર્જનથી ક્રિયા કરવામાં આવે છે.) ૧) હવે આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તીથી ડાબા હાથની ઉપર બંને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે..૨૬-હાસ્ય, ર૭-રતિ, ૨૯-અરતિપરિહરુ. ચિત્ર નં-૭
૨) એવી જ રીતે ડાબા હાથના આંગળામાં (આંતરામાં) ભરાવેલી મુહપત્તીથી જમણા હાથની ઉપર બન્ને બાજુ અને નીચે એમ ત્રણ જગ્યાએ પ્રદક્ષિણાકારે પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે....૨૯-ભય, ૩૦- શોક, ૩૧-દુર્ગચ્છા પરિહરું. ચિત્ર નં-૮
૩) પછી આંગલીઓમાંથી મુહપત્તીને કાઢીને, બેવડી જ રાખીને બંને હાથની આંગળીઓના આંતરામાં ગોઠવીને, મુહપત્તીનો નીચેનો ભાગ સીધો રહે તેમ રાખવો. મુહપત્તીથી સુયોગ્ય પ્રમાર્જન થાય તેમ માથાના મધ્યભાગે (વચ્ચે) અને જમણી-ડાબી બે બાજુએ એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૨-કૃષ્ણલેશ્યા, ૩૩-નીલેશ્યા, ૩૪-કાપોતલેશ્યા પરિહરું. ચિત્ર નં-૯ (આ ત્રણ બોલ સ્ત્રીઓએ નથી બોલવાના)
૪) એવી જ રીતે મુહપત્તીથી મોઢાની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૩૫- રસગારવ, ૩-ઋદ્ધિગારવ, ૩૭-સાતગારવપરિહરું. ચિત્ર નં- ૧૦
૫) એવી જ રીતે મુહપત્તીથી હૃદયની વચ્ચે અને જમણી-ડાબી બે બાજુએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે... ૩૮-માયાશલ્ય,
Page #36
--------------------------------------------------------------------------
________________
xix
૩૯-નિયાણશલ્ય, ૪૦-મિથ્યાત્વશલ્ય પરિહતું. ચિત્ર નં - ૧૧ (આ ત્રણ બોલ સ્ત્રીઓએ નથી બોલવાના)
૬) એવી જ રીતે બંને હાથમાં મુહપત્તી રાખીને જમણા ખભા પરથી ફેરવીને વાંસાનો (પીઠનો ઉપલો ભાગ) ભાગ પ્રમાર્જતાં મનમાં બોલવું કે... ૪૧- ક્રોધ, ૪૨- માન પરિહતું. ચિત્ર નં - ૧૨ (આ બે બોલ સ્ત્રીઓએ નથી બોલવાના)
૭) તે પછી એવી જ રીતે બંને હાથમાં મુહપત્તી રાખીને ડાબા ખભા પરથી પ્રમાર્જના કરતાં મનમાં બોલવું કે... ૪૩- માયા, ૪૪- લોભ પરિહતું. ચિત્ર નં - ૧૩ (આ બે બોલ સ્ત્રીઓએ નથી બોલવાના)
(એ પ્રમાણે પીઠ + વાંસાની ૪ પ્રમાર્જના થઈ. એ ચાર પડિલેહણાને ૨ ખભા+૨ પીઠની પડિલેહણા ગણવાનો વ્યવહાર પ્રસિદ્ધછે.)
તે પછી ચરવળા (ઓઘા) થી ડાબા પગના મધ્યભાગે (વચ્ચે) અને ડાબા-જમણા ભાગે એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે. (પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત ‘રક્ષા કરું’ બોલે) ૪૫-પૃથ્વીકાય, ૪૬-અપ્લાય, ૪૭- તેઉકાયની જયણા કરું. ચિત્ર નં-૧૪ (રક્ષા કરું)
ત્યાર બાદ ચરવાળા (ઓઘા) થી જમણા પગના મધ્યભાગે (વચ્ચે) અને ડાબા-જમણા ભાગે એમ ત્રણ જગ્યાએ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલવું કે...૪૮- વાયુકાય, ૪૯-વનસ્પતિકાય, ૫૦- ત્રસકાયની રક્ષા કરું. ચિત્ર નં - ૧૫
(મુહપત્તી + શરીર પડિલેહણ વિશેષ સુયોગ્ય અનુભવી પાસે શીખવા પ્રયત્ન કરવો.)
દ્વાદશાવર્ત્ત વંદનનાં ૨૫ આવશ્યક તેમજ ઉપલક્ષણથી મુહપત્તી અને શરીરની ૨૫-૨૫ પડિલેહણા મન-વચન-કાયા સ્વરૂપ ત્રણેય કરણથી ઉપયોગવાળો થઈને અને ઓછા-વધતા અંશ વગર સંપૂર્ણ રીતે પ્રયત્નપૂર્વક જે જીવાત્મા આરાધના કરે છે, તે અધિક-અધિક કર્મ નિર્જરા સાધે છે અને ઉપયોગ વગર અવિધિથી હીન-અધિક આરાધના કરનાર મુનિભગવંત પણ વિરાધક કહેવાય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
XX
સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા અંગે સમજણ :
સ્ત્રીઓનું માથું, હૃદય અને ખભા વસ્ત્રથી હંમેશા ઢંકાયેલા હોય છે. તેથી માથાના ત્રણ, હૃદયના ત્રણ અને ખભાના (કાંખના પણ) ચાર-એમ કુલ ૧૦પડિલેહણા હોતી નથી. તેથી તેઓને ફક્ત બે હાથની, ત્રણ+ત્રણ = છ, મોઢાની ૩ અને બંને પગની ત્રણ-ત્રણ = છે, એમ કુલ ૧૫ પડિલેહણા હોય છે. તેમાં સાધ્વીજી ભગવંતને પ્રતિક્રમણ કરતી વખતે માથું ખુલ્લું રાખવાનો વ્યવહાર હોવાથી માથાની ત્રણ પડિલેહણા સાથે ૧૮ પડિલેહણા હોયછે.
મુહપત્તી અને શરીરની પડિલેહણા સુયોગ્ય રીતે થાય પણ ફક્ત મુહપત્તીનો જ સ્પર્શ ન થાય, તેની કાળજી રાખીને ઉપયોગપૂર્વક ક્રિયા કરવી જોઇએ.
Page #38
--------------------------------------------------------------------------
________________
xxi
સુગુરૂ વંદના
અવનકવન્દન
(પ્રારંભનું શીર્ષનમન) ઇચ્છામિ ખમાસમણો... નિસીહિઆએ” બોલતી વખતે અર્ધ શીર્ષનમન.
સૂચના પ્રતિક્રમણમાં ઊભા ઊભા કરવાની ક્રિયા, ઊભા ઊભા જ કરવાની હોય છે, પણ આજની પરિસ્થિતિ એવી કમનસીબી ભરી છે કે સેંકડોમાં, એસી થી નેવું ટકા લોકો ઊભા થવા માટેના સીગ્નલ જેવો ચરવળો સાથે લાવતા નથી. એટલે બેઠા બેઠા બધું કરે છે. અહીંયા ઊભા ઊભા વાંદણા શરૂ કરો ત્યારે પ્રારંભમાં આ મુદ્રા કરવાની છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
xxii
૨.
ગુરૂચરણકમલ
સુગુરૂ વંદન પ્રસંગના ૬ આવર્તો
વાંદણા વખતે મુહપત્તી, બે હાથ અને ચરવલો ક્યાં અને કેવી રીતે રાખવા તે ચિત્રમાં જુઓ.
‘અ’ બોલતી વખતે બે હાથ ક્યાં મૂકવા અને ‘હો’ બોલતી વખતે ક્યાં મૂકવા, બીજા અક્ષરો શરીરના ક્યા સ્થાન પાસે બોલવા તે તથા યથાજાત મુદ્રા સૂચિત શીર્ષનમન વગેરે કેમ કરવું તે અહીંથી શરૂ થતા ચિત્રોમાં બતાવ્યું છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
xxiii
સુગુરૂ વંદન પ્રસંગના આવર્તી -
હો-યં-ય
ભે-ણિ-ભે
તા-વ-ચ.
અ-કા-કા
-
જ-જ-
જ્જ
Page #41
--------------------------------------------------------------------------
________________
xxiv
સુગુરૂવંદન
- “કાય સંફાસ કહેતા મસ્તકથી ગુરૂચરણે- ચરવળા/મુહપત્તી પર શિરોનમન કરવું.
- “ખામેમિ ખમાસમણો ! દેવસિએ વઈક્કમ' બોલતા ફરી વખત શિરોનમન કરવું.
Page #42
--------------------------------------------------------------------------
________________
XXV
સુગુરૂ વંદન વિવેચન
ગુરૂને વંદન કરતી વખતે આ સૂત્ર બોલાય છે, તેથી તેનું નામ ‘ગુરૂવંદન સૂત્ર” પડેલું છે.
ગુરૂ-વંદનાના ત્રણ પ્રકારો છે. “૧- ફિટ્ટા-વંદન, ૨- થોભ-વંદન અને ૩- દ્વાદશાવર્ત વંદન.” તેમાં છેલ્લા દ્વાદશાવર્ત વંદન” – પ્રસંગે આ સૂત્ર બોલવામાં આવે છે.
ગુરૂ-ચરણની સ્થાપનાને સ્પર્શ કરી નિજ-લલાટે સ્પર્શ કરવો, તે આવર્ત કહેવાય. તેવા છ આવર્તો એક વંદનમાં આવે છે. એટલે બે વાર વંદન કરતાં બાર આવર્તો ‘દ્વાદશાવર્ત વંદન થાયછે.
ગુરૂ-વંદન’નો ખાસ અર્થ શાસ્ત્રકારોએ નીચે મુજબ કરેલો છે : - વંદન' એટલે વંદન યોગ્ય ધર્માચાર્યોને ૨૫ આવશ્યકોથી વિશુદ્ધ અને ૩૨ દોષોથી રહિત કરવામાં આવેલો નમસ્કાર. તેમાં ૨૫ આવશ્યકની ગણતરી તેઓ આ રીતે કરાવે છે.
બે અવનત, યથાજાત મુદ્રા, દ્વાદશાવર્ત અને કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એકનિષ્ક્રમણ.”
બે વખતના વંદનમાં આ ક્રિયાઓ નીચે મુજબ થાય છે
૨ “અવનત’ : ઇચ્છામિ ખમાસમણો !... નિસાહિઆએ બોલતી વખતે પોતાનું અર્ધ શરીર નમાવી દેવામાં આવે છે, તે પ્રથમ અર્ધવન-બે વારના વંદનમાં બે અર્થાવન થાયછે.ચિત્ર નં-૧ - ૧ “યથાજાત-મુદ્રા : જન્મતી વખતે જેવી મુદ્રા હોય અથવા દીક્ષા યોગ આદરતી વખતે જેવી મુદ્રા ધારણ કરવામાં આવે છે, તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવા રૂપ) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત મુદ્રા કહેવાય છે. અને તેવી જ મુદ્રા આ વંદન પ્રસંગે કરવામાં આવે છે. તેમાં ચરવળો અને મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડી અધોભાગ સિવાય ખુલ્લા શરીરે મસ્તક નમાવીને ઊભા રહેવાનું હોય છે. (ખમાસમણની પહેલી સ્થિતિ)
Page #43
--------------------------------------------------------------------------
________________
xxvi
૧૨ કૃતિકર્મ દ્વાદશાવર્ત વંદન કરતી વખતે “અહો-કાર્ય-કાય” રૂપ ત્રણ અને “જત્તા બે જવણિ, જજં ચ ભે” રૂપ બીજા ત્રણ એક વખતના વંદનમાં બોલતાં ગુરૂ-ચરણે હાથનાં તળાં લગાડી પછી તે પોતાના લલાટે સ્પર્શનારૂપ કરાય ત્યારે આવર્ત થાય છે. એટલે બેવારના બાર આવર્ત. ચિત્ર નં-૩,૪,૫
૪ શિરોનમન કાયસંફાસ” કહેતાં સ્વ મસ્તક ગુરૂ ચરણે નમાવવું તે એક શિરોનમન અને “ખામેમિ ખમાસમણો ! દેવસિય વઈક્કમ' બોલતી વખતે ફરી સ્વ મસ્તક નમાવવું તે બીજું શિરોનમન. બે વારનાં મળીને ચાર વાર શિરોનમન થાય છે. ચિત્ર નં- ૬
૩.ગુપ્તિઃ મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપત્રણ ગુપ્તિ જાણવી. - ૨ “પ્રવેશ” “અણજાણહમેમિઉષ્માં” કહી પ્રથમ વખત વંદન કરતાં ગુરૂની અનુજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવો, તે પહેલો પ્રવેશ અને અવગ્રહમાંથી નીકળી ગયા પછી ફરીવાર અવગ્રહમાં પ્રવેશ કરવો તેબીજો પ્રવેશ.
૧ “નિષ્ક્રમણ': અવગ્રહમાંથી “આવસિઆએ” પદ બોલીને બહાર નીકળવું, તે નિષ્ક્રમણ, બીજી વારની વંદનામાં આ પદ બોલવામાં આવતું નથી, એટલે નિષ્ક્રમણ એક જવારથાયછે.
ગુરૂવંદન” માં “ઇચ્છા (નિવેદન); અનુજ્ઞાપન, અવ્યાબાધ (પૃચ્છા), યાત્રા(પૃચ્છા),યાપના (પૃચ્છા) અનેઅપરાધક્ષમાપના”એ સ્થાન હોય છે. ૧.ઇચ્છા-નિવેદન-સ્થાન
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ નિસાહિઆએ- હે ક્ષમાશ્રમણ!આપનેહુનિર્વિકાર અને નિષ્પાપકાયાવડેવંદન કરવાને ઇચ્છું છું.
આ પદોથી વંદન કરવાની ઇચ્છાનું નિવેદન થાય છે તેથી તે “ઇચ્છા નિવેદન-સ્થાન” કહેવાય છે.
શિષ્ય ઇચ્છાનું નિવેદન કર્યા પછી ગુરૂ જો કામમાં હોય તો ત્રિવિધેન એવા શબ્દો કહે છે અને આજ્ઞા આપવી હોય તો “છંદેણુ”- “તમારી ઇચ્છા હોય તે પ્રમાણે કરો” એમ કહે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
xxvii
૨.અનુજ્ઞાપન-સ્થાન
અણુજાણહ મે મિઉગ્ગહં - મને આપની સમીપ આવવાની અનુજ્ઞા આપો. મિત અવગ્રહમાં દાખલ થવું એટલે ગુરૂની મર્યાદિત ભૂમિમાં જવું. ગુરૂ અહીં પ્રત્યુત્તર આપે છે કે - ‘અણુજાણામિ’ - અનુજ્ઞા આપું છું. નિસીહિ – સર્વ અશુભ વ્યાપારોનો ત્યાગ કરું છું.
વંદનક્રિયા ભાવ-પૂર્વક કરવી હોય તો મનને સંપૂર્ણ રીતે તેમાં જ જોડવું જોઈએ. પરંતુ તે સ્થિતિ ત્યારે જ ઉત્પન્ન થાય છે, કે જ્યારે મનને અન્ય સઘળી પ્રવૃત્તિઓમાંથી પાછું ખેંચી લેવામાં આવે. અહીં ‘નિસીહિ’ શબ્દ આવી સ્થિતિને સૂચવવા અર્થે વપરાય છે.
અહોકાયં કાય-સંફાસ ખમણિજ્જો મે ! કિલામો - હે ભગવંત ! આપના ચરણને મારી કાયાનો સ્પર્શ થતાં કિલામણ-ખલેલ-તકલીફ થાય, તે સહન કરી લેશો.
‘નિસીહિ’ બોલ્યા પછી ત્રણ પાછળના, ત્રણ આગળના અને ત્રણ ભૂમિના એ રીતે નવ સંડાસા (સંદેશ-ઊરુ-સંધિ, જાંધ અને ઊરુની વચ્ચેનો ભાગ)નું પ્રમાર્જન કરી શિષ્ય ગોદોહિકા-આસને એટલે ઊભડક પગે ગુરૂની સામે બેસે છે, અને રજોહરણ ગુરૂ-ચરણ આગળ મૂકી તેમાં ગુરૂ-ચરણની સ્થાપના કરે છે. પછી તે પર મુહપત્તી મૂકી એક એક અક્ષર સ્પષ્ટ સ્વરે જુદો જુદો બોલે છે. તે આ રીતે –
અ
– રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે.
હો – લલાટને સ્પર્શ કરતા બોલે છે. કા – રજોહરણને સ્પર્શ કરતા બોલે છે.
યં – લલાટને સ્પર્શ કરતા બોલે છે.
કા – રજોહરણને સ્પર્શ કરતા બોલે છે.
ય -લલાટને સ્પર્શ કરતા બોલે છે. ચિત્ર નં-૩,૪,૫
પછી ગુરૂચરણની સ્થાપના પર બે સવળા હાથ રાખી નમસ્કાર કરતા બોલેછે કે – ‘સંફાસ’. અહીં પ્રથમ નમસ્કાર થાય છે. ચિત્ર નં-૬
Page #45
--------------------------------------------------------------------------
________________
xxviii
પછી બે હાથ જોડી લલાટ ઉપર રાખતાં બોલે છે કે ખમણિજ્જો ભે ! કિલામો’ અહીં સુધીનાં પદોનો સમાવેશ અનુજ્ઞાપન-સ્થાનમાં થાય છે.
૩. અવ્યાબાધ-પૃચ્છા-સ્થાન
‘અકિલંતાણં બહુસુભેણ ભે દિવસો વઇક્કતો ?' અલ્પગ્લાનિવાળા એવા આપનો દિવસ સુખપૂર્વક થયો છે?
અંતઃકરણથી પ્રસન્નતાપૂર્વક થતા કામમાં કંટાળો જણાતો નથી, તેથી ગ્લાનિ પણ ઓછી જ લાગે છે. અહીં ગુરૂને અલ્પ ગ્લાનિવાળા કહેવાનો હેતુ, તેઓ દિનચર્યાને પ્રસન્નતાપૂર્વક અનુસરનારા છે, એમ જણાવવાનો છે. ‘બહુશુભ’ શબ્દ અવ્યાબાધ સ્થિતિ એટલે રોગાદિ પીડા-રહિત સ્થિતિ સૂચવવાને માટે વપરાયેલો છે. તેથી આ વાક્ય દ્વારા ગુરૂને વિનય-પૂર્વક એમ પૂછવામાં આવે છે કે આપને ગ્લાનિ તો નથી થઈ? આપ શાતામાં છો? કોઈ જાતની પીડા તો નથી ને ?
ગુરૂ કહે છે કે- તેમજ છે; અર્થાત્ હું અલ્પ ગ્લાનિવાળો અને શરીરથી નિરાબાધછું.
૪. યાત્રા-પૃચ્છા-સ્થાન
જત્તા ભે ? – આપને સંયમયાત્રા (સુખ-પૂર્વક) વર્તેછે?
=
સંયમનો નિર્વાહ એ ‘ભાવયાત્રા’ છે, અને ‘ભાવયાત્રા’ છે તે જ સાચી ‘યાત્રા’ છે. તેથી ‘યાત્રા’ શબ્દથી અહીં સંયમનો નિર્વાહ સમજવાનો છે. આ બે પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતેઃ
જ- અનુદાત્ત સ્વરથી (નીચા સ્વરે) બોલાય છે. અને તે જ વખતે ગુરૂની ચરણસ્થાપનાને બે હાથે સ્પર્શ કરવામાં આવે છે.
ત્તા - સ્વરિત સ્વરે (મધ્યમ સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે ચરણ-સ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ (રજોહરણ અને લલાટ વચ્ચે હૃદયસ્થાને રાખવામાં) ચત્તા કરવામાં આવેછે.
ભે – ઉદાત્ત સ્વરથી (ઉંચા સ્વરે) બોલવામાં આવે છે અને તે વખતે દષ્ટિ ગુરૂ-સમક્ષ રાખી બંને હાથ લલાટેલગાડવામાં આવે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
xxix
સ્વરના ત્રણ ભેદો છે: “અનુદાત્ત,સ્વરિત અને ઉદાત્ત.” તેમાં નીચેથી બોલાય તે “અનુદાત્ત', મધ્યમ રીતે બોલાય તે “સ્વરિત અને ઊંચેથી બોલાયતે “ઉદાત્ત'
ગુરૂ આ પ્રશ્નોનો ઉત્તર આપતાં સામેથી પૂછે છે કે તને પણ “સંયમયાત્રા” (સુખ-પૂર્વક) વર્તે છે?
આ બે પદનો સમાવેશ યાત્રા પૃચ્છા-સ્થાનમાં થાય છે. પ.યાપના-પૃચ્છા-સ્થાન
જવણિજ્જ ચ ભે? – અને હે ભગવંત ! તમારાં ઈદ્રિયો અને કષાયો વશમાં વર્તે છે?
ઈદ્રિયો અને કષાયો ઉપઘાત-રહિત હોય, અર્થાત્ વચમાં વર્તતા હોય તે “યાપનીય' કહેવાય છે. બાહ્ય તપના “સંલીનતા” નામના છઠ્ઠા પ્રકારમાં ઈદ્રિય-જય અને કષાય-જયનું ખાસ વિધાન કરેલું છે, એટલે આ પૃચ્છા એક રીતે તપ સંબંધી જ ગણાય. આ શબ્દો પણ ઉપરનાં બે પદોની જેમ વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે
જ – અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. વ - સ્વરિત સ્વરે. મધ્યમાં આવતાં હાથ ચત્તા કરતાં. ણિ - ઉદાત્તસ્વરે. લલાટે સ્પર્શ કરતાં.
જ્જ- અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં. ચ-સ્વરિત સ્વરે. મધ્યમાં આવતાં હાથ ચત્તા કરતાં. ભે-ઉદાત્ત સ્વરે. લલાટે સ્પર્શ કરતાં. ચિત્ર નં-૩,૪,૫ ગુરૂ કહે છે કે- “હા, એમ જ છે.'
પાંચમું માપના-પૃચ્છા-સ્થાન' અહીં પૂરું થાય છે. ૬.અપરાધક્ષમાપન-સ્થાન
ખામેમિ ખમાસમણો! દેવસિએ વઇક્કમ - હે ક્ષમાશ્રમણ ! દિવસદરમિયાન થયેલા અપરાધોને હું નમાવું છું.
શિષ્યનું ક્ષમાપન સાંભળીને ગુરૂ કહે છે કે – “હું પણ તને (દિવસસંબંધી પ્રમાદાદિ અપરાધો) ખમાવું છું.”
Page #47
--------------------------------------------------------------------------
________________
XXX
આટલો વિધિ થયા પછી શિષ્ય પાછળના ત્રણ સંડાસા (સ્થળે) પ્રમાજીને ઊભો થાય છે. અને કહે છે કે
આવસ્સિઆએ - આવશ્યક કરવાના હેતુથી હું અવગ્રહની બહાર નીકળું છું.અહીં “આવસ્સિઆએ પદનિષ્ક્રમણક્રિયાના નિર્દેશ પૂરતું જ મૂકેલું છે. પડિક્કમામિ-પ્રતિક્રમણ કરું છું.
ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ તિત્તીસયરાએ – દિવસદરમિયાન આપક્ષમાશ્રમણનીતેત્રીસમાંથી કોઈપણ અશાતના થઈ હોય તેનું.
જં કિંચિ......સબૂધમ્માઇક્કમણાએ - જે કાંઈ મિથ્યાપ્રકારે મન, વચન, અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિને લીધે, ક્રોધ, માન, માયા અને લોભની વૃત્તિને લીધે, સર્વકાલ-સંબંધી, સર્વ મિથ્યા-ઉપચાર-સંબંધી, (માયાકપટભર્યા આચરણોવાળી) સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણ-સંબંધી.
આસાયણાએ-આશાતના વડે જો મે અઇઆરો કઓ-મેં જે અતિચાર કર્યો હોય. તસ્સ- તેને. અહીં દ્વિતીયાર્થે ષષ્ઠી છે. ખમાસમણો!-હે ક્ષમાશ્રમણ !
પડિક્કમામિ વોસિરામિ-પ્રતિક્રમું છું. નિંદું છું, ગુરૂસાક્ષીએ ગણું છું અને આત્માનો તે ભાવમાંથી વ્યુત્સર્જન (ત્યાગ) કરું છું, તજું છું.
Page #48
--------------------------------------------------------------------------
________________
xxxi
અભુઢિઓ કેવી રીતે કરવું? ચરવળાવાળો ‘અભુઢિઓ કેવી રીતે ખામે તે.
મૂળમુદ્રા જમણો હાથ ચરવળા પર સ્થાપવાનો અને શિરોનમન
બેઠલાનું “અભુઢિઓ' જમણો હાથ ચરવળા પર સ્થાપવાનો અને શિરોનમન
Page #49
--------------------------------------------------------------------------
________________
xxxii
“જય વિયરાય” કેવી રીતે કરવું?
જયવીયરાય વખતની મુદ્રા જયવીયરાય...થી આભવમખંડા’ સુધીની મુક્તાશક્તિ મુદ્રા
અર્ધા જયવીયરાય બોલ્યા પછીની હાથની મુદ્રા ‘આભવમખંડા'થી બંને હાથ લલાટથી નીચે ઉતારી પરંતુ નાભિથી ઉપર રાખવાની વંદન મુદ્રા
Page #50
--------------------------------------------------------------------------
________________
૧.
પ્રતિક્રમણની મુદ્રા
xxxiii
ઉભા રહીને પ્રતિક્રમણ કરનારે ચિત્ર મુજબ મુદ્રાને જાળવી ઉભા રહેવું. પ્રતિક્રમણમાં ઊભા રહી, હાથ જોડી, ચરવળો અને મુહપત્તી કેમ રાખવાં તે જુઓ.
૨.
પ્રતિક્રમણમાં બેઠા હો ત્યારે બે હાથ જોડી, એકાગ્ર ચિત્ત રાખવું.
Page #51
--------------------------------------------------------------------------
________________
XXXIV
પ્રતિક્રમણમાં કાળ વખતે માથે કામળી ઓઢીને જવું.
કાળ વખતે લઘુનીતિ પેશાબ વગેરે કારણે ખુલ્લા આકાશમાં જવું પડે ત્યારે ચિત્રમાં બતાવ્યા
મુજબ માથે કામળી ઓઢીને જવું. માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામળીનો કાળ થઈ ગયો હોય (મુંબઇમાં હો અને ૪ વાગી ગયા હોય) ત્યારે, અથવા વરસાદની ફર ફર હોય ત્યારે, કામળી ઓઢીને જ માતરૂં જવું જોઈએ. કામળી ભૂલી ગયા હોય તો કોઈની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંઘે ઓઢવાની ધાબળી રાખવી, મુહપત્તી કેડે ખોસવી, ચરવળો બગલમાં રાખવો, માતરૂં કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઇ નાંખવા.
Page #52
--------------------------------------------------------------------------
________________
‘નમુન્થુણં’ની યોગમુદ્રા
‘નમુન્થુણં’ વખતે અન્ય પ્રકારે કરાતી યોગમુદ્રાઓ.
XXXV
Page #53
--------------------------------------------------------------------------
________________
XXXvi
વંદિતની યોગમુદ્રા
/
૮
વંદિત સૂત્રનું મુખ્ય આસન “વીરાસન'
વિંદિતુ સૂત્રનું પ્રચલિત આસન
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
‘પ્રથમ આવશ્યક’ રૂપ સામાયિક લેવાની વિધિ સ્થાપનાજીની સન્મુખ જમણો હાથ અવળો (સ્થાપના મુદ્રા) રાખી નવકાર અને પંચિંદિયનો પાઠ કહેવો. )
શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથપગ ધોઈ, સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખ્ખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સાપડા ઉપર ધાર્મિક વિષયનું, જેમાં નવકાર તથા પંચિંદિયનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવું. સામાયિકનો બે ઘડીનો એટલે ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી ગણવી અથવા તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો વાંચવા. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તી અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકા૨ તથા પંચિંદિય બોલવાં.
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પરમ મંગલિક રૂપે આ સૂત્રનો ઉલ્લેખ થયેલો છે. પંચ પરમેષ્ઠિ એવા આત્માઓને નમસ્કાર છે. અને । સૂત્રના બાકીના પદોમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાનું ફળ તથા તેનું માહાત્મ્ય સૂચવ્યું છે. સ્થાપના સ્થાપવા માટે પણ આ સૂત્ર આવશ્યકછે.
નવકારમંત્રને મહાશ્રુતસ્કંધ, પંચપરમેષ્ઠી પણ કહેવાય છે. નવકાર ચૌદ પૂર્વનો સાર છે. નવકારમાં અનંત લબ્ધિઓ રહેલી છે. જગતમાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કે પદવી છે, તે સર્વ આ નવકાર મંત્રથી જ પ્રાપ્ત થાય છે.
જૈનદર્શનમાં કોઈપણ અનુષ્ઠાન, આચાર કે ક્રિયા આ લોક કે પરલોકનાં દુન્યવી પદાર્થો, ભોગો, કીર્તિ, શ્લાઘાદિ માટે નહિ પણ કેવળ કર્મનિર્જરા માટે જ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સદ્દગુરુના ગુણોનું વર્ણન પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુત્તિધરો, ચઉવિહ કસાય મુકો, ઇઅ અટ્ટારસ ગુણહિં સંજુરો. (૧) પંચ મહત્વય જુત્તો, પંચ વિહાયાર પાલણ સમન્થો,
પંચ સમિઓ તિ ગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મઝ. (૨) પાંચ ઈન્દ્રિયો (ના વિષયો)નો નિગ્રહ કરનાર તથા રોકનાર અને નવા પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર, ચાર કષાયથી મુક્ત, એ અઢાર ગુણોથી સંયુક્ત. (૧) પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચારોના પાલન કરવા માટે સમર્થ, પાંચ સમિતિવાળા અને ત્રણ ગુપ્તિવાળા, એછત્રીશ ગુણોવાળા મારા ગુરુછે. (૨)
આ સૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય રૂપે સ્થાપના કરતી વખતે આ સૂત્ર બોલાય છે. ગુરુ મહારાજ ન હોય તો સ્થાપનાચાર્ય કે પુસ્તકને ઊંચા સ્થાને સ્થાપી તેની સામે ક્રિયા કરવા નવકાર મંત્રપૂર્વક આ સૂત્રનું ઉચ્ચારણ કરાય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્થણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
આ સૂત્રથી દેવ અને ગુરુને વંદન થાય છે. આ વંદન બે પગ, બે હાથ અને મસ્તક એમ પાંચ અંગ નમાવીને થતું હોવાથી આ ખમાસમણ સૂત્રને પંચાંગ અથવા પ્રણિપાત સુત્ર પણ કહેવાય છે.
સૂત્રો કેવી રીતે બોલવા જોઈએ? બે હાથ જોડી, મુહપત્તિ મુખ આગળ રાખી, ચંચળતા છોડી, સ્થાપનાજી સન્મુખ નજર રાખી, સ્થિર ભાવે, શુદ્ધ ઉચ્ચારપૂર્વક, મધુર અને સ્પષ્ટ સ્વરે, ધીમે ધીમે, ભાવપૂર્વક, અર્થ ચિન્તન સહિત, ગાથાએ ગાથાએ જરાક અટકી અટકીને સંપદા સાથે પ્રતિક્રમણનાં સૂત્રો બોલવા જોઈએ. ખમાસમણ કેવું દેવું જોઈએ? ખમાસમણ એટલે પંચાંગ પ્રણિપાત. જેમાં પાંચેય અંગો -બે હાથ, બે પગ અને મસ્તક જમીન સુધી અડવા જોઈએ. ચરવળાવાળાએ ખમાસમણ પૂરેપૂરા ઉભા થઈને દેવાનાં હોય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જતા-આવતા જીવોની વિરાધનાની માફી
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છું', ઇચ્છામિ પડિક્કમિઉં (૧) ઇરિયાવહિયાએ, વિરાહણાએ (૨) ગમણાગમણે, (૩)
૩
પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા, ઉનિંગ, પણગ, દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે (૪) જે મે જીવા વિરાહિયા (૫)
એબિંદિયા, બેઇંદિયા, તેઇંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા (૬) અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ()
હે ભગવાન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયું હોય તેનાથી પાછો ફરું ? (ભગવંત કહે ‘પાછા ફરો’) (ત્યારે શિષ્ય કહે) હું આપની આજ્ઞા ઈચ્છું છું (પ્રમાણ ગણું છું). હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયેલ હોય, તેથી પાછો ફરવા ઈચ્છું છું. (૧,૨)
જેમકે જતાં-આવતાં (ગમનાગમન કરતાં), જીવો, ધાન્યના બીજો, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલ ફૂગ, સચિત્ત પાણીયુક્ત સચિત્ત માટી, કરોળીયાની જાળ, પગ નીચે આવવાથી. (૩,૪) એક ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઈન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના (નીચે જણાવ્યા મુજબ) કરી હોય. (૫,૬)
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
લાતે માર્યા હોય, ધૂળે કરીને ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય, માંહે માંહે એકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુઃખી કર્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મરેલા જેવા કર્યા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા હોય, જીવિતવ્યથી (પાલકથી) જુદા કર્યા હોય તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. એટલે એ પાપની માફી માંગુ છું. (૭)
આ એક લઘુપ્રતિક્રમણ સૂત્ર છે. જતા-આવતા એકેન્દ્રિાયાદિ પાંચ પ્રકારના જીવોને કોઈપણ પ્રકારે દુઃખ પહોચાડયું હોય તે સર્વે ભૂલ કે પાપની આ સૂત્ર વડે માફી મંગાય છે.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં,
વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિશ્થાયણટ્ટાએ, હામિ કાઉસ્સગ્ગ. (૧) (જે વિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તે શ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
ઈરિયાવહિ સૂત્રથી પાપનો નાશ થાય છે. પણ તે પાપની વિશેષ શુદ્ધિ કરવા માટે તસ્સ ઉત્તરી સૂત્ર બોલાય છે. આ સૂત્ર દ્વારા કાયોત્સર્ગની સ્થાપના કરવી, તે હેતુ પણ રહેલો છે.
કાયોત્સર્ગ કેવી રીતે કરવું? કાયા ઉપરની મમતા, મૂછ ઉતારવા માટે, અને અત્યંતર તપની સાધના તથા ધ્યાન વગેરે કરવા માટે કાઉસ્સગ્ન કરવામાં આવે છે. કાઉસ્સગ્ગ કરતી વેળા સ્થાપનાચાર્યજીને નજરમાં રાખી કાઉસ્સગ્ન કરવો. ચરવળો હોય તે ઉભા ઉભા કાઉસ્સગ્ન કરે તો ઘણું શ્રેષ્ઠ ફળ મળે છે. કાઉસ્સગ્નમાં દાખલ થયા પછી સ્થિર ચિત્તે, સ્થિર કાયા રાખી કાઉસ્સગ્ન કરવાનો હોવાથી હાલવા ચાલવાનું કે ઉંચા નીચા થવાનું હોતું નથી. સૂત્ર બોલતા હોઠ ફફડાવવાના નથી. હાથ ઉંચા નીચા કરવાના નથી, ભીંત કે થાંભલાનો ટેકો લેવાનો નથી અને દ્રષ્ટિ આડી અવળી કરવાની નથી. પર્વતની માફક સ્થિર અને અચળ બની કાઉસ્સગ્ન કરવાનો છે. કાઉસ્સગ્ગ પાર્યા પછી હળવેથી “નમો અરિહંતાણં' બોલી પછી જ શરીર હલાવવાનું રહે છે. મચ્છર આદિનો ઉપદ્રવ થાય તો પણ સહન કરવાનો છે કારણકે આ મહાન ક્રિયા કાયાની મમતા, મૂછઉતારવા માટે જ કરવાની છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન અન્નત્ય ઊસિએણે, નીસસિએણે, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહુમેહિ દિઢિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫) ૧-ઉંચો શ્વાસ લેવા વડે, ૨-નીચો શ્વાસ મૂકવાવડે, ૩-ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ઘૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪). ત્યાંસુધી મારી કાયાને સ્થાનવડ, મનવડે, ધ્યાનવડ, આત્માને વોસિરાવું છું. (૫)
બીજા ચાર આગાર: ૧- અગ્નિના ઉપદ્રવથી સ્થળાંતર તથા વીજળીના પ્રકાશથી વસ્ત્ર ઓઢવું પડે. ૨- ઉંદર બિલાડી વિ.આડા ઉતરે અથવા પંચેન્દ્રિયનું છેદન ભેદન થતું હોય તો બીજે સ્થાને જવું પડે. ૩- અકસ્માતુ ચોરની ધાડ આવી પડે અથવા રાજાદિક ના ભયથી બીજે જવું પડે. ૪-સિંહ વગેરેના ઉપદ્રવથી અથવા સર્પાદિક દંશ કરે તેમ હોય તો અથવા ભીંત પડે તેવી હોય તો સ્થળાંતર કરવું પડે. કાયોત્સર્ગ ક્યારે ક્યારે ભંગ ન થાય, તે દર્શાવવા ૧૬ આગાર - છૂટ એ આ સૂત્રનો મુખ્ય વિષય છે. આ સૂત્રમાં કાયોત્સર્ગના છૂટ, કાયોત્સર્ગની કાળ મર્યાદા, કાયોત્સર્ગ કઈ રીતે કરવો તેનું સ્વરૂપ, કાયોત્સર્ગનો સંકલ્પ કે પ્રતિજ્ઞા દર્શાવાયેલ છે. અન્નત્થ...હુઝઝ મે કાઉસ્સગ્ગો માં કાયોત્સર્ગના છૂટછે. જાવ અરિહંતાણ... પારમિતાવ કાયોત્સર્ગનો સમય છે. કાય....ઝાણેણં કાઉસ્સગનું સ્વરૂપ છે. અપ્પાણે વોસિરામિ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એક લોગસ્સનો “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો કાઉસ્સગ્ન કરવો, અને પછી
પ્રગટ લોગસ્સ કહેવો. ન આવડે તો ચાર નવકાર ગણવા.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિન્શયરે જિણે,
અરિહંતે કિન્નઇમ્સ, ચઉવસંપિ કેવલી. (૧). ઉસભ મજિસં ચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે,
પઉમપ્રહ સુપાસ, જિર્ણ ચ ચંદખૂહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલિ, વંદે, મુણિસુવર્ય નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહણ જર મરણા,
ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. (૫) કિત્તિય વંચિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા,
આરૂષ્મ બોરિલાભ, સમાવિવર મુત્તમ દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીનેહુવંદન કરું છું. (૨)
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભી૨, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
લોગસ્સ સૂત્રમાં ૨૪ જિનેશ્વરોની નામ-ઉચ્ચારણ પૂર્વક સ્તુતિ કરવામાં આવેલ છે. આ સ્તવના કરીને આરોગ્ય, બોધિ, સમાધિ અને સિદ્ધિની પ્રાપ્તિ માટેની આ સૂત્ર થકી પ્રાર્થના કરાયેલ છે. છેલ્લી ગાથા દ્વારા સિદ્ધભગવંતની સ્તુતિ કરીને મોક્ષસુખ માટેની માંગણી કરેલી છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
મુહપત્તિ પડિલેહણની રજા
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું.
Page #61
--------------------------------------------------------------------------
________________
८
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ભગવંત, સામાયિક મુહપત્તીનું પડિલેહણ કરવાની આજ્ઞા આપો.આજ્ઞા માન્ય છે.
મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ
૧૦
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિખ્ખું, પ- કામરાગ, ૬- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહં, ૮- સુદેવ, ૯- સુગુરુ, - સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિ, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિહતું, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહતું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- · રિત, ૩- અતિ પરિહતું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, -- દુર્ગંછા પરિ.
(સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિē.} (મોઢે પડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨-સાતાગારવ પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિ.} (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(જમણા ખભે ડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિણું. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિહતું.} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું
(ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઈરિયાવહી, તસઉત્તરી, અનત્ય અને લોગસ્સ એ ચારે સૂત્રો મળીને ‘ઈરિયાવહી પડિક્કમણા'નો વિધિ કહેવાય છે. કોઈપણ વિધિની શરૂઆતમાં તથા વચ્ચે અને તેના અંતમાં પણ આ વિધિ આવે છે. સામાયિક કે પ્રતિક્રમણ કરતાં, પારતાં, ચૈત્યવંદનની શરૂઆતમાં, દુઃસ્વપ્નનાં નિવારણ માટે, આશાતના નિવારવા, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધિ માટે આવે છે. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ ત૨તના, તાજા લાગેલા કર્મોને દૂર કરી ખંખેરી નાખવાનો છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
૯
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
સામાયિકની પરવાનગી માંગે છે
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ઇચ્છે. (૧) ભગવંત, સામાયિક લેવાની આજ્ઞા આપો. આજ્ઞા માન્ય છે.
અનંત પાપરાશિથી ભરેલા આપણે સામાયિકની લોકોત્તર ક્રિયામાં સ્થિર થઈ શકીએ એ માટે સુગુરૂની આજ્ઞા લેવાનીછે
(b)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ? ઇચ્છું. (૧) ભગવંત, આજ્ઞા પ્રમાણે સામાયિકમાં સ્થિર થાઉં છું. (૧)
Page #63
--------------------------------------------------------------------------
________________
૧)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એમ કહી બંને હાથ જોડી નીચે મુજબ એક નવકાર ગણવો.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવૅસિં, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક મહાસૂત્ર ઉચ્ચારવાની પરવાનગી ઇચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક
દંડક ઉચ્ચરાવોજી. (૧) ભગવંત, સામાયિક મહાસૂત્ર ઉચ્ચારવાની આજ્ઞા આપો.
(જો ચરવળો હોય તો ઉભા થઈને અને ન હોય તો બેઠા બેઠા કરેમિ ભંતે’ ઉચ્ચારવું.) (ગુરૂ કે વડીલ હોય તો તે ઉચ્ચરાવે, નહીં તો તે જાતે કરેમિ ભંતે' કહેવું. આ સૂત્ર ભગવાન સાક્ષીએ બોલવાનું હોવાથી તે ઉભા ઉભા બોલવું જોઈએ.)
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. (૧)
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧
હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચકખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે. સાવદ્ય યોગનું મન, વચન, કાયા પૂર્વકનું ન કરવા, ન કરાવવાનું પચ્ચખાણ છે. તેમજ તે સંબંધી પ્રતિક્રમણ, નિંદા, ગર્તાપૂર્વક આત્માના વોસિરાવવા સંબંધી કથન છે.આ પદ ગુરૂને આમંત્રણરૂપ છે, કારણકે આવશ્યક એવા સર્વધર્મ અનુષ્ઠાનોમાં તેમની આજ્ઞા જરૂરી છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્થણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
(હવે નીચે બેસવા માટે ગુરૂજીની પાસે આજ્ઞા માંગવી.) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? ઇચ્છે (1) ભગવંત, બેસવાની આજ્ઞા આપશો. આજ્ઞા માન્ય છે. (૧)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? ઇચ્છે
ભગવંત, આજ્ઞા પ્રમાણે બેસું છું.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્થણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
(સ્વાધ્યાય માટે ગુરૂજી પાસે આજ્ઞા માંગવી.) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું? ઇચ્છે
ભગવંત, સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપશો. આજ્ઞા માન્ય છે.
ગુરૂ પાસે સ્વાધ્યાય કરવાની રજા માંગવામાં આવે છે. સાવદ્ય યોગના પચ્ચક્ખાણનું યથાર્થ પાલન કરવા માટે સ્વાધ્યાય અનિવાર્ય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
પ્રતિક્રમણ ‘સૂત્ર” એ દોરા જેવું છે અને અર્થ એ સોય જેવો છે. આત્મમંદિરના બારણાને ખોલવા અર્થ એ ચાવીનું કામ કરે છે. આત્મખજાનાને શોધવા માટે “અર્થ” એ સર્ચલાઈટનું કામ કરે છે. અનંતકાળના પરિભ્રમણ પછી પ્રાપ્ત થયેલ ઉત્તમ યોગોને સાધી, પ્રતિક્રમણ દ્વારા કર્મનિર્જરા કરી, જન્મ-જન્માંતરની સાધનાના યોગે જે પરમાત્માના શાસનની સેવાના યોગો મળ્યા છે તે પ્રતિક્રમણ કરતાં કરતાં સાર્થક કરી લેવા.
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧
૩
- ૧૩ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું? ઇચ્છે
ભગવંત, આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય કરું છું.
(ગુરૂ પાસે સ્વાધ્યાય કરવાની આજ્ઞા મળતા, ૩ વખત મહામંગલકારી નવકાર
મંત્ર ભણતા સ્વાધ્યાય શરૂ કરે છે.)
(અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક લેવાની વિધિ સંપૂર્ણ
આ વિધિમાં ‘કરેમિભતે”- સૂત્ર કે જેનું નામ સામાયિક દંડક સૂત્ર છે, તે મુખ્ય છે. તેના ઉચ્ચારથી સામાયિકની પ્રતિજ્ઞા લેવાય છે. અને સાવદ્ય યોગનો ત્યાગ થાય છે. તે પણ ગુરૂની આજ્ઞાપૂર્વક જ કરવાનું હોય છે. સામાયિક જેવી નિરવદ્ય શુદ્ધ ક્રિયામાં પ્રવેશતા પહેલા શરીર, ભૂમિ, વસ્ત્ર, ઉપકરણો વગેરેના પ્રતિલેખન અને પ્રમાર્જનાના ઉપલક્ષણ તરીકે મુહપત્તિનું પડિલેહણ કરવાનું છે, જેથી બાહ્ય તેમ જ આંતરિક શુદ્ધિ બરાબર થાય.
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (સામાયિક તે આરાધનાની ક્રિયા છે. આરાધ્ય પ્રભુની આજ્ઞા પ્રત્યે પૂર્ણ આદરભાવ વ્યક્ત કરવાનો હોઈ તે ઉભા ઉભા (શક્તિ પ્રમાણે) કરવી જોઈએ.)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧) (પછી પાણી વાપર્યું હોય તો મુહપત્તી પડિલેહવી. અને આહાર વાપર્યો હોય
તો બે વખત વાંદણા દેવા.)
(કોઈ ચોક્કસ વિધિમાં પ્રવેશવા, માટે મુહપત્તીનું પડિલહેણ આવશ્યક છે.)
મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ ૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદઉં, ૨- સમ્યકત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિહર, ૫- કામરાગ,
- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહ, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદરું, ૧૧- કુદેવ, ૧૨-કુગુરુ, ૧૩- કુધર્મ પરિહરે, ૧૪- જ્ઞાન, ૧પ- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના,
૧૮-દર્શન-વિરાધના, ૧૯-ચારિત્ર-વિરાધના પરિહર્સ, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ,
૨૩-મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિ.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરતિ પરિહરું.
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫
(જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, Rs- દુગંછા પરિર્ં. (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિē.} (મોઢે પડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિયું.} (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિ. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિહતું.} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું
(ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત્ત વંદનનું વર્ણન પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણું ! બહુ સુભેણ ભે ! દિવસો વઇકંતો (૩) (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ત્તા ભે
(૪)
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જ્યં ચ ભે
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન)
ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઇક્કમં
આવસ્ટિઆએ
(અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું)
પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ,
મણ-દુકડાએ, વય-દુકડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્વ ધમ્માઇ કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણું વોસિરામિ (૭) બીજું વંદન
(૬)
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ,નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલંતાણં ! બહુ સુભેણ ભે ! દિવસો વઇકંતો (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪) (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન)
(૩)
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭ જ વણિ જં ચ ભે (૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! દેવસિએ વઇક્રમ ()
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે) પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ, વય-દુકકડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિયામિ,
અપાણે વોસિરામિ (૭)
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે તહત્તિeતે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂકહે- તુમ્ભ પિ વટ્ટએ તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું'=એમ જ છે) (૫)
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ – હું પણ તને ખમાવું છું.) () આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઈ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, હે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
-‘આવસિઆએ' સૂત્રનો ઉપયોગ વાંદણામાં બે વાર થતો હોય છે. તેમાં પહેલા વાંદણામાં ‘નિસીહિ” કહીને પ્રવેશ કર્યા પછી “આવસ્સિઆએ” કહીને ગુરૂ ભગવંતના અવગ્રહની બહાર નીકળવાનું હોય છે. ફરીવાર બીજા વાંદણામાં અવગ્રહમાં પ્રવેશ કરવા સહમતિ લીધા પછી ફરી ત્રીજીવાર ગુરૂ વાંદણા કરવાના ન હોવાથી ત્યાં “આવસ્સિઆએ” બોલવાની જરૂર રહેતી નથી. વાંદણા સૂત્ર પૂર્ણ થાય ત્યારે અવગ્રહની બહાર સામાન્યતઃ નીકળતું હોય છે. -“અવગ્રહ’ - પૂજ્ય ગુરૂ ભગવંત અને આપણી વચ્ચે જે અંતર રખાય તે અવગ્રહ કહેવાય. ગુરૂ ભગવંતની આજ્ઞા વગર તેઓના અવગ્રહમાં પ્રવેશ કરવો, તે એક પ્રકારનો અવિનય કહેવાય છે. વાંદણામાં આજ્ઞા માંગીને બે વાર પ્રવેશ કરાય છે. - અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી યથાજાત મુદ્રામાં બેસવું, મુહપત્તિ રજોહરણ ઉપર ગુરૂચરણની સ્થાપના કરવી.
આપણો આત્મા કર્મોથી ખરડાયેલો છે. અને સકળ કર્મક્ષય કર્યા વિના કોઈનો મોક્ષ થયો નથી અને થવાનો નથી. જીવે કમરહિત થવા માટે બે પાંખિયો વ્યુહ અપનાવવો ઘટે. એક તો નવા કર્મોને આવતાં રોકવાનો અને બીજો સદંતર રોકી ન શકાય તો ઓછામાં ઓછા કર્મોનો આસવ થાય તેવી વ્યવસ્થા કરવાનો અને બીજી બાજુ જીવે ભવોભવ સંચિત કરેલા કર્મોને આત્મા ઉપરથી છૂટા પાડી ખંખેરી નાખવાનો જેને નિર્જરા કહેવાય છે. પ્રતિક્રમણ જેવી ધાર્મિક ક્રિયાઓ આ વાતને સિદ્ધ કરવા માટે જ આરાધવાની છે. જો આપણે સૂત્રોને સમજીને ભાવપૂર્વક ધર્મક્રિયાઓ કરીએ તો થોકબંધ કર્મોની નિર્જરા થાય. વળી ભાવપૂર્વક બોલાયેલા સૂત્રોથી નવા આવતા કર્મો રોકાય તેથી સંવર સધાય છે અને જે કર્મોનો આસવ થાય છે, તે પણ શુભ કર્મોનો આસવ હોય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯
(પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલા રાતના પચ્ચકખાણ કરવાનાં હોય છે. એથી કરીને અહિં “પચ્ચક્ખાણ આવશ્યક’ કરી લેવામાં આવે છે.)
ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશો જી. (1)
હે ભગવન્!કૃપા કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. (૧)
સાંજનાં પચ્ચકખાણ
પાણહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે પાણહાર દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં,
સવ્વસમાહિ વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પાણી નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહારાકાર (=મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ-આયંબિલ –એકાસણ-નીવિ કે બીજા બિયાસણા વાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ આ પાણહારપચ્ચખાણ કરવું.)
ચઉવિહાર પચ્ચક્કાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ), ચઉવિલંપિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમં,
Page #73
--------------------------------------------------------------------------
________________
૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં,
સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પચ્ચકખાણ કરે છે કરું છું). તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (દવા-પાણી સાથે)નો અનાભોગ (=ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ - ઠામ ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ અને બિયાસણુંવાળાએ અને સૂર્યાસ્ત આસપાસ ચારે આહાર છોડનારે આ પ્રત્યાખ્યાન કરવું.)
તિવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે દિવસ ચરિમં પચ્ચસ્ક્રાઇ (પચ્ચક્ઝામિ) તિવિહંપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં, મહત્તરા-ગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ)
દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પચ્ચખાણ કરે છે (કરું છું). તેમાં ત્રણ પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ = દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ : આયંબિલ-નીવિ-એકાસણું અને બીજું બિયાસણું કરીને ઉઠતી વખતે અને છૂટાવાળાએ રાત્રિ દરમ્યાન પાણી પીવાની છૂટ રાખનારે આ પચ્ચખાણ અવશ્ય કરવું જોઇએ.)
દુવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે
દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ) દુવિહં પિ આહાર અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) . દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેમાં બે પ્રકારના આહાર એટલે અશન (=ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ : પૂ.ગુરુ ભગવંતની આજ્ઞા મેળવ્યા પછી, રાત્રે સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહુંચવાની શક્તિ પ્રાપ્ત થાય, તે માટે આ પચ્ચક્ખાણ, ઔષધ-પાણી લેનારે લેવું).
(આમ અહીં પહેલું “સામાયિક આવશ્યક અને છઠ્ઠ ‘પચ્ચખાણ' આવશ્યક આ બંનેની આરાધના થઈ ગઈ.)
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સામાયિક લીધાં બાદ હવે પ્રતિક્રમણની ક્રિયા શરૂ થાય છે.
આ શ્રેષ્ઠ અને કલ્યાણકારી ક્રિયા કરવા અગાઉ મંગલ નિમિત્તે ‘ચૈત્યવંદન' થી ઓળખાતી ક્રિયા કરવાની હોય છે. બીજા શબ્દોમાં તેને ‘દેવવંદન’ પણ કહી શકાય )
૨૨
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
(જૈનધર્મમાં આજ્ઞા વિના કંઈ પણ કરવું ન કલ્પે, માટે આદેશ માંગવા નીચે મુજબનો પાઠ બોલવો.)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ‘ઇચ્છું’ (૧)
હે ભગવંત ! ચૈત્યવંદન કરું? આજ્ઞા માન્ય છે. (૧)
સકલાર્હત સ્તવન
વર્તમાન ચોવીશી પરમાત્માની ભાવવાહી સ્તવના
સકલાર્હસ્રતિષ્ઠાન, મધિષ્ઠાનું શિવશ્રિયઃ, ભૂર્ભુવઃ સ્વસ્ત્રયી શાન, માર્હત્ત્વ પ્રણિદધ્મહે (૧) નામાકૃતિ દ્રવ્યભાવૈઃ, પુનત સ્ત્રિ જગનં, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન્ન હતઃ સમુપાસ્મહે (૨)
સઘળા અરિહંતોમાં રહેલા, મોક્ષ-લક્ષ્મીના નિવાસસ્થાન, પાતાળ, મનુષ્યલોક અને સ્વર્ગલોક ઉપર પ્રભુત્વ ધરાવનાર એવા અરિહંતપણાનું અમે ધ્યાન ધરીએ છીએ. (૧)
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જેઓ સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવવડે ત્રણે જગતના લોકોને પવિત્ર કરી રહેલા છે, એવાઅરિહંતનીઅમેઉપાસના કરીએ છીએ. (૨)
આદિમ પૃથિવીનાથ, માદિમ નિષ્પરિગ્રહ, આદિમ તીર્થનાથં ચ, ઋષભ સ્વામિનું સ્તુમઃ (૩)
અહંન્ત મજિત વિશ્વ, કમલાકર ભાસ્કરમ્, અમ્લાન કેવલાદર્શ, સંક્રાન્ત જગત તુવે (૪)
પ્રથમ રાજા, પ્રથમ સાધુ, પ્રથમ તીર્થકર એવા શ્રી ઋષભદેવસ્વામીની અમે
સ્તુતિ કરીએ છીએ.(૩) જગત રૂપ, કમળના વનને વિકસાવવા માટે સૂર્ય સમાન, જેમના નિર્મળ કેવળજ્ઞાન રૂપ દર્પણમાં ત્રણ જગત પ્રતિબિંબિત થયું છે, એવા શ્રી અજિતનાથ અરિહંતની હું સ્તવના કરું છું. (૪)
વિશ્વ ભવ્ય જનારામ, કુલ્યા તુલ્યા જયન્તિ તાઃ, દેશના સમયે વાચક, શ્રી સંભવ જગત્પતેઃ (૫) અનેકાના મતાસ્મોધિ, સમુલ્લા સન ચન્દ્રમા, દઘાદ મન્દ માનન્દ, ભગવાન ભિનન્દનઃ ()
જગતમાં રહેલ ભવ્ય માણસો રૂપ બગીચા માટે નહેર સમાન એવા શ્રી સંભવનાથસ્વામીના તે દેશનાના સમયના વચનો જય પામે છે. (૫) (જવી રીતે ચંદ્રથી સમુદ્રવૃદ્ધિ પામેછેતેવી રીતે) સ્યાદ્વાદમત રૂપસમુદ્રને ઉલ્લસિત કરવામાટેચંદ્રસમાન એવાશ્રીઅભિનંદન સ્વામી પરિપૂર્ણ આનંદ આપો. (૬)
ઘુસસ્કિરીટ શાણાગ્રો, ત્તેજિતાં દ્મિનખાવલિ, ભગવાન્ સુમતિ સ્વામી, તનોત્વ ભિમતાનિ વઃ ()
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પદ્મપ્રભ પ્રભોÈહ ભાસ, પુષ્ણસ્તુ વશ્રિયમ,
અન્ત રંગારિમથને, કપાટોપાદિ વારુણા (૮) દેવોના મુકુટરૂપ શરાણના અગ્ર ભાગ વડે ચકચકિત થઈ છે જેમના પગના નખોની શ્રેણી એવા શ્રી સુમતિનાથ ભગવાન તમારા મનોરથોને પૂર્ણ કરો. (૭) અંતરંગ શત્રુઓને દૂર કરવા કોપના આડંબરથી જાણે લાલ થઈ હોય એવી શ્રી પદ્મપ્રભુસ્વામીના શરીરની કાન્તિતમારી મોક્ષલક્ષ્મીનું પોષણ કરો. (૮)
શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાંઘયે, નમ શ્ચતુર્વર્ણ સંઘ, ગગના ભોગ ભાસ્વત (૯) ચંદ્રપ્રભ પ્રભોશ્ચન્દ્ર, મરીચિ નિચયો જ્જવલા,
મૂર્તિમૈંર્ત સિતધ્યાન, નિમિતેવ શ્રિયેસ્તુ વઃ (૧૦) (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ) ચતુર્વિધસંઘ રૂપ આકાશના વિસ્તારમાં સૂર્ય જેવા, જેમના ચરણો મોટા ઇન્દ્રોથી પૂજાયેલ છે એવા શ્રી સુપાર્શ્વનાથસ્વામીને નમસ્કાર થાઓ. (૯) ચંદ્રના કિરણોના સમૂહથી ઉજ્જવલ, સાક્ષાત્ શુક્લ ધ્યાન વડે બનાવી હોય તેના જેવી શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા તમને જ્ઞાનલક્ષ્મી માટે થાઓ. (૧૦)
કરા મલકવઢિયં, કલયનું કેવલ શ્રિયા, અચિજ્ય માહાભ્ય નિધિ, સુવિધિ બેંઘયેસ્તુ વઃ (૧૧)
સત્તાનાં પરમાનન્દ, કન્દો ભેદ નવાબુદા, સ્યાદ્વાદામૃત નિસ્ટન્દી, શીતલ પાતુ વો જિનઃ (૧૨)
કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી વડે હાથમાં રહેલ આમળાની જેમ સમસ્ત વિશ્વને જાણનાર એવા અચિંત્ય માહાભ્યના નિધાન એવા શ્રી સુવિધિનાથ ભગવાન તમારા બોધિ (સમ્યકત્વ)ને માટે થાઓ. (૧૧)
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ કરવામાં નવીન મેઘ સમાન, સ્યાદ્વાદમત રૂપ અમૃતના ઝરણા સમાન શ્રી શીતલનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરો.
(૧૨)
ભવ રોગાત્ત જન્તુના મગ ઇંકાર દર્શનઃ, નિઃશ્રેયસ શ્રી રમણઃ, શ્રેયાંસ: શ્રેયસેસ્તુ વઃ (૧૩) વિશ્વોપકાર કીભૂત, તીર્થકૃત્કર્મ નિર્મિતિઃ, સુરાસુર નરૈઃ પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ (૧૪)
૨૫
સંસારરૂપ રોગથી પીડા પામેલા જીવોને જેમનું દર્શન (સમ્યક્ત્વ) વૈદ્ય સમાન છે, તેમજ મોક્ષ રૂપ લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમારા કલ્યાણ માટે થાઓ. (૧૩)
વિશ્વ ઉપર ઉપકાર કરનારા એવા તીર્થંકર નામકર્મની ઉપાર્જના કરનાર, દેવ-અસુર-મનુષ્યો વડે પૂજવા યોગ્ય એવા શ્રી વાસુપૂજ્યસ્વામી તમને પવિત્ર કરો. (૧૪)
વિમલ સ્વામિનો વાચઃ, કત કક્ષોદ સોદરાઃ, જયંતિ ત્રિજગચેતો, જલ નૈર્મલ્ય હેતવઃ (૧૫) સ્વયંભૂ રમણ સ્પર્દિ, કરુણા રસ વારિણા, અનંત જિદ નન્તાં વઃ, પ્રયચ્છતુ સુખ શ્રિયમ્ (૧૬)
કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્ત રૂપી પાણીને નિર્મળ કરવા માટે હેતુ રૂપ એવા શ્રી વિમલનાથસ્વામીના વચનો જય પામે છે. (૧૫) સ્વયંભૂરમણ સમુદ્રની હરિફાઈ કરનાર, કરુણા રસ પાણી વડે શ્રી અનંતનાથસ્વામી તમને અનંતસુખ રૂપ લક્ષ્મી આપો. (૧૬)
કલ્પ દ્રુમ સધર્માણ, મિષ્ટ પ્રાપ્તૌ શરીરિણામ્, ચતુર્દા ધર્મદેષ્ટાર, ધર્મનાથ મુપાસ્મહે (૧૭)
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સુધા સોદર વાગૂ જ્યોન્ઝા, નિર્મલી કૃત દિમુખ, મૃગ લક્ષ્મા તમાશાન્ચે, શાન્તિનાથઃ જિનોસ્તુ વઃ (૧૮)
પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પદ્રુમ સમાન, ચાર પ્રકારે ધર્મના ઉપદેશક એવા શ્રી ધર્મનાથસ્વામીની અમે ઉપાસના કરીએ છીએ.(૧૭) અમૃત સમાન વાણી રૂપ ચંદ્રિકા વડે નિર્મલ કર્યો છે દિશાઓનો મુખભાગ જેણે, હરણના ચિહ્નવાળા શ્રી શાંતિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાનની શાંતિ માટે થાઓ.(૧૮)
શ્રી કુંથુનાથો ભગવાનું, સનાથો તિશય દ્ધિભિ, સુરાસુર નૃનાથાના, મેક નાથોસ્તુ વઃ શ્રિયે (૧૯)
અરનાથસ્તુ ભગવાં, ઋતુર્થાર નભોરવિઃ,
ચતુર્થ પુરુષાર્થ શ્રી, વિલાસં વિતનોતુ વઃ (૧૦) અતિશય ઋદ્ધિ વડે યુક્ત, દેવ, અસુર, મનુષ્યોના સ્વામીના અદ્વિતીય નાથ એવા શ્રી કુંથુનાથ ભગવાનતમારી (કલ્યાણ રૂપી) લક્ષ્મી માટે થાઓ. (૧૯) ચોથા આરા રૂપી આકાશમાં સૂર્યસમાન શ્રી અરનાથ ભગવાન વળી તમારા ચોથા પુરુષાર્થ (મોક્ષ) રૂપ લક્ષ્મીના વિલાસને વિસ્તારો. (૨)
સુરાસુર નરાધીશ, મયુર નવ વારિદમ, કર્મઠુભૂલને હસ્તિ, મલ્લ મલ્લિ મભિષ્ટ્રમઃ (૨૧) જગન્મહા મોહ નિદ્રા, પ્રત્યુષ સમયો પમમ્, મુનિસુવ્રત નાથસ્ય, દેશના વચનં તુમ (૨૨)
દેવ-અસુર-મનુષ્યોના સ્વામી રૂપ મોરને ઉલ્લસિત કરવા માટે નવીન મેઘ સમાન અને કર્મ રૂપ વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હાથી સમાન શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. (૨૧)
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭.
જગતના લોકોની ગાઢ મોહનીય કર્મ રૂપ નિદ્રા દૂર કરવા માટે પ્રભાત સમયની ઉપમાવાળા શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશનાના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. (૨૨)
ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલી કાર કારણમ્, વારિપ્લવા ઇવ નમે, પાનુ પાદ નખાંશવઃ (૨૩)
યદુવંશ સમુદ્રન્દુ, કર્મ કક્ષ હુતાશનઃ, અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયા વોરિષ્ટ નાશનઃ (૨૪) નમસ્કાર કરનાર મસ્તક ઉપર પાણીના પ્રવાહની માફક પડતા અને નિર્મળ કરવાના કારણ રૂપ એવા શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખના કિરણો તમારી રક્ષા કરો. (૨૩) યદુવંશ રૂપ સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મ રૂપ વનને બાળવા માટે અગ્નિ સમાન, એવા શ્રી અરિષ્ટનેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. (૨૪)
કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ, પ્રભુતુલ્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ (૨૫) શ્રીમતે વીર નાથાય, સનાથીયાદ્ ભૂત પ્રિયા, મહાનંદસરો રાજ મરાલાયા હતે નમઃ (૨૪)
પોતાને ઉચિત એવા કર્મકરનારકમઠ ઉપર અને ધરણેન્દ્ર ઉપર સરખી મનોવૃત્તિ રાખનારશ્રી પાર્શ્વનાથ ભગવાન તમારી જ્ઞાનલક્ષ્મી માટેથાઓ. (૨૫) ચોટીશ અતિશય રૂપ અદ્ભુત લક્ષ્મીથી યુક્ત, મહા આનંદ રૂપસરોવરને વિષે રાજહંસસમાન, શ્રીમાન મહાવીર સ્વામીઅરિહંતને નમસ્કાર થાઓ. (૨૬)
કૃતા પરાધેપિ જને, કૃપા મંથર તારો, ઈષદ્ બાષ્પાદ્રિયો ભેદ્ર, શ્રી વીરજિન નેત્રયો (૨૭)
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જયતિ વિજિતાજ તેજાર, સુરા સુરાધિશ સેવિતઃ શ્રીમાનું, વિમલ સ્ત્રાસ વિરહિત, સ્ત્રિભુવન ચૂડામણિ ર્ભગવાન્ (૨૮) અપરાધ કરનાર માણસ ઉપર પણ દયા વડે નમેલી છે બે કીકીઓ જેની અને થોડા અશ્રુથી ભીંજાયેલાં એવા શ્રી વીરજિનેશ્વરના બે નેત્રો તમારું કલ્યાણ કરનારા થાઓ. (૨૭) વિશેષ પ્રકારે અન્યના તેજને જીતનારા, દેવ-દાનવના સ્વામી વડે સેવાયેલા, કેવળજ્ઞાન રૂપ લક્ષ્મીવાળા, નિર્મળ, વિશેષ પ્રકારે ભયથી રહિત, ત્રણ ભુવનમાં મુકુટસમાન શ્રી વીરસ્વામી) ભગવંત જયપામે છે. (૨૮)
વિરઃ સર્વ સુરા સુરેન્દ્ર માહિતી વીરં બુધાઃ સંશ્રિતા , વિરેણા ભિહતઃ સ્વકર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ,
વિરાત્તીર્થ મિદં પ્રવૃત્ત મતુલ, વીરસ્ય ઘોર તપો, વીરે શ્રી વૃતિ કીર્તિ કાંતિ નિચયઃ શ્રી વીર ! ભદ્ર દિશ (૨૯)
અવનિતલગતાનાં કૃત્રિમા કૃત્રિમાનાં, વર ભવન ગતાનાં, દિવ્ય વૈમાનિકાનામ્,
ઈહ મનુજ કૃતાનાં, દેવ રાજાચિતાનાં,
જિનવર ભવનાનાં ભાવતોહં નમામિ (૩૦) શ્રી વીરસ્વામી દેવ-દાનવોના ઇન્દ્રો વડે પૂજાયેલા છે, પંડિતો શ્રી વીરસ્વામીને આશ્રયે રહેલા છે, પોતાના કર્મનો સમૂહ શ્રી વીર વડે હણાયો છે, શ્રી વીરને હંમેશાં નમસ્કાર થાઓ. શ્રી વીર પરમાત્માથી ઘોર તપ તપાયો છે, શ્રી વીરસ્વામીમાં લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ છે. હે શ્રી વીર ! અમને કલ્યાણ આપો. (૨૯) પૃથ્વીતલ ઉપર રહેલા, અશાશ્વત અને શાશ્વત રૂપે, શ્રેષ્ઠ ભવનપતિના આવાસોમાં રહેલા, દિવ્ય વિમાનોમાં રહેલા, આ લોકમાં મનુષ્યોએ કરેલા, દેવતાઓના રાજાઓએ પૂજેલ એવા જિનેશ્વરનાચેત્યોનેહંભાવથી નમું છું. (૩૦)
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સર્વેષાં વેધ સામાદ્ય, માદિમ પરમેષ્ઠિનાત્, દેવાધિદેવં સર્વશં, શ્રી વીરં પ્રણિદદમહે (૩૧) દેવો ને,ભવા ર્જિતોર્જિત મહા પાપ પ્રદીપાનલો, દેવઃ સિદ્ધિવધૂ વિશાલહૃદયા લંકારહારોપમઃ, દેવોખા દશ દોષ સિન્ધરઘટા નિર્ભેદ પંચાનનો, ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ, શ્રી વીતરાગો જિનઃ (૩૨) સર્વ જ્ઞાતાઓમાં પ્રથમ, પરમેષ્ઠિઓમાં પ્રથમ, દેવોના દેવ એવા શ્રી મહાવીર સ્વામીનું અમે ધ્યાન કરીએ છીએ. (૩૧) જે દેવ અનેક ભવમાં ભેગા કરેલા ઘણા મોટા પાપોને બાળી નાખવા માટે અગ્નિ સમાન છે, જે દેવ સિદ્ધિ રૂપ વધૂના વિશાલહૃદયને અલંકૃત કરવા માટે હાર સમાન છે, જે દેવ અઢારદોષ રૂપ હાથીના સમૂહને ભેદવામાં સિંહ સમાન છે, તેવા શ્રીવીતરાગજિનેશ્વરભવ્યજીવોનેવાંછિત ફલ આપો. (૩૨)
ખાતોષ્ટા પદ પર્વતો ગજપદ સમેત શૈલાભિધા, શ્રીમાનું રેવતકઃ પ્રસિદ્ધ મહિમા શત્રુંજ્યો મંડપ, વૈભારઃ કનકાચલો બુંદ ગિરિ શ્રી ચિત્ર કૂટાદય, સ્તત્ર શ્રી ઋષભાઇયો જિનવરાઃ કુર્વજુ વો મંગલમ્ (૩૩) પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ પર્વત, સંમેતશિખર નામે પર્વત, શ્રીમાનું ગિરનાર પર્વત, પ્રસિદ્ધ માહાસ્યવાળો શત્રુંજ્ય પર્વત, માંડવગઢ, વૈભારગિરિ, સુવર્ણગિરિ, આબુ પર્વત, શ્રી ચિતોડ વગેરે જ્યાં શ્રી ઋષભાદિ જિનેશ્વરો છે, તે તમારું મંગલ કરો. (૩૩)
આ ‘સકલાહત' મહાકાવ્ય મહારાજા કુમારપાલની પ્રાર્થનાથી રચવામાં આવેલું છે. આ સ્તોત્રનું મૂળનામ “ચતુર્વિશતિ-જિન-નમસ્કાર” છે. તે ‘બૃહચૈત્યવંદન'ના નામે પણ ઓળખાય છે કારણકે પાક્ષિક, ચઉમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ વખતે મોટું ચૈત્યવંદન કરવામાં તેનો ઉપયોગ થાય છે. આ સૂત્રનાં તેત્રીસ શ્લોકોમાં અહંદ્વોના અદ્ભૂત ગુણોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે અને તેમની ઉપાસના અને આરાધનાની સાર્થકતા દર્શાવવામાં આવી છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા સર્વ તીર્થો અને તેમાં રહેલી પ્રતિમાઓને વંદના
જં કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ,
જાઈ જિણ બિંબાઈ, તાઈ સવાઈ વંદામિ. (૧) સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ નામ રૂપ તીર્થો છે, (તેમાં) જેટલાં જિનેશ્વરનાં બિબો છે, તે સર્વેને હું વંદન કરું છું. (૧) (આ સૂત્રથી ત્રણે લોકમાં રહેલા તીર્થોમાં બિરાજમાન સર્વે જિનપ્રતિમાઓને
વંદન કરાય છે.) શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના નમુત્થણે અરિહંતાણે ભગવંતાણં (૧) આઇગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાણે, પુરિસસીહાણે, પુરિસ વર પુંડરીયાણું,
પુરિસ વર ગંધ હત્થાણે (૩) લોગુત્તમાણે, લોગ નાહાણે, લોગ હિઆણં, લોગ પદવાણું,
લોગ પજ્જોઅ ગરાણ. (૪) અભય દયાણ, ચખુદયાણં મગ્ન દયાણું, સરણ દયાણે,
બોહિ દયાણ. (૫) ધમ્મ દયાણું, ધમ્મ દેસાણં, ધમ્મ નાયગાણું, ધમ્મ સારહણ,
ધમ્મ વર ચાઉરંત ચક્કવટ્ટીર્ણ. () અપ્પડિહય વરનાણ દંસણ ધરાણ, વિયટ્ટ છઉમાણે. (૭) જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોયાણું,
મુત્તાણું મોઅગાણું. (૮). સવ્વલૂણં, સવ્વદરિસર્ણ સિવ મયલ મઅ મર્ણત મખિય
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મવાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણે સંપત્તાણું,
નમો જિણાણે જિઅભયાણું. (૯) જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસંતિસાગયે કાલે,
સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (૧૦) અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧) ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. (૨) પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩) લોકમાં ઉત્તમ, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪) અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, મોક્ષમાર્ગ આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર, (૫) ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠ ચક્રવર્તી. (૬) કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છમસ્થપણું જેમનું. (૭) રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત-મુકાવનારા. (૮) સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), અવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯) અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)
Page #85
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આ સૂત્રનો મુખ્ય વિષય અરિહંત ભગવંતોની ગુણ સ્મરણપૂર્વક સ્તવના છે. તેમાં પરમાત્માની અનેક વિશેષતાઓને જણાવીને તેમને નમસ્કાર કરવા પૂર્વક સ્તુતિ કરવામાં આવેલ છે. છેલ્લી ગાથામાં ભૂત-ભાવિવર્તમાન એવા અરિહંતોને વંદના કરાયેલ છે.
જ્યારે પ્રભુનો આત્મા દેવલોકમાંથી ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે ત્યારે, શક્ર-ઈન્દ્ર, પ્રભુની સ્તુતિ કરતાં આ સૂત્ર બોલે છે.
(ચરવળો હોય તો ઉભા થઈને અથવા ઢીંચણ નીચે કરીને બોલવું.)
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ (૧) વંદણ વત્તિઆએ, પૂઅણ વત્તિઆએ, સક્કાર વત્તિઆએ, સમ્માણ વત્તિઆએ,બોહિલાભ વત્તિઆએ, નિરુવસગ્ગ વત્તિઆએ (૨)
સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હું શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હુંકાર્યોત્સર્ગ કરુંછું. (૩)
આ સૂત્રને લઘુચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જીનાલયોમાં દર્શન – વંદનનો અવસર એકસાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે ૧૭ સંડાસા (પ્રર્માજના) સાથે ત્રણ વાર ખમાસમણ આપ્યા પછી યોગ મુદ્રામાં આ ‘શ્રી અરિહંત ચેÚયાણ સૂત્ર' બોલીને એક શ્રી નવકાર મંત્ર નો કાયોત્સર્ગ કરી સ્તુતિ = થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે.
અરિહંત ભગવંતોની સ્તુતિ કયા હેતુથી કરવામાં આવેછે?
ઉત્તર : શ્રી અરિહંત ભગવંતો આદિકર, તીર્થંકર, સ્વયં-સંબુદ્ધ હોય છે, તે તેમની સ્તુતિ કરવા યોગ્ય હોવાનો સામાન્ય હેતુ છે. જેઓ સ્વયં ઉત્તમ હોય તેઓ જ બીજાને ઉત્તમ બનાવી શકે છે, ઉત્તમ બનવાનો રાહ દર્શાવી શકે છે. તેથી જ તેઓ લોકોત્તમ છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
૩૩
-
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, પ-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતેશ૨ી૨નો સંચાર, થૂંક-કફનોસંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વર્ડ, મૌન વડે, ધ્યાનવ, આત્માનેવોસિરાવુંછું. (૫)
(એક નવકા૨નો કાઉસ્સગ્ગ કરી, ‘નમોર્હત’ કહી સ્નાતસ્યાની પહેલી ગાથા કહેવી પછી જ બીજાઓએ ‘નમો અરિહંતાણં’ બોલી કાઉસ્સગ્ગ પારવો.)
પ્રતિક્રમણની શરૂઆતમાં જચાર થોયનું દેવવંદન શા માટે કરાય છે?
ઉત્તર : શ્રી ચૈત્યવંદન ભાષ્યમાં જણાવેલ બાર અધિકારોથી ૪ થોયનું દેવવંદન પ્રારંભમાં કરવાથી દેવ-ગુરૂનો બહુમાન-વિનય થાય છે અને તેથી જ સઘળી ધર્મક્રિયા (દેવ-ગુરૂના વંદનથી) સફળ થાય છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૩૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર
નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (1) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
આ સૂત્ર પૂર્વમાંથી ઉદ્ધત કરેલું હોવાથી સાધ્વીજી ભગવંત અને શ્રાવિકાને બોલવાનો અધિકાર નથી. તેઓને આ સૂત્રની જ્યારે જરૂર જણાય ત્યારે શ્રી નવકાર મંત્ર બોલવાની પ્રથા પ્રચલિત છે. આ સૂત્ર વિવિધ રાગોમાં બોલાતું હોય છે. તેમાં ગુરૂ-લઘુ અક્ષર અને જોડાક્ષરની ઉચ્ચારવિધિમાં બાધ ન પહોંચે, તે પ્રમાણે જ બોલવું જોઈએ. આ સૂત્ર શ્રી સિધ્ધસેન દિવાકરજી મહારાજે બનાવ્યું છે. તેમની ઇચ્છા હતી કે નવકાર સૂત્રનું સંસ્કૃત ભાષામાં સૂત્ર બનાવવું. પરંતુ ગુરૂ મહારાજે એ કામ અટકાવ્યું અને આ આશાતનાનાં પ્રાયશ્ચિત રૂપે તેમને બાર વર્ષ ગચ્છની બહાર રહી શાસનની મોટી પ્રભાવના કરવાનું પ્રાયશ્ચિત આપ્યું. પરંતુ તેમના જેવા આરાધક પુરુષનું બનાવેલું સૂત્ર અન્યથા ન જાય તેમ સમજી શ્રી શ્રમણ સંઘે ઘણા ખરા સ્તુતિ, સ્તોત્રો, પૂજાની ઢાળમાં તેને સ્થાન આપ્યું જણાય છે. આ સૂત્ર સ્ત્રીઓથી ક્યારેય ન બોલાય.
અનેક ભવમાં બાંધેલા કર્મોને જેમણે બાળી નાખ્યા છે, તે સિદ્ધ કહેવાય છે. આ પદ દ્વારા સર્વ કર્મથી રહિત, કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતને વંદના કરવામાં આવી છે. સિદ્ધ ભગવંત કોઈની સહાય વિના, આત્માથી પ્રત્યક્ષપણે સર્વદ્રવ્ય અને સર્વ પર્યાયોને જેઓ જુએ છે અને જાણે છે. વળી તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત છે. સિદ્ધનાં આઠ ગુણો : ૧- અનંતજ્ઞાન ૨- અનંત દર્શન ૩- અનંત અવ્યાબાધ સુખ ૪- અનંત ચરિત્ર પ- અક્ષયસ્થિતિ - અરૂપીપણુ ૭- અગુરુલઘુત્વ અને ૮-અનંતવીર્ય
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૫
સ્નાતસ્યાની હોય
મહાવીર પ્રભુના જન્માભિષેકની સ્તુતિ સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુશિખરે શય્યા વિભોઃ શૈશવે, રૂપા લોકન વિસ્મયા હતરસ ભ્રાજ્યા ભ્રમચ્ચક્ષુષા,
ઉત્કૃષ્ટ નયન પ્રભા ધવલિત ક્ષીરોદકા શંકયા, વä યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્ધમાનો જિનઃ (1) બાલ્યકાળમાં મેરુ શિખર ઉપર સ્નાન કરાયેલા, પ્રભુના નિરુપમ રૂપને જોવાથી થયેલ આશ્ચર્યના કારણે ઉત્પન્ન અદ્ભુતરસની ભ્રાન્તિથી ચંચલ નેત્રવાળી ઈન્દ્રાણીએ, આંખની નિર્મલ કાંતિ વડે ઉજ્જવલ અને ક્ષીરસમુદ્રનું પાણી રહી ગયાની શંકાથી જેમનું મુખ વારંવાર લૂછયું છે, તે શ્રી વર્ધમાનસ્વામી જય પામે છે. (૧)
(સ્તુતિ બોલનાર સ્તુતિ પૂરી કરે એટલે કાઉસ્સગ્ન કરનાર સહુ ધીમા અવાજે
નમો અરિહંતાણં' બોલીને પારે.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે,
અરિહંતે કિન્નઈટ્સ, ચઉવસંપિ કેવલી (1) ઉસભ મજિ ચ વંદે, સંભવ મભિસંદણં ચ સુમઈ ચે,
પઉમપ્રહ સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદ. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમણતં ચ જિર્ણ, ઘમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરે ચ મલ્લિ, વંદે, મુણિસુવયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪)
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહણ જર મરણા,
ચઉવીસ પિ જિણવરા, તિન્થયરા મે પસીયંત. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરૂષ્ણ બોરિલાભ, સમાવિવર મુત્તમ દિતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઈચ્છેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ()
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશ તીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથનેહુવંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ તેમને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
સવ્વલોએ અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ (1) વંદણ વરિઆએ, પૂઅણ વત્તિઓએ, સક્કાર વરિઆએ,
સમ્માણ વરિઆએ, બોરિલાભ વત્તિઓએ, નિવસગ્ગ વત્તિઓએ (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ,
વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩) હું સર્વ લોકના શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચેત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવારતત્ત્વની વિચારણા) પૂર્વકહુંકાર્યોત્સર્ગકરુંછું. (૩)
આ સૂત્રને લઘુચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જીનાલયોમાં દર્શન-વંદનનો અવસર એકસાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે ૧૭ સંડાસા (કર્માજના) સાથે ત્રણ વાર ખમાસમણ આપ્યા પછી યોગ મુદ્રામાં આ ‘શ્રી અરિહંત ચેઇયાણ સૂત્ર' બોલીને એક શ્રી નવકાર મંત્ર નો કાયોત્સર્ગ કરી સ્તુતિ =થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે.
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિ, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. (૩)
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨-નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ઘૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાનવડે, મૌનવડે, ધ્યાનવડે, આત્માને વોસિરાવું છું. (૫) (પૂર્વવત્ એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને, સ્નાતયાની બીજી થોય બોલવી.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
૧) પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર:પ્રતિક્રમણ પંચાચારની શુદ્ધિ માટે છે. પ્રતિક્રમણ પાપથી પાછા હટવા કરાય છે. દિવસ કે રાત્રી કેવર્ષસંબંધી લાગેલા પાપોની માફી માંગવા કરાયછે. તે પાંચ આચાર: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચારનેવીર્યાચાર.
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૯
સર્વ પ્રકારના સુર-અસુરના ઇન્દ્રો વડે જન્મ અભિષેકની સ્તુતિ હંસાં સાહત પઘરેણુ કપિશ, ક્ષીરાર્ણ વાસ્મો ભ્રતિ, કુર્ભ રસરમાં પયોધરભર, પ્રસ્પદ્ધિભિઃ કાંચનૈ ,
યેષાં મંદર રત્નશૈલ શિખરે, જન્માભિષેકઃ કૃતા,
સર્વે સર્વ સુરાસુરેશ્વર ગર્ણ, તેષાં નતોહે ક્રમાનું (૨) હંસ પક્ષીની પાંખો વડે ઉડેલી કમળની રજવડે પીળા થયેલ ક્ષીરસમુદ્રના પાણી ભરેલા સુવર્ણ કળશો, અપ્સરાઓના સ્તનની સાથે સ્પર્ધા કરે છે, સર્વ પ્રકારના સમગ્ર સુર અને અસુરના ઈન્દ્રના સમુદાય વડે, મેરુ શિખર ઉપર જે તીર્થકરોનો જન્માભિષેક કરેલો છે, તેઓના ચરણોને હું નમેલો છું.(૨)
(થોય પૂરી થયે “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારી લેવો.)
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર શ્રુતજ્ઞાનરૂપ આગમની સ્તુતિ (શ્રુત સ્તવ)
પુખર વર દીવટું, ધાયઈ સંડે અ જંબૂવે અ,
ભર હેર વય વિદેહે, ધમ્માઇગરે નમંસામિ. (૧) તમ તિમિર પડલ વિદ્ધ, સણસ્સ સુર ગણ નરિંદ મહિયસ્ત સીમા ધરસ્ત વંદે, પફોડિઆ મોહ જાલસ્સ. (૨)
જાઈ જરા મરણ સોગ પણા સણમ્સ, કલ્યાણ પુખલ વિસાલ સુહા વહસ્સ,
કો દેવ દાણવ નરિંદ ગણ શ્ચિઅસ્સ,
ધમ્મસ્સ સાર મુવલમ્ભ કરે પમાયં? (૩) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે, દેવં નાગ સુવન્ન કિન્નર ગણ સબ્અ ભાવચ્ચિએ, લોગો જત્થ પઇઠ્ઠિઓ જગમિણ, તેલુક્ક મચ્ચાસુર, ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢ. (૪)
Page #93
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પુષ્કર નામના સુંદર અર્ધાદ્વીપમાં, ધાતકીખંડ ને જંબુદ્વીપમાં (આવેલ) (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રી શ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થંકર ભગવંતો) ને હું નમસ્કાર કરુંછું. (૧) અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રીસિદ્ધાંત)ને હું વંદન કરુંછું. (૨) જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ પણ પ્રમાદ ન કરે .) (૩)
હે (જ્ઞાનવંત લોકો) ! સર્વનયથી સિધ્ધ થયેલા એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જેમના હોવાથી) ચારિત્રધર્મમાં હંમેશા સમૃદ્ધિ છે, (જે) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રુતધર્મ)માં ત્રણેય લોકનું જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (જ્ઞેય -જાણવા યોગ્ય રૂપે) રહેલું છે. (તે) શ્રુત ધર્મ શાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો. (૪)
પ્રથમ સ્તુતિમાં પ્રથમ નમસ્કાર સર્વ તીર્થંકરોને કરવામાં આવ્યા છે. જેમણે ધર્મનો પ્રચાર પવિત્ર આગમોના – પ્રર્વતન દ્વારા કર્યો છે.
બીજી સ્તુતિમાં શ્રુતનું મહત્વ વર્ણવી તેને નમસ્કાર કરવામાં આવ્યો છે.
ત્રીજી સ્તુતિમાં શ્રુત જ્ઞાનના ગુણોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે.
ચોથી સ્તુતિમાં શ્રુતને સંયમધર્મનું પોષક તથા ચારિત્ર ધર્મની વૃદ્ધિ કરનારું વર્ણવ્યું છે.
આ સ્તુતિ પૂર્ણ કરીને શ્રુત - ભગવાનનો કાયોત્સર્ગ કરવામાં આવે છે.
શ્રુતસ્તવમાં જૈન શાસ્ત્રોનું સાંગોપાંગ સ્વરૂપ, વર્ણનાત્મક અને અદ્દભુત સ્તુતિ કરવામાં આવી છે. પહેલી ગાથામાં દરેક સર્વજ્ઞોની શ્રુતતામાં એકવાક્યતા જ છે. જરા પણ પરસ્પર વિસંવાદ રહેતો નથી તેથી તેમાં સર્વે તીર્થંકરોને નમસ્કાર કર્યાછે. બીજી અને ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની મોહ અને અજ્ઞાન નાશ કરવાની શક્તિ વર્ણવી છે.
૧)પ્રતિક્રમણની શરૂઆતમાં સામાયિક શા માટેલેવામાં આવેછે?
ઉત્તર ઃ વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને ફળદાતા થાય છે. તેથી પ્રથમ સામાયિક લેવું. ૨) ગુરૂ સમક્ષ પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે?
ઉત્તર : ગુરૂ સાક્ષીએ કરેલું અનુષ્ઠાન વધારે દઢ થાય છે. ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષીએ પ્રતિક્રમણ કરવું જોઈએ. જગતમાં સસાક્ષિક વ્યવહાર નિશ્ચલ ગણાય છે. ન્યાય સ્થાનોમાં પણ સક્ષાક્ષિક બાબતોની સિદ્ધિ થાય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૧
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
સુઅસ્સે ભગવઓ, કરેમિ કાઉસ્સગ્ગ (1) વંદણવત્તિઓએ, પૂઅણ વત્તિઓએ, સક્કાર વત્તિઓએ,
સમાણ વત્તિઓએ, બોરિલાભ વત્તિઓએ, નિવસગ્ન વત્તિઓએ (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ,
વડુંમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હે ભગવન્! શ્રતધર્મની આરાધના માટે કાઉસ્સગ્ન કરું છું. (૧) હું શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવારતત્ત્વની વિચારણા) પૂર્વકહુંકાર્યોત્સર્ગકરું છું. (૩)
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણ, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહુમેહિ દિક્ટિ સંચાલેહિ. (૨)
એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫)
Page #95
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરીને, પારીને, સ્નાતસ્યાની ત્રીજી થોય કહેવી.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
દ્વાદશાંગી – શ્રુતજ્ઞાનને લગતી સ્તુતિ
અર્હત્ર પ્રસૂત, ગણધર રચિતં, દ્વાદશાંગ વિશાલં, ચિત્રં બહ્વર્થ યુ ં, મુનિગણ વૃષભૈ ર્ધારિત બુદ્ધિમર્ભિઃ, મોક્ષાગ્ર દ્વારભૂતં વ્રત ચરણ ફલ, શેય ભાવ પ્રદીપં, ભકત્યા નિત્યં પ્રપદ્યે, શ્રુત મહ મખિલ, સર્વ લોકૈક સારમ્ (૩)
અરિહંતના મુખમાંથી જન્મેલ, ગણધરોએ રચેલ, આશ્ચર્યકારી, ઘણા અર્થથી યુક્ત, બુદ્ધિમાન એવા સમુદાયના નાયકોએ (આચાર્યોએ) ધારણ કરેલ, મોક્ષના મુખ્ય દ્વાર સમાન, વ્રત અને ચારિત્રના ફળ રૂપ, જાણવા યોગ્ય પદાર્થોને જણાવવામાં દીપક સમાન, સર્વ લોકને વિષે એક સારભૂત એવા વિશાળદ્વાદશાંગી રૂપ સમસ્ત સિદ્ધાંતને હું અંગીકાર કરુંછું. (૩)
સ્નાતસ્યાની સ્તુતિ સંસ્કૃત-સાહિત્યની અલંકાર અને વર્ણન પદ્ધતિથી વિભૂષિત થયેલી છે. આ સ્તુતિમાં વિશિષ્ટ જિન, સામાન્ય જિન, જિનાગમ અને વૈયાવૃત્યકર શાસનદેવની અલંકારિક ભાષામાં સ્તુતિ કરવામાં આવી છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૩
(થો પૂરી કરી “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારવો.)
સિદ્ધ ભગવંતોની સ્તુતિ સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણં પરંપર ગયાણ, લોઅષ્ણ મુવમયાણું, નમો સયા સલૂસિદ્ધાણં (1)
વર્ધમાન સ્વામીને વંદન જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમસંતિ,
તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરં (૨) ઈક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણમ્સ, સંસારસાગરાઓ, તારેઇ નરંવ નારિ વા (૩)
ગિરનાર તીર્થના અધિપતિ નેમિનાથ પ્રભુની વંદના ઉજ્જિત સેલ સિહરે, દિખ્ખા નાણે નિસહિયા જ,
તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિટ્ટનેમિં નમામિ (૪)
અષ્ટાપદ, નંદિશ્વર તીર્થોની સ્તુતિ
ચત્તારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ પરમટ્ટ નિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૫)
જેઓએ બંધાયેલ કર્મનો નાશ કર્યો છે, પોતાની મેળે બોધ પામેલા છે, સંસાર સમુદ્રનો પાર પામેલો છે, ગુણસ્થાનકના ક્રમે (અનુક્રમે) મોક્ષે પહોંચેલા (અને) લોકના અગ્રભાગે પહોંચેલા છે, એવા સર્વે સિદ્ધોને હું નમસ્કાર કરું છું. (૧) જે દેવોના પણ દેવ છે અને જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરે છે, તેવા ઈન્દ્રોથી પૂજાયેલ, શ્રી મહાવીરસ્વામીને હું મસ્તકથી વંદું છું. (૨)
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરેલો) એક નમસ્કાર પણ પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. (૩)
ગિરનાર પર્વતના શિખર ઉપર જે (ભગવંત)ના દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ (નિર્વાણ) કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૪) બાર, આઠ, દશ (અને) બે, એમ વંદના કરાયેલા, જેઓના કાર્યો પરમાર્થથી સિદ્ધ થયા છે (એવા) સિદ્ધ થયેલા ચોવીશે તીર્થંકરો મને સિદ્ધિ પદ આપો.(૫)
જે તીર્થંકરોએ તીર્થ પ્રવર્તાવી જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે, તેની આરાધના નિમિત્તે ચૈત્યવંદન આદિ સૂત્રો બોલી, સાક્ષાત તીર્થંકરોના જીવોએ સર્વેની પણ સ્તવના કરી છે. જે તીર્થંકરો આજે સિદ્ધસ્વરૂપે વિદ્યમાન છે. તેની અને તેના જેવા પવિત્ર સિદ્ધ પરમાત્માઓની સાક્ષાત શબ્દોમાં સ્તુતિ કરવાની ખાસ જરૂરિઆત રહે
શાસનરક્ષક સમ્યગદષ્ટિ દેવોના સ્મરણ દ્વારા ધર્મમાં સ્થિરતાની માંગણી
વૈયાવચ્ચ ગરાણું સંતિ ગરાણં સમ્મ દિષ્ટિ સમાહિ ગરાણું કરેમિ કાઉસ્સગ્ગ (૧)
વૈયાવચ્ચનાં કરનાર, શાંતિનાં કરનાર (અને) સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ દેનાર દેવોને (આશ્રયીને) હું કાર્યોત્સર્ગ કરું છું. (૧)
શાસન પર ભક્તિવાળા સમ્યગ્દષ્ટિ દેવોને શાસન દેવ કહેવામાં આવે છે. આ દેવો નિરંતર ભક્તિ કરતા રહે છે. સંઘમાં ઉપદ્રવ ફેલાતા તેનું નિવારણ કરીને શાંતિ સ્થાપે છે. અને સંઘમાં દુઃખ આવે તો ટાળવાનો નિરંતર પ્રયત્ન કરે છે. આ રીતે શાસન દેવોને યાદ કરવામાં સંઘની સુરક્ષિતતા, શાંતિમય વાતાવરણ તથા વૈયાવૃત્ત્વ કરનારાઓનું કૃતજ્ઞતાથી સ્મરણ કરવાનો ઉદેશ રહેલો છે.
જૈનધર્મમાં સ્તુતિ, સ્તોત્રો, સઝાયોમાં વિશિષ્ટ ભાવો ભળેલા હોય છે અને તે છે પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવાનો. કારણકે ગુણપ્રાપ્તિ વિના મોક્ષમાર્ગમાં આરોહણ ન થઈ શકે. તેથી આપણા સૂત્રમાં અર્થની સાથે સાથે તીર્થંકર પરમાત્માના ગુણોનું વિશદ્ રીતે વર્ણન થયેલું હોય છે. આપણા વંદનમાં માર્ગદર્શક પ્રતીતિ કૃતજ્ઞતાની સાથે સાથે તેમના ગુણોની પ્રાપ્તિની વાત રહેલી હોય છે, તે રીતે આપણા સૂત્ર, સ્તુતિ વગેરે વિશિષ્ટ બની જાય છે અને તે આત્મા ઉપર અનંત ભવોથી લાગેલા કર્મોની નિર્જરા કરવામાં સક્ષમ હોય છે. આ વંદન ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચી, શુદ્ધ ભાવમય બની, પરમાત્માનાં ગુણો સાથે તાદાત્મ્ય સાધી લે છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૫
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન
અન્નત્થ ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીએણ, જંભાઈએણે, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિ, સુમેહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫) ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, પ-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂછઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થ્રેક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધીમારી કાયાને સ્થાનવડે, મૌનવડે, ધ્યાનવડ, આત્માને વોસિરાવું છું. (૫)
(એક નવકારનો કાઉસ્સગ્ગ કરીને, પારીને, “નમોહત” કહી સ્નાતસ્યાની
ચોથી થોય કહેવી.)
દેહને ‘માનવો તે દેહાધ્યાસ છે, અને તે દેહાધ્યાસને કેન્દ્ર સ્થાને રાખીને જે કાંઈ વિચારો કે વર્તન કરવું તે બહિજીવન છે. આવું જીવન જ્યાં સુધી ચાલુ હોય છે ત્યાં સુધી આત્માનો વિકાસ સાધી શકાતો નથી કે ઉચ્ચજીવન તરફ પ્રગતિ કરી શકાતી નથી. જ્યારે એ દેહાધ્યાસ ટળે છે અને આત્માને ‘હું' માનીને તેના જ હિત માટે સઘળી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેઓ આત્મા ઘાતિકર્મ ખપાવીને કેવળ જ્ઞાન પામે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (૧) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
સમ્યગદષ્ટિ દેવીદેવીઓને લગતી સ્તુતિ નિષ્પક વ્યોમ નીલ વૃતિ મલ સદૃશં બાલચંદ્રા ભદંષ્ટ્ર,
માં ઘંટારવેણ પ્રસૃત મદનલ, પૂરયન્ત સમત્તાત્, આરૂઢો દિવ્યનાગં વિચરતિ ગગને કામદ: કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિ ર્દિશતુ મમ સદા, સર્વકાર્યેષુ સિદ્ધિમ્ (૪)
સ્નાતસ્યાની સ્તુતિ શ્રીબાલચંદ્રસૂરિ, જેઓ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય હતા, તેમણે બનાવી છે. ગુરૂ સાથે વિરોધ થવાથી તેઓ જુદા પડયાં તેથી સંઘે તેમની બનાવેલી સ્તુતિ માન્ય ન રાખી. મુનિ કાળધર્મ પામ્યા પછી વ્યંતરજાતિના દેવ થઈ. સંઘને કનડવા લાગ્યા. ત્યારે શ્રીસંઘે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરી સ્તુતિનો સ્વીકાર કર્યો. ત્યારથી આહુતિ પાક્ષિક, ચઉમાસી, અને સંવત્સરી પ્રતિક્રમણમાં બોલાય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વાદળ રહિત આકાશ જેવા નીલવર્ણવાળા, (મદ વડે) આળસવાળી દષ્ટિવાળા, બીજના ચંદ્રની કાંતિ જેવી ઉજ્જવળ દંતશૂળવાળા, ઘંટના અવાજથી મદોન્મત્ત, ગંડસ્થળમાંથી નીકળતા મદજળને ચારે બાજુ ફેલાવનાર એવા દિવ્ય હાથી ઉપર બેઠેલ, ઈચ્છિત વસ્તુને આપનાર, ઈચ્છા મુજબ રૂપ ધારણ કરનાર, જે આકાશમાં વિચરે છે તેવા સર્વાનુભૂતિ યક્ષ મને હંમેશા સર્વ કાર્યમાં સિદ્ધિને આપો. (૪)
(થોય પૂરી ‘નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારવો.)
( પછી યોગમુદ્રામાં બેસી બે હાથ જોડી નીચે મુજબ બોલવું.)
૪૭
શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં (૧) આઇગરાણં, તિત્શયરાણં, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાણં, પુરિસસીહાણું, પુરિસ વર પુંડરીયાણું, પુરિસ વર ગંધ હત્થીણું (૩)
લોગુત્તમાણં, લોગ નાહાણું, લોગ હિઆણં, લોગ પઇવાણું, લોગ પજ્જોઅ ગરાણં. (૪)
અભય દયાણું, ચક્ષુ દયાણું, મગ્ન દયાણું, સરણ દયાણું, બોહિ દયાણું. (૫)
ધમ્મ દયાણું, ધમ્મ દેસયાણું, ધમ્મ નાયગાણું, ધમ્મ સારહીણું, ધમ્મ વર ચાઉંરંત ચક્કવટ્ટીણું. (૬) અપ્પડિહય વરનાણ દંસણ ધરાણું, વિયટ્ટ છઉમાણં. (૭) જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણં, બુઠ્ઠાણું બોહયાણું, મુત્તાણં મોઅગાણું. (૮)
સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં સિવ મયલ મરુઅ મણંત મક્ખય
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મવ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણ્યું. (૯)
જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિતિણાગયે કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ.
(૧૦)
અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧) ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. (૨)
પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩)
લોકમાં ઉત્તમને, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪)
અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર. (૫)
ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠ ચક્રવર્તી. (૬)
કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું જેમનું. (૭)
રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત મુકાવનાર. (૮)
સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), આવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વપ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯)
અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધિ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૯
(પછી એક એક ખમાસમણાએ ભગવાનાદિ ચારને વાંદવા) સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ટિ ભગવંતોને ભાવ પૂર્ણ હૃદયથી નમસ્કાર
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૧) ભગવાનન્હેં,
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (અરિહંત અને સિદ્ધસ્વરૂપ) ભગવંતોને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૫) આચાર્યહં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (આચાર્યોને) વંદન કરવા માટેઈચ્છું છું(અને) મસ્તક વડે વંદન કરુંછું. (૨)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૩) ઉપાધ્યાયš
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (ઉપાધ્યાયોને) વંદન કરવા માટેઈચ્છું છું(અને) મસ્તક વડેવંદન કરુંછું. (૩)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૪) સર્વ-સાધુરૂં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (સર્વ સાધુઓને) વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરુંછું. (૪)
Page #103
--------------------------------------------------------------------------
________________
પ0
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અતિશય ઉપયોગી, ખૂબ જ ઓછા શબ્દોમાં અગાધ પાપોની આલોચના
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
દેવસિઅ પડિક્કમણે ઠાઉં? ઈચ્છે (૧) હે ભગવંત, આપ આજ્ઞા આપો, દિવસ સંબંધી પાપોથી પાછો ફરું? આજ્ઞા માન્ય છે. (૨)
(જમણો હાથ ચરવળા અથવા કટાસણા પર સ્થાપીને)
(પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર)
ત્રિકરણની દુષ્ટ પ્રવૃત્તિના દોષોની માફી સબ્યસ્સ વિ, દેવસિઅ, દુઐિતિએ, દુમ્ભાસિએ, દુચ્ચિઢિા, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
ઇચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. (1)
આપ સ્વેચ્છાએ મને અનુમતિ આપો કે સર્વદિવસ સંબંધિત આર્ત -રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપદુષ્ટચેષ્ટા રૂપ પાપથી પાછો ફરું? (ગુરુભગવંત કહે - ભલે! પાપથી પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે-) આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાયદુષ્કૃત્યથી પાછો ફરું છું અને તેથી મારા દુષ્કૃત્યમિથ્યા થાઓ. (૧)
ચાર ખમાસમણમાં “ભગવાન€” આદિનો અર્થ શું છે? ઉત્તર : “ભગવાનë” માં “હં' એ આર્ષનો ષષ્ઠીનો પ્રત્યય છે. એટલે ભગવાનને વંદન કરું છું. અહીં ભગવાન એટલે જેની નિશ્રામાં પ્રતિક્રમણ કરીએ છીએ તે આચાર્યાદિ અને “આચાર્યહં” પદથી સર્વ આચાર્યો ગ્રહણ કરવા ઈત્યાદિ. દેવ ગુરૂને વંદન કરીને હવે અતિચાર રૂપી ભારથી ભરેલો હોય તેમ કાયા નમાવી માથું જમીનને અડાડીને હાથ સ્થાપી સંપૂર્ણ પ્રતિક્રમણના બીજ સ્વરૂપ સકલ અતિચારનું બીજક “સવસ્સવિ દેવસિઅ” સૂત્ર બોલવું, તે સૂત્રનો અર્થ આ પ્રમાણે છે. સર્વેદિવસ સંબંધી અતિચાર દુચિંતિત એટલે દ્વેષાદિ વડે દુષ્ટાદિ ભાષા બોલવાથી થયા હોય તે, દુશેષ્ટિત-એટલે ઉપયોગ રહિત હાલવા ચાલવા આદિકાર્યો કામવાસનાદિકકાર્યની દુષ્ટચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાથી થયા હોય તેમિથ્યા થાઓ.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
- ૫૧ (પહેલું આવશ્યક સામાયિક)
સામાયિક મહાસૂત્ર કરેમિ ભંતે ! સમાઇએ, સાવજ્જ જોગં પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિમામિ, નિંદામિ, ગરિયામિ, અધ્ધાણં વોસિરામિ. (1) હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચકખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
શ્રાવકના બાર વ્રતો સંબંધી લાગેલા અતિચારની ક્ષમાયાચના
ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, જો મે, દેવસિઓ અઈયારો કઓ કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમગ્ગો અપ્પો, અકરણિજ્જો, દુગ્ગાઓ, દુધ્વિચિંતિઓ, અણયારો, અણિચ્છિઅવો, અસાવગ પાઉગ્યો, નાણે, દંસણ, ચરિત્તા ચરિત્તે, સુએ,
સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહ મણુવ્રયાણું, તિરહું ગુણવયાણું, ચહિં સિખાવયાણું, બારસ વિહસ્સ સાવગ ધમ્મક્સ, જે ખંડિએ જં વિરાહિઅં,
તસ્સ મિચ્છા મિ દુક્કડં. (1)
Page #105
--------------------------------------------------------------------------
________________
૫૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હું કાયોત્સર્ગમાં રહેવાને ઈચ્છું છું.
જે મેં દિવસ સંબંધી મનથી, વચનથી અને કાયાથી (અતિચાર કર્યા હોય). શાસ્ત્ર વિરૂદ્ધ, સન્માર્ગ વિરૂદ્ધ, આચાર વિરૂદ્ધ(હોય), ન કરવા યોગ્ય (હોય), આર્ત્તરૌદ્રધ્યાન સ્વરૂપ દુર્ધ્યાનરૂપ, અશુભ ચિંતવનરૂપ, વ્રતાદિના ભંગ કરવા સ્વરૂપ અનાચારરૂપ, (જે) ઈચ્છવા યોગ્ય ન હોય (અને) શ્રાવકને ઉચિત ન હોય તેવું અયોગ્ય કરવાથી (તેવો અતિચાર લાગવાથી) જ્ઞાન ને વિષે, દર્શન ને વિષે, દેશવિરતિ (રૂપ શ્રાવકધર્મ) ને વિષે, સિદ્ધાંતને વિષે, સામાયિકને વિષે અને ત્રણ ગુપ્તિ સંબંધી, ચાર કષાય (ના ત્યાગ) સંબંધી (તેમજ) પાંચ અણુવ્રત સંબંધી, ત્રણ ગુણવ્રત સંબંધી (અને) ચાર શિક્ષાવ્રત સંબંધી, (એ) બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે દેશ થકી ભાંગવા સ્વરૂપ ખંડિત કર્યું હોય અને જે સર્વ થકી વિરાધના કરવા સ્વરૂપ વિરાધ્યું હોય, તે મારાં પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ) (દેશ = કાંઈક અંશે, સર્વ=સર્વથા)
આ સૂત્ર પ્રતિક્રમણ પ્રાયશ્ચિત સ્વરૂપનું સૂત્ર છે. પરંતુ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત સ્વરૂપે, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવું હોય તો તેની પૂર્વે આ સૂત્ર આવે છે. અહિં કાઉસ્સગ્ગમાં સ્થિર થવાને મિચ્છામિ દુક્કડં દેવું.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી
તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં,
પાવાણું કમ્ભાણું, નિગ્ધાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્યું. (૧) (જેવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ=કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ=કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહેછે, તે શ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરુંછું. (૧)
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડેમૂર્છા આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનોસંચાર, થૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણોઃ
૧. અરિહંત ભગવાનનાં - ૧૨ ગુણ
(૨)
(આમ કહી અતિચારની આઠ ગાથાનો અને ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી પ્રગટ લોગસ્સ કહેવો.)
૨. સિદ્ધભગવંતના – ૮ ગુણ
૩. આચાર્યના - ૩૦ ગુણ
૫૩
૪. ઉપાધ્યાયના - ૨૫ ગુણ ૫. સાધુ ભગવંતના – ૨૭
ગુણ
Page #107
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અતિચારની ગાથા
પાંચ આચારોના પ્રભેદ સાથે વર્ણન અને અતિચારોનું સ્મરણ કરી ગર્ભિત રીતે મિથ્યા દુષ્કૃતની યાચના
(૪)
નાણુંમિ દેંસણંમિ અ, ચરમિ તવંમિ તહ ય વીરિયંમિ, આયરણું આયારો, ઇઅ એસો પંચહા મણિઓ. (૧) કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિર્ણાવણે, વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણમાયારો. (૨) નિસ્યંકિઅ નિષ્કંખિઅ, નિવ્વિતિગિચ્છા અમૂઢદિકી અ, ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ઠ. (૩) પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં, એસ ચરિત્તાયારો, અવિહો હોઇ નાયવ્યો. બારસ વિહંમિ વિ તવે, સબ્મિતર બાહિરે કુસલ દિઢે, અગિલાઈ અણાજીવી, નાયવ્યો સો તવાયારો. (૫) અણસણ મૂણો અરિયા, વિત્તી સંખેવણું રસચ્ચાઓ, કાય કિલેસો સંલીણયા ય, બો તવો હોઇ. (-) પાયચ્છિત વિણઓ, વેયાવચ્ચ તહેવ સજ્જ્ઞાઓ, ઝાણું ઉસ્સગ્ગો વિ અ, અમિતરઓ તવો હોઇ. (૭) અણિમૂહિઅ બલ વીરિયો, પરક્કમઇ જો જહુત્તમાઉત્તો, કુંજઇ અ જહા થામં, નાયવ્યો વીરિઆયારો.
(૮)
જ્ઞાનને વિષે, દર્શનને વિષે, ચારિત્રને વિષે, તપને વિષે અને વીર્યને વિષે અર્થાત્ જ્ઞાનાદિ પાંચેની બાબતમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર પાંચ પ્રકારનો કહેલ છે. - ૧- જ્ઞાનાચાર,૨- દર્શનાચાર, ૩-ચારિત્રાચાર, ૪-તપાચાર અને ૫- વીર્યાચાર. (૧)
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૫૫
-
જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે – ૧. કાળ-જે કાળે ભણવાની આજ્ઞા હોય તે કાળે ભણવું. ૨. વિનય – જ્ઞાન અને જ્ઞાનીનો વિનય સાચવવો તે. ૩. બહુમાન – જ્ઞાની તથા જ્ઞાન ઉપર અંતરનો પ્રેમ કરવો તે. ૪. ઉપધાન-સૂત્રો ભણવા માટે તપ વગેરે કરવો તે. ૫. અનિલવતા – ભણાવનાર ગુરૂને ન ઓળખવા તે ૬. વ્યંજન- સૂત્રો શુદ્ધ ભણવા તે. ૭. અર્થ - અર્થ શુદ્ધ ભણવા તે. અને ૮. તદુભય –સૂત્ર અને અર્થ બંને શુદ્ધ ભણવા તે. (વ્યંજન અને અર્થબંને) (૨) દર્શનાચાર આઠ પ્રકારનો છે - ૧. નિઃશંકિતા- વીતરાગના વચનમાં શંકા ન કરવી તે. ૨. નિષ્કાંક્ષિતા- જિનમત વિના બીજા મતની ઈચ્છા ન કરવી તે. ૩. નિર્વિચિકિત્સા – પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોના મલ મલિન વસ્ત્ર કે દેહ દેખીને દુર્ગંછા ન ક૨વી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન લાવવો તે . ૪. અમૂઢદષ્ટિતા – મિથ્યાત્વીઓના ઠાઠમાઠ દેખી સત્યમાર્ગમાં ડામાડોળ ન થવું તે. ૫. ઉપબૃહણા - સમકિતધા૨ીના થોડા ગુણના પણ વખાણ કરવા. ૬. સ્થિરીકરણ – ધર્મ નહીં પામેલાને અને ધર્મથી પડતા જીવોને સ્થિર કરવા. ૭. વાત્સલ્ય – સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત ચિંતવવું તે. અને ૮.પ્રભાવના-બીજા લોકો પણ જૈન ધર્મની અનુમોદના કરેતેવા કાર્યોકરવા તે. (૩) ચારિત્રાચાર આઠ પ્રકારનો જાણવો – પાંચ સમિતિ (ઇર્યા, ભાષા, એષણા, આદાન ભંડમત્ત નિખૈવણા અને પારિષ્ઠાપનિકા સમિતિ) અને ત્રણ ગુપ્તિથી (મન, વચન, કાયા)ની એકાગ્રતા અથવા ચિત્તથી સમાધિપૂર્વક – પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન (કરવું તે). (૪) તપાચારના બાર પ્રકાર શ્રી તીર્થંકર ભગવંતે પ્રરૂપેલ (છ પ્રકારના) અત્યંતરતપ અને (છ પ્રકારના) બાહ્યતપ રૂપ બાર પ્રકારના તપના વિષયમાં ખેદરહિત (તેમજ) હું તપ કરું તો આજીવિકા ચાલે એમ આજીવિકાની ઈચ્છારહિત (જે આચરણ) તે તપાચાર છે. (૫) બાહ્યતપ છ પ્રકારે છે - ૧. અનશન-બીયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપ તે. ૨. ઉણોદરી- નિયત ભોજન પરિમાણથી ઓછું લેવું તે. ૩. વૃત્તિસંક્ષેપ-જરૂરિયાત ઓછી રાખવી તે. ૪. રસત્યાગ-ઘી, દૂધ, દહીં આદિ વિગઇનો ત્યાગ કરવો તે. ૫. કાયકલેશ- કાયાને દમવી તે અને ૬. સંલીનતા –વિષય વાસના રોકવી અથવા અંગોપાંગ સંકોચવાતે. (૬)
Page #109
--------------------------------------------------------------------------
________________
પદ
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અત્યંતર તપ છ પ્રકારે કહ્યો છે – ૧. પ્રાયશ્ચિત-લાગેલા દોષની ગુરૂ પાસે આલોચના કરી તેની શુદ્ધિ માટે તપ કરવો તે. ૨. વિનય - દેવ, ગુરૂ, સંઘ, સાધર્મિક આદિ તરફ નમ્રતા- ભક્તિભાવ ધરાવવો તે. ૩. વૈયાવૃત્યઅરિહંત-આચાર્ય-સાધુ-સાધ્વી વગેરેની સેવા ભક્તિ કરવી તે. ૪. સ્વાધ્યાયવાચના, પૃચ્છના, પરાર્વતના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા રૂપ પાંચ પ્રકારનો અભ્યાસ કરવો તે. ૫. ધ્યાન- આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવર્તવું તે. અને ૬. ઉત્સર્ગ- કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ગા કરવો તે કાયોત્સર્ગ. (૭) વર્યાચારના ત્રણ પ્રકાર – (પોતાનું) બળ તથા વીર્યને છૂપાવ્યા વિના શાસ્ત્રાજ્ઞા મુજબ (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ પૂર્વોક્ત આચારોમાં) સાવધાન થઈને ઉદ્યમ કરવો અને શક્તિ મુજબ પ્રવૃત્તિ કરવી (તે રૂપ જે આચાર) તે વીર્યાચાર જાણવો. (૮)
આ પાંચ આચારોનાં પાલનમાં જૈન ધર્મના તમામ આચારો સમાય છે. આ પાંચે આચારોનું પાલન એ સમ્યગ્રચારિત્ર પણ છે. આ સૂત્રમાં ધર્મ પાળવાની બહુ જ વ્યવહારુ સગવડો ગોઠવી આપી છે.
બીજું આવશ્યક ચોવિસત્થો (અતિચારની આઠ ગાથા બોલી, “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારીને
પ્રગટ લોગસ્સ કહેવો)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે,
અરિહંતે કિન્નઈસ્લે, ચઉવસંપિ કેવલી (1) ઉસભ મજિદં ચ વંદે, સંભવ મભિગંદણં ચ સુમઈ ચે,
પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. (૨) સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમણુતં ચ જિર્ણ, ઘમૅ સંતિ ચ વંદામિ. (૩)
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કુંશું અરે ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિર્ણ ચ, વંદામિ રિટનેમિ, પાસું તહ વન્દ્વમાણે ચ. (૪) એવું મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્ચયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
૫૭
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરુંછું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહું ? ઇચ્છું
હે ભગવન્, આપની આજ્ઞાથી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહું ? આજ્ઞા પ્રમાણ છે.
(ચોક્કસ વિધિમાં પ્રવેશતા પહેલા મુહપત્તીનું પડિલહેણ કરવું જરૂરી છે.) (નીચે બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી. અને પછી બે વાંદણા કહેવા.) મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદ્દહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિ, પ- કામરાગ, ૬- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિ, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિğ, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિછ્યું, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ રિહર્યું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરિત પરિહતું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, Rs- દુર્ગંછા પરિ. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિહતું.} (મોઢે ડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિહ્યું.}
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિણું. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિ.} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું
(ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
(વાંદણા દેતા પહેલા શરીરનું પડિલેહણ કરવું જરૂરી છે.)
ત્રીજું આવશ્યક વાંદણા
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત્ત વંદનનું વર્ણન પહેલું વંદન
૫૯
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણં ! બહુ સુભેણ ભે ! દિવસો વઇકંતો (૩) (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪) (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જ્યં ચ ભે
(૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઇક્કર્મ (૬)
Page #113
--------------------------------------------------------------------------
________________
CO
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવસ્લેિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસત્તયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ સવમિચ્છો વયારાએ, સવ્ય ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ ()
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ,નિસીરિઆએ (૧)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉગઈ, (૨) નિતીતિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસું ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણું! બહુ સુભેણ ભે! દિવસો વઈઝંતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ તા બે () (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જં ચ ભે (૫)
(દ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિએ વઇક્રમ (૬)
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે)
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૧
પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસન્નયારાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ, વય-દુક્કડાએ, કાય-દુકકડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવૈકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ,
અપ્રાણ વોસિરામિ (૭).
(શિષ્ય કહે) હે ક્ષમાપ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે-છંદેણ = ઈચ્છાપૂર્વક =સ્વખુશીથી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂ૫) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે- તહત્તિ તે પ્રકારે છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે- તુક્મપિ વએ =તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું' એમ જ છે) (૫) (શિષ્ય કહે) - હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જ કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬)
Page #115
--------------------------------------------------------------------------
________________
૬૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
આલોચના પ્રતિક્રમણરૂપ ક્રિયામાં પ્રવેશતા પહેલા ગુરૂવંદન - વાંદણા, પ્રવેશ સૂચક છે. અને પ્રતિક્રમણ ક્રિયાનું સ્વતંત્ર પ્રર્મોજન અને પ્રતિલેખના સૂચક છે.
ચોથું આવશ્યક પ્રતિક્રમણ (ચરવળો હોય તો ઉભા થઈને હાથ જોડીને બોલે, નહીં તો બેસીને બોલે)
વ્રતોમાં લાગેલ અતિચારની આલોચના સાથે ક્ષમાયાચના
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉં? ઇચ્છ,
આલોએમિ હે ભગવંત ! આપ આજ્ઞા આપો, દિવસ સંબંધી લાગેલા પાપોની આલોચના કરું. આજ્ઞા છે. આલોચના કરો.
જે પાપો આલોચના - પ્રાયશ્ચિતથી અને પ્રતિક્રમણ - પ્રાયશ્ચિતથી શુદ્ધ ન થયા હોય, તેની શુદ્ધિ હવે કાઉસ્સગથી કરવાની છે. કાઉસ્સગ્ગ પણ ગુરૂવંદન પૂર્વક જ થાય તેથી ગુરૂ મહારાજને વંદનરૂપ બે વાંદણા દેવાય છે. અહીં, બીજા વાંદણાને અંતે કષાયભાવથી આત્માએ બહાર નીકળી જવાના ખ્યાલપૂર્વક અવગ્રહની બહાર નીકળી જવાનું છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૩
દરેક પાપોનું કથન જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અપ્પો, અકરણિજો, દુઝાઓ, દુધ્વિચિંતિઓ, અણીયારો,
અણિચ્છિાળ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, અહિં
કસાયાણં, પંચહમણુવ્રયાણું, તિહં ગુણવ્રયાણં, ચહિં સિફખાવ્વાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ,
જં ખંડિએ, જં વિરાહિઅં,
તસ્સ મિચ્છા મિ દુક્કડ. હું ઇચ્છું છું કે - હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં. કારણકે મેં દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સુત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાધ્યું હોય, તે સંબંધી મારુદુષ્કૃત્ય મિથ્યા થાઓ.
આ સુત્રનું બીજું નામ ‘અતિચાર આલોચના સૂત્ર” પણ છે. જે કારણોથી કે કષાયોના ઉદયથી થયેલા સર્વ અતિચારો માટે સાધકે અત્યંત દિલગીર થવાનું છે અને ફરી તેવું ન કરવાના ભાવ સાથે ‘તસ્સ મિચ્છા મિ દુક્કડ' તે શબ્દો બોલવાના છે. આ સૂત્રમાં પાંચ આચારોના અતિચારોના આલોચન તથા પ્રતિક્રમણમાં મિચ્છા મિ દુક્કડં દઈ વિશેષ શુદ્ધિરૂપ સામાયિક માટે કાયોત્સર્ગ કરવાનો છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
S૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સાત લાખ
(હાથ જોડીને)
સમસ્ત જીવરાશિ પ્રતિ થયેલા હિંસા દોષ સ્વરૂપ પ્રથમ પાપ સ્થાનકની વિસ્તારથી આલોચના
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અકાય,
સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય,
ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિદ્રિય,
ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી,
ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવાયોનિમાંહિ, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય,
હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. સાત લાખ પ્રકારના (પૃથ્વીરૂપ-જીવ) પૃથ્વીકાયના જીવો -(માટી, ઢેફું, પથ્થર વગેરે), સાત લાખ પ્રકારના પાણીરૂપ-જીવ) અકાયના જીવો(પાણી, ઝાકળ, બરફ, ધુમ્મસ વગેરે), સાત લાખ પ્રકારના (અગ્નિરૂપજીવ) અગ્નિકાયના જીવો -(લાઈટ, બલ્બ, બેટરી, મશાલ વગેરે), સાત લાખ પ્રકારના (પવનરૂપ-જીવ) વાયુકાય જીવો -(હવા, વાયરો, પવન, વંટોળ વગેરે), દશ લાખ પ્રકારના એક શરીરમાં એક જીવ રૂપ પ્રત્યેક વનસ્પતિકાયના જીવો –(ફળ, ફૂલ, બી, પાંદડું, છાલ વગેરે), ચૌદ લાખ પ્રકારના (એક શરીરમાં-અનંત જીવો રૂપ) સાધારણ વનસ્પતિ-કાયના જીવો -(કંદમૂળ, નીલ, નિગોદ વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ અને
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
cu
રસનો અનુભવ કરી શકે, તેવા જીવરૂપ) બેઈન્દ્રિય જીવો -(શંખ, કોડી, અળસીયા વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ અને ગંધનું સંવેદના કરવા સમર્થ એવા જીવરૂપ) તેઈન્દ્રય જીવો -(કીડી, મંકોડા, છાણના કીડા, ઘનેરા, કંથુઆ, ઇયળ વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ, ગંધ અને રૂપનું જ સંવેદન કરવા સમર્થ એવા જીવરૂપ) ચઉરિંદ્રિય જીવો, - (વીંછી, ભમરો, તીડ, માખી, ડાંસ, મચ્છર વગેરે), ચાર લાખ પ્રકારના દેવતાઓ –(વૈમાનિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવતાઓ), ચાર લાખ પ્રકારના નારકીઓ, ચાર લાખ પ્રકારના (સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને વાચારૂપ પાંચેય - ઈન્દ્રિયનું સંવેદન કરવા સમર્થ પશુઓ રૂ૫) તિર્યંચ પંચેન્દ્રિય જીવો (સર્પ, પંખી, માછલી, હાથી, ઘોડા, કુતરા વગેરે), ચૌદ લાખ પ્રકારના મનુષ્યો એ પ્રમાણે ૭+++ ૭ ૧૦+ ૧૪+ ૨ + ૨ + ૨+૪+૪+૪+ ૧૪ = ૮૪ લાખ પ્રકારની જીવોની યોનિ (ઉત્પત્તિ સ્થાન) હોય છે. તેમાંથી મારા જીવે (થી) જે કોઈ જીવને હણ્યો હોય, બીજા પાસે હણાવ્યો હોય અને હણનારની અનુમોદના (પ્રશંસા-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના (કરણ-કરાવણ-અનુમોદનરૂપ) ખરેખર મન, વચન અને કાયાથી પાપ કર્યું હોય તો તે મારું પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ).
૮૪ લાખ ‘જીવાયોનિમાં ઉત્પન્ન થતા વિશ્વના સમસ્ત જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવો ઘટે, છતાં કોઈ પણ કારણસર તેમાંના કોઈપણ જીવની કોઈપણ પ્રકારે હિંસા કરી હોય, કરાવી હોય કે તે પ્રત્યે અનુમતિ દાખવી હોય તો તે માટે મિથ્યા દુષ્કૃત દેવું એ આ સમગ્ર સૂત્રનો સાર છે.
અઢાર પા૫ સ્થાનક
(હાથ જોડીને) સઘળાંય પાપસ્થાનકોની ગુરૂ સમક્ષ નિવેદના કરી મિથ્યા દુષ્કૃત કહેવું. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન,
ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છદ્દે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ,
Page #119
--------------------------------------------------------------------------
________________
SS
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
દશમે રાગ, અગ્યારમે દ્વેષ, બારમે કલહ,
તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશુન્ય, પંદરમે રતિ અતિ, સોળમે પરપરિવાદ,
સત્તરમે માયા મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય. એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે કે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
૧- જીવ હિંસા કરવી- તે પ્રાણાતિપાત; ૨- અસત્ય વચન બોલવું- તે મૃષાવાદ; ૩- ચોરી કરવી- તે અદત્તાદાન; ૪- કામ-વિષય સેવન- તે મૈથુન; પ-ધન-ધાન્ય આદિની મમતા- તે પરિગ્રહ; 5- ગુસ્સો કરવો- તે ક્રોધ; ૭- અહંકા૨ ક૨વો- તે માન; ૮-કપટ-પ્રંપચ કરવું- તે માયા; ૯-સંગ્રહવૃત્તિ-અસંતોષ- તે લોભ; ૧૦- (પ્રીતિ) મોહ રાખવો- તે રાગ; ૧૧- અરૂચિ (તિરસ્કાર) રાખવી- તે દ્વેષ; ૧૨- કજીયો ક૨વો- તે કલહ; ૧૩- ખોટું આળ દેવું- તે અભ્યાખ્યાન; ૧૪- ચાડી ખાવી- તે પૈશુન્ય; ૧૫- સુખ આવે ત્યારે હર્ષ કરવો- તે રતિ; દુઃખ આવે ત્યારે શોક કરવોતે અરતિ; ૧૬- પારકી નિંદા કરવી- તે પરપરિવાદ; ૧૭- કપટ પૂર્વક જુઠ્ઠું બોલવું- તે માયા-મૃષાવાદ અને ૧૮- દેવ-ગુરૂ અને ધર્મ ઉપર અશ્રદ્ધારૂપ ડખલ- તે મિથ્યાત્વ-શલ્ય કહેવાય છે.
આ અઢાર પાપસ્થાનકમાંથી મારા જીવે જે કોઈ પાપ સેવ્યુ હોય, બીજા પાસે સેવરાવ્યુ હોય અને સેવનારની પ્રશંસા (અનુમોદના-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના - (કરણ-કરાવણ-અનુમોદનરૂપ) પાપ ખરેખર મનથી, વચનથી કે કાયાથી આચર્યાહોય તેસર્વમારા પાપમિથ્યા થાઓ. (નિષ્ફળથાઓ.)
જેનું સેવન કરવાથી અથવા જે ભાવોમાં રહેવાથી પાપો બંધાય, તે પાપસ્થાનક છે. તેવા અઢાર પાપ સ્થાનકોની સંખ્યા આ સૂત્રમાં બતાવવામાં આવી છે. આ પાપસ્થાનકો ધર્મ અને નીતિના સાર –નિચોડરૂપ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૪૭ સંક્ષિપ્ત પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર સવ્યસ્સ વિ, દેવસિઅ, દુિિતએ, દુષ્માસિઅ, દુચ્ચિટ્રિઅ,
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છ,
તસ્સ મિચ્છા મિ દુક્કડ. (૧)
સર્વેય દિવસ સંબધીના સાવદ્ય વિચારો, સાવદ્ય ભાષા અને સાવદ્ય કાયચેષ્ટા, એ સંબંધી માર્દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
અહિં સર્વે એટલે ફક્ત કાયા નહીં, પણ મન, વચન, કાયારૂપી ત્રિકરણ દોષોનું મિચ્છામિ દુક્કડ. આ સૂત્ર સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત દેવસિઅ પ્રતિક્રમણરૂપે છે. સવ્વસવિકસવ્ય (દેવસિઅદુચિતિય, દુમ્ભાસિએ, દુચ્ચિઠ્ઠિઅ) સવિ. સાવદ્ય પાપો ઉપર ઉપરથી ધ્યાનમાં નહીં લઈને, પણ સર્વેય લેવા. વળી સવ્વ એટલે મન, વચન અને કાયાસર્વેના સાવદ્ય પાપોનું મિચ્છામિદુક્કડ
(પછી જમણો ઢીંચણ ઉંચો કરીને નીચે પ્રમાણે કહેવું.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
“સવસ વિ દેવસિઅ” સુત્રને બીજસૂત્ર શા માટે કહેવાય છે? ઉત્તર : આખા પ્રતિક્રમણની સંક્ષિપ્ત વિગત આ સૂત્રમાં જ છે, પ્રતિક્રમણમાં આ સર્વે ક્રિયા જ વિસ્તારથી કરવાની છે. માટે આ સુત્રને બીજ સ્વરૂપ જાણવું. પછી ઊભા થઈને પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિને માટે કરેમિભંતે અને ઇચ્છામિઠામિ (શ્રાવક શ્રાવિકા ગુરૂનિશ્રામાં પ્રતિક્રમણ કરતા હોય ત્યારે ‘કરેમિભંતે’, ‘ઈચ્છામિ ઠામિ' દરેક સ્થળે પોતાના અલગ ધારી લેવા જોઈએ. પ્રતિક્રમણના સૂત્રો પણ ભણાવનારની સાથે પોતે મનમાં ધારવાના છે) વગેરે સૂત્રો કહી કાયોત્સર્ગ કરવો.
Page #121
--------------------------------------------------------------------------
________________
૬૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજં જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજ્જવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણું વોસિરામિ. (૧) હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર
ઇચ્છામિ પડિક્કમિઉં. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ,
વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકથ્થો, અકરણિજ્જો દુઝાઓ, દુધ્વિચિંતિઓ, આણાયારો,
અણિચ્છિઅવ્વો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણ,
ચરિત્તાચરિત્ત, સુએ, સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચકહે કસાયાણં, પંચહમણુવ્રયાણું, તિર્ણ ગુણવ્રયાણું, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ ધમ્મસ્ટ,
જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડ.
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૬૯
હું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું – કારણકે મેં દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉસૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાધ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
(આ સૂત્ર શ્રાવકનું છે. આમાં મુખ્ય બાર વ્રતધારી તથા વ્રત વિનાનાં શ્રાવક-શ્રાવિકાનાં જીવન વહેવારો કેવા હોવા જોઈએ, પંચાચારનાં આચરણમાં લાગેલાં દોષો, આ બધાયનું નિંદા-ગ દ્વારા પ્રતિક્રમણ કરવાનું બતાવ્યું છે.)
આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા - ગહ તથા આત્માને પવિત્ર કરે
તેવી ભાવનાઓ છે.
વિંદિતુ સવૅસિદ્ધ, ધમ્માયરિએ આ સવ્વસાહૂ અ, ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમ્માઈ આરસ્સ. (૧)
સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વ સાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. (૧)
| (સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિતે અ,
સુહુમો આ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨) વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં
Page #123
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે કંઈ) મને લાગ્યા હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગર્તા (વિશેષ નિંદા) કરું છું. (૨)
(પરિગ્રહના અતિચાર) દુવિહે પરિગ્નહંમિ, સાવજે બહુવિહે અ આરંભે,
કારાવણે અ કરણે, પડિક્કમે દેસિમં સવં. (૩) બે પ્રકારના પરિગ્રહને વિષે – ૧-સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને રઅનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે દિવસ સંબંધી સર્વઅતિચારોથી પાછો ફરું છું. (૩)
(જ્ઞાનના અતિચાર) જં બદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્પસત્યેહિ,
રાગણ વદોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૪) અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા શ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૪)
(સમ્યગુ દર્શનના અતિચાર) આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અનિઓગે, પડિક્કમે દેસિઅં સä. (૫)
શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી, મિથ્યાદષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૭૧
રહેવામાં, તેમજ ફરવામાં દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરે છે. (૫)
(સમ્યક્ત્વના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્કમે દેસિ સળં. (૬) છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા,
અgટ્ટા ય પટ્ટા, ઉભયટ્ટો ચેવ તં નિંદે. (૭)
૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા પ-જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યકત્વવ્રતના અતિચાર છે, હું દિવસ સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. (૬) પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છે જીવ નિકાય {૧પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, ૨-વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, ૩- બેઈન્દ્રિય, ૪- તેઈન્દ્રિય, ૫- ચઉરિંદ્રિય અને ૬- પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો= જીવ નિકાય}ના સમારંભ (=પ્રાણીના વધનો સંકલ્પ-તે સરંભ, તેને પરિતાપ ઉપજાવો-તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈદોષ લાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૭)
(સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહમણુવ્રયાણ, ગુણ વયાણં ચ તિહ મઇયારે, સિદ્ધાણં ચ ચહિં, પડિક્કમે દેસિ સળં. (૮) પઢમે અણુવ્રયમિ, લગ પાણાઈ વાય વિરઇઓ, આયરિય મમ્પસન્થ, ઈર્થી પમાય પૂસંગેણં. ()
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર) વહ બંધ છવિચ્છેએ, અદભારે ભત્ત પાણ ગુચ્છેએ,
પઢમ વયસ્સઈઆરે, પડિક્કમે દેસિઅં સળં. (૧) પાંચ અણુવતી, ત્રણ ગુણવ્રતો અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોમાંથી દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું પ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- જીવનો વધ, ૨બંધન, ૩- અવયવ છેદન, ૪-અતિભાર (આરોપણ) અને ૫) અન્ન-જળ અટકાવવારૂપ પહેલા અણુ વ્રતના અતિચારો છે, (તમાં) દિવસ સંબંધી લાગેલા સર્વઅતિચારો નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦)
(મૃષાવાદના અતિચાર) બીએ અણુવયમિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ,
આયરિય મuસત્યે, ઇત્ય પમાય પ્રસંગેણં, (૧૧)
સહસા રહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે આ
બીય વયસ્સઇઆરે, પડિક્કમે દેસિએ સવ્વ (૧૨) બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ થાય છે. એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧વગર વિચાર્યું કોઈના ઉપર ખોટી (જુઠું) આળ મૂકવી, ૨-ખાનગી વાત બહાર પાથ્વી, ૩-પોતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪-ખોટો (જુઠો) ઉપદેશ આપવો અને પ-જુઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. તેમાંદિવસ સંબંધી સર્વઅતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૧૧,૧૨)
(અદત્તાદાનના અતિચાર) તઇએ અણુવ્યસ્મિ, શૂલગ પર દબૂ હરણ વિરઇઓ,
આયરિય મધ્વસત્થ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૩)
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
_
_૭૩
તેના હડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે આ,
કૂડતુલ કૂડમાણે, પડિક્કમે દેસિ સળં. (૧૪) ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી, અપ્રશસ્ત ભાવથી ૧- ચોરે ચોરેલી વસ્તુ લીધી હોય, ૨-ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩- મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને પ- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં દિવસ સંબંધી સર્વેને હું પડિક્કમું છું. (૧૩, ૧૪)
(મૈથુનના અતિચાર) ચઉલ્થ અણુવયમ્મિ, નિર્ચો પર દાર ગમણ વિરઇઓ,
આયરિય મપૂસલ્ય, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૫) અપરિગ્દહિઆ ઈત્તર, અણંગ વિવાહ તિવ્ર અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્રમે દેસિઅં સળં. (૧૬)
ચોથા અણુવ્રતમાં સદાની (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- અપરિગૃહીતાગમન = કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે, ૨- ઇત્વર- પરિગૃહિતાગમન અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા), ૩- અનંગ ક્રીડા- પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે, ૪- પરવિવાહકરણ પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને ૫) કામભોગ-તીવ્રઅભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા અણુ
Page #127
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વ્રતના અતિચારો છે. (તેમાં) દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર) ઈત્તો અણુવ્રએ પંચમમ્મિ, આયરિય મપૂસસ્થમિ,
પરિમાણ પરિચ્છેએ, ઈત્ય પમાય પ્રસંગેણં. (૧૭) ધણ, ધન્ન, ખિત્ત, વન્યુ, રૂપ્પ, સુવન્ને અ કુવિઅ-પરિમાણે,
દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે દેસિઅં સળં. (૧૮) એ પછી પાંચમાં અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ૨- ખેતર-ઘર વગેરે ૩રૂપુ-સોનું ૪- તાંબુ-કાંસું જેવી હલકી ધાતુઓના પરિમાણ અને રાચરચીલું અને ૫) બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ધોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા અણુવ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૭,૧૮)
(જવા આવવાના નિયમોના અતિચાર) ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઠું અહે અ તિરિએ ચ,
વૃદ્ધિ સઈ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે. (૧૯) ૧- ઉપરની ૨- નીચેની અને ૩- તિર્થી દિશામાં જવાના પરિમાણથી) અધિક જવાથી, એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધારવાથી અને પ(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (
દિપરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હુંનિંદા કરું છું. (૧૯)
(ભોગ ઉપભોગના અતિચાર) મર્જામિ અ, મંસંમિ અ, પુ અ ફલે અ ગંધ મલે અ, વિભાગ પરિભોગે, બીયમ્મિ ગુણવ્વએ નિદે. (૨)
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૭૫
સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુપોલિએ ચ આહારે, તુચ્છો સહિ ભખ્ખણયા, પડિક્કમે દેસિઅં સળં. (૨૧)
મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ ( એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (= વારંવાર ઉપયોગમાં આવે છે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હુંનિંદા કરું છું. (૨૦) ૧- સચિત્ત-આહાર= સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ૨- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપક્વ-આહાર - તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેરે ૪- દુષ્પવિ-આહાર= અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે ૫ - તુચ્છૌષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી) દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારો નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧)
ઈગાલી વણ સાડી, ભાડી ફોડી સુવર્જએ કર્મ, વાણિજ્જ ચેવ દંત, લક્ષ્મ રસ કેસ વિસ વિસય. (૨૨) એવં ખુ જંત પિલ્લણ, કમ્મ નિત્યંછણં ચ દવ દાણં, સર દહ તલાય સોસ, અસઈ પોસં ચ વર્જિા (૨૩)
૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ- તે અંગારકર્મ ૨- ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર, ઓટો મોબાઇલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવા તથા વેચાણથી કે
Page #129
--------------------------------------------------------------------------
________________
૭૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ - તે ફોટકકર્મએ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવા જોઈએ. વળી) ૧દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લકુખવાણિજ્ય-લાખ, કસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- રસ-વાણિજ્યઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪-કેશ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને પ- વિસ વિસયં-વાણિજ્ય= ‘વિસ”અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસર્ય”- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨) એ જ પ્રમાણે ૧- યંત્ર પીલન કર્ય=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ - નિલંછનકર્મ= તે ઊંટ, બળદ વગેરેના નાકકાન વીંધવાથી લાગતું કર્મ ૩-દવ-દાન-કર્મ = જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ ૪- શોષણ કર્મ=સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને પ- અસતિ પોષણ કર્મ =કુતરાબિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મશ્રાવકે વર્જવું જોઈએ. (૨૩) (આ રીતે સાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્ત – આહાર આદિ ૫ અતિચાર અને ૧૫ કર્માદાનના મળીને ૨૦ અતિચાર થાય છે)
(અનર્થ વિરમણ વ્રતના અતિચાર) સસ્થગ્નિ મુસલ જંતગ, તણ કદ્દે મંત મૂલ ભેસજે, દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિમં સવં. (૨૪) હાણુ બૈટ્ટણ વન્નગ, વિલવણે સદ્ રૂવ રસ ગંધે,
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વત્ચાસણ આભરણે, પડિક્કમે દેસિઅં સર્વાં. (૨૫) કંદપ્પે કુક્કુઇએ, મોહરિ અહિગરણ, ભોગ અઇરિત્તે, દંડસ્મિ અણટ્ટાએ, તઇઅમ્મિ ગુણત્વએ નિંદે. (૬)
શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા દિવસ સંબંધી (સર્વ અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૪)
જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું પ– વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬ - રૂપનિરખવાં ૭ અનેક રસનો સ્વાદ કરવો ૮- અનેકજાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯ – વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોને પડિક્કમુંછું. (૨૫)
૧-કંદર્પ= વિકાર વધે તેવી વાતો કરવી ૨- કૌકુચ્ચ = કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી ૩-મૌખર્ય = મુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું ૪- સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂ૨) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫- ઉપભોગ-પરિભોગાતિરિક્તતા ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂ૨) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જે દોષ લાગ્યો હોય, તેને હું નિંદુ છું. (૨૬)
=
—
૭૭
(સામાયિક વ્રત વિષેના અતિચાર)
તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિણે, સામાઇઅ વિતહ કએ, પઢમે સિક્ખાવએ નિંદે. (૭)
૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક
Page #131
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કરવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવા સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. (૨૭)
(દશાવગાસિક વ્રતના અતિચાર) આણવણે પેસવણે, સદે રૂવે અ પુગ્ગલખેવે, દેસાવગા સિઅમિ, બીએ સિખાવએ નિંદે. (૨૮)
૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨- Dષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને પ- પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૨૮)
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર) સંથારુચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ, પોસહ વિહિ વિવરીએ, તઈએ સિખાવએ નિંદ. (૨૯)
સંથારા સંબંધી વિધિમાં ૧- પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ ૨- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ, પ્રમાદ કરવાથી, તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) ૩- પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૭૯
(અતિથિ સંવિભાગના અતિચાર) સચ્ચિત્તે નિખ્રિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ,
કાલાઇક્કમ દાણે, ચઉલ્થ સિફખાવએ નિંદે. (૩૦) સુહિએસુ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા,
રાગેણ વ દોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ,
સંતેફાસુઅ દાણે, તે નિંદે તં ચ ચરિતામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨- દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી ( દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪-ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશે દાન આપવાથી અને ૫- મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા “અતિથિ-સંવિભાગ” નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદુ છું. (૩૦) જ્ઞાનાદિમાં જેનું હિત છે, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપવડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથીદુઃખી, એવા અસંયતીપાસત્થા (છજીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહ (વિશેષનિંદા) કરું છું. (૩૧) નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું . (૩૨)
(સંલેષણાના અતિચાર) ઇહલોએ, પરલોએ, જીવિઅ મરણે આ આસંસ પગે,
પંચવિહો અઇયારો, મા મ... હુજ મરણતે. (૩)
Page #133
--------------------------------------------------------------------------
________________
૮૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે જેવા સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪- મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. (૩૩)
(ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર) કાણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ,
મણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈ આરસ્સ. (૩૪) ૧- અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨- અશુભ વચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભ મનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
વંદણ વય સિદ્ધા, ગારવેસુ સન્ના કસાય દંડસુ, ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અ તં નિંદ. (૩૫)
૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ૨- વ્રત બાર પ્રકારનાં, પ-અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ -શિક્ષાવ્રત) ૩-શિક્ષા (બે પ્રકારની, ગ્રહણ શિક્ષા=સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા =કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-રસગારવ=ઘી, દુધ, દહીંઆદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની લાલસા) ઈચ્છા કરવી તે, ર–ઋદ્ધિગારવ= ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) પ- સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧- આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા ૩-મૈથુન સંજ્ઞા અને ૪-પરિગ્રહ
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૮૧
સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) - કષાય ( જેનાથી સંસાર વધેતે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ર-માન ૩-માયા અને ૪-લોભ) ૭- દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે.૧- મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧- મનગુપ્તિ ૨- વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯-સમિતિ (જના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇસમિતિ, ૨- ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને પ-પારિષ્ઠાપનિકાસમિતિ) આવિષે કરવા યોગ્ય ન કરવાથી અને નકરવા યોગ્ય કરવાથી જે અતિચારલાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૩૫)
સમ્મદિટ્ટી જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ,
અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩૬) સમ્યગદષ્ટિ (સમ્યક્ત્વી) જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (તે) નિર્દયપણે (ક્યારેય) પાપ કરતો નથી. (૩૬)
તં પિ હુ સપડિક્કમણ, સપ્ટેરિઆવે સ ઉત્તરગુણં ચ, ખિપ્પ વિસામેઈ, વાહિબ્ધ સુસિદ્ધિઓ વિજો. (૩૭)
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી રીતે શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છેતેમનિશ્વયથી તે અલ્પકર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવેછે. (૩૭)
જહા વિસં કુટ્ટગયું, સંત મૂલ વિસારયા, વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિāિસં. (૩૮)
એવં અટ્ટવિહં કમ્મ, રાગ દોસ સમક્રિએ, આલોખંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯)
Page #135
--------------------------------------------------------------------------
________________
૮૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિઅ ગુરુસગાસે, હોઇ અઇરેગ લહુઓ, ઓહરિઅ ભરુત્વ ભારવહો. (૪૦) આવસ્સ એણ એએણ, સાવઓ જઇ વિ બહુરઓ હોઇ, દુસ્ખાણ મંત કિરિએં, કાહી અચિરેણ કાલેણ. (૪૧)
જેમ ભાર ઉપાડનાર (મન્નુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. (૪૦) શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય (તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)
(વિસ્મૃત થયેલા અતિચાર)
આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ કાલે, મૂલગુણ ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૪૨)
પ્રતિક્રમણ આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે જે અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું ને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરુંછું. (૪૨)
(પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરી બોલવું) (પાપોની નિંદા કરતા કરતા આત્મા હલકો થયો હોવાથી આરાધના માટે ઊભા થવું) તસ્સ ધમ્મસ કેવલિ પન્નત્તસ્સ
અમ્મુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તે કેવળી ભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, તે ધર્મની વિરાધનાથી અટક્યો છું અને મન, વચન, અને કાયાથી થતા પાપોથી પાછો ફરતો હું ચોવીશ જિનેશ્વરોને વંદન કરું છું. (૪૩)
(‘અભ્યુઢિઓમિ’ બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.) (સર્વ ચૈત્ય વંદન)
૮૩
(૪૪)
જાવંતિ ચેઇઆઇ, ઉર્દૂ અ અહે અ તિરિઅલોએ અ, સવ્વાઈ તાઈ વંદે, ઇહ સંતો તત્વ સંતાઇ. જાવંત કે વિ સાહૂ, ભર હેર વય મહાવિદેહે અ, સવ્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિરયાણં. (૪૫)
ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્હાલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલી સર્વપ્રતિમાઓને ભાવપૂર્વક વંદન કરુંછું. (૪૪) (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, સર્વને હું નમું છું. (૪૫)
(શુભ ભાવની પ્રાર્થના)
ચિર સંચિય પાવ પણાસણીઇ, ભવ સય સહસ્ય મહણીએ, ચઉવીસ જિણ વિણિગ્ગય કહાઇ, વોલંતુ મે દિઅહા. (૪૬) મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુએં ચ ધમ્મો અ, સમ્મદ્દિઢી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. (૪૦)
લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નીકળેલી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. (૪૬)
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧-અરિહંત ભગવંત ૨- સિદ્ધભગવંત ૩- સાધુ ભગવંત ૪-શ્રુત (જ્ઞાન) ધર્મ અને ૫- ચારિત્રધર્મ : આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિ દેવતાઓ (મને) સમાધિ અને સમક્તિ આપો.(૪૭)
(કયા કારણે પ્રતિક્રમણ કરવું) પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું,
અસદ્દહણે આ તહા, વિવરીઅ પરૂવણાએ અ. (૪૮) ૧- શાસ્ત્રમાં ના પાડેલ કામ કર્યું હોય ૨- શાસ્ત્રમાં કહેલ કરવા યોગ્ય શુભ કામ ન કર્યું હોય ૩- જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય અને ૪- શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી પાછા ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૪૮)
(સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના) ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી એ સવ્વ ભૂએસુ, વેર મઝ ન કેણઈ. (૪૯) એવમહં આલોઇએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ,
તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસ. (૧૦) હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવછે, કોઈ જીવ સાથે મારે વેર નથી. (૪૯) આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અને) સારી રીતે દુર્ગછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધે પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) હુંચોવીશે જિનેશ્વરને વંદન કરું છું. (૫૦)
જે વીસ સ્થાનકોનું ઉલ્લાસપૂર્વક આરાધન કરવાથી પુરુષોત્તમપદ' ની પ્રાપ્તિ થાય છે, તેમાનું એક સ્થાનક ‘વંદિતુ સૂત્ર’ એ પ્રતિક્રમણ સૂત્રમાં આવશ્યક સૂત્ર છે. એટલે તેની ઉપાદેયતા શ્રમણ અને શ્રાવક એ ઉભયને માટે એક સરખી છે. શ્રાવક ધર્મને લગતા સંભવિત અતિચારોના આલાપકો આ સૂત્રમાં સર્વેને આપ્યા છે. તેથી શ્રાવકોએ પ્રતિદિન પોતાના વ્રતમાં લાગેલા અતિચારોની નિંદા અને ગદ્વારા પ્રતિક્રમણ કરવું સમુચિત છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૮૫
અહીયાં સુધી દૈવસિક પ્રતિક્રમણની વિધિ કરી અને હજુ એ ક્રિયા બાકી રહી
છે જે આગળ ઉપર શરૂ થવાની છે. એ દરમિયાન વચગાળામાં દેવસિની ક્રિયા મુલતવી રાખી સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરી લેવાની છે. તેથી બાર મહિનામાં આડા અવળા અનેક જાતનાં લાગેલા પાપોનો ક્ષય કરવા અને આત્મિક શુદ્ધિ મેળવવા અહીંથી આ ક્રિયાનો પ્રારંભ થાય છે.
(અહીંથી છીંકનો ઉપયોગ રાખવાનો છે.)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
સંવચ્છરીઅ આલોઇઅ પડિક્કતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી મુહપત્તિ પડિલેહું? “ઇચ્છે
દિવસ સંબંધી થયેલા દુષ્કૃત્યોની આલોચના કરવા, હે ભગવંત, સંવત્સરી મુહપત્તિ પડિલેહું?
(કહી મુહપત્તી પડિલેહવી. પછી બે વાંદણા દેવા.)
- મુહપત્તીનું પડશહેણ ઉભડક પગે કરવાનું હોય છે. ૨ હાથને બે પગ વચ્ચે રાખી મસ્તક નીચું રાખી મુહપત્તનું પડિલેહણ કરવાનું છે. આ મુદ્રા “સંલીનતા'નામનાં એક તપના ભાગરૂપે છે. તેનાથી અંગોપાંગની ચંચળતા દ્વારા થતી જીવહિંસાદિ પાપથી બચાય છે અને તેનાથી સૂક્ષ્મ પ્રમત્તતા પણ પરાસ્ત થાય છે. -મુહપત્તી - સૂત્રો બોલતાં સૂક્ષ્મ જીવો મુખમાં ન ચાલ્યા જાય અને તેમની રક્ષા થાય તે મુહપત્તીનો મુખ્ય ઉપયોગ છે વળી રજ ધૂળની પ્રમાર્જના કરવી તે પણ તેની ઉપયોગિતા છે. મુહપત્તી સામાન્ય રીતે એક વેત અને ચાર આંગળણી રાખવાની હોય છે. તે સુતરાઉ કપડાની હોવી જોઈએ.
Page #139
--------------------------------------------------------------------------
________________
८५
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ
૧૦
3
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિહરું, પ- કામરાગ, ૬- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિ, ૮- સુદેવ, ૯- સુગુરુ, - સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિહતું, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિઠ્ઠું, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિણ્યું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રિત, ૩- અરિત પરિહતું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, Rs- દુર્ગંછા પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯– કાપોતલેશ્યા પરિē.} (મોઢે પડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧-ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિહતું. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિ.} (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિ. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિહતું.} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧-અપ્લાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું
(ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉચ્ચાં, (૨) નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસ ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતા ! બહુ સુભેણ ભે! સંવચ્છરો વાંક્કતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ના બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જે ચ ભે (૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! સંવચ્છરી વડક્કમ )
આવઆિએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણે, સંવચ્છરીઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્ય ધમાઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ,
ગરિયામિ, અપ્પાણે વોસિરામિ (૭)
Page #141
--------------------------------------------------------------------------
________________
८८
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ,નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન) અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણું ! બહુ સુભેણ ભે ! સંવચ્છરો વઇકંતો (૩) (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે
(૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જ્યં ચ ભે
(૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન)
ખામેમિ ખમાસમણો ! સંવચ્છરીએ વઇક્કમ છે
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે)
પડિક્કમામિ, ખમાસમણાણું, સંવચ્છરીઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્વ ધમ્માઇ ક્રમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ
(6)
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧)
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૮૯
(ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક =સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે - અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨)
આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત ! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે- તહત્તિ =તેપ્રકારેજછે.) (૩)
(શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે – તુમ્બં પિ વટ્ટએ = તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને ? ) (૪)
-
(શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને ? (ગુરુ કહે- ‘એવં ’= એમ જ છે) (૫)
(શિષ્ય કહે) - હે ક્ષમાશ્રમણ ! મારો વર્ષ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે ‘અહમપિ ખામેમિ તુમ – હું પણ તને ખમાવુંછું.) (s)
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું વર્ષ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું.(હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (=કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, હે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગર્હ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હુંત્યાગ કરું છું. (૭)
(આ સૂત્ર ગુરૂ ક્ષમાપનારૂપ હોવાથી ચરવળાવાળાએ ઉભા થઈ જવું જોઈએ.)
Page #143
--------------------------------------------------------------------------
________________
૯૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ગુરુની સમક્ષ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા સ્વરૂપ સૂત્ર
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંબુદ્ધા, ખામણેણં અભુઢિઓમિ અભિતર
સંવર્ચ્યુરીએ ખામેઉં? “ઇચ્છે'
ખામેમિ સંવચ્છરીએ.
(ચરવળા કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપી) બારમાસાણું, ચોવીસ પખાણું,
ત્રણસો સાઠ રાઈદિવસાણં, જંકિંચિ અપત્તિએ પરંપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે,
અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ મઝ વિણયપરિહાણે સહુમ વા બાયર વા તુમ્ભ જાણહ
અહં ન જાણામિ
તસ્સ મિચ્છા મિ દુક્કડ. હે ભગવન ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, સંવત્સરી (વર્ષ)ના અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે.) આજ્ઞા પ્રમાણ છે. સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું. જે કોઈ ભોજનને વિષે, પાણીને વિષે, વિનયને વિષે, વૈયાવચ્ચને વિષે, એકવાર બોલવાથી, વારંવાર બોલવાથી, ગુરૂથી ઉંચે આસન બેસવાથી, ગુરૂની સમાન આસને બેસવાથી, ગુરૂ બોલતા હોય ત્યારે વચ્ચે બોલવાથી, ગુરૂએ કહેલી વાત ને વધારીને કહેવાથી, અપ્રીતિ ભાવ કે વિશેષ અપ્રીતિ ભાવ ઉપજાવ્યો હોય એવી રીતે જે કાંઈ પણ નાનું કે મોટું, મારાથી વિનય રહિતપણું થયું હોય, જે તમે જાણો છો, હું જાણતો નથી તે મારું દુષ્કૃત્ય (અપરાધ) મિથ્યા થાઓ.
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૧
આ સૂત્ર લઘુ ગુરૂવંદન સૂત્ર કહેવાય છે. આ જગતમાં ગુરૂ મહારાજ સિવાય તીર્થકર ભગવંતોને તેમજ તેમના ધર્મને તથા શાસ્ત્રોને ઓળખાવનાર બીજું કોઈ સાધન નથી જ. માટે તે ઉપકારના બદલામાં તેમની સારસંભાળ અને બહુમાનના પ્રશ્નો પુછી તેમની અગવડો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(આ સૂત્ર ગુરૂ ક્ષમાપના રૂપ હોવાથી ચરવળાએ ઉભા થઈ જવું જોઈએ.)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરી આલોઉં? ઇચ્છ, આલોએમિ. જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ,
માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકથ્થો, અકરણિજો દુઝાઓ, દુવિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણે,
ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણું, તિર્ણ ગુણવ્યાણં, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ ધમ્મ,
જં ખંડિએ, જં વિરાહિઅં,
તસ્સ મિચ્છામિ દુક્કડ. હું ઇચ્છું છું કે - હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી (વર્ષ) સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સુત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાધ્યું હોય, તે સંબંધી માર્દુષ્કૃત્યમિથ્યા થાઓ.
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સંવચ્છરી અતિચાર આલોઉં? ઇચ્છે હે ભગવંત ! સંવત્સરી (વર્ષ)ના અતિચારની આલોચના કરવાં ઇચ્છું છું. આજ્ઞા માન્ય છે.
(આમ કહી સંવછરી અતિચાર કહેવા.)
સંવત્સરી અતિચાર (મોટા અતિચાર) સમ્યક્ત સહિતનાં બાર વ્રતના ૧૨૪ અતિચારોનું વિશેષ સ્વરૂપે વર્ણન નારંમિ દંસણૂમિ અ, ચરસંમિ તવંમિ તહ ય વરિયમ્મિ,
આયરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ (1) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચાર માંહિ અનેરો જે કોઈ અતિચાર સંવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હુ મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (1)
તત્ર “જ્ઞાનાચારે' આઠ અતિચારકાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે,
વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણ-માયારો (1) જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં, અકાળે ભણ્યો, વિનયહીન, બહુમાનહીન, યોગ ઉપધાનહીન, અનેરા કન્ટેભણી અનેરો ગુરુકહ્યો. દેવ-ગુરુ વાંદણ, પડિક્કમણે, સક્ઝાય કરતાં, ભણતાં, ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાય, સાધૂતણે ધર્મ કાજો અણઉદ્ધર્યો, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે,
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૩
અણપસે, અસક્ઝાય અણીન્ઝાયમાં શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, શ્રાવકતણે ધર્મવિરાવલિ, પડિક્કમણા, ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, કાળવેળાએ કાજો અણઉદ્ધર્યપઢ્યો.
જ્ઞાનોપગરણ પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાલી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થૂક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માંજ્યો, ઓશીસે ધર્યો, કન્ય છતાં આહાર નિહાર કીધો. જ્ઞાનદ્રવ્ય ભક્ષતા ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસતાં ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો, અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણા-તણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પંચવિધ જ્ઞાન-તણી અસદુહણા કીધી. કોઈ તોતડો, બોબડો દેખી હસ્યો, વિતર્યો, અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧)
દર્શનાચારે આઠ અતિચાર - નિત્સંકિય નિક્કખિય, નિવિ તિગિચ્છા અમૂઢ દિક્ટ્રિ અ,
ઉવવૂહ થિરી કરણે, વચ્છલ્લ પભાવણે અટ્ટ (૨)
દેવ ગુરુ ધર્મતણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંતનિશ્ચયનકીધો. ધર્મ સંબંધીયા ફલ તણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલમલિન ગાત્ર દેખી દુર્ગછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢતૃષ્ટિપણે કીધું તથા સંઘમાંહે ગુણવંત-તણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી. અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય,જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિખાણ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધર્મિકસાથે
Page #147
--------------------------------------------------------------------------
________________
૯૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કલહ-કર્મ-બંધ કીધો. અધોતી, અષ્ટપડ મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશ તણો ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડ્યું, ઉસાસ નિઃસાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, મલ-શ્લેષ્માદિક લોહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં. પાન સોપારી, નિવેદીયાં ખાધાં. ઠવણાયરિય હાથ થકી પાડ્યાં, પડિલેહવા વિસાર્યાં. જિનભવને ચોરાશી આશાતના, ગુરૂ ગુરૂણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન ‘તહત્તિ’ કરી પડિવજ્યું નહીં . દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડં (૨)
ચારિત્રાચારે આઠ અતિચાર
પણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઇહિં તીહિં ગુત્તીહિં, એસ ચરિત્તાયારો, અટ્ટવિહો હોઇ નાયવ્યો (૩)
ઈર્યાસમિતિ તે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બોલ્યા. એષણાસમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્ત નિમ્બેવણા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું, લીધું. પારિષ્ઠાપનિકા-સમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ = મનમાં આર્ત્ત-રૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચન-ગુપ્તિ = સાવઘ-વચન બોલ્યાં, કાયગુપ્તિ - શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે, રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના હુઈ.
=
=
ચારિત્રાચાર વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિદુક્કડં (૩)
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૫
વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રત સમ્યક્ત્વતણા પાંચ અતિચાર – શંકા કંખવિગિચ્છા.
=
શંકા - શ્રી અરિહંતતણાં બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રિયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણો સંદેહ કીધો. આકાક્ષાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ, ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ, આતંક, કષ્ટ, આવ્યે ઇહલોક-પરલોકાર્થે પૂજ્યા, માન્યા. પ્રસિદ્ધવિનાયકજીરાઉલાને માન્યું-ઇછ્યું.
બૌદ્ધ, સાંખ્યાદિક, સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ, અનેરા દર્શનીયાતણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, ૫૨માર્થ જાણ્યા વિના ભુલાયા, મોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહિપૂનમ, અજા-પડવો, પ્રેત-બીજ, ગૌરી-ત્રીજ, વિનાયક ચોથ, નાગ-પંચમી, ઝીણલા-છઠ્ઠી, શીલ-સાતમી, ધ્રુવ-આઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી, વચ્છ-બારશી, ધનતેરશી, અનંત-ચઉદશી, અમાવસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ નૈવેદ્ય કીધાં. નવોદક, યોગ, ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા. પીંપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં, ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ સમુદ્ર, કુંડે, પુન્યહેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા, દાન દીધાં. ગ્રહણ, શનૈશ્વર, માહ માસે નવરાત્રિએ ન્હાયાં. અજાણતા થાપ્યાં, અનેરા વ્રત વ્રતોલાં કીધાં, કરાવ્યાં.
‘વિતિગિચ્છા’ = ધર્મ સંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર ઇસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજ્યા. મહાસતી-મહાત્માની, ઇહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા, મહાત્માના ભાત, પાણી, મળ, શોભાતણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો, કીધો.
Page #149
--------------------------------------------------------------------------
________________
૯
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી સમ્યકત્વ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી, મિચ્છામિ દુક્કડં. (૩)
પહેલે શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રત પાંચ અતિચારવહબંધછવિચ્છેએ.(1) દ્વિપદ, ચતુષ્પદ પ્રત્યે રીસ-વશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો. નિલંછન કર્મ કીધાં. ચારાપાણી તણી વેળાએ સારસંભાળ ન કીધી. લેહણે દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો, તેણે ભૂખે આપણે જમ્યા. કન્ડે રહી મરાવ્યો. બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તડકે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા. ઈંધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં. તે માંહિ સાપ, વિછી, ખજૂરા, અરવલા, માંકડ, જુઆ, ગીંગોડા સાહતાં મૂઆ, દુહા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી મંકોડીનાં ઈંડાં વિછોહ્યાં, લીખ ફોડી, ઉદ્દેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચુડેલ, પતંગીયા, દેડકાં, અળસીયાં, ઇયળ, કુંતા, ડાંસ, મસા, બળતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્ઠા. માળા હલાવતાં, ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઇંડાં ફોડ્યા. અનેરા અકેદ્રિયાદિક જીવ વિણામ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં, અનેરા કાંઈ કામકાજ કરતાં, નિર્બસપણું કીધું, જીવરક્ષા રૂડી ન કીધી. સંખારો સૂકવ્યો. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું. રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા, લુગડાં ધોયાં. ખાટલા તડકે નાખ્યા, ઝાટક્યા. જીવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દળણ, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદશના નિયમભાંગ્યા.ધૂણી કરાવી. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧)
બીજે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત પાંચ અતિચાર સહસારહસ્સેદારે. (૨) સહસાકારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું. સ્વદારા
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૯૭
મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર, આલોચ મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કૂડો લેખ લખ્યો, કૂડી સાખ ભરી, થાપણ મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જૂઠું બોલ્યા. હાથ પગ તણી ગાળ દીધી. કડકડા મોડ્યા. મર્મવચન બોલ્યા.
બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન,વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૨)
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર તેના હડપ્પઓગે. (૩) ઘર, બાહિર, ક્ષેત્રે, ખળે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાપરી, ચોરેલી વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિસ, સજીવ, નિર્જીવ વસ્તુના ભેળસંભેળ કીધાં. કૂડે કાટલે, તોલે, માને, માપે વહોર્યાં, દાણચોરી કીધી. કુણહીને લેખે વરાંસ્યો. સાટે લાંચ લીધી. કૂડો કરહો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી. પાસંગ ફૂડાં કીધાં. દાંડી ચઢાવી. લહકે ત્રષકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુહિને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુ ઓળવી લીધી.
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૩)
ચોથે સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમન વિરમણવ્રતે પાંચ અતિચાર અપરિગ્દહિયા ઇત્તર .(૪)
અપરિગૃહીતાગમન, ઈત્વરપરિગૃહિતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી કુલાંગના, સ્વદારા-શોક્યતણે વિષે દૃષ્ટિ વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા. આઠમ ચૌદશ, અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાગ્યાં. ઘરઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો.
Page #151
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં. પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા ઢીંગલી પરણાવ્યાં. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ન લાધ્યાં. નટ, વિટ, સ્ત્રી શું હાંસું કીધું. ચોથે સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમનવિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિહું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૪)
પાંચમે પરિગ્રહપરિમાણવ્રત પાંચ અતિચાર-ધણ ધન્નખિત્તવત્થ. (૫)
ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ઠ, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂચ્છ લગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહીં, લઈને પત્યું નહીં, પઢવું વિચાર્યું, અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહ પરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૫)
છકે દિક્ષરિમાણ વ્રત પાંચ અતિચાર-ગમણસ્મય પરિમાણે.)
ઊર્ધ્વ દિશિ, અધો દિશિ, તિર્યમ્ દિશિએ જાવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃત લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આવી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષીકાલે ગામતરે કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છકે દિપરિમાણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૬)
સાતમે ભોગપભોગ-વિરમણ વ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર-સચ્ચિત્તે-પડિબદ્ધ. (૭)
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
°°
સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપાહાર, દુપાહાર, તુઔષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પોંક, પાપડી ખાધાં. સચિત્ત દત્વ વિગઈ, વાણહ-તંબોલ-વત્થ-કુસુમેરુ, વાહણ-સયણ-વિલેવણ, બંભ-દિસિ-હાણ-ભત્તેસુ.
એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરો, સૂરણ, કુણી આંબલી, ગળો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું. મધુ મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યાં ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિ ભોજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઊગે શીરાવ્યા.
તથા કર્મતઃ પન્નર-કર્માદાન, ઇંગાલ-કર્મો, વણ-કમ્મે, સાડી-કમ્મે, ભાડીકર્મો, ફોડી-કમ્મે, એ પાંચ કર્મ. દંત-વાણિજ્યે, લક્ષ વાણિજ્યું, રસ વાણિજ્યે, કેસ વાણિજ્યે, વિસ વાણિજ્યું, એ પાંચ વાણિજ્ય, જંતપિલ્લણકર્મો, નિલંછણકમ્મુ, દવગિદાવણયા, સર-દહ-તલાયસોસણયા, અસઈ-પોસણયા, એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પક્ષ૨ કર્માદાન બહુ સાવધ મહારંભ, રાંગણ લીહાલા, કરાવ્યા. ઇંટ નિભાડા પકાવ્યાં. ધાણી, ચણા, પાન્ન કરી વેચ્યાં, વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો કીધો. અંગીઠા કરાવ્યાં. શ્વાન, બિલાડા, સૂડા, સાલહી પોષ્યા. અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખર કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી, લીંપણે ગૂંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા સંધૂક્યા. ઘી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યા. તે માંહિ માખી, કુંતિ, ઉંદર, ગીરોલી પડી, કીડીચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગોપભોગ વિરમણ વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં (૭)
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આઠમે અનર્થદંડવિરમણ વ્રતે પાંચ અતિચાર- કંદપ્પે કુક્કુઇએ.(૮) કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણું કીધું, આર્ત્તરૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહ, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા, દળવાતણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોલે, નાહણે, દાતણે, પગ ધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં. ઝીલણે ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોલે હિંચ્યા. નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં. આક્રોશ કીધા, અબોલા લીધા. કરકડા મોડ્યા, મચ્છર ધર્યો, સંભેડા લગાડ્યા, શ્રાપ દીધા, ભેંસા, સાંઢ, હુડુ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતાં જોયાં. ખાદી લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાશીયા, કાજ વિણ ચાંપ્યા, તે પર બેઠા, આલી વનસ્પતિ ખૂંદી. સૂઈ, શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી .
આઠમે અનર્થદંડ-વિરમણવ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડં (૮)
નવમે સામાયિક-વ્રતે પાંચ અતિચાર –તિવિહે દુપ્પણિહાણે. (૯)
સામાયિક લીધે મને આહટ્ટ, દોટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી. વીજ, દીવા તણી ઉજેહિ હુઈ. કણ કપાશીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીજકાય ઇત્યાદિક આભડ્યાં, સ્ત્રી, તિર્યંચ તણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિઓ સંઘટ્ટી, સામાયિક અણપૂગ્યું પાર્યું, પારવું વિસાર્યું .
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૧
નવમે સામાયિક વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં (૯)
દશમે દેશાવગાસિક-વ્રતે પાંચ અતિચાર – આણવણે પેસવણે. (૧૦) આણવણ પ્પઓગે, પેસવણ પ્પઓગે, સદ્દાણુ વાઇ, રૂવાણુ વાઇ, બહિયા પુગ્ગલ પશ્નેવે. નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કાંઈ અણાવ્યું. આપણ કન્હે થકી બાહે૨ કાંઈ મોકલ્યું અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું .
દશમે દેશાવગાશિક વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિદુક્કડં (૧૦)
અગ્યારમે પૌષધોપવાસ વ્રતે પાંચ અતિચાર – સંથારુચ્ચારવિહિ અપ્પડિલેહિય દુપ્પડિલેહિય સિજ્જાસંથારએ, અપ્પડિલેહિય દુપ્પડિલેહિય ઉચ્ચાર પાસવણ ભૂમિ. (૧૧)
પોસહ લીધે સંથારા તણી ભૂમિ ન પૂંજી, બાહિરલા લહુડાં વડાં સ્થંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માતરું અણપૂંજ્યું હલાવ્યું. અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું, પરઠવતાં ‘અણુજાણહ જસ્સગ્ગહો’ ન કહ્યો, પરઠવ્યા પૂંઠે વાર ત્રણ ‘વોસિરે વોસિરે' ન કહ્યો, પૌષધશાલા માંહિ પેસતાં ‘નિસીહિ’, નીસરતાં ‘આવસહિ' વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અર્, તેઉ, વાઉ, વનસ્પતિ, ત્રસકાયતણા સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પોરિસી તણો વિધિ ભણવો વિસાર્યો. પોરિસીમાંહિ ઊંધ્યા, અવિધ સંથારો પાથર્યો. પારણાદિકતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંઘાં. પડિક્કમણું ન કીધું. પોસહ અસુરો લીધો, સવેરો પાર્યો. પર્વતિથિએ પોસહ લીધો નહીં.
અગ્યારમે પૌષધોપવાસત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૧)
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
બારમે અતિથિસંવિભાગવ્રતે પાંચ અતિચાર-સચ્ચિત્તેનિખિવશે. (૧૨)
સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું, અણદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડીપરાયું કીધું. વહોરવા વેળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યું ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહમિ વચ્છલ ન કીધું. અનેરા ધર્મક્ષેત્ર સીદાતાંછતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન, ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન નદીધું. બારમે અતિથિ-સંવિભાગ વ્રત વિષઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતા અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડં (૧૨)
સંલેષણા તણા પાંચ અતિચાર- ઈહલોએપરલોએ. (૧૩)
ઈહલોગા-સંસપ્પઓગે, પરલોગા સંસપ્પઓગે, જીવિસંસપ્પઓગે, મરણા-સંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે. ઇહલોકે ધર્મના પ્રભાવ લગે રાજ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંક્યા, પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવ્યું જીવિતવ્ય વાંક્યું, દુઃખ આવ્યે મરણ વાંડ્યું. કામભોગ તણી વાછાં કીધી. સંલેષણા વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧૩)
તપાચારબારભેદ-છ બાહ્ય, છ અત્યંતર. અણસણ-મૂણોઅરિઆ. (૧૪).
અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરીવ્રત તે કોળિયા પાંચ સાત ઊણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુઓનો સંક્ષેપ કીધો નહીં. રસત્યાગ તે વિગયત્યાગ ન કીધો. કાયક્લેશ તે લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સંલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં, પચ્ચકખાણ ભાંગ્યા. પાટલો ડગડગતો ફેડ્યો નહીં. ગંઠસી, પોરિસી, સાઢપોરિસી, પુરિમષ્ઠ, એકાસણું, બિઆસણું, નીવિ,
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૩
આયંબિલ પ્રમુખ પચ્ચકખાણ પારવું વિચાર્યું. બેસતાં નવકાર ન ભણ્યો. ઊઠતાં પચ્ચકખાણ કરવું વિચાર્યું. ગંઠસીયું ભાંગ્યું. નીવિ, આંબિલ ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું. વમન જુઓ. બાહ્ય તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧૪)
અત્યંતર તપ-પાયચ્છિત્તવિણઓ. (૧૫)
મન-શુદ્ધ ગુરૂ કન્ડે આલોયણા લીધી નહીં, ગુરૂ-દત્ત પ્રાયશ્ચિત્તતપ લેખા શુદ્ધ પહોંચાડ્યો નહીં. દેવ, ગુરૂ, સંઘ, સાહમ્મીઓ પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાંચના, પુચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા-લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો, ધર્મધ્યાન, શુક્લધ્યાન ન ધ્યાયાં, આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ્ન ન કીધો. અત્યંતર તપ વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૫)
વીર્યાચારના ત્રણ અતિચાર - અણિમૂહિઅબલવરિઓ. (૧૬)
પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન-વચન-કાયા તણું છતું બળ, છતું વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણા-તણા આવર્ત- વિધિ સાચવ્યા નહીં. અન્યચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું. વીર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧૬)
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નાણાઇઅટ્ટ-પઈવય, સમ્મસંલેહણ પણ પન્નર-કમ્મેસુ, બારસ તપ વીરિ-અતિગં, ચઉવ્વીસ સયં અઇયારા. પડિસિદ્ધાણં કરણે. (૧૭) પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મવિચાર સદ્દહ્યા નહીં. આપણી કુમતિ લગે ઉત્સૂત્ર પ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ, અરિત, પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય એ અઢાર પાપસ્થાન કીધાં, કરાવ્યાં, અનુમોધાં હોય. દિનકૃત્ય-પ્રતિક્રમણ, વિનય, વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞાવિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોદ્યું હોય. એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૭)
એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રત, એકસો ચોવીસ અતિચાર માંહિ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
ઈતિ શ્રી સંવચ્છરી અતિચાર સમાપ્ત.
પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર
સવ્વસ વિ, સંવચ્છરીઅ દુચ્ચિતિઅ, દુખ્માસિઅ, દુચ્ચિટ્ટિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. ઇચ્છાકારી ભગવન્ !
પસાય કરી સંવચ્છરીતપ પ્રસાદ કરશોજી.
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૫
આપસ્વેચ્છાએ મને અનુમતિ આપો કે સંવત્સરી દિવસ સંબંધિત આર્ત-રૌદ્ર ધ્યાન સ્વરૂપ દુષ્ટ ચિંતવનથી, અસત્ય-કઠોર વચન સ્વરૂપ દુષ્ટ ભાષણથી અને ન કરવા યોગ્ય ક્રિયા સ્વરૂપ દુષ્ટ ચેષ્ટા રૂપ પાપથી પાછો ફરું ? (ગુરુભગવંત કહે – ભલે ! પાપથી પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે – ) આપની આજ્ઞા પ્રમાણ છે. હું તે સઘળાય દુષ્કૃત્યથી પાછો ફરું છું અને મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ. હે ભગવંત! કૃપા કરી સંવત્સરી તપ પ્રસાદ કરશોજી.
(ગુરૂજી હોય તો તે કહે, નહીં તો પોતે નીચે પ્રમાણે કહે.) અટ્ટમભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ,
બાર એકાસણાં, ચોવીસ બેઆસણાં, છ હજાર સક્ઝાય, યથાશક્તિ તપ કરી પહોંચાડજો.
ત્રણ ઉપવાસના એક સાથેના પચ્ચકખાણ = અઠ્ઠમ/સળંગ ત્રણ ઉપવાસ = અઠ્ઠમ, ત્રણ છૂટા ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણા, ચોવિસ બેઆસણા, છ હજાર સઝાય, તપ કર્યું હોય તો “પઇઠ્ઠિઓ” કહેવું અને કરવાનું હોય તો ‘તહત્તિ” કહેવું અને ન કરવાનું હોય તો “યથાશક્તિ' કહેવું અથવા માત્ર મૌન રહેવું.
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન) અણજાણહ મે મિઉગ્નેહ, (૨)
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નિસાહિ (ગરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસ ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણે! બહુ સુભેણ ભે! સંવચ્છરો વધતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ તા બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જં ચ ભે (૫)
(દ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો ! સંવચ્છરિએ વઇક્રમ ()
આવર્સિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણે, સંવચ્છરિઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્ય ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણ વોસિરામિ ()
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ,નિસાહિઆએ (૧)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણુજાણહ મે મિઉગઈ, (૨) નિસીહ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું)
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૭
અહો કાય કાય સંફાસ ખમણિજો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણું ! બહુ સુભેણ ભે! સંવચ્છરો વાંક્કતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ત્તા બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જં ચ ભે (૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઇક્રમ (ઈ.
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે) પડિક્કમામિ, ખમાસમણાણે, સંવચ્છરિઆએ આસાયણાએ,
તિરસન્નયારાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ,
અપ્રાણ વોસિરામિ (૭)
(શિષ્ય કહે) હેક્ષમાપ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
છે ને? (ગુરુ કહે-તહત્તિeતે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે- તુક્મપિ વટ્ટએ તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છેને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો વર્ષ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલા આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
હવે સંવત્સરી ખામણા કરવાનાં હોવાથી ચરવળાવાળાઓએ ઉભા થઈ જવું. પ્રથમ ગુરૂદેવો સાથે અવિનય, આશાતના, વૈર-વિરોધ આદિ થયું હોય તેની અને તે બાદ સમગ્ર વિશ્વનાં પ્રાણીમાત્ર પ્રત્યે ક્રોધાદિકષાયો થઈ ગયા હોય, વૈર-વિરોધાદિબન્યું હોય તે બધાની ક્ષમાપના માંગવાની છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
પત્તે ખામણેણં અભુઠ્ઠિઓ મિ અભિતર સંવચ્છરી ખામેઉં? ઇચ્છે ખામેમિ સંવચ્છરીએ, બાર માસાણ, ચોવીસ પખાણું,
ત્રણસો સાઠ રાઈ દિવસાણે
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૦૯
બંકિંચિ અપત્તિઅં પરપત્તિઅં,
ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉરિભાસાએ,
જંકિંચિ મઝ વિણયપરિહીણું સહુમેં વા બાયર વા તુબ્સે જાણહ અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
હે ભગવન્ ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, પ્રત્યેક વ્યક્તિગતને દિવસના અપરાધ ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું. બારે માસ, ચોવીસ પક્ષ, ત્રણસો સાઠ રાઈ-દેવસિઅ પ્રતિક્રમણમાં
આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવૃત્યમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે સ્થૂળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
(સકળ સંઘને મિચ્છા મિ દુક્કડં)
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન) અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણં ! બહુ સુભેણ ભે ! સંવચ્છરો વઇકંતો (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે
(૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જ્યં ચ ભે. (૫)
(૩)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન)
ખામેમિ ખમાસમણો ! સંચ્છરિઅં વઇક્કમં ()
આવસ્ટિઆએ
(અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું)
પડિક્કમામિ, ખમાસમણાણું, સંવચ્છરિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ,
મણ-દુકડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્વ ધમ્માઇ કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ (૭)
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ,નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન) અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું)
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૧ ૧
અહો કાય કાય સંફાસ ખમણિજો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણે! બહુ સુભેણ ભે! સંવચ્છરો વઇન્કંતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ તા બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જે ચ બે ()
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! સંચ્છરિએ વઈક્કમ )
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે) પડિક્કમામિ, ખમાસમણાર્ણ, સંવચ્છરિઆએ આસાયણાએ,
તિત્તીસયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિથ્થો વયારાએ, સવ્વ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ,
અપ્રાણ વોસિરામિ (૭)
(શિષ્ય કહે) હે ક્ષમાપ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશીથી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે- તહત્તિ તે પ્રકારે જ છે.) (૩). (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂ કહે- તુક્મ પિ વટ્ટએ=તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) - હેક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુકહે “અહમપિખામમિતુમ-હુંપણતનેખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઈ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલા આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂ૫)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગઈ (વિશેષ
દેવસિઅ આલોઇઅં પડિક્કતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવછરીએ પડિક્કમ્મામિ (અથવા પડિક્કમ્)?
સમં પડિક્કમામિ,
ઇચ્છે' કહી
દિવસ સંબંધી દુષ્કૃત્યોની આલોચનાનું પ્રતિક્રમણ, હે ભગવંત, સંવત્સરી (વર્ષ) સંબંધી પડિકમ્યું? ગુરૂ કહે છે – સમ્યક રીતે પ્રતિક્રમણ કરો. શિષ્ય કહેછે- તહત્તિ
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૩
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજં જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજ્જવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પા વોસિરામિ. (1) હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગર્તા વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
અતિચાર નિમિત્તે કાઉસ્સગ્ન
ઇચ્છામિ પડિક્કમિઉં. જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સો, ઉમ્મગ્ગો, અપ્પો, અકરણિજો, દુઝાઓ, દુવિચિંતિઓ, અણીયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ,
સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણ, તિહું ગુણવયા, અહિં સિખાવયાણ, બારસ વિહસ્સ સાવગ ધમ્મસ,
જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હું ઇચ્છું છું કે – હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકલ્પ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કશાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાવ્યું હોય, તે સંબંધી મારુંદુષ્કૃત્ય મિથ્યા થાઓ.
હે ભગવંત ! આપ (મને) ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો કે (હું) સંવત્સરી (દિવસ) સંબધી પાપોની આલોચના કરું ? (ત્યારે ગુરૂભગવંત કહે. આલોવેહ – આલોચના ભલે કરો) ત્યારે (શિષ્ય કહે) મને આપની આજ્ઞા પ્રમાણ છે. જે (કંઈ) સંવત્સરી દિવસ સંબંધી વ્રતોમાં અતિચાર રૂપ પાપ લાગ્યા હોય તેની હું આલોચના કરું છું.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સંવચ્છરી સૂત્ર પઢું ?‘ઇચ્છ’
હે ભગવંત, સંવત્સરી સૂત્ર બોલવાની આજ્ઞા આપો. આજ્ઞા પ્રમાણ છે.
ગુરૂકૃપાનેપ્રાપ્ત કરતો શિષ્ય ચારિત્ર જીવનનો ભારેખમ બોજ ઉપાડવાને સમર્થ બનેછે. અને શુદ્ધ ચારિત્રનું પાલન કરી શકે છે. આમ, ક્ષમાપનાદ્વારા ગુરૂનોવિનયવિવેક આ સૂત્રદ્વારા દર્શાવવામાં આવ્યોછે.
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૧૫
(પછી ત્રણ વાર નવકાર ગણવો, સાધુ હોય તો તે “સંવછરી સૂત્ર' કહે અને
ન હોય તો શ્રાવક “વંદિતુ સૂત્ર” કહે).
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા - ગઈ તથા
આત્માને પવિત્ર કરે તેવી ભાવનાઓ છે. વંદિત્ત સવ્વસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ, ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમાઈ આરસ્સ. (1)
સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપપાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. (૧)
(સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ, સુહુમો આ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨)
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે કંઈ) મને લાગ્યો હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૨)
(પરિગ્રહના અતિચાર) દુવિહે પરિગ્રહમિ, સાવજે બહુવિહે અ આરંભે, કારાવણે અ કરણે, પડિક્કમે સંવચ્છરીમં સવં. (૩)
બે પ્રકારના પરિગ્રહને વિષે ૧) સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને ૨)અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે સંવત્સરી સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. (૩)
(જ્ઞાનના અતિચાર)
જં બદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્પસચૅહિં, રાગેણ વ દોસણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૪)
અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૪)
(સમ્ય દર્શનના અતિચાર) આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અનિઓગે, પડિક્કમ સંવચ્છરીએ સળં. (૫)
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૭
શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાદષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં, તેમજ ફરવામાં સંવત્સરી સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૫)
(સમ્યકત્વ ના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તસ્સ ઈઆરે, પડિક્કમે સંવચ્છરી સળં. () છક્કાય સમારંભે, પયણે અ પયાવણે અ જે દોસા,
અgટ્ટા ય પરઢા, ઉભયટ્ટો ચેવ તે નિંદે. (૭)
૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા પ- જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સભ્યત્વવ્રતના અતિચાર છે, હું સંવત્સરી સંબંધી તે સર્વઅતિચારથી પાછો ફરું છું. (૬) પોતાને માટે, બીજાને માટે (અ) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છે જીવ નિકાય (= પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૬ જીવ નિકાય) ના સમારંભ (= પ્રાણીના વધનો સંકલ્પ- તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો- તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈદોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૭)
(સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહમણુવ્રયાણું, ગુણ વયાણં ચ તિહ મહયારે, સિફખાણં ચ ચહિં, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. (૮)
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પઢમે અણુવ્યસ્મિ, શૂલગ પાણાઇ વાય વિરઇઓ, આયરિય મપૂસલ્ય, ઈત્ય પમાય પ્રસંગેણં. (૯)
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર) વહ બંધ છવિષ્ણુએ, અદભારે ભત્ત પાણ ગુચ્છેએ, પઢમ વયસ્સઇઆરે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. (૧૦) પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી ૧- (જીવનો) વધ, રબંધન, ૩- અવયવ છેદન, ૪- અતિભાર (આરોપણ) અને પ- અન્ન-જળ અટકાવવારૂપ પહેલા (અણુ) વ્રતના અતિચારો છે, તેમાં) સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦)
(મૃષાવાદના અતિચાર) બીએ અણુવયમ્મિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ,
આયરિય મuસલ્ય, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૧)
સહસા રહસ્સ દારે, મોસુવએસે આ કૂડલેહે આ બીય વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ (૧૨)
બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- વગર વિચાર્યું કોઈના ઉપર ખોટી (જુઠું) આળ મૂકવી, રખાનગી વાત બહાર પાડવી, ૩- પોતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪- ખોટો (જુઠો) ઉપદેશ આપવો અને પ) જુઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી સર્વ (અતિચારો)નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૧,૧૨)
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૯
(અદત્તાદાનના અતિચાર)
તઈએ અણુવયમ્મિ, શૂલગ પર દā હરણ વિરઇઓ,
આયરિયમ પ્રસન્થ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૩) તેના હડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે અ, કૂડતુલ કૂડમાણે, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૧૪)
ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી અપ્રશસ્ત ભાવથી ૧- ચોરે ચોરેલી વસ્તુ લીધી હોય, ૨- ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩- મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને ૫- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં સંવત્સરી સંબંધી સર્વેને હું પડિક્કમું છું. (૧૩,૧૪)
(મૈથુનના અતિચાર) ચઉલ્થ અણુવ્યસ્મિ, નિર્ચો પર દાર ગમણ વિરઇઓ,
આયરિયમ પ્રસન્થ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૫) અપરિગ્દહિઆ ઇત્તર, અણંગ વિવાહ તિવ્ર અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૧૬)
ચોથા અણુવ્રતમાં સદા (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- અપરિગૃહીતાગમન=કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે ૨- ઇવર- પરિગૃહિતાગમન અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા પ્રમુખ સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા) ૩- અનંગ ક્રીડા= પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે ૪- પરિવવાહકરણ= પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને ૫) કામભોગ-તીવ્ર-અભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા (અણુ) વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હુંપ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર)
ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમ પસત્યમ્મિ, પરિમાણ પરિચ્છેએ, ઇત્થ પમાય પસંગેણં. (૧૭) ધણ ધન્ન ખિત્ત વત્યુ, રૂપ્પ સુવન્ને અ કુવિઅ-પરિમાણે, દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૮)
એ પછી પાંચમા અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ૨- ખેતર-ઘર વગેરે ૩- રૂપ-સોનું ૪- તાંબુ-કાંસું પ્રમુખ હલકી ધાતુઓના પ્રમાણ અને રાચરચીલું અને ૫-બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ઘોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા (અણુ) વ્રત સંબંધી સંવત્સરી દરમ્યાન લાગ્યા હોય, તેસર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૦,૧૮)
(જવા આવવાના નિયમોના અતિચાર)
ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઢું અહે અ તિરિઅં ચ, વુદ્ઘિ સઇ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણત્વએ નિંદે. (૧૯)
૧- ઉપ૨ની ૨- નીચેની અને ૩- તિર્કી દિશામાં (જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધા૨વાથી અને
Page #174
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૧ પ-(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (દિપરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હુંનિંદા કરું છું. (૧૯)
(ભોગ ઉપભોગના અતિચાર)
મર્જામિ અ, સંસંમિ અ, પુફે અ ફલે અ ગંધ મલે અ, વિભાગ પરિભોગે, બીયમ્મિ ગુણવએ નિંદે. (૨૦).
સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુપોલિએચ આહારે, તુચ્છો સહિ ભખ્ખણયા, પડિક્કમે સંવચ્છરીએ સળં. (૨૧)
મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ (એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (=વારંવાર ઉપયોગમાં આવે છે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હુનિંદા કરું છું. (૨૦) ૧- સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ર- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપક્વ-આહાર = તદ્દન અપક્વ= કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેર ૪-દુષ્પકુવ-આહાર= અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે ૫- તુચ્છૌષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી)સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧)
ઈંગાલી વણ સાડી, ભાડી ફોડી સુવર્જએ કમ્મ, વાણિજ્જ ચેવ દત, લક્ષ્મ રસ કેસ વિસ વિસય. (૨૨)
Page #175
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
એવં ખુ જંત પિલ્લણ, કમ્મ નિત્યંછણં ચ દવ દાણં, સર દહ તલાય સોસ, અસઈ પોસ ચ વર્જિા (૨૩)
૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ-તે અંગારકર્મ માળી ૨-ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવા તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર,
ઓટો મોબાઇલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવાં તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ - તે ફોટકકર્મ એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવાં જોઈએ. (વળી) ૧- દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લકુખવાણિજ્ય લાખ, કુસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- રસ-વાણિજ્યઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪-કેસ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને પ- વિસ વિસયં-વાણિજ્ય= ‘વિસ'અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસર્ય'- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨) એ જ પ્રમાણે ૧- યંત્ર પીલન કર્ય=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ ૨- નિલંછનકર્મ-તે ઊંટ, બળદ વગેરેના નાકકાન વીંધવાથી લાગતું કર્મ ૩- દવ-દાન-કર્મ = જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ ૪) શોષણ કર્મ=સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને પ- અસતિ પોષણ કર્મ =કુતરા-બિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મ શ્રાવકે વર્જવું જોઈએ. (૨૩)
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૩
(આ રીતેસાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્તઆહાર આદિપ અતિચાર અને ૧પકર્માદાનના મળીને ૨૦અતિચારથાયછે)
(અનર્થ વિરમણ વ્રતના અતિચાર)
સસ્થગિ મુસલ જંતગ, તણ કદ્દે મત મૂલ ભેસજે, દિન્ને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૨૪)
ન્હાણુ વટ્ટણ વજ્ઞગ, વિલેણે સદ્ રૂવ રસ ગંધે, વત્થામણ આભરણે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવં. (૨૫) કંદખે કુક્લઇએ, મોહરિ અહિગરણ, ભોગ અરિજે, દંડમ્મિ અણટ્ટાએ, તઈઅમ્મિ ગુણવ્વએ નિંદે. (૨૬)
શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા સંવત્સરીસંબંધી (સર્વઅતિચારો)નું હુંપ્રતિક્રમણ કરું છું. (૨૪) જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું પ- વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬- રૂપ નિરખવાં ૭- અનેક રસનો સ્વાદ કરવો ૮- અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯- વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો)નું પડિક્કનું છું. (૨૫) ૧-કંદર્પ=વિકાર વધે તેવી વાતો કરવી ર-કીકુચ્ચ=કામઉત્પન્ન કરનારીકુચેષ્ટા કરવી ૩-મૌખર્યમુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું૪-સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫- ઉપભોગપરિભોગતિરિક્તતા=ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂર) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જેદોષ લાગ્યો હોય, તેને હુંનિંદુછું. (૨૬)
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સામાયિક વ્રત વિષેના અતિચાર)
તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિહૂણે,
સામાઇઅ વિતહ કએ, પઢમે સિદ્ધાવએ નિંદે. (૨૦) ૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક કરવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું.(૨૭)
(દેશાવગાસિક વ્રતના અતિચાર) આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખેવે,
દેસાવગા સિઅમિ, બીએ સિદ્ધાવએ નિંદ. (૨૮) ૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨- શ્રેષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને પ- પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિદા કરું છું. (૨૮)
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર) સંથાચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ,
પોસહ વિહિ વિવરીએ, તઇએ સિખાવએ નિંદે. (૨૯) સંથારા સંબંધી વિધિમાં ૧-પડિલેહણ-પ્રમાર્જનન કરવારૂપ ર-પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૫
વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પઠવવાની ભૂમિને) ૩- પડિલેહણપ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)
(અતિથિ સંવિભાગના અતિચાર)
સચ્ચિત્તે નિખ઼િવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ, કાલાઇક્કમ દાણે, ચઉત્ને સિક્ખાવએ નિંદે. (૩૦) સુહિએસ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા, રાગેણ વ દોસેણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ, સંતેફાસુઅ દાણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨- દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪- ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશ્ચે દાન આપવાથી અને ૫- મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા ‘અતિથિ-સંવિભાગ' નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદુ છું. (૩૦)
જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસસ્થા (=છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૩૧)
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૩૨)
(સંલેષણાના અતિચાર) ઇહલોએ, પરલોએ, વિઅ મરણે આ આસંસ પગે,
પંચવિહો અઈયારો, મા મન્ઝ હુજ મરણંતે. (૩) ૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪-) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. (૩૩)
(ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર) કાણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ,
મણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈ આરસ્સ. (૩૪) ૧-અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨-અશુભવચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
વંદણ વય સિખા, ગારવેસુ સન્ના કસાય દંડસુ, ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઇઆરો અ તં નિંદે. (૩૫) ૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ર- વ્રત બાર પ્રકારનાં, પ- અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ - શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બે પ્રકારની
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૭
ગ્રહણ શિક્ષા=સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા = કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-રસગારવ = ઘી, દુધ, દહીં આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, ૨ –ઋદ્ધિગારવ = ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) પ- સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧- આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા ૩- મૈથુન સંજ્ઞા અને ૪- પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) - કષાય =જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ૨- માન ૩- માયા અને ૪-લોભ) ૭- દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે. ૧- મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧-મનગુપ્તિ ર-વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯- સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇર્યાસમિતિ, ર-ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને પ- પારિષ્ઠાપનિકાસમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૩૫)
સમ્મદિઠ્ઠી જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ, અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩૬)
સમ્યગદષ્ટિ (સમ્યકત્વી)જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (ત) નિર્દયપણે ક્યારેય) પાપ કરતો નથી. (૩૬)
તં પિ હુ સપડિક્કમણું, સપરિઆવંસ ઉત્તરગુણં ચ, ખિપ્પ વિસામેઇ, વાહિ ધ્વ સુ સિદ્ધિઓ વિક્ટો. (૩૭)
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી શકેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છે તેમ નિશ્વયથી તે અલ્પકર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવેછે. (૩૭)
જહા વિસં કુટ્ટગયું, સંત મૂલ વિસારયા, વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિવિસં. (૩૮)
એવં અટ્ટવિહં કમ્મ, રાગ દોસ સમએિ , આલોખંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯) મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિ ગુરુસગાસે, હોઇ અઇરેગ લહુઓ, ઓહરિએ ભવ્વ ભારવહો. (૪૦) જેમ ભાર ઉપાડનાર (મજુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાયછે. (૪૦) આવસ્ય એણ એએણ, સાવઓ જઈ વિ બહુરઓ હોઇ,
દુખાણ મંત કિરિઅ, કાહી અચિરણ કાલેણ. (૪૧) શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)
(વિસ્મૃત થયેલા અતિચાર) આલોયણા બહુવિહા, નય સંભરિઆ પડિક્કમણ કાલે,
મૂલગુણ ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિહામિ. (૪૨)
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૯
(પ્રતિક્રમણ) આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે (જે) અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું ને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૪૨)
(પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરી બોલવું) (પાપોની નિંદા કરતા કરતા આત્મા હલકો થયો હોવાથી આરાધના માટે ઊભા થવું)
તસ્ય ધમ્મસ્સ કેવલિ પન્નત્તમ્સ અમ્મુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ, તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)
તે કેવળી ભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, (તેની) વિરાધનાથી અટક્યો છું અને ચોવીશ જિનેશ્વરોને વંદન કરું છું. (૪૩)
(‘અભુક્રિઓમિ' બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.)
(સર્વ ચૈત્ય વંદન)
જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે આ અહે અ તિરિઅલોએ અ, સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તથા સંતાઈ. (૪૪) જાવંત કે વિ સાહુ, ભર હેર વય મહાવિદેહે અ, સર્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણું. (૪૫)
ઉર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલી સર્વેને ભાવપૂર્વક વંદન કરું છું. (૪) (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, તેઓ સર્વને હું નમ્યો છું. (૪૫)
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શુભ ભાવની પ્રાર્થના)
ચિર સંચિય પાવ પણાસણીઇ, ભવ સય સહસ્ય મહણીએ, ચઉવીસ જિણ વિણિગ્ગય કહાઇ, વોલંતુ મે દિઅહા. (૪૬) મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુઅં ચ ધમ્મો અ, સમ્મદ્દિઢી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. (૪૦)
લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નિકળેલી એવી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. (૪૬)
૧- અરિહંત ભગવંત ૨- સિદ્ધ ભગવંત ૩- સાધુ ભગવંત ૪- શ્રુત (જ્ઞાન) ધર્મ અને ૫- ચારિત્રધર્મ : આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિ દેવતાઓ (મને) સમાધિ અને સમક્તિ આપો. (૪૭)
(કયા કારણે પ્રતિક્રમણ કરવું)
પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું, અસદ્દહણે અ તહા, વિવરીઅ પરૂવણાએ અ. (૪૮)
૧- શાસ્ત્રમાં ના પાડેલ કામ કર્યું હોય ૨- શાસ્ત્રમાં કહેલ કરવા યોગ્ય શુભ કામ ન કર્યું હોય ૩- જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય અને ૪- શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૪૮)
(સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના)
ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વ ભૂએસુ, વેરું મજ્ઞ ન કેણઇ. (૪૯) એવમહં આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુર્ગંછિઅં સમ્મ, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૫૦)
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૩૧
હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રીભાવ છે, કોઈ જીવ સાથે મારે વૈર નથી. (૪૯)
આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અને) સારી રીતે દુર્ગંછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધે પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) ચોવીશેજિનેશ્વરને હું વંદન કરું છું. (૫૦)
(પછી શ્રુતદેવતાની નીચે મુજબ સ્તુતિ કહેવી. સમગ્ર સંઘ એકી સાથે વ્યવસ્થિત રીતે સ્તુતિ બોલે.)
શ્રુતદેવતાની સ્તુતિ
સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મ સંઘાયું, તેસિં ખવેઉ સયયં, જેસિં સુઅસાયરે ભત્તી. (૧)
જેઓની શ્રુતજ્ઞાન રૂપી સમુદ્ર પર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મોના સમુહનો ભગવતી શ્રુતદેવતા નાશ કરો. (૧)
અહીં ‘વંદણ વત્તિઆએ’ ન કહેવાનું કારણ દેવતાઓ અવિરત હોવાથી તેમનું સ્મરણ, પ્રાર્થના થાય, તેમને વંદન – પૂજન ન થાય.)
(પછી નીચે બેસી જમણો ઢીંચણ ઉભો કરી નીચે મુજબ ‘વંદિત્તુ કહેવું’)
શ્રી શ્રુતજ્ઞાનની વૃદ્ધિ માટે ‘શ્રુત’ને સ્મરણ કરવાના બદલે ‘શ્રુતદેવતા’ ને કયા હેતુથી સ્મરણ કરાયછે?
ઉત્તર : શ્રી દ્વાદશાંગીના અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ શ્રુતદેવતાને સ્મરણ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમપ્રગટેછે, માટે શ્રુતદેવતાનું સ્મરણ કરાય છે.
આત્મ શુદ્ધિ માટે જે ધર્મનું આલંબન લેવામાં આવે છે, તે ધર્મ બે પ્રકારનો છે.
૧- ચારિત્રધર્મ અને ૨- શ્રુતધર્મ. ચારિત્રધર્મ સંયમની કરણીરૂપ છે અને શ્રુતધર્મ સમ્યજ્ઞાનનાં આરાધનરૂપ છે. આ સમ્યગજ્ઞાન સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા અને ગણધરોએ ગુંથેલા સૂત્ર-સિદ્ધાંતોના આલંબન વડે માપી શકાય છે. તેથી એ સૂત્ર-સિદ્ધાંતોની ભક્તિ, આરાધના કે ઉપાસના ઇષ્ટ મનાય છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજ્વાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ. (1) હે ભગવંત! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
જીનશાસનના અર્થના અભિલાષી મનુષ્યોએ વિનયરૂપી મર્યાદાથી ગુરૂભગવંતોની સેવા કરવી જોઈએ.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છામિ પડિક્કમિઉં.
જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસઓ, ઉસ્સુત્તો, ઉમ્મન્ગો, અકપ્પો, અકરણિો દુજ્માઓ, દુન્વિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરૂં ગુત્તીણં,
૧૩૩
ચઉલ્ટું કસાયાણં, પંચહમણુવ્વયાણું, તિ ં ગુણત્વયાણું, ચઉ ં સિક્ખાવયાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ, જં ખંડિઅં, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
હું ઇચ્છું છું કે – હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકલ્પ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્ધ્યાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કશાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાવ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
આ સુત્રનું બીજું નામ ‘અતિચાર આલોચના સૂત્ર’ પણ છે. તેથી જે કારણોથી કે કષાયોના ઉદયથી થયેલા સર્વ અતિચારો માટે સાધકે અત્યંત દિલગીર થવાનું છે અને ફરી તેવું ન કરવાના ભાવ સાથે ‘તસ્સ મિચ્છા મિ દુક્કડં' શબ્દો બોલવાના છે.
આ સૂત્રમાં પાંચ આચારોના અતિચારોના આલોચન તથા પ્રતિક્રમણમાં ‘મિચ્છા મિ દુક્કડં’ દઈ વિશેષ શુદ્ધિરૂપ સામાયિક માટે કાયોત્સર્ગ કરવાનો છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા – ગહ તથા આત્માને પવિત્ર કરે તેવી
ભાવનાઓ છે.
વંદિતુ સવૅસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ, ઈિચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમ્માઈ આરસ્સ. (૧)
સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. (૧)
(સામાન્યથી સર્વ વ્રતના અતિચાર)
જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ,
સુહુમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિહામિ. (૨) વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે (કંઈ) મને લાગ્યો હોય, તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગર્તા (વિશેષ નિંદા) કરું છું. (૨)
(પરિગ્રહના અતિચાર) દુવિહે પરિગ્નેહમિ, સાવજે બહુવિહે અ આરંભે,
કારાવણે અ કરણે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવં. (૩) બે પ્રકારના પરિગ્રહને વિષે ૧- સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને ૨-અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે સંવત્સરી સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. (૩)
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૩૫
(જ્ઞાનના અતિચાર) જંબદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્રસચૅહિં,
રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિહામિ. (૪) અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગઈ કરું છું. (૪)
(સમ્ય દર્શનના અતિચાર) આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓને અ નિઓગે, પડિક્કમે સંવચ્છરીએ સળં. (૫) શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં, તેમજ ફરવામાં સંવત્સરી સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૫)
(સમ્યકત્વ ના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગસુ, સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. () છક્કાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા,
અgટ્ટા ય પટ્ટા, ઉભયટ્ટો ચેવ તે નિંદે. (૭)
૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા પ- જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યક્ત્વવ્રતના અતિચાર છે, હું સંવત્સરી સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. (૬)
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છ જીવ નિકાય (= પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૐ જીવ નિકાય) ના સમારંભ (= પ્રાણીના વધનો સંકલ્પ- તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો- તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૭) (સામાન્યથી બાર વ્રતના અતિચાર)
પંચણ્ડ મણુવ્વયાણું, ગુણ ત્વયાણં ચ તિષ્હ મઇયારે, સિક્ખાણં ચ ચઉ ં, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૮) પઢમે અણુવ્વયમ્મિ, શૂલગ પાણાઇ વાય વિરઇઓ, આયરિય મપ્પસથે, ઇત્થ પમાય પસંગેણં. (૯)
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર)
વહ બંધ છવિચ્છેએ, અઇભારે ભત્ત પાણ વુચ્છેએ, પઢમ વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૦)
પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો (અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી ૧- (જીવનો) વધ, ૨- બંધન, ૩- અવયવ છેદન, ૪- અતિભાર (આરોપણ) અને ૫- અન્નજળ અટકાવવારૂપ પહેલા (અણુ) વ્રતના અતિચારો છે, (તેમાં) સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦)
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(મૃષાવાદના અતિચાર)
બીએ અણુવ્વયમ્મિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ, આયરિય મપ્પસન્થે, ઇત્થ પમાય પસંગેણં. (૧૧) સહસા રહસ્ય દારે, મોસુવએસે અ ફૂડલેહે અ બીય વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીઅં સવ્વ (૧૨)
૧૩૭
બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ (થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- વગર વિચાર્યે કોઈના ઉપર ખોટી (જુઠ્ઠું) આળ મૂકવી, ૨- ખાનગી વાત બહાર પાડવી, ૩- પોતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪- ખોટો (જુઠ્ઠો) ઉપદેશ આપવો અને ૫) જુઠ્ઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી સર્વ (અતિચારો)નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૧,૧૨)
(અદત્તાદાનના અતિચાર)
તઇએ અણુવ્વયમ્મિ, થૂલગ પર દત્વ હરણ વિરઇઓ, આયરિયમ પસન્થે, ઇત્થ પમાય પસંગે. (૧૩)
તેના હડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે અ, કૂંડતુલ કૂડમાણે, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૧૪)
ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી અપ્રશસ્ત ભાવથી ૧- ચોરે ચોરેલી વસ્તુ લીઘી હોય, ૨- ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩- મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને ૫- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં સંવત્સરી સંબંધી સર્વેને હું પડિક્કમું છું. (૧૩,૧૪)
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(મૈથુનના અતિચાર)
ચઉત્શે અણુવ્વયમ્મિ, નિસ્યં પર દાર ગમણ વિરઇઓ, આયરિયમ પસન્થે, ઇન્થ પમાય પસંગેણં. (૧૫) અપરિગ્ગહિઆ ઇત્તર, અણંગ વિવાહ તિત્વ અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૬)
ચોથા અણુવ્રતમાં સદા (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧અપરિગૃહીતાગમન = કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે ૨ઇત્વર- પરિગૃહિતાગમન=અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા પ્રમુખ સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા) ૩- અનંગ ક્રીડા= પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે ૪- પરવિવાહકરણ= પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ ક૨વા તે અને ૫) કામભોગ-તીવ્ર-અભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા (અણુ) વ્રતના અતિચારો છે. (તેમાં) સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર)
ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિયમ પસસ્થમ્મિ, પરિમાણ પરિચ્છેએ, ઇત્થ પમાય પસંગેણં. (૧૭) ધણ ધન્ન ખિત્ત વત્યુ, રૂપ્પ સુવન્ને અ કુવિઅ-પરિમાણે, દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૮)
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૩૯
એ પછી પાંચમાં અણુવ્રતમાં ધન-ધાન્યાદિના પરિગ્રહ પરિમાણ વિરતિ આશ્રયી આચરણ થાય છે.) એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી (પરિગ્રહના) પ્રમાણનો ભંગ થવાથી ૧- ધન-ધાન્ય ર- ખેતરઘર વગેરે ૩- રૂપુ-સોનું ૪- તાંબુ-કાંસું પ્રમુખ હલકી ધાતુઓના પ્રમાણ અને રાચરચીલું અને ૫- બે પગા (નોકર-ચાકર વગેરે) અને ચોપગા (ગાય-ભેંસ-ઘોડા વગેરે) ના પરિમાણમાં (જે અતિચાર) ચોથા (અણુ) વ્રત સંબંધી સંવત્સરી દરમ્યાન લાગ્યા હોય, તે સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૭,૧૮)
(જવા આવવાના નિયમોના અતિચાર)
ગમણસ્સ ઉ પરિમાણે, દિસાસુ ઉઠું અહે અતિરિએ ચ,
વૃદ્ધિ સઈ અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે. (૧૯) ૧- ઉપરની ૨- નીચેની અને ૩- તિર્થી (ઉપર, નીચે ચાર દિશા અને ચાર ખુણા એમ દસ) દિશામાં (જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪- વધારવાથી અને પ-(વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવ્રત (
દિસ્પરિમાણવ્રત)માં લાગેલા અતિચારોની) હું નિંદા કરું છું. (૧૯)
(ભોગ ઉપભોગના અતિચાર) મર્જમિ અ, સંસંમિ અ, પુણે અ ફલે અ ગંધ મલ્લે અ, વિભોગ પરિભોગે, બીયમિ ગુણવએ નિંદે. (૨)
સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલિ દુપ્પોલિએ ચ આહારે, તુચ્છો સહિ ભષ્મણયા, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૨૧) મદિરા, માંસ અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાનો ઉપભોગ (એકવાર ઉપયોગમાં આવે છે, જેમકે ખોરાક, પાણી, ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (= વારંવાર ઉપયોગમાં
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવે તે. જેમકે ઘર, પુસ્તક, વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હું નિંદા કરું છું. (૨૦)
૧- સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે ૨- સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી જેમકે ગોટલી સહિત કેરી વગેરે ૩- અપવ-આહાર = તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો તથા ચાળ્યા વગરનો લોટ વગેર ૪-દુષ્પ-આહાર=અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે, ઓળો, પુંખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે પ- તુઔષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે) નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી)સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૧)
ઇંગાલી વણ સાડી, ભાડી ફોડી સુવજ્જએ કમ્મઃ, વાણિજ્યું ચેવ દંત, લક્ષ્મ રસ કેસ વિસ વિસયં, (૨૨) એવં ખુ જંત પિલ્લણ, કર્માં નિલંછણં ચ દવ દાણું, સર દહ તલાય સોરું, અસઈ પોસં ચ જ઼િા (૨૩)
૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ- તે અંગારકર્મ માળી ૨-ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર, ઓટો મોબાઇલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવાં તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ – તે સ્ફોટકકર્મ એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવાં જોઈએ. (વળી)
-
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૪૧
૧- દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લક્ષવાણિજ્ય=લાખ, કુસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- ૨સ-વાણિજ્ય= ઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪- કેસ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને ૫- વિસ વિસયં-વાણિજ્ય= ‘વિસ’અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસયં’- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨)
એ જ પ્રમાણે ૧- યંત્ર પીલન કર્મ=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ ૨-નિર્વાંછનકર્મ= તે ઊંટ, બળદ વગેરેના નાકકાન વીંધવાથી લાગતું કર્મ ૩- દવ-દાન-કર્મ = જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ ૪) શોષણ કર્મ = સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને ૫- અસતિ પોષણ કર્મ =કુતરા-બિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મ શ્રાવકે વર્જવું જોઈએ. (૨૩)
(આ રીતેસાતમા વ્રત (બીજા ભોગોપભોગ પરિમાણ ગુણવ્રત) ના મૂળ સચિત્ત – આહાર આદિ ૫ અતિચાર અને ૧૫ કર્માદાનના મળીને ૨૦અતિચાર થાય છે)
(અનર્થ વિરમણ વ્રતના અતિચાર)
સત્થગ્નિ મુસલ જંતગ, તણ કટ્ટે મંત મૂલ ભેસ⟩, દિન્ને દવાવિએ વા, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૨૪) ન્હાણું વ્પટ્ટણ વઋગ, વિલેવણે સદ્દ રૂવ રસ ધે, વત્ચાસણ આભરણે, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૨૫) કંદપ્પે કુક્કુઇએ, મોહરિ અહિગરણ, ભોગ અઇરિત્તે, દંડમ્મિ અણટ્ટાએ, તઇઅમ્મિ ગુણત્વએ નિંદે. (૨૬)
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા સંવત્સરી સંબંધી (સર્વ અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૪)
જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું ૫- વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬- રૂપ નિરખવાં ૭- અનેક રસનો સ્વાદ ક૨વો ૮- અનેક જાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯- વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો)નું પડિક્કમું છું. (૨૫) ૧-કંદર્પ=વિકાર વધે તેવી વાતો કરવી ૨- કૌકુચ્ચ = કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી ૩–મૌખર્ય = મુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું ૪- સંયુક્તાધિકરણ પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫- ઉપભોગપરિભોગાતિરિક્તતા =ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂ૨) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાંછે.તેમાં મનેજેદોષ લાગ્યો હોય, તેને હુંનિંદુછું. (૨)
=
=
(સામાયિક વ્રત વિષેના અતિચાર)
તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિઠૂણે, સામાઇઅ વિતહ કએ, પઢમે સિક્ખાવએ નિંદે. (૭)
૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક પારવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું.(૨૭)
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(દેશાવગાસિક વ્રતના અતિચાર)
આણવણે પેસવણે, સથે રૂવે આ પુગ્ગલમ્બેવે, દેસાવગા સિઅમ્મિ, બીએ સિાવએ નિંદે. (૨૮)
૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨પ્રેષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને ૫પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૨૮)
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર)
સંથારુચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ, પોસહ વિહિ વિવરીએ, તઇએ સિક્ખાવએ નિંદે. (૨૯)
૧૪૩
સંથારા સંબંધી વિધિમાં ૧- પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ ૨- પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) ૩- પડિલેહણપ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)
(અતિથિ સંવિભાગના અતિચાર)
સચ્ચિત્તે નિક્ક્ષિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ, કાલાઇક્કમ દાણે, ચઉત્ને સિક્ખાવએ નિંદે. (૩૦)
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સુહિએસુ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા, રાગેણ વ દોસેણ વ, તેં નિંદે તં ચ ગરિહામિ. (૩૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ, સંતેફાસુઅ દાણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨-દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪- ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશ્ચે દાન આપવાથી અને ૫મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા ‘અતિથિસંવિભાગ’ નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હુંનિંદુ છું. (૩૦) જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસસ્થા (=છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગર્હ (વિશેષ નિંદા) કરું છું. (૩૧) નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્હા કરું છું. (૩૨)
(સંલેષણાના અતિચાર)
ઇહલોએ, પરલોએ, જીવિઅ મરણે અ આસંસ પઓગે, પંચવિહો અઇયારો, મા મઝ હુજ઼ મરણંતે. (૩૩)
૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- ૫૨-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪-) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. (૩૩)
(ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર)
કાએણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ, મણસા માણસિઅસ્સ, સવ્વસ વયાઇ આરમ્સ. (૩૪)
૧૪૫
૧- અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨- અશુભવચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
વંદણ વય સિક્ખા, ગારવેસુ સન્ના કસાય દંડેસુ, ગુત્તીસુ અ સમિઇસુ અ, જો અઇઆરો અ તં નિંદે. (૩૫)
=
૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ૨- વ્રત (બાર પ્રકારનાં, ૫- અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ - શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બે પ્રકારની ગ્રહણ શિક્ષા= સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા = કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-૨સગારવ – ઘી, દુધ, દહીં આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, ૨ -ઋદ્ધિગારવ = ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) ૫ – સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧ - આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા
૩
- મૈથુન સંજ્ઞા અને ૪- પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પણ કહેલાં છે.) - કષાય ( જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ૨- માન ૩- માયા અને ૪-લોભ) - દંડ (જ અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે. ૧-મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧- મનગુપ્તિ ૨- વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯- સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇર્યાસમિતિ, ૨- ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને ૫- પારિષ્ઠાપનિકા સમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૩૫)
સમ્મદિટ્ટી જીવો, જઇ વિહુ પાવં સમાયરે કિંચિ,
અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩૬) સમ્યગદષ્ટિ (સમ્યક્ત્વી)જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (તે) નિર્દયપણે (ક્યારેય) પાપ કરતો નથી. (૩૬)
તં પિ હુ સસ્પેડિક્કમણું, સપરિઆવે સ ઉત્તરગુણ ચ, ખિપ્પ વિસામેઇ, વાહિ વ સુ સિદ્ધિઓ વિો. (૩૭)
પાછા ફરવાથી યુક્ત, પશ્ચાતાપ કરવાથી યુક્ત, ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત કરવાથી યુક્ત એવો શ્રાવક, જેમ સારી શીખેલો વૈદ્ય વ્યાધિને ઉપશમાવે છે તેમ નિશ્વયથી તે અલ્પ કર્મના બંધને પણ શીધ્રપણે ઉપશમાવે છે. (૩૭)
જહા વિસ કુઢગયું, સંત મૂલ વિસારયા, વિજા હણંતિ મંતહિં, તો તે હવઈ નિવ્યિસં. (૩૮)
એવં અટ્ટવિહં કર્મ, રાગ દોસ સમષ્ટિએ, આલોખંતો અ નિદંતો, ખિપ્પ હણઈ સુસાવઓ. (૩૯)
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મંત્ર અને જડીબુટ્ટીના જાણકાર વૈદ્યો જેમ શરીરમાં વ્યાપેલા ઝેરનો મંત્રો (અને જડીબુટ્ટીઓ)થી નાશ કરે છે, તેથી તે ઝેર વગરનું થાય છે, તેમ ગુરૂની પાસે આલોચના કરતો અને આત્મસાક્ષીએ નિંદા કરતો સુશ્રાવક રાગદ્વેષથી બાંધેલ આઠ પ્રકારના કર્મનો જલ્દી નાશ કરે છે. (૩૮,૩૯)
કયપાવો વિ મણુસ્સો, આલોઇઅ નિંદિઅ ગુરુસગાસે, હોઇ અઇરેગ લહુઓ, ઓહરિઅ ભરુત્વ ભારવહો. (૪૦)
૧૪૭
જેમ ભાર ઉપાડનાર (મન્નુર આદિ) ભાર ઉતારીને હળવો થાય છે, તેમ પાપ કરનારો મનુષ્ય પણ ગુરૂભગવંતની પાસે પાપ આલોચીને અને આત્મસાક્ષીએ નિંદા કરીને અત્યંત હલકો (હળવો) થાય છે. (૪૦)
આવસ્સ એણ એએણ, સાવઓ જઇ વિ બહુરઓ હોઇ, દુસ્ખાણ મંત કિરિએં, કાહી અચિરેણ કાલેણ. (૪૧)
શ્રાવક કદાચ ઘણા પાપ વાળો હોય (તો પણ) આ (પ્રતિક્રમણ) આવશ્યકથી થોડા જ સમયમાં દુઃખો નાશ કરશે. (૪૧)
(વિસ્મૃત થયેલા અતિચાર)
આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ કાલે, મૂલગુણ ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૪૨)
(પ્રતિક્રમણ) આવશ્યક સમયે મૂળ ગુણ અને ઉત્તર ગુણને વિષે (જે) અનેક પ્રકારની આલોચના યાદ ન આવી હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું ને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૪૨)
(પછી ઊભા થઈને અથવા જમણો ઢીંચણ નીચે કરી બોલવું) (પાપોની નિંદા કરતા કરતા આત્મા હલકો થયો હોવાથી આરાધના માટે ઊભા થવું)
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તસ્ય ધમ્મસ્સ કેવલિ પન્નત્તસ્ય અમ્મુઠ્ઠિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાણાએ, તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૪૩)
તે કેવળીભગવંતે ઉપદેશેલ ધર્મની આરાધના માટે હું ઉભો (તત્પર) થાઉં છું, (તેની) વિરાધનાથી અટક્યો છું અને ચોવીશજિનેશ્વરોને વંદન કરું છું. (૪૩) (‘અભુઢિઓમિ બોલતાં ઊભા થઈને યોગ મુદ્રાએ શેષ સૂત્ર બોલવું.)
(સર્વ ચૈત્ય વંદન)
જાવંતિ ચેઇઆઈ, ઉદ્દે અ અ અ તિરિઅલોએ અ,
સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. (૪૪), જાવંત કે વિ સાહૂ, ભર હેર વય મહાવિદેહે અ, સલ્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ. (૪૫)
ઉર્વલોક, અધોલોક અને તિચ્છલોકને વિષે જેટલી જિન પ્રતિમાઓ છે, તેને અહીં રહેલો એવો હું ત્યાં રહેલી સર્વેને ભાવપૂર્વક વંદન કરું છું. (૪૪) (પાંચ) ભરત ક્ષેત્ર, (પાંચ) ઐરાવત ક્ષેત્ર અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રને વિષે જે કોઈ સાધુભગવંતો મન, વચન, કાયાથી, મનદંડ, વચનદંડ કાયદંડથી વિરામ પામેલા છે, તેઓ સર્વને હું નમ્યો છું. (૪૫)
(શુભ ભાવની પ્રાર્થના)
ચિર સંચિય પાવ પણાસણીઇ, ભવ સય સહસ્સ મહિણીએ, ચકવીસ જિણ વિણિગ્ગય કહાઈ, વોલંતુ મે દિઅહા. (૪) મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો અ, સમ્મદિટ્ટી દેવા, રિંતુ સમાહિં ચ બોહિં ચ. (૪૭)
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નિકળેલી એવી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. (૪૬)
૧૪૯
૧- અરિહંત ભગવંત ૨- સિદ્ધ ભગવંત ૩- સાધુ ભગવંત ૪- શ્રુત (જ્ઞાન) ધર્મ અને ૫- ચારિત્રધર્મ : આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિદેવતાઓ (મને) સમાધિ અને સમક્તિ આપો. (૪૭)
(કયા કારણે પ્રતિક્રમણ કરવું)
પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું, અસદ્દહણે અ તહા, વિવરીઅ પરૂવણાએ અ. (૪૮)
૧- શાસ્ત્રમાં ના પાડેલ કામ કર્યું હોય ૨- શાસ્ત્રમાં કહેલ ક૨વા યોગ્ય શુભ કામ ન કર્યું હોય ૩- જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય અને ૪- શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૪૮)
(સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના)
ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વ ભૂએસુ, વેરું મજ્ડ ન કેણઇ. (૪૯) એવમહં આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુર્ગંછિઅં સમાં, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૫૦)
હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવ છે, કોઈ જીવ સાથે મારે વૈર નથી. (૪૯)
આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અને) સારી રીતે દુર્ગંછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધે પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) ચોવીશેજિનેશ્વરને હું વંદન કરું છું. (૫૦)
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫O
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઇમં, સાવજં જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજ્જવાસામિ, દુવિહં, તિવિહેણં, મહેણું, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે!
પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણું વોસિરામિ. (૧) હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હુંત્યાગ કરું છું. (૧)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર
ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ. જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ,
માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકથ્થો, અકરણિજ્જો દુખ્ખાઓ, દુધ્વિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્યો, નાણે, દંસણે,
ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચહમણુવ્રયાણું, તિર્લ્ડ ગુણવયાણું, ચહિં સિખાવયાણ, બારસવિહસ્સ સાવગ ધમ્મસ્ટ,
જે ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાવ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી
તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિગ્ધાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ, (૧)
૧૫૧
(જેવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ=કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ=કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહેછે,તેશ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરુંછું. (૧)
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૨
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનોસંચાર, થૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
(પછી ‘ચંદેસ નિમ્મલયરા’ સુધીનો ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ન આવડે તો ૧૬૦ નવકાર ગણવા. પછી પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પરું સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંશું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિર્ણ ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્યયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬)
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૩
૧૫૩
ચંદેસુ નિમૅલયરા, આઈચ્ચેનુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવાચોવીશે તીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રીપદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વરશ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથનેહુવંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટનેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
(પછી મુહપત્તિ પડિલેહવી અને બે વાંદણા દેવા.)
Page #207
--------------------------------------------------------------------------
________________
૧પ૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું, ૨- સમ્યત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિહરે, ૫- કામરાગ,
- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિહરું, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદરું, ૧૧- કુદેવ, ૧૨-કુગુરુ, ૧૩- કુધર્મ પરિહરું, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદર, ૧૭- જ્ઞાન-વિરાધના,
૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિહર, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદ,
૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહરું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અરતિ પરિહરું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬- દુર્ગછા પરિહરું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮-નીલલેશ્યા, ૯-કાપોતલેશ્યા પરિશું.} (મોઢે પડિલેહતાં) ૧- રસગારવ, ૧૧-દ્ધિગારવ, ૧૨-સાતાગારવ પરિહ.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(છાતી આગળ પડિલેહતાં) ૧૩-માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય,
૧પ- મિથ્યાત્વશલ્ય પરિહર.}
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિહરું.
(ડાબા ખભે પડિલેહતાં) ૧૮-માયા, ૧૯- લોભ પરિહરું} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અપકાય,
૨૨- તેઉકાયની રક્ષા કરું (ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ર૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય,
૨૫- ત્રસકાયની જયણા કરું.
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૫
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉચ્ચાં, (૨) નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસં ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણે! બહુ સુભેણ ભે! સંવચ્છરો વર્કતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ના (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જે ચ ભે (૫)
(s-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઈક્કમ )
આવસિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાર્ણ, સંવચ્છરિઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્ય ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ,
ગરિહામિ, અપ્રાણ વોસિરામિ (૭)
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ,નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન) અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ? (૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણું ! બહુ સુભેણ ભે ! સંવચ્છરો વઇકંતો (૩) (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪) (૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જ્યં ચ ભે
(૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન)
ખામેમિ ખમાસમણો ! સંવચ્છરિઅં વઇક્કમ (૬)
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે)
પડિક્કમામિ, ખમાસમણાણું, સંવચ્છરિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્વ ધમ્માઇ ક્રમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ (૭)
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન ક૨વાને ઈચ્છું છું. (૧)
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૭
(ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને મારા મસ્તક રૂ૫) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત ! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છે ને? (ગુરુ કહે- તહત્તિ =તે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂ કહે- તુર્બ્સપિ વટ્ટએ=તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છેને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું”=એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી જ કંઈ) અપરાધ થયો હોય, તેની હુક્ષમા માગું છું. (ગુરુકહે “અહમપિખામેમિતુમ-હુંપણતનેખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર ( કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
વાંદણા હંમેશા બે વખત સાથે જ અપાય છે. પ્રથમ વાંદણામાં નિસીહિ બોલી અવગ્રહમાં પ્રવેશ કરાય છે. આવર્સીિઓએ બોલી અવગ્રહમાંથી બહાર નીકળાય છે. બીજા વાંદણામાં નિસીહિ બોલી ફરી અવગ્રહમાં પ્રવેશ કરાય છે પણ આવસિઆએ પદ બોલાતું નથી - અવગ્રહ માંથી બહાર નીકળ્યા વિના જ બાકીનું સૂત્ર બોલાય છે. ગુરૂવંદનાનાં ત્રણ પ્રકારો છે. ૧- ફિટ્ટા વંદન ૨- થોભ વંદન અને ૩- દ્વાદશાવર્ત વંદન. વાંદણા તે દ્વાદશાવર્ત વંદનનો પ્રકાર છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સમાપ્ત ખામણેણં અભુષ્ટિઓમિ અભિતર સંવચ્છરી ખામેઉં? ઇચ્છે
ખામેમિ સંવચ્છરીએ, બાર માસાણ, ચોવીસ પખાણ, ત્રણસો સાઠ રાઈદિવસાણું,
જંકિંચ અપત્તિ, પરપત્તિએ, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે,
સમાસણે, અંતર ભાસાએ, ઉવરિભાસાએ, અંકિંચિ મન્ઝ વિણય પરિહર્ણ સહમં વા, બાયરં વા,
તુર્ભે જાણહ, અહં ન જાણામિ,
તસ્સ મિચ્છા મિ દુક્કડ.
હે ભગવન્! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, પ્રત્યેક વ્યક્તિગતને દિવસના અપરાધ ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું. બારે માસ, ચોવીસ પક્ષ, ત્રણસો સાઠ રાઈ–દેવસિઅ પ્રતિક્રમણમાં આહારપાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે સ્થળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૫૯ દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સંવચ્છરી ખામણાં ખાયું! ઇચ્છે હે ભગવંત! સંવત્સરી ખામણા ખાણું? ઇચ્છા માન્ય છે. (પ્રત્યેક ખામણા પહેલા એક ખમાસમણ આપી જમણો હાથ ચરવળા ઉપર
રાખી માથુ નમાવી નવકાર બપલવો.)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, મત્યએણ વંદામિ. (૧)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવક્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ (1) સિરસા મણસા મFએણ વંદામિ (૧).
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ,
મયૂએણ વંદામિ. (૧)
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલં (૧) સિરસા મણસા મર્ત્યએણ વંદામિ (૨)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૧)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલં (૧) તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૩)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૧)
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં (૧) સિરસા મણસા મત્થએણ વંદામિ (૪)
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૬૧
ઈચ્છામો અણુસઠુિં, સંવચ્છરિય સમ્મત, દેવસિઅં ભણામિ
(પડિક્કમામિ) આપનું અનુશાસન ઈચ્છું છું, સંવત્સરિ પ્રતિક્રમણ સમાપ્ત થયું અને દેવસિઅ પ્રતિક્રમણ શરૂ કરું છું.
હવે અહીંયા સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં દેવસિઅ વંદિત બોલ્યા બાદ
જે ક્રિયા શરૂ કરી હતી તે અહીંયાં પરિપૂર્ણ થાય છે. એ થતાં સંવત્સરી પાપના પ્રતિક્રમણની આલોચનાની મંગલવિધિ પૂરી થાય છે.
હવે બાકી રહેલું દૈવસિક પ્રતિક્રમણ અહીંથી શરૂ થાય છે.
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત
દ્વાદશાવર્ત વંદનનું વર્ણન પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ (૧)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉગ્નેહં, (૨) નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસ ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણે! બહુ સુભેણ ભે! દિવસો વઈર્ષાતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ના બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જે ચ ભે (૫) (૬-અપરાધ ક્ષમાપના સ્થાન)
Page #215
--------------------------------------------------------------------------
________________
૧ ૬ ૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ખામેમિ ખમાસમણો!દેવસિએ વઈક્કમ ()
આવર્સિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણે, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસત્તયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ સવમિચ્છો વયારાએ, સવ્વ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ (૭).
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉચ્ચાં, (૨) નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસં ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણં! બહુ સુભેણ ભે! દિવસો વઇન્કંતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ત્તા ભે (૪). (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જં ચ ભે (૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિએ વઇક્કમ )
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૬૩
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે)
પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ, વય-દુક્કડાએ, કાય-દુકડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવકાલિઆએ સવમિચ્છો વયારાએ, સવ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ,
અપ્રાણં વોસિરામિ (૭)
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે-છંદેણ = ઈચ્છાપૂર્વક =સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે- તહત્તિeતે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે- તુક્મપિ વટ્ટએ તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬)
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલા દોષનું) પ્રતિક્રમણ કરું છું. હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (=કૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરૂસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
(ચરવળાવાળાઓએ ઉભા થઈ નીચેનું સૂત્ર બોલવું)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુક્રિઓ મિ અભિતર દેવસિએ ખામેઉં? ઇચ્છ,
ખામેમિ દેવસિએ. હે ભગવન્! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, દિવસના અપરાધને ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, દિવસના અપરાધને ખમાવું છું.
વાંદણા બે વખત કેમ? સેવક જેમ માલિકને નમસ્કાર કરી કાર્યનું નિવેદન કરે, ત્યારબાદ માલિકે વિસર્જન કર્યા પછી પુનઃ નમસ્કાર કરીને જાય તેવી જ રીતે શિષ્ય ગુરૂને બે વખત વંદન કરે છે. પ્રતિક્રમણ ક્રિયામાં ૪ વખત ર-ર વાંદણા દેવાય છે (પકખી આદિમાં આઠ-આઠ વાંદણા આવે) સ્વાધ્યાય માટે, -કાઉસ્સગ્ગ માટે, - આલોચના માટે, - અતિચાર વખતે, -પચ્ચકખાણ માટે. વાંદણા – ગુરૂવંદન સૂત્ર – ૧૨ આવર્તનંદન સૂત્ર. આ સૂત્રથી ગુરૂ મહારાજને ગંભીરતાપૂર્વક, ભક્તિભાવથી અને બહુમાન સહિત વંદન કરવામાં આવે છે. શિષ્ય છ પ્રશ્નો પૂછે છે અને ગુરૂ તેના છે ઉત્તરો આપે છે. દ્વાદશાવર્ત વંદન કરવાની ઇચ્છાવાળો શિષ્યપ્રથમ ખમાસણાથી વંદન કરે છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૬૫
(પછી ચરવળા કે કટાસણા ઉપર જમણો હાથ સ્થાપી) જે કિંચિ અપત્તિએ, પરંપત્તિએ, ભત્ત, પાણે, વિષ્ણુએ, વેયાવચ્ચે,
આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિ ભાસાએ, અંકિંચિ મઝ વિણયપરિહર્ણ સહમં વા, બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ,
તસ્સ મિચ્છા મિ દુક્કડં. હે ભગવનું ઇચ્છું છું. દિવસ સંબંધી થયેલા અપરાધોખમાવું છું આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવૃત્યમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે સ્થળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
(હવે અવગ્રહની બહાર નીકળી બે વાંદણા દેવા)
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત
દ્વાદશાવર્ત વંદનનું વર્ણન પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉગ્નેહ, (૨) નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું)
અહો કાયંકાય સંફાસ ખમણિજ્જો ભે! કિલામો?
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન)
અપ્પ કિલંતાણં ! બહુ સુભેણ ભે ! દિવસો વઇકંતો (૩) (૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન) જ ત્તા ભે (૪)
(૫-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વ ણિ જ્યં ચ ભે થ (૫)
(૬-અપરાધ ક્ષમાપના સ્થાન)
ખામેમિ ખમાસમણો ! દેવસિઅં વઇક્કમેં (૬)
આવસ્ટિઆએ
(અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું)
પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ, તિત્તીસન્નયરાએ, જં કિંચિ મિચ્છાએ,
મણ-દુકકડાએ, વય-દુક્કડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્વ ધમ્માઇ કમણાએ, આસાયણાએ, જો મે અઇયારો કઓ, તસ્સ ખમાસમણો ! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ (૭)
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ,નિસીહિઆએ (૧) (૨-અનુપજ્ઞાપન સ્થાન) અણુજાણહ મે મિઉગ્ગહં, (૨)
નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાર્ય કાય સંફાસ ખમણિજ્જો ભે ! કિલામો ?
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૬૭
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણે! બહુ સુભેણ ભે! દિવસો વક્રતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ તા બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જં ચ ભે (૫)
(દ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિઅં વડક્કમ ()
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે) પડિક્રમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુકડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્ય ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ,
અધ્ધાણં વોસિરામિ (0)
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે- છંદેણ = ઈચ્છાપૂર્વક = સ્વખુશીથી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે - અણુજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે- તહત્તિeતે પ્રકારે જ છે.) (૩)
Page #221
--------------------------------------------------------------------------
________________
૧ ૬૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છેને? (ગુરૂ કહે- તુË પિ વટ્ટએ તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું =એમ જ છે) (૫) (શિષ્ય કહે) - હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલા દોષનું) પ્રતિક્રમણ કરું છું. (હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (કફૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપમારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
(પછી બંને હાથ જોડી મસ્તકે લગાવી નીચેનું સૂત્ર બોલવું.) આવશ્યક ક્રિયામાં સર્વ જીવ રાશિ અને પૂજ્યોને ખમાવવા સાથે વિશિષ્ટ ક્રિયાનો સમાવેશ
(કષાયોની ક્ષમા). (ચરવળાવાળાઓએ ઉભા થઈ, હાથ જોડી વંદન મુદ્રા કરવી.)
આચાર્યોની ક્ષમા આયરિય ઉવઝાએ, સીસે સાહસ્મિએ કુલ ગણે અ,
જે મે કઇ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ (૧)
ગુરૂ ભગવંત અને આપણી વચ્ચે જે અંતર રખાય છે, તે અવગ્રહ કહેવાય છે. ગુરૂ ભગવંતની આજ્ઞા વગર તેઓના અવગ્રહમાં પ્રવેશ કરવો, તે એક પ્રકારનો અવિનય કહેવાય છે. વાંદણામાં આજ્ઞા માંગીને બે વાર પ્રવેશ કરાય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧ ૬૯
સર્વ સંઘની ક્ષમા સબ્યસ્સ સમણ સંઘસ્ય, ભગવઓ અંજલિ કરિઅ સીસે, સવૅ ખમાવઇત્તા, ખમામિ સવ્યસ્સ અહયં પિ (૨)
સર્વ જીવોની ક્ષમા સવ્યસ્ત જીવ રાસિસ, ભાવઓ ધમ્મ નિહિઅનિઅ ચિત્તો,
સવૅ ખમાવઈત્તા, ખમામિ સવ્વસ્ટ અહયં પિ (૩)
આચાર્યભગવંતો, ઉપાધ્યાયભગવંતો, તેઓના શિષ્યો, સાઘર્મિકો, એક આચાર્યનો પરિવાર- તે કુળ અને ઘણા આચાર્યનો પરિવાર- તે ગણ, પ્રત્યે મારા જીવે કોઈપણ પ્રકારનો કષાય કર્યો હોય તે સર્વની હું મન-વચનકાયાથી માફી (ક્ષમા) માંગું છું. (૧) મસ્તક ઉપર બે હાથ જોડીને પૂજ્ય શ્રી સર્વ શ્રમણસંઘના (કરેલા) સર્વ (અપરાધ) ને ખમાવીને હું પણ સર્વના (અપરાધને) ક્ષમા કરું છું. (૨) ભાવથી ધર્મને વિષે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે એવો હું, સર્વ જીવોના સમૂહના સંબંધમાં કરેલા (અપરાધ)પ્રત્યસર્વનેખમાવીને, હુંપણ સર્વેનેખમુંછું. (૩)
આ સૂત્રમાં શિષ્યો કે સાધર્મિકોમાં પણ કોઈની સાથે કષાય થયો હોય, કે પોતે તેઓના કષાયમાં નિમિત્તભૂત થયેલ હોય તે સર્વેને ખમાવવામાં આવે છે. બીજી ગાથામાં એકંદરે સમસ્ત શ્રી શ્રમણસંઘને ખમાવવામાં આવે છે અને છેલ્લી ગાથામાં સર્વ જીવોને ખમાવવામાં આવે છે.
સામાયિક મહાસૂત્ર
કરેમિ ભંતે! સામાઈ, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણું, મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. (૧)
આયરિય ઉવઝઝાએ- આ સૂત્રથી આચાર્ય મહારાજથી માંડી સર્વે જીવો સાથે થયેલા કષાયોની ક્ષમા માંગી કષાયમુક્ત બનાવે છે. આ સૂત્ર બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી થાય છે, તે આત્માના અતિ નમ્રભાવનું સૂચન છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગર્હ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હુંત્યાગ કરું છું. (૧)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ, જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મન્ગો, અકપ્પો, અકરણિો દુજ્ઞાઓ, દુન્વિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે,
ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિ ં ગુત્તીર્ણ, ચઉલ્ટું કસાયાણં, પંચહ્મણુયાણું, તિ ં ગુણવ્વયાણું, ચહું સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ, જં ખંડિઅં, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
હું ઇચ્છું છું કે – હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં. કારણકે દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકલ્પ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્ધ્યાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૧
ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાધ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસાહીકરણેણં,
વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિશ્થાયણટ્ટાએ, કામિ કાઉસ્સગ્ગ. (1) (જવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગઃકાયાનો ત્યાગ (કાયોત્સર્ગ=કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તે શ્રી અન્નત્યસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો,
અવિવાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫)
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૨
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કરઆવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડેમૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થૂંક-કફનોસંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
પાંચમું આવશ્યક – કાયોત્સર્ગ
(ચારિત્ર ધર્મના લાગેલા અતિચારોની શુદ્ધિ માટે બે લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી અથવા આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરીને પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પહું સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂછ્યું ચ, વિમલમણંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ, (૩) કુંશું અરું ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણું ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વક્રમાણે ચ. (૪) એવું મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬)
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
૧૭૩
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીનેહુંવંદન કરુંછું. (૨)
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હુંવંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન સવ્વલોએ અરિહંત ચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ (૧) વંદણ વત્તિઆએ, પૂઅણ વત્તિઆએ, સક્કાર વત્તિઆએ, સમ્માણ વત્તિઆએ,
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
બોહિલાભ વત્તિઆએ, નિરુવસગ્ગ વત્તિઆએ (૨) સદ્દાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હું સર્વ લોકના શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગકરુંછું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હુંકાર્યોત્સર્ગ કરુંછું. (૩)
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગ્ગ, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ.
(૪)
(e)
(૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧)
સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થૂંક-કફનોસંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૫
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વર્ડ, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
(દર્શનાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ)
(એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદેસ નિમ્મલયરા’ સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પારવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિવૃંદણં ચ સુમઈ ચ, પઉમપ્પહું સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંતે ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંશું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણું ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રીપદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨) શ્રી સુવિધિનાથને (જમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ તેમને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર શ્રુતજ્ઞાનરૂપ આગમની સ્તુતિ (શ્રત સ્તવ)
પુખર વર દીવડે, ધાયઈ સંડે અ જંબૂદ્દીવે અ,
ભર હેર વય વિદેહે, ધમ્માઇગરે નમંસામિ. (1) તમ તિમિર પડલ વિદ્ધ, સણસ્સ સુર ગણ નરિંદ મહિઅસ્સ સીમા ધરસ્ય વંદે, પફોડિઆ મોહ જાલસ્સ. (૨)
જાઈ જરા મરણ સોગ પણા સણમ્સ,
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૭૭
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૭ કલ્યાણ પુખલ વિસાલ સુહા વહસ્સ,
કો દેવ દાણવ નરિંદ ગણ શ્ચિઅસ્સ,
ધમ્મસ્સ સાર મુવલમ્ભ કરે પમાયં? (૩) સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે,
દેવં નાગ સુવન્ન કિન્નર ગણ સન્મુખ ભાવચ્ચિએ, લોગો જત્થ પઇઠ્ઠિઓ જગમિણું, તેલુક્ક મચ્ચાસુર,
ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ ધમુત્તર વઢંઉ. (૪) પુષ્કર નામના સુંદર અડધાદ્વીપમાં, ધાતકીખંડ ને જંબૂદ્વીપમાં આવેલ) (પાંચ) ભરત, (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં (શ્રી શ્રુત) ધર્મની શરૂઆત કરનારા (તીર્થકર ભગવંતો) ને હું નમસ્કાર કરું છું. (૧) અજ્ઞાનસ્વરૂપ અંધકારના સમૂહને નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી (રાજા)ઓથી પૂજાયેલ, (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાખનાર એવા (શ્રી સિદ્ધાંત)ને હું વંદન કરું છું. (૨) જન્મ, ઘડપણ, મૃત્યુ અને શોકનો નાશ કરનાર, કલ્યાણકારી (અને) સંપૂર્ણ વિશાળ (મોક્ષ) સુખને આપનાર, દેવ-દાનવ અને રાજાના સમૂહથી પૂજાયેલ, (એવા) (શ્રી શ્રુત) ધર્મના રહસ્યને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ પણ પ્રમાદન કરે). (૩) હે (જ્ઞાનવંત લોકો) ! સર્વનયથી સિધ્ધ થયેલા એવા શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાન્તને આદર સાથે નમસ્કાર થાઓ. (જેમના હોવાથી) ચારિત્રધર્મમાં હંમેશા સમૃદ્ધિ છે, (જે) વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતરદેવના સમૂહથી (હૃદયના) સત્યભાવથી પૂજાયેલા છે. જે (શ્રતધર્મ)માં ત્રણેય લોકનું જ્ઞાન અને મનુષ્યો તથા અસુરોવાળા ત્રણ લોકરૂપ આ જગત (mય -જાણવા યોગ્ય-રૂપે) રહેલું છે. (તે) શ્રત ધર્મશાશ્વત વૃદ્ધિ પામો, વિજય પામો. (૪)
(પૂજ્ય શ્રતધર્મને (વંદનાદિ) માટે હું કાયોત્સર્ગ કરું છું.)
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
સુઅસ ભગવઓ, કરેમિ કાઉસ્સગ્ગ (૧) વંદણવત્તિઆએ, પૂઅણ વત્તિઆએ, સક્કાર વત્તિઆએ, સમ્માણ વત્તિઆએ,બોહિલાભ વત્તિઆએ, નિરુવસગ્ગ વત્તિઆએ (3)
સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્તેહાએ, વજ્રમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ
(૩)
હે ભગવન્ ! શ્રુતધર્મની આરાધના માટે કાઉસ્સગ્ગ કરું છું. (૧) હું શ્રી અરિહંતભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હું કાર્યોત્સર્ગ કરું છું. (૩)
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, માણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૭૯
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ર-નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, - ઓડકાર આવવાથી, ૭વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધીમારી કાયાને સ્થાનવડે, મૌનવડે, ધ્યાનવડ, આત્માને વોસિરાવું છું. (૫)
(જ્ઞાનાચારની શુદ્ધિ માટે કાઉસ્સગ્ગ) (એક લોગસ્સ “ચંદે નિમ્મલયરા' સુધી અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી
નમો અરિહંતાણં” કહી પારી “સિદ્ધાણં' સૂત્ર કહેવું.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે,
અરિહંતે કિન્નઇમ્પ્સ, ચઉવસંપિ કેવલી (1) ઉસભા મજિ ચ વંદે, સંભવ મભિગંદણં ચ સુમઈ ચે,
પઉમMાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદ. (૨) સુવિહિં ચ પુફત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમહંતં ચ જિર્ણ, ઘર્મ સંતિ ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લિ, વંદે, મુસુિવયં નમિજિર્ણ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા,
ચકવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. (૫)
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા,
આરૂષ્ણ બોરિલાભ, સમાણિવર મુત્તમ દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને શ્રી સુમતિનાથને, શ્રીપપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વરશ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથનેહું વંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ તેમને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સિદ્ધ ભગવંતોની સ્તુતિ
સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગયાણું પરંપર ગયાણું, લોઅગ્ગ મુવગયાણું, નમો સયા સવ્વસિદ્ધાણં (૧)
વર્ધમાન સ્વામીને વંદન
જો દેવાણ વિ દેવો, જીં દેવા પંજલી નમંસંતિ, તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરં (૨) ઇકો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વન્દ્વમાણસ્સ, સંસારસાગરાઓ, તારેઇ નરં વ નારિ વા (૩)
વ
ગિરનાર તીર્થના અધિપતિ નેમિનાથ પ્રભુની વંદના
ઉજ્જિત સેલ સિહરે, દિક્પા નાણું નિસીહિયા જસ્સ, તેં ધમ્મ ચક્કવટ્ટિ, અરિટ્ટનેમિં નમઁસામિ (૪)
અષ્ટાપદ, નંદિશ્વર તીર્થોની સ્તુતિ
ચત્તારિ અટ્ઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં પરમટ્ટ નિટ્ટિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૫)
૧૮૧
જેઓએ બંધાયેલ કર્મનો નાશ કર્યો છે એવા, પોતાની મેળે બોધ પામેલા, સંસાર સમુદ્રનો પાર પામેલા, ગુણસ્થાનકના ક્રમે (અનુક્રમે) મોક્ષે પહોંચેલા (અને) લોકના અગ્રભાગે પહોંચેલા, એવા સર્વે સિદ્ધોને હું નમસ્કાર કરું છું . (૧)
જે દેવોના પણ દેવ છે અને જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરે છે, તે ઇન્દ્રોથી પૂજાયેલ (એવા) શ્રી મહાવીરસ્વામીને હું મસ્તકથી વંદું છું . (૨)
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરેલો) એક નમસ્કાર પણ પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. (૩) ગિરનાર પર્વતના શિખર ઉપર જે (ભગવંત)ના દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ (નિર્વાણ) કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૪) બાર, આઠ, દશ (અને) બે, એમ વંદના કરાયેલા, જેઓના કાર્યો પરમાર્થથી સિદ્ધ થયા છે એવા) સિદ્ધ થયેલા ચોવીશ તીર્થકરો મને સિદ્ધિ પદ આપો. (૫)
(અહિંયા જે ભવનમાં સાધુ રહેતા હોય તે ભવનની અધિષ્ઠાયિકા દેવી તથા એ ભવનક્ષેત્રમાં જે દેવી-દેવતા રહેતા હોય તેઓની શાંતિ માટે બે કાઉસ્સગ્ન
કરવાનાં છે. ચરવળાવાળા ઉભા થઈને કાઉસ્સગ્ન કરે.)
ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ
ભુવનદેવતાની શાંતિ નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું.
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણે, નીસસિએણે, ખાસિએણં, છીએણ, જંભાઈએણું, ઉડુએણં, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫)
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૮૩
૧-ઉંચો શ્વાસ લેવા વડે, ૨-નીચો શ્વાસ મૂકવા વડે, ૩-ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધીમારી કાયાને સ્થાનવડ, મૌનવડે, ધ્યાનવડે, આત્માનેવોસિરાવું છું. (૫)
(શ્રુતની અધિષ્ઠાયિકા શ્રુતદેવી સરસ્વતીને કાઉસ્સગ્ન) (એક નવકારનો કાઉસ્સગ્ગ કરી “નમોહત' કહી નીચેની સ્તુતિ કહેવી)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
અન્નત્થમાં જે રીતે કાયોત્સર્ગ કરવાનું કહ્યું છે, તે રીતે પૂરા ઉપયોગપૂર્વક, બુદ્ધિની સતેજતાથી, અત્યંત એકાગ્રતાથી, ધીરતા-ગંભીરતા આદિ પૂર્વક જો કાયોત્સર્ગ કરવામાં આવે તો કાયોત્સર્ગથી ઘણાં કર્મ ખપી જાય. કેમકે, કાયોત્સર્ગ સર્વશ્રેષ્ઠતપ કહેવાય છે. કાયોત્સર્ગ અવસ્થામાં દષ્ટિને કોઈ પણ ચેતન કે અચેતન વસ્તુ પર સ્થિર કરવામાં આવે છે. જો કે મનની ચંચળતા તેને સ્થિર ઠરવા દેતી નથી, છતાં પણ પ્રયત્ન કરવાથી ક્રમે ક્રમે સફળતા મળતી જશે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચપરમેષ્ઠિને નમસ્કાર
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ભુવનદેવતાની થોય
જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યં સ્વાધ્યાય સંયમ રતાનામ્, વિદધાતુ ભવનદેવી, શિવં સદા સર્વ સાધૂનામ્ (૧)
જ્ઞાનાદિ ગુણોવાળા અને હંમેશા સ્વાધ્યાય અને સંયમમાં લીન રહેલા સર્વ સાધુ મહાત્માઓને ભુવનદેવી હંમેશા શાંતિ આપો.
(‘નમો અરિહંતાણં’ કહી સહુએ કાઉસ્સગ્ગ પારી લેવો.) ખિત્ત દેવયાએ કરેમિ કાઉસ્સગં.
ક્ષેત્રદેવતાની શાંતિ નિમિત્તે કાઉસ્સગ્ગ કરું છું.
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨)
એવમાઈ એહિં આગારેહિં, અભો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૮૫
જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પા, વોસિરામિ. (૫).
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨-નીચો શ્વાસ મૂકવાવડે, ૩- ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, પ- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, થંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધીમારી કાયાનેસ્થાનવડ, મીનવડે, ભાનવડે, આત્માને વોસિરાવું છું. (૫)
(ક્ષેત્ર દેવતાનો કાઉસ્સગ્ગ) (એક નવકારનો કાઉસ્સગ્ન કરી, “નમોહત' કહી નીચેની સ્તુતિ કહેવી.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (1) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
જે ક્ષેત્રને આશ્રયીને મુનિ મહારાજા સંયમ સાધના કરતા હોય, તે ક્ષેત્ર દેવતા સુખ
આપનારા થાઓ તેવી પ્રાર્થના. યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા
સા ક્ષેત્ર-દેવતા નિત્ય, ભૂયાન્ન સુખ-દાયિની (1) જે દેવીના ક્ષેત્રને આશ્રય કરીને સાધુઓ વડે ધર્મક્રિયા સધાય છે. તે ક્ષેત્રદેવી હંમેશા સુખ આપનારી થાઓ. (૧)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. (1)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
શ્રી ક્ષેત્રદેવતાનો એક જ નવકારનો કાઉસ્સગ્ન કેમ કરાય છે? ઉત્તર : સમ્યગુદષ્ટિ એવા દેવો અલ્પ મહેનતે સિદ્ધ થતા હોવાથી આઠ શ્વાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસ્સગ્ન કરાય છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૮૭
(પછી બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી અને નીચે મુજબ બે વાંદણા દેવા.)
મુહપત્તિ પડિલેહણના ૨૫ બોલ
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સહું, ૨- સમ્યક્ત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિચ્ચું, પ- કામરાગ, -- સ્નેહરાગ, ૭- દૃષ્ટિરાગ પરિ, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨- કુગુરુ, ૧૩- કુધર્મ પરિણ્યું, ૧૪- જ્ઞાન, ૧૫- દર્શન, ૧૬- ચારિત્ર આદરું, ૧૭- જ્ઞાન-વિરાધના, ૧૮- દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિē, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદરું, ૨૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહરું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ૨- રતિ, ૩- અતિ પરિ. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬- દુર્ગંછા પરિē. (સ્ત્રીઓએ બોલવાનું નથી) {(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮- નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા પરિહતું.} (મોઢે પડિલેહતાં) ૧૦– રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ, ૧૨- સાતાગારવ પરિē. (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિહતું.} (સ્ત્રીઓએ બોલવાનું નથી)
{(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭- માન પરિ. (ડાબા ખભે ડિલેહતાં) ૧૮- માયા, ૧૯- લોભ પરિ.} (ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અસ્કાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું (ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
પહેલું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉગ, (૨) નિતીતિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસ ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણું ! બહુ સુભેણ ભે! દિવસો વઇન્કંતો (૩)
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ તા બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ જં ચ ભે (૫)
(ડ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્કમ )
આવસિઆએ (અવગ્રહમાંથી બહાર નીકળી, ફરી આવવાનું છે તે ભાવ દર્શાવવા શરીરને થોડું પાછળ કરવું) પડિક્કમામિ, ખમાસમણાણે, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુકડાએ, વય-દુકડાએ, કાય-દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ સવ્વમિચ્છો વયારાએ, સવ્ય ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૮૯
અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિકમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ (૭).
બીજું વંદન
(૧-ઇચ્છા નિવેદન સ્થાન) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ,નિસીરિઆએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન)
અણજાણહ મે મિઉગ્નેહ, (૨) નિસીહિ (ગુરૂના અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ તે ભાવ દર્શાવવા શરીર થોડું આગળ કરવું) અહો કાય કાય સંફાસ ખમણિજ્જો ભે! કિલામો?
(૩-શરીરયાત્રા પૃચ્છા સ્થાન) અપ્પ કિલતાણું! બહુ સુભેણ ભે! દિવસો વઈન્કંતો ()
(૪-સંયમયાત્રા પૃચ્છા સ્થાન)
જ ત્તા બે (૪) (પ-ત્રિકરણ સામર્થ્યની પૃચ્છા સ્થાન) જ વણિ ર્જ ચ ભે (૫)
| (દ-અપરાધ ક્ષમાપના સ્થાન) ખામેમિ ખમાસમણો! દેવસિઅં વઇક્કમ (૬)
(ફરી અવગ્રહમાં આવવાનું નથી તે ભાવ સાથે) પડિક્કમામિ, ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ,
તિત્તીસગ્નયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ, વય-દુક્કડાએ, કાય-દુકકડાએ, કોહાએ, માણાએ, માયાએ,
લોભાએ, સવકાલિઆએ સવમિચ્છો વયારાએ, સવ્વ ધમ્માઈ ક્કમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ,
અપ્પાણે વોસિરામિ (૭)
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. (૧) (ગુરુ કહે-છંદેણ = ઈચ્છાપૂર્વક =સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે – અણજાણામિ (હું આજ્ઞા આપું છું ) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને. (૨) આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂ૫) શરીરના સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છેને? (ગુરુ કહે-તહત્તિ =તે પ્રકારે જ છે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને? (ગુરૂ કહે- તુમ્ભ પિ વટ્ટએ =તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને?) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને? (ગુરુ કહે- “એવું”=એમ જ છે) (૫) (શિષ્ય કહે) - હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) () આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (કફૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ) ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
છઠ્ઠું આવશ્યક - - પચ્ચક્ખાણ (જો પૂર્વે પચ્ચક્ખાણ ન કર્યું હોય તો અત્યારે પચ્ચક્ખાણ કરી લેવું.)
૧૯૧
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !
સામાયિક, ચઉલ્વિસત્થો, વંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ગ. પચ્ચક્ખાણ કર્યું છે જી.
ભગવન્ ! સામાયિક, ચવ્વિસત્થો, વાંદણા, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી.
(આ રીતે છ આવશ્યક સંભારવા.)
સાંજના પ્રતિક્રમણ સમયે છ આવશ્યકની પૂર્ણાહૂતિનો હર્ષ વ્યક્ત ક૨વા ગુણગણગર્ભિત વીર પ્રભુની સ્તુતિ
ઇચ્છામો અણુસિž’ નમો ખમાસમણાણ
આપનું અનુશાસન ઈચ્છું છું. ક્ષમાશ્રમણને નમસ્કા૨ થાઓ.
નમોર્હત સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્યઃ,
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ઇચ્છામો અણુસર્કિનો અર્થ શું છે?
ઉત્તર : હું ‘અનુશાસ્તિ’ (આજ્ઞા) ને ઇચ્છું છું. પ્રતિક્રમણ કરવું એવી ગુરૂની આજ્ઞા છે, તે ગુરૂ આજ્ઞાને હું ઇચ્છું છું અને તે ગુર્વાજ્ઞા પ્રમાણે મેં મારી અભિલાષાપૂર્વક (વેઠની પેઠે નહિ) પ્રતિક્રમણ કર્યું છે, તેવો તેનો અર્થ છે.........
તે પછી ગુરૂવચનના સ્વીકાર રૂપ ‘નમો ખમાસમણાણં’ બોલે. તે પછી ‘નમોહ' પૂર્વક નમોડસ્તુ વર્ધમાનાય' ની ૩સ્તુતિ બધા સાથે અને ઉંચા સ્વરે બોલે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પ્રતિક્રમણની પૂર્ણાહૂતિના હર્ષોલ્લાસ માટેની થાય પુરુષ વર્ગે
નમોસ્તુ વર્ધમાનાય સૂત્ર કહેવું.)
મહાવીર પ્રભુની સ્તુતિ
નમોસ્તુ વર્તમાનાય, સ્પર્ધ્વમાનાય કર્મણા, તજ્જયા વાપ્ત મોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામ્ (1)
ચોવીસ તીર્થકરોની સ્તુતિ
યેષાં વિચાર વિન્દ રાજ્યા, જ્યાયઃ ક્રમ કમલાવલિં દધત્યા, સૌરિતિ સંગત પ્રશ, કથિત સન્ત શિવાય તે જિનેન્દ્રા (૨)
શ્રી સિધ્ધાંતની (શ્રુતધર્મની) સ્તુતિ કષાય તાપા ર્દિત જન્તુ નિવૃતિ, કરોતિ યો જૈન મુખાસ્તુદોદ્ગતઃ, સ શુક માસોદ્ ભવ વૃષ્ટિ સન્નિભો, દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ્ (૩)
કર્મની સાથે સ્પર્ધા કરનાર અનેતે કર્મને જીતીને મોક્ષને પામેલા અને મિથ્યાદષ્ટિની દષ્ટિથી દૂર એવા શ્રીવર્ધમાન મહાવીર સ્વામીનેનમસ્કારથાઓ. (૧) જે (જિનેશ્વરો)ની પ્રશંસા કરવા લાયક ચરણકમળની શ્રેણીને ધારણ કરતી, એવી ખીલેલા કમળોની શ્રેણીનું સરખાની સાથે મળવું, તે પ્રશંસનીય કહેલું છે. તે જિનેશ્વરો મોક્ષને માટે થાઓ. (૨) જે જિનેશ્વરોના મુખરૂપી મેઘથી નિકળેલો વાણીનો વિસ્તાર કષાયરૂપ તાપથી પીડાયેલા પ્રાણીઓને શાંત કરે છે. વળી) જે જેઠ માસમાં ઉત્પન્ન થયેલ વરસાદ જેવો છે, તે (સિદ્ધાંતરૂપ) વાણીનો વિસ્તાર મતે સંતોષ કરો. (૩)
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૩
(આ થોય પૂર્વાચાર માંથી ઉદ્ધત છે. એટલે સ્ત્રીઓને આ સ્તુતિ બોલવાનો અધિકાર નથી.) આ સ્તુતિમાં અધિકૃત તીર્થકર શ્રી મહાવીર પ્રભુ, ચોવીસ તીર્થંકર પ્રભુઓ અને શ્રુતજ્ઞાન એમ ક્રમથી ત્રણની સ્તુતિ છે.
(પ્રતિક્રમણની પૂર્ણાહુતિના હર્ષોલ્લાસ માટેની થાય સ્ત્રીઓએ બોલવી.)
શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ
સંસાર દાવા નલ દાહ નીરં, સંમોહ ઘેલી હરણે સમીરં, માયા રસા ચારણ સાર સીરં, નમામિ વીરં ગિરિસાર ધીરં (૧)
સર્વ તીર્થકર ભગવંતોની સ્તુતિ ભાવા વનામ સુર દાનવ માનવેન, ચૂલા વિલોલ કમલા વલિ માલિતાનિ, સંપૂરિતા ભિનત લોક સમી હિતાનિ, કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ (૨)
આગમ-સિદ્ધાંતની સ્તુતિ બોધા ગાધ સુપદ પદવી નીર પૂરા ભિરામ, જીવા હિંસા વિરલ લહરી સંગ માગાહ દેહં. ચૂલા વેલં ગુરુ ગમ મણિ સંકુલ દૂર પારં,
સારં વીરા ગમ જલનિધિ સાદર સાધુ સેવે (૩) સંસારરૂપ દાવાનલના તાપને ઓલવવા માટે પાણી સમાન, મોહ એટલે અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા એટલે કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, અને મેરુપર્વત જેવા ધૈર્યવાન શ્રી મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું. (૧) ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો અને મનુષ્યોના સ્વામીઓના મુગટમાં રહેલ ચપળ કમળની શ્રેણિઓથી પૂજાયેલ, વળી નમસ્કાર કરનારા
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
લોકોના મનોવાંછિત જેઓએ સારી રીતે પૂર્ણ કર્યા છે, એવા શ્રી જિનેશ્વર દેવોના ચરણોમાં હું સ્વેચ્છાએ નમસ્કાર કરું છું. (૨) આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાનનાં કારણે ગંભીર છે. લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે. જીવદયા સંબંધી સૂક્ષ્મ વિચારો રૂપ મોજાઓથી ભરપૂર હોવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે. ચૂલિકા રૂપ વેળા (ભરતી) વાળો છે. આલાયક રૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો અત્યંત મુશ્કેલ છે. એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવા કરું છું. (૩)
આ સ્તુતિ પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજની રચેલી છે. તેમણે પ્રાયશ્ચિત તરીકે ૧૪૪૪ ગ્રંથો બનાવવાના હતા. જ્યાં ૧૪૪૦ગ્રંથો પુરા થયાં, તેવામાં કાળધર્મ નજીક આવવાથી ૪ સ્તુતિરૂપ ૪ ગ્રંથો બનાવી પ્રાયશ્ચિત પૂરું કરવાના ઇરાદાથી આ સ્તુતિ રચી છે.
(પછી યોગ મુદ્રાએ નમુત્થણ” કહેવું) શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના
નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં (૧) આઇગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણં (૨) પુરિસુત્તમાર્ણ, પુરિસસીહાણં, પુરિસ વર પુંડરીયાણં,
પુરિસ વર ગંધ હસ્થીર્ણ (૩) લોગુત્તરમાણે, લોગ નાહાણે, લોગ હિઆણં, લોગ પદવાણું,
લોગ પજોએ ગરાણે. (૪) અભય દયાણું, ચબુ દયાણ, મગ્ન દયાણું, સરણ દયાણં,
બોહિ દયાણ. (૫) ધમ્મ દયાણ, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણે, ધમ સારહીશું,
ધમ્મ વર ચારિત ચક્રવટ્ટીર્ણ. ()
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૫
અપ્પડિહય વરનાણ દંસણ ધરાણ, વિયટ્ટ છઉમાણ. (૭) જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોયાણું,
મુત્તાણું મોઅગાણું. (૮) સવલૂણં, સવ્વદરિસીપ્સ સિવ મયલ મરુઅ મહંત મખિય મવાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણે સંપત્તાણું,
નમો જિણા જિઅભયાણ. (૯) જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસંતિસાગયે કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (૧૦)
અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧) ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. (૨) પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩) લોકમાં ઉત્તમ, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪) અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, મોક્ષમાર્ગ આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર, (૫) ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠચક્રવર્તી. (૬) કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છમસ્થપણું જેમનું. (૭) રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત મુકાવનારા. (૮) સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), અવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯) અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સ્તવન ભણું? “ઇચ્છે' હે ભગવન્! આપ આજ્ઞા આપો. હું સ્તવન ભણું? આજ્ઞા માન્ય છે.
(નીચે મુજબ “અજિતશાંતિ” નું સ્તવન બોલવું.)
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્યઃ (1) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
અજિતશાંતિ સ્તવન
મંગળાચરણ શત્રુંજય પર શ્રી અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની વિવિધ છંદોમાં કરેલી સ્તવના
અજિએ જિઅ સવભય, સંતિ ચ પસંત સવ્ય ગય પાવું, જયગુરૂ સંતિ ગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ. (૧) ગાહા વવગય મંગલભાવે, તે હં વિલિ તવ નિમ્મલ સહાવે,
નિરૂવમ મહપ્રભાવે, થોસામિ સુદિઃ સન્માવે. (૨) ગાહા
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૭
સવ્વ દુખ્વ્પસંતીણં, સવ્વ પાવ પસંતીણં, સયા અજિઅ સંતીણં, નમો અજિઅસંતીણું. (૩) સિલોગો
જેમણે સર્વ ભય જીત્યા છે એવા શ્રી અજિતનાથને અને જેમના સર્વ રોગ અને પાપ શાંત પામ્યા છે એવા શ્રી શાંતિનાથને, વળી જગતના ગુરૂ અને શાંતિ રૂપ ગુણને ક૨ના૨ા એવા બંને જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. (૧) જેમનો અમંગળ ભાવ ચાલી ગયો છે, મહાતપો તપથી નિર્મલ સ્વભાવવાળા, નિરુપમ અને મહાન પ્રભાવવાળા, જેમણે વિદ્યમાન ભાવો સારી રીતે જાણ્યા છે એવા તે બે ની હું સ્તવના કરીશ. (૨) જેમના સર્વ દુઃખો વિશેષે શાંત થયા છે, જેમના સર્વ પાપો વિશેષે શાંત થયા છે, પરાભવ નહિ પામેલા અને ઉપશાંત થયેલા એવા શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથને સદા નમસ્કાર થાઓ. (૩)
સ્તુતિનું માહાત્મ્ય, નમસ્કારની યોગ્યતાનાં કારણ અને સ્તુતિ કરવાની ખાસ ભલામણ
અજિઅ જિણ ! સુહપ્પવત્તણું, તવ પુરિસુત્તમ ! નામકિત્તણું, તહ ય ઘિઇ મઇપ્પ વત્તણું, તવ ય જિષ્ણુત્તમ સંતિ કિત્તર્ણ (૪) માગહિઆ કિરિઆ વિહિ સંચિઅ કમ્મ કિલેસ વિમુક્બયર, અજિઅં નિચિઅં ચ ગુણેહિં મહામુણિ સિદ્ધિગય અજિઅસ્સ ય સંતિ મહામુણિણો વિઅ સંતિકરું, સયયં મમ નિવ્વુઇ કારણયં ચ નમં સણયું (૫) આલિંગણયું. ચ પુરિસા ! જઇ દુખવારણ, જઇ ય વિમગ્ગહ સુક્ષ્મ કારણું, અજિઅં સંતિ ચ ભાવઓ,
અભયકરે સરણું પવજ્જહા (૬) માગહિઆ.
હે અજિત જિનેશ્વર ! પુરુષોત્તમ ! તમારા નામનું કીર્તન સુખને પ્રવર્તાવનારું અને સ્થિરતાવાળી બુદ્ધિ પ્રવર્તાવનારું છે. હે જિનોત્તમ ! શ્રી શાંતિનાથ ! તમારું કીર્તન પણ એવું છે. (૪)
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાયિકી આદિ પચ્ચીશ ક્રિયાના ભેદ વડે ભેગા કરેલા કર્મના કલેશને સંપૂર્ણપણે મૂકાવનારા, અન્ય દર્શનીય દેવોના વંદનના પુણ્ય વડે નહિ જિતાયેલા, ગુણો વડે પરિપૂર્ણ, મહામુનિઓની અણિમાદિ સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનાર, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મહામુનિને કરેલ નમસ્કાર હંમેશાં મને શાંતિને કરનાર અને મોક્ષનું કારણ થાઓ. (૫) હે મનુષ્યો ! જો તમે દુઃખનું નિવારણ અને સુખનું કારણ શોધતા હો તો અભયને કરનારા શ્રી અજિતનાથનું અને શ્રી શાંતિનાથનું શરણ ભાવથી સ્વીકારો. (૬)
અજિતનાથ ભગવાનની સ્તુતિ અરઈ રઈ તિમિર વિરહિએ મુવરય જરમરણ, સુર અસુર ગરૂલ ભગવઈ પયય પરિવઈએ,
અજિઅ મહમવિ અ સુનય નય નિઉણમ ભયકરે. સરણ મુવસરિઅ ભુવિદિવિ જ મહિસયય મુવણમે () સંગયાં.
શાંતિનાથ ભગવાનની સ્તુતિ તં ચ જિગુત્તમ મુત્તમ નિત્તમ સત્તધર, અજ્જવ મદવ ખંતિ વિમુત્તિ સમાહિનિહિં,
સંતિકર પણમામિ દમુત્તમ તિર્થીયર, સંતિ મુણી મમ સંતિ સમાહિ વરં દિસઉ (૮) સોવાણય અરતિ, રતિ અને અજ્ઞાન રહિત અને જેમના જરા અને મરણ નિવૃત્ત થયા છે, વૈમાનિકદેવ, ભવનપતિ દેવ, ગરુડજ્યોતિષ્ક દેવ અને ભુજગ વ્યંતરદેવોના ઇન્દ્ર વડે આદરપૂર્વક નમસ્કાર કરાયેલા, જેનો ન્યાય સુંદર છે એવા નૈગમાદિ સાતે નવમાં નિપુણ, અભયને કરનારા, મનુષ્યો અને દેવોથી પૂજાયેલા, શ્રી અજિતનાથને શરણ પામીને નિરંતરસમીપ રહેલો હુંનમું છું. (૭) સામાન્ય કેવળીને વિષે ઉત્તમ, શ્રેષ્ઠ અને નિર્દોષ સત્ત્વને ધારણ કરનારા, સરલતા, મૃદુતા, ક્ષમા અને નિર્લોભતા અને શુદ્ધ ચારિત્રના ભંડારરૂપ,
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૯૯
શાંતિને કરનારા, ઈન્દ્રિયના દમન વડે ઉત્તમ તીર્થને કરનાર એવા તે શ્રી શાંતિનાથને પ્રણામ કરું છું અને તેમને શાંતિ અને સમાધિરૂપવરદાન આપો. (૮) શ્રી અજિતનાથની સ્તુતિ (નિવાસની નગરી અને શરીરની રચનાનું વર્ણન)
સાવસ્થિ પુલ્વ પત્થિવ ચ, વરહસ્થિ મન્થય પસન્દ વિચ્છિન્ન સંથિયું,
થિર સરિચ્છ વર્જી, મય ગલ લીલાયમાણ વરગંધહત્યિ પત્થાણ પસ્થિય સંથારિયું,
હત્યિ હસ્થ બાહું ધૂત કણગ રૂઅગ નિરૂવહય પિંજર પવર લખણો વચિએ સોમ ચારુ રૂવે,
સુઈસુહમણાભિ રામ પરમ રમણિજ્જ વર દેવ દુંદુહિ નિનાય મહુરયર સુહગિર (૯) વેઠુઓ. અજિએ જિઆરિગણું, જિસવભયં ભવોહરિઉં,
પણમામિ અહં પયઓ, પાવં પસમેઉ મે ભયd (૧૦) રાસાલુદ્ધઓ. સાવત્થીનગરીને વિષે પૂર્વ રાજા હતા એવા, જેનો શ્રેષ્ઠ હાથીના મસ્તક જેવો પ્રશસ્ત અને વિસ્તીર્ણ શરીરનો આકાર છે, સ્થિર શ્રીવત્સવાળું હૃદય છે, મદ વડે ઉન્મત્ત અને લીલાયુક્ત શ્રેષ્ઠ ગંધહસ્તિના ગમન જેવી ચાલવાળા, સ્તુતિ કરવા યોગ્ય, હાથીની સૂંઢ જેવા જેના હાથ છે, તપાવેલ સોનાની કાંતિ જેવી સ્વચ્છ પીળા વર્ણની કાંતિવાળા, શ્રેષ્ઠ લક્ષણથી વ્યાપ્ત,જેનું સૌમ્ય અને સુંદર રૂપ છે, કાનને સુખકારી, મનને મનોહર, અત્યંત રમણીય, શ્રેષ્ઠ દુંદુભિના અવાજ કરતાં મધુર અને કલ્યાણકારી વાણી છે જેની એવા, જેણે દુશ્મનનો સમુદાય જીત્યો છે, સર્વ ભયોને જીત્યા છે, એવા ભવપરંપરાના શત્રુ એવા શ્રી અજિતનાથ સ્વામીને પ્રણામ કરું છું અને હે ભગવાન! મારા પાપને શાંત કરો. (૯,૧૦)
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી શાંતિનાથની સ્તુતિ (નિવાસસ્થાન, નગરી, પરિવાર, ઋદ્ધિ વગેરેનું વર્ણન) કુરુજણવય હત્થિણાઉર નરીસરો પઢમં તઓ મહાચક્ક વિટ્ટભોએ, મહ ભાવો,
જો બાવત્તરિ પુરવર સહસ્ય વરનગર નિગમ જણવયવઇ, બત્તીસા રાયવર સહસ્સા ણુયાય મગ્ગો,
ચઉદસ વર રયણ નવ મહાનિહિ ચઉસટ્ટિ સહસ્સ પવર જુવઇણ સુંદરવઇ,
ચુલસી હય ગય રહે સય સહસ્સસામી, છન્નવઇ ગામ કોડિ સામી,
આસી જો ભારહંમિ ભયવં (૧૧) વેડ્ડઓ. તેં સંતિ સંતિકરું, સંતિણું સવ્વભયા, સંતિ થુણામિ જિણ, સંતિ વિહેઉ મે (૧૨) રાસાનંદિઅયં.
કુરુ દેશના હસ્તિનાપુર નગરના પ્રથમ રાજા હતા એવા, ત્યાર પછી મોટા ચક્રવર્તીના રાજ્યને ભોગવનારા, મોટા પ્રભાવવાળા, જે બહોંતેર હજાર મુખ્ય શહેરો, શ્રેષ્ઠ નગરો, નિગમ અને દેશના સ્વામી, બત્રીશ હજાર શ્રેષ્ઠ રાજાઓ જેમનો માર્ગ અનુસરતા હતા, ચૌદ રત્ન, નવ મહાનિધિ અને શ્રેષ્ઠ યૌવન અને સૌંદર્યવાળી ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ રથના સ્વામી તથા છન્નુ ક્રોડ ગામના સ્વામી એવા જે ભગવાન ભરતક્ષેત્રને વિષે હતા, તે ઉપશાંત રૂપ હતા, શાંતિને કરનારા હતા, જેઓ સર્વભય સંતીર્ણ થઈને શાંતિકર થયા, એ શ્રી શાંતિનાથ જિનેશ્વરની, મારીશાંતિ માટેસ્તુતિ કરુંછું. (૧૧,૧૨)
વિવિધ સંબંધોથી અજિતનાથ પ્રભુની સ્તુતિ
ઇક્બાગ ! વિદેહ નરીસર ! નરવસહા ! મુણિવસહા !, નવસારય સિસ સકલાણણ ! વિગયતમા ! વિદ્યુઅરયા !,
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૧
અજિ ઉત્તમ તેઅ ગુણહિં મહામુણિ અમિઅબલા! વિઉલકુલા!, પણમામિ તે ભવ ભય મૂરણ! જગસરણા!
મમ સરણે (૧૩) ચિત્તલેહા.
વિવિધ સંબંધોથી શાંતિનાથ પ્રભુની સ્તુતિ દેવ દાણ વિંદ ચંદ સૂર વંદ! હટ્ટ, તુટ્ટ, જિટ્ટ, પરમ, લટ્ટ રૂવ!
વંત રૂધ્ધ પટ્ટ સેઅ સુદ્ધ નિદ્ધ ધવલ, દંત પંતિ સંતિ ! સત્તિ કિત્તિ મુત્તિ જુત્તિ ગુત્તિ પવર!, દિરતેઅ! વંદ! ધેય! સવ્વલોઅ-ભાવિ અધ્ધભાવ!
ણેઅ! પઇસ મે સમાપ્તિ (૧૪) નારાયઓ. હે ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ, હે વિદેહ દેશના રાજા, હે મનુષ્યોમાં શ્રેષ્ઠ, હે મુનિઓમાં શ્રેષ્ઠ, હે નવી શરદઋતુના પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળા, જેમનું અજ્ઞાનચાલી ગયું છે એવા, કર્મરૂપરજ જેમણે દૂર કરીછે, હે ગુણો વડે ઉત્તમ તેજવાળા, હે મોટા મુનિ ! હે અનંત બળવાળા, હે વિશાળ કુળવાળા, હે ભવના ભયને છોડનાર, હે જગતના શરણરૂપ, મને શરણ આપનારોઅજિતનાથ! હું તમને પ્રણામ કરું છું. (૧૩) હે દેવ અને દાનવના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્યને વંદના કરવા યોગ્ય, હે આરોગ્યવાળા, પ્રીતિવાળા, પ્રશસ્ય અને અત્યંત કાંતિયુક્ત રૂપવાળા, તપાવેલી રૂપાના પાટા જેવી સફેદ, નિર્મળ, સ્નિગ્ધ અને ઉજ્જવળ દાંતની પંક્તિ વાળા, હે શક્તિ, કીર્તિ, નિર્લોભતા, યુક્તિ અને ગુપ્તિ વડે શ્રેષ્ઠ, હે દેદીપ્યમાન તેજના સમૂહવાળા, ધ્યાન કરવા યોગ્ય, સર્વ લોકોએ જેમનો પ્રભાવ જામ્યો છે, તે જાણવા યોગ્ય, એવા હશાંતિનાથ!મનેસમાધિ આપો. (૧૪)
અજિતનાથ પ્રભુની સ્તુતિ વિમલ સસિ કલાઈ રેઅ સોમ, વિતિમિર સૂર કરાઈરેઅ તે,
તિઅસવઈ ગણાઇરેઅ રૂવે,
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ધરણિધર પવરાઇરેઅ સારું (૧૫) કુસુમલયા સત્તે અ સયા અજિઅં, સારીરે અ બલે અજિઅં, તવ સંજમે અ અજિઅં,
એસ થુણામિ જિણું અજિઅં (૧૬) ભુઅગ પરિરિંગઅં
ઉપર પ્રમાણેના ગુણોથી શ્રીશાંતિનાથ પ્રભુની સ્તુતિ
સોમગુણેહિં પાવઇ ન તં નવ સરય સસી, તેઅ ગુણેહિં પાવઇ ન તં નવ સરય રવી, રૂવગુણેહિં પાવઇ ન તં તિઅસ ગણવઇ, સાર ગુણેહિં પાવઇ ન તેં ધરણિ ધરવઇ, (૧૭) ખજ્જિઅયં
ન
તિસ્થવર પવત્તયં, તમરય રહિયં,
ધીરજણ થુઅચ્ચિઅં, ચુઅ કલિ કલ્લુસં, સંતિસુહ પ્પવત્તયં તિગરણ પયઓ, સંતિમહં મહામુણિ સરણ મુવણ મે (૧૮) લિઅયં
નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં વધુસૌમ્યતાવાળા, વાદળાં રહિત સૂર્યના કિરણથી વધુ તેજવાળા, ઈન્દ્રોના સમૂહથી અધિક રૂપવાળા, શ્રેષ્ઠ મેરુ પર્વતથી વધુ દઢતાવાળા, સત્ત્વને વિષે નિરંતર નહિ જિતાય એવા, શારીરિક બળને વિષે પણ નહિ જીતાએલા, તપ અને સંયમમાં નહિ જીતાએલા, એવા શ્રી અજિતનાથ જિનેશ્વરનીહુંસ્તવના કરુંછું. (૧૫,૧૬) સૌમ્ય ગુણ વડે જેમને નવીન શરદઋતુનો ચંદ્ર ન પામી શકે, તેજ ગુણ વડે જેમને નવીન શરદઋતુનો સૂર્ય ન પામી શકે, રૂપના ગુણ વડે ઈન્દ્ર તેમને ન પામી શકે અને દઢતાના ગુણ વડે મેરુ પર્વત તેમને પામી શકે નહિ, તેવા શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક, કર્મ રૂપ રજથી રહિત, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ, જેના મલિનતા અને વૈર દૂર થયા છે, મોક્ષના પ્રવર્તક મહામુનિ એવા શ્રી શાંતિનાથનું મન, વચન, કાયાની એકાગ્રતા પૂર્વક હું શરણ સ્વીકારું છું. (૧૭,૧૮)
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૩
દેવકૃત ભક્તિ વર્ણનથી શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ વિણ ઓણય સિરરઈ અંજલિ રિસિગણ સંયુયં થિમિય, વિબુહા હિવ ધણવઈ નરવઈ થુઆ મહિ અશ્ચિયં બહુસો, અરૂગ્ગય સરય દિવાયર સમહિઆ સપ્તભં તવસા,
ગયણ ગણ વિયરણ સમુદા ચારણ વંદિયં સિરસા (૧૯) કિસલયમાલા
અસુર ગરૂલ પરિવંદિય, કિન્નરોરગ નમંસિયું, દેવકોડિસય સંથય, સમણસંઘ પરિવંદિયું (૨૦) સુમુહં
અભય, અણહ, અરય, અય, અજિયં અજિયં, પયઓ પણમે (૨૧) વિજ્વિલસિય
વિનય વડે નમેલા, મસ્તકને વિષે રચી છે અંજલિ જેને એવા મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચલ, ઈન્દ્ર, કુબેર અને ચક્રવર્તી વડે ઘણી વાર સ્તુતિ કરાયેલા, વંદાયેલ અને પૂજાયેલ, તપ વડે તત્કાળ ઉદય પામેલા શરદઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, આકાશના વિષે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓના મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદન કરાયેલા, કિન્નર અને મહોરગ વ્યંતરદેવો વડે નમસ્કાર કરાયેલા, સેંકડો ક્રોડ વૈમાનિક દેવો વડે સ્તુતિ કરાયેલ, શ્રમણ સંઘ વડે સમસ્ત પ્રકારે વંદાયેલ, ભય રહિત, પાપ રહિત, આસક્તિ રહિત, રોગ રહિત, નહિ જીતાયેલ એવા શ્રી અજિતનાથને આદર વડે પ્રમાણ કરું છું. (૧૯,૨૦,૨૧)
દેવકૃત ભક્તિ વર્ણનથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ આગયા વરવિભાણ દિબ્લકણગ રહતુરય પહકર એહિં હુલિય, સસંભનો અરણ ખુભિ લુલિઅ ચલ કુંડલ ગય તિરીડ
સોહંત મઉલિ માલા (૨૨) વેઠુઓ.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જં સુરસંધા, સાસુર સંધા વેરવિઉત્તા ભત્તિ સુજુત્તા, આયર ભૂસિઅ, સંભમ પિંડિઆ, સુકું સુવિઅિ સવબલોઘા, ઉત્તમ કંચણ રયણ પરૂવિએ ભાસુર ભૂસણ ભાસુરિ અંગા, ગાય સમોણય ભત્તિવસાગય પંજલિ પેસિય
સીસપણામા (૨૩) રયણમાલા, વંદિઊણ થોઊણ તો જિર્ણ, તિગુણમેવ ય પુણો પાહિણ,
પણમિઊણ ય જિર્ણ સુરાસુરા, પમઇઆ સભવણાઈ તો ગયા (૨૪) ખિત્તય તે મહામુણિ મહંપિ પંજલી, રાગદોસ ભય મોહ વજ્જિયં,
દેવદાણવ નરિંદ વંદિય,
સંતિ મુત્તમ મહાતવં નમે (૨૫) ખિત્તર્યા. શ્રેષ્ઠ વિમાન અને દિવ્ય. સુવર્ણમય સેંકડો રથ અને ઘોડાના સમૂહ વડે શીધ્ર આવેલા, સંભ્રમવડે આકાશથી ઉતરતાં શુભિત ચિત્તવાળા હોવાથી ડોલતા, ચંચલ કુંડલ, બાજુબંધ, મુકુટતથા મસ્તકની માળા શોભતી છે. (૨૨) વૈરરહિત, ભક્તિભાવથી, સારી રીતે યુક્ત, આદર વડે શોભિત, સંભ્રમ વડે એકત્ર થયેલ, જેમના સર્વ જાતના સૈન્યના સમૂહ અતિશય વિસ્મિતા થયેલા છે, શ્રેષ્ઠ સુવર્ણ અને રત્ન વડે વિશેષ રૂપ યુક્ત કરેલા, દેદીપ્યમાન આભૂષણ વડે જેમના અંગો શોભાયમાન છે, શરીરથી નમેલા, ભક્તિના વશથી આવેલા અને અંજલી વડે મસ્તકથી પ્રણામ કર્યા છે જેમને, એવા દેવસમુદાયો જે ભગવંતને (૨૩) વંદન કરીને, તે પછી જિનની સ્તવના કરીને, વળી ફરીથી ત્રણ વખત પ્રદક્ષિણા કરીને અને જિનને પ્રણામ કરીને, આનંદિત થયેલા દેવ-દાનવ ત્યાંથી પોતાના ભવન તરફ પાછા ગયા, (૨૪) તે ભગવંતને, જે મહામુનિ છે, રાગ, દ્વેષ, ભય અને મોહથી રહિત છે, દેવ, દાનવ અને રાજા વડે વંદાયેલા છે, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા શ્રી શાંતિનાથને અંજલી કરીને, હું નમસ્કાર કરું છું.(૨૫)
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨
/૫
અંબરંતર વિઆરણિઆહિં, લલિઅ હંસ વહુ ગામિણિ આહિં,
પણ સોણિ થણ સાલિણિ આહિં, સકલ કમલ દલ લોઅણિઆહિં; (૨) દીવય. પણ નિરંતર થણભર વિણમિય ગાય લઆહિં, મણિ કંચણ પસિઢિલ મેહલ સોહિએ સોણિતડાહિં,
વર ખિંખિણિ નેઉર સતિલય વલય વિભૂણિ આહિં, રઇકર ચઉર મોહર સુંદર દંસણિઆહિં (૨૭) ચિત્તમ્બરા.
દેવસુંદરીહિં પાય વંદિઆહિં,
વંદિયા ય જસ્ટ તે સુવિક્રમા કમા, અપ્પણો નિડાલએહિં, મંડણોણ પ્પગારએહિ કેહિ કેહિ વિ, અવંગ તિલય પત્તલેહ નામઅહિં ચિલ્લએહિં સંગર્યા ગયાહિં,
ભત્તિ સન્નિવિટ્ટ વંદણાયાહિં હુંતિ તે વિંદિઆ પુણો પુણો (૨૮) નારાયઓ.
તમહં જિણચંદ, અજિયં જિઅમોહ, ધુય સવકિલેસ, પયઓ પણમામિ (૨૯) નંદિઅય
આકાશના અંતરાલમાં વિચરનારી, મનોહર હંસલીની જેમ ચાલનારી, પુષ્ટએવા કેડના ભાગ અને સ્તનો વડે શોભતી, કલાયુક્ત ખીલેલા કમળના પાંદડા જેવા નયનોવાળી, મોટા અને પાસે આવી ગયેલા સ્તનોના ભાર વડે નમી ગયેલ શરીર વેલડીવાળા, મણિ અને સુવર્ણની બનાવેલ વિશેષ ઢીલી મેખલા (કંદોરા) વડે શોભાયમાન છે કેડનો પ્રદેશ જેનો, શ્રેષ્ઠ ઘુઘરીઓવાળા ઝાંઝર અને ટપકીવાળા કંકણ (વલય) વડે સુશોભિત એવી, પ્રીતિ ઉપજાવનારી, ચતુર જનના મનને હરનારી, સુંદર દર્શનવાળી, (અલંકાર દ્વારા શરીરના) કિરણોના સમૂહવાળી, આભૂષણની રચનાના પ્રકારો વડે, તે વળી કેવા કેવા પ્રકારો ? અપાંગતિલક (આંખમાં કાજળ) અને પત્રલેખા (કપાળે તિલક) નામવડે દેદીપ્યમાન પ્રમાણોપેત અંગવાળી,
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ભક્તિ વડે પૂર્ણ, વંદન માટે આવેલી દેવાંગનાઓ વડે, પોતાના લલાટો વડે, જેમના ઘણા પરાક્રમવાળા ચરણો વંદાય છે તથા ફરી ફરી વંદાયા છે જેમના, તે મોહને સર્વથા જિતનારા, દૂર કર્યા છે સર્વ દુઃખો જેણે, તેવા શ્રી જિનેશ્વર શ્રી અજિતનાથને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. (૨૬,૨૭,૨૮,૨૯)
યુઅ વંદિઅયસ્સા, રિસિગણ, દેવગણેહિં,
તો દેવવહુહિં, પયઓ પણમિઅસ્સા, જસ્ટ જગુત્તમ સાસણઅસ્સા, ભત્તિ વસાગય પિંડિઅયાહિં,
દેવ વરચ્છરસા બહુઆહિં, સુરવર રઇગુણ પંડિઅયાપ્તિ (૩૦) ભાગુરાય શ્રી શાંતિનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલી સ્તુતિ
વંસદ તંતિતાલ મેલિએ, તિઉખરા ભિરામ સદમીસએ કએ અ, સુઈ સમાણણે અ સુદ્ધ સજ્જગીય પાય જાલ ઘંટિઆહિં, વલય મેહલા કલાવ નેઉરાભિરામ સદમીસએ કએ અ, દેવ નષ્ક્રિઆહિં હાવભાવ વિન્ગમ પ્પગારએહિં,
નશ્ચિઉણ અંગહારએહિં,
વંદિઆ ય જસ્ટ તે સુવિક્રમા કમા, તયં તિલોય સવ્વસત્ત સંતિકારયં, પસંત સવ્વપાવ દોસપ્રેસ હં,
નમામિ સંતિમુત્તમ જિર્ણ (૩૧) નારાયઓ ભક્તિના વશથી એકત્ર થયેલી, દેવોની સાથે રતિક્રીડા કરવામાં પંડિતા, એવી જ નર્તકવાદક, ઘણા શ્રેષ્ઠ દેવોની નૃત્યકુશળ દેવાંગનાઓ વડે, વાંસળીના શબ્દ, વીણા અને તાલ સહિત, ત્રિપુષ્કર વાજિંત્રના મનોહર શબ્દ વડે મિશ્રિત, સાંભળવાનું સમાનપણું હોવાથી, નિર્દોષ અને ગુણયુક્ત ગીતો ગાનારી તથા પગે જાળીના આકારવાળા ઘૂઘરા બાંધેલી એવી
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૭
દેવનર્તકીઓ, વલય, કટિસૂત્ર, કલાપ અને ઝાંઝરના મનોહર શબ્દો વડે, મિશ્રિત, હાવ ભાવ અને વિભ્રમના પ્રકારવાળા અંગના વિક્ષેપ વડે નૃત્ય કરીને, મોક્ષ આપનાર જે જગતમાં ઉત્તમ શાસનવાળા, ઋષિસમુદાય અને દેવોના સમુદાય વડે સ્તવના કરાયેલ અને વંદાયેલ પાછળથી દેવવધૂઓ વડે પ્રણામ કરાએલા એવા પરાક્રમવાળા જેમનાં બંને ચરણકમળો વંદાય છે તે ત્રણે લોકમાં શાંતિ કરનાર, સર્વ પાપ અને દોષથી રહિત, ઉત્તમ શ્રી શાંતિનાથ જિનેશ્વરને નમસ્કાર કરું છું. (૩૦,૩૧)
શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિઓ
છત્ત ચામર પડાગ જુએ જવ મંડિઆ, ઝય વર મગર તુરય સિરિવચ્છ સુ લંછણા,
દીવ સમુદ્ર મંદર દિસાગય સોહિએ, સલ્વિઅ વસહ સીહ રહ ચક્ક વાંકિયા (૩૨) લલિઅય સહાવ લટ્ટા સમ પૂઇટ્ટા, અદાસ દુટ્ટા, ગુણેહિ જિહા, પસાય સિટ્ટો, તવેણ પુટ્ટા, સિરીહિં ઇટ્ટા, રિસીહિં જુદા. (૩૩) વાણવાસિઆ તે તવેણ ધુએ સવ્વપાવયા; સવ્વલોઅ હિઅ મૂલ પાવયા,
સંથુઆ અજિઅ સંતિ પાયયા, હંતુ મેસિવ સુહાણ દાયયા (૩૪) અપરાંતિકા
ઉપસંહાર એવું તવ બલ વિલિ, થયું એ અજિઅ સંતિ જિણ જુઅલ, વવગય કમ્મ રય મલ, ગઈ ગયું સાસય વિલિ (૩૫) ગાહા છત્ર, ચામર, પતાકા, સ્તૂપ અને જવ વડે શોભિત, શ્રેષ્ઠ ધ્વજ, મગર, ઘોડો અને શ્રીવત્સ એવા શુભ લંછનવાળા, દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત અને દિગ્ગજવડે શોભિત, સ્વસ્તિક, વૃષભ, સિંહ, રથ અને ચક્ર વડે અંકિત, સ્વભાવથી સુંદર, સમતાભાવમાં સ્થિર, દોષ વડે વિકાર નહિ પામેલા, ગુણો વડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી લેવાયેલા, તપ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વડે દૂર કર્યા છે સર્વપાપ જેમણે, સર્વલોકના હિતના મૂળને પ્રાપ્ત કરાવનારા, સારી રીતે સ્તુતિ કરાયેલા તે, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ પૂજ્યો મને મોક્ષસુખ આપનારા થાઓ. (૩૨,૩૩,૩૪) ઉપસંહાર એ પ્રકારે તપના બળથી મહાન, દૂર થયાં છે જેમના કર્મ રૂપ રજ અને મલ, વિસ્તીર્ણ અને શાશ્વત ગતિને પામેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ સ્વામીના યુગલની મેં સ્તવના કરી. (૩૫).
સ્તુતિ કરવાનું ફળ તં બહુગુણ પસાય, મુખ સુહેણ પરમેણ અવિસાય, નામેઉ મે વિસાયં, કુણઉ આ પરિસાવિ અધ્વસાય (૩૬) ગાહા
અંતિમ આશીર્વાદ તે મોએઉ આ નંદિ, પાવેઉ અ નંદિસેણ મભિનંદિ, પરિસાવિ અ સુહ નંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ (૩૭) ગાહા
આ સ્તોત્ર બોલવાના ખાસ પ્રસંગો પMિઅ, ચઉમ્માસિઅ, સંવચ્છરીએ અવસ્ય ભણિઅવ્વો,
સોઅવ્વો સવૅહિં, ઉવસગ્ગ નિવારણો એસો (૩૮) ઘણા ગુણોના પ્રસાદવાળું, ઉત્કૃષ્ટ મોક્ષસુખ વડે વિષાદ રહિત, તે યુગલ મારા વિષાદનો નાશ કરો તથા સભાને અને મને પણ અનુગ્રહ કરો. (૩૬) તે યુગલ ભવ્ય જીવોને હર્ષ કરાવો, મંગળ પ્રાપ્ત કરાવો અને નંદિષણને સમસ્ત પ્રકારે આનંદ કરાવો, શ્રોતાજનોની સભાને પણ સુખ સમૃદ્ધિ આપો તથા મને પણ સંયમમાં આનંદ આપો. (૩૭) આ સ્તોત્ર ઉપસર્ગનું નિવારણ કરનાર છે, તેથી પકખી પ્રતિક્રમણને વિષે, ચાતુર્માસિક પ્રતિક્રમણને વિષે અને સાંવત્સરિક પ્રતિક્રમણને વિષે (એક જણે) અવશ્ય ભણવા યોગ્ય છે અને સર્વે માણસોએ સાંભળવા યોગ્ય છે.(૩૮)
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૦૯
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૯ રોજ બંને વખત આ સ્તોત્ર ગણવાથી થતા લાભ જો પઢઈ જો અનિસુણઈ, ઉભઓ કાલપિ અજિઅ સંતિથયું, ન હુ હુતિ તસ્સ રોગા, પુત્રુપ્પડ્યા વિનાસંતિ (૩૯)
અંતિમ ઉપદેશ જઈ ઇચ્છહ પરમપર્યા, અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે,
તા તેલુફ્ફદ્ધરણે, જિણ વયણે આયરે કુણહ. (૪૦) શ્રી અજિતશાંતિ સ્તવનને બંને વખત પણ જે ભણે છે અને જે સાંભળે છે તેને રોગો થતા નથી અને પૂર્વ ઉત્પન્ન થયેલા રોગ નાશ પામે છે. (૩૯) જો તમે પરમપદને અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિને ઈચ્છો છો. તો ત્રણ લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને વિષે આદર કરો. (૪૦)
આ સ્તોત્ર રચનાર શ્રી નંદિષેણ મુનિ માનવામાં આવે છે. કોઈ કહે છે તેમ શ્રી નેમનાથ પ્રભુના શાસનમાં એક નંદિષણમુનિ થયા છે. વળી કોઈ કહે છે શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયેલા નંદિષણ મુનિ છે. શ્રી શત્રુંજયગિરિની ૬ ગાઉની પ્રદક્ષિણાએ જતાં ચિલ્લાણા તલાવડી પાસે શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી અજિતનાથ પ્રભુની બે દેરીઓ સામસામે હોવાથી એકમાં ચૈત્યવંદન કરતા બીજાને પૂંઠ પડતી અને તેથી અશાતના થતી. ત્યારે આ સ્તોત્રકારે આ સ્તોત્ર એવી ભક્તિભાવે ગાયું કે બંને દેરીઓ પાસે પાસે જોડાઈ ગઈ.
ઉત્કૃષ્ટકાળે વિહરતા ૧૭૦ જિનેશ્વરો વર્ણ અનુસાર સ્તવેલા છે. વરકનક શંખ વિદ્યુમ, મરકત ઘન સન્નિભં વિગત મોહમ્,
સપ્તતિ શતં જિનાનાં, સર્વાંમર પૂજિત વંદે (1) ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ, અને મેઘ જેવા (વર્ણવાળા) મોહ રહિત, સર્વદેવતાઓથી પૂજાયેલ એકસો ને સિત્તેર તીર્થકર ભગવંતોને (આ અવસર્પિણીમાં બીજા શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં ૧૭૦ જિનેશ્વર દેવો વિહરતા હતા) હું વંદન કરું છું. (૧)
સાયંકાલીન પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાહ' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કરતા પહેલાં આ સૂત્ર સામુહિક બોલાય છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા.)
સર્વશ્રેષ્ઠ એવા પાંચ પરમેષ્ટિ ભગવંતોને ભાવ પૂર્ણ હૃદયથી નમસ્કાર ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૧) ભગવાહૈ,
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (અરિહંત અને સિદ્ધસ્વરૂપ) ભગવંતોને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૨) આચાર્યહં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (આચાર્યોને) વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૨)
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૩) ઉપાધ્યાયš
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (ઉપાધ્યાયોને) વંદન કરવા માટેઈ ંછું(અને) મસ્તક વડેવંદન કરુંછું. (૩) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. (૪) સર્વ-સાધુ ં
હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (સર્વ સાધુઓને) વંદન ક૨વા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરુંછું. (૪)
(જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને માથુ નમાવીને, વડીલ હોય તો તે, અઠ્ઠાઇજેસુ કહે.)
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૧
અઢીદ્વીપ માં રહેલ અઢાર હજાર શિલાંગ શીલ-ચારિત્રના ધરનાર સર્વ સાધુ ભગવંતોને વિવિધ ગુણ સ્મરણ કરી વંદના.
અઠ્ઠાઈજ્જેસુ દીવ સમુદ્દેસુ, પનરસસુ, કમ્મ ભૂમીસુ, જાવંત કે વિ સાહુ, રય હરણ ગુચ્છ પડિગ્ગહ ધારા (૧) પંચ મહ વ્યય ધારા, અટ્ટારસ સહસ્સ સીલંગ ધારા, અક્ખયા યાર ચરિત્તા, તે સવ્વ સિરસા મણસા મત્લએણ વંદામિ (૨)
અઢીદ્વીપ અને બે સમુદ્ર સંબંધી પંદર કર્મભૂમિને વિષે જે કોઈ પણ સાધુ ભગવંતો રજોહરણ (ઓઘો), ગુચ્છક (પાત્રાની ઝોળી ઉપર-નીચે બંધાય તે) અને પાત્રા (આદિ)ને ધારણ કરનારા. (૧)
પાંચ મહાવ્રતને ધારણ કરનાર, અઢાર હજાર શીલના અંગને ધારણ કરનાર, તથા સંપૂર્ણ આચારરૂપ ચારિત્રવાળા, તે સર્વને હું મસ્તકથી અને મનથી વંદન કરુંછું. (૨)
આ સૂત્ર શ્રાવક- શ્રાવિકાગણે દેવસિઅ-રાઇઅ પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાનહં' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કર્યા પછી બોલવાનું હોય છે. વડીલ ભાગ્યશાળી સૂત્ર ઉચ્ચારે (અન્યો સાંભળે) ત્યારે સર્વે જમણા હાથની હથેળી ચરવળા કટાસણા ઉપર ચત્તી સ્થાપન કરે તેવી વિધિ છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !
દેવસિય પાયચ્છિત્ત વિસોહણથૅ કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છે, દેવસિય પાયચ્છિત્ત વિસોહણથં કરેમિ કાઉસ્સગં.
ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવન્ ! દિવસ સંબંધી અતિચારના પ્રાયશ્ચિતની વિશેષ શુધ્ધિ માટે કાયોત્સર્ગ કરું ? આજ્ઞા પ્રમાણ છે. દિવસ સંબંધી પ્રાયશ્ચિતની વિશુધ્ધિ માટે કાઉસ્સગ્ગ કરું છું.
આહાર-પાણીને ધારણ કરવા સમર્થ કાષ્ઠના પાત્રાથી શોભતા અને ગોચરી વાપરવા છતાં કર્મનિર્જરા સાધતા અને અહિંસા, જૂઠ, ચોરી, મૈથુન-પરિગ્રહથી સર્વથા વિરામ પામવા માટે પાંચ મહાવ્રતને ધારણ કરતા અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પંચાચારનું સુવિશુદ્ધ પાલન કરવા સાથે શુદ્ધ નિર્વિકાર હૃદય વૃત્તિને અખંડિત ધરનારા એવા મહાત્માઓને વંદન કરવા.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૧ ૨.
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન
અન્નત્થ ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઈએણં, ઉડુએણે, વાયનિસગૂણે, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિ. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ, વોસિરામિ. (૫) ૧-ઉંચો શ્વાસ લેવા વડે, ર-નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪-છીંક આવવાથી, પ-બગાસુ આવવાથી, ૬-ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તનાપ્રકોપ વડે મૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ઘૂંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાનવડ, મૌનવડે, ધ્યાન વડે, આત્માને વોસિરાવું છું. (૫)
૧) લોગસ્સમાં શ્રી તીર્થકર ભગવંતોનું જ ગુણકિર્તન શા માટે? ઉત્તર : શ્રી તીર્થકર ભગવંતો ૧- પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી ૨-પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી ૩- ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી તેમનું ગુણકિર્તન કરાયેલું છે. ૨) દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરો જ કેમ હોય છે? ઉત્તર : એક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં, ત્રિલોકના નાથ જેવા જિનેશ્વર ભગવંતોને જન્મવા લાયકના સાત ગ્રહનો ઉત્કૃષ્ટ સમય ચોવીસ વખત જ આવે છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૩
(પછી ચાર લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો અથવા સોળ નવકારનો
કાઉસ્સગ્ન કરવો.) (તે પાર્યા પછી પ્રગટ લોગસ્સ કહેવો)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે,
અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસંપિ કેવલી (1) ઉસભ મજિયં ચ વંદે, સંભવ મણિંદણં ચ સુમઈ ચે,
પઉમuહં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પાં વંદ. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ,
વિમલમણતં ચ જિર્ણ, ધર્મ સંતિં ચ વંદામિ. (૩) કુંથું અરં ચ મલ્લિ, વંદે, મુણિસુવર્ય નમર્ણિ ચ,
વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહણ જર મરણા,
ચઉવસં પિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા,
આરૂષ્ણ બોરિલાભ, સમાવિવર મુત્તમં દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇચ્છેસુ અહિયં પયાસયરા,
સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (). (કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશ તીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રીપદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨)
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ‘ઇચ્છ’.
હે ભગવન્ ! સજ્ઝાય ભણું ? આજ્ઞા માન્ય છે.
કાયોત્સર્ગ ગુપ્તિના પરિણામ સ્વરૂપ છે. મુક્તિનું પરિણામ વિરતિના પરિણામ વિના સંભવતું નથી. આથી વાસ્તવમાં કાયોત્સર્ગ કરવાનો અધિકારી પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનકવાળો આત્મા જ છે. તે સિવાયના આત્માઓ માટે તો આ ક્રિયા કાયોત્સર્ગના અભ્યાસરૂપ જ થાય છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૧૫
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૫ દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તકવડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સઝાય કરું? “ઇચ્છે'. હે ભગવન્! હુંસઝાય કરું છું.
(પછી નીચે બેસી એક નવકાર, ઉવસગ્ગહર ગણી સંસારદાવાની સઝઝાય કહેવી)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
નવકારમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રના ધારક અરિહંત અને સિદ્ધ ભગવાન નવકારમાં છે. તેથી જ્ઞાનાદિ પણ નવકારમાં છે જ. નવકારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતા મંગળરૂપે બોલવામાં થાય છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ધર્મમાર્ગમાં અંતરાયભૂત વિપ્નોના નિવારણની પ્રાર્થના ઉવસગ્ગહર પાસ, પાસે વંદામિ કમ્મ ઘણ મુર્ક, વિસ હર વિસ નિન્નાસ, મંગલ કલ્યાણ આવાસ (1) વિસ હર ફલિંગ મંત, કંઠે ધારે) જો સયા મણુઓ, તસ્સ ગહ રોગ મારી, દુઢ જરા જંતિ ઉવસામ (૨) ચિટ્ટઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ દોગથ્ય (૩) તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ પ્પપાય વક્મહિએ,
પાવંતિ અવિષેણ, જીવા અયરામરં ઠાણ (૪) ઇઅ સંથુઓ મહાયસ, ભત્તિબ્બર નિર્ભરેણ હિયએણ,
તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ (૫) ઉપસર્ગને હરનારા, પાર્શ્વયક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષ ધારણ કરેલા સર્પના વિષનો નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘર રૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. (૧) જે કોઈ મનુષ્ય, વિષને હરનાર સ્ફલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટતાવ શાંતિને પામે છે. (૨) તે (સ્ફલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનારથાયછે (અને) મનુષ્ય-તિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. (૩) ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન પામવાથી જીવો નિર્વિદનપણે અજરામર (અજ૨=ઘડપણ રહિત=મોક્ષપાદ) ને પામે છે. (૪) હે મોટા યશવાળા પાર્શ્વનાથ ભગવાન ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન)ને આપો. (૫)
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૭
શ્રી સંઘ ઉપર વ્યંતરદેવ દ્વારા ઉપદ્રવ કરવામાં આવેલ ત્યારે તેના નિવારણ માટે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલા અંતિમ ચૌદપૂર્વધર શ્રી આર્યભદ્ર બાહુસ્વામીજીએ આ સ્તોત્રની સાત ગાથા પ્રમાણ રચના કરેલ. વિષમકાળમાં તે મંત્રાક્ષરોનો દુરઉપયોગ થવાથી શાસનરક્ષક અધિષ્ઠાયક દેવની વિનંતીથી પાછળની બે ગાથા સંહરી લેવામાં આવેલ. હાલ પાંચ ગાથાનું આ સ્તોત્ર પૂર્વધરે રચેલ હોવાથી સૂત્ર પણ કહેવાય છે. આ પૂર્વધર ભગવંતે શ્રી કલ્પવૃક્ષની પણ રચના પૂર્વ માંથી કરેલ છે. તેઓ આર્ય શ્રી સ્થૂલભદ્રસ્વામીજીના વિદ્યાગુરૂ પણ હતા.
શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ
સંસાર દાવા નલ દાહ નીરં, સંમોહ ઘેલી હરણે સમીર, માયા રસા દારણ સાર સીર, નમામિ વીરં ગિરિ સાર ઘીરે (1)
સર્વ તીર્થકર ભગવંતોની સ્તુતિ ભાવા વનામ સુર દાનવ માનવેન, ચૂલા વિલોલ કમલા વલિ માલિતાનિ,
સંપૂરિતા ભિનત લોક સમી હિતાનિ, કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ (૨)
આગમ-સિદ્ધાંતની સ્તુતિ બોધા ગાધ સુપદ પદવી નીર પૂરા ભિરામ, જીવા હિંસા વિરલ લહરી સંગ માગાહ દેહં.
ચૂલા વેલ ગુરુ ગમ મણિ સંકુલ દૂર પાર, સાર વીરા ગમ જલ નિધિ સાદર સાધુ સેવે (૩)
શ્રુતદેવી- સરસ્વતીદેવીની સ્તુતિ આ મૂ લા લોલ ઘેલી બહુલ પરિમલા લીઢ લોલા લિ માલા,
ઝંકારા રાવ સારા મલ દલ કમલા ગાર ભૂમિ નિવાસે ! છાયા સંભાર સારે ! વર કમલ કરે ! તાર હારા ભિ રામે! વાણી સંદોહ દેહે! ભવ વિરહ વર દેહિ મે દેવિ! સાર (૪)
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સંસારરૂપ દાવાનલના તાપને ઓલવવા માટે પાણી સમાન, મોહ એટલે અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા એટલે કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, અને મેરુપર્વત જેવા ધૈર્યવાન શ્રી મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું. (૧) ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો, દાનવો અને મનુષ્યોના સ્વામીઓના મુગટમાં રહેલ ચપળ કમળની શ્રેણિઓથી પૂજાયેલ, વળી નમસ્કાર કરનારા લોકોના મનોવાંછિત જેઓએ સારી રીતે પૂર્ણ કર્યા છે, એવા શ્રી જિનેશ્વર દેવોના ચરણોમાં હું ખૂબ નમસ્કાર કરું છું. (૨) આ આગમ-સમુદ્ર અપરિમિત જ્ઞાનમાં કારણે ગંભીર છે. લલિત પદોની રચનારૂપ જલથી મનોહર છે. જીવદયા સંબંધી સૂક્ષ્મ વિચારો રૂપ મોજાઓથી ભરપૂર હોવાને લીધે પ્રવેશ કરવામાં કઠિન છે. ચૂલિકા રૂપ વેળા (ભરતી) વાળો છે. આલાયક રૂપી રત્નોથી ભરપૂર છે અને જેનો સંપૂર્ણ પાર પામવો અત્યંત મુશ્કેલ છે. એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવા કરું છું. (૩) મૂળથી ડોલાયમાન હોવાથી ખરેલા પરાગની અતિ સુગંધમાં મસ્ત થયેલા ભ્રમરોની શ્રેણીથી શોભાયમાન સુંદરપાંખડીવાળા કમળ-ઘર ઉપર આવેલા ભવનમાં રહેનારી ! કાંતિ-પૂંજથી શોભાયમાન ! હાથમાં સુંદર કમળને ધારણ કરનારી ! અને દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર ! દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી દે શ્રુતદેવી ! તમે મને મોક્ષનું ઉત્તમ વરદાન આપો. (૪)
આ સ્તુતિ પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજની રચેલી છે. તેમણે પ્રાયશ્ચિત તરીકે ૧૪૪૪ ગ્રંથો બનાવવાના હતા. જ્યાં ૧૪૪૦ગ્રંથો પુરા થયાં, તેવામાં કાળધર્મ નજીક આવવાથી ૪ સ્તુતિરૂપ ૪ ગ્રંથો બનાવી પ્રાયશ્ચિત પૂરું કરવાના ઇરાદાથી આ સ્તુતિ રચી છે. પ્રાયશ્ચિત પૂરું કરવાના ઇરાદાથી ૪ સ્તુતિ બનાવતા ચોથી સ્તુતિનું એક પદ બોલાયું તેવામાં તેમની બોલવાની શક્તિ બંધ થતાં, સંઘે અથવા શાસનદેવીએ તેમના હૃદયનો અભિગમ જાણી ચોથી સ્તુતિ પુરી કરી, ત્યારથી ‘ઝંકારા” થી માંડી બાકીની સ્તુતિ સહુશ્રાવકો એકી સાથે મોટા સ્વરે ઉલ્લાસમાં બોલે છે.
પાપથી શુદ્ધ બનેલા પોતાના આત્માના આનંદને વ્યક્ત કરવા અને આ પ્રતિક્રમણ ધર્મની પ્રાપ્તિ વર્તમાન શાસનાધિપતિના કાળમાં થઈ છે તેથી તેઓ પ્રત્યે કૃતજ્ઞા વ્યક્ત કરતા આ સ્તુતિ બોલાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૧૯
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
(ચરવળાવાળા ઉભા થઈને કાઉસ્સગ્ન કરે)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુખખય કમ્મખય નિમિત્ત કાઉસ્સગ્ન કરું? “ઇચ્છે'
દુખખય કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ. હે ભગવન્!દુષ્કર્મ અને કુકર્મનિમિત્તે કાઉસ્સગ કરું? આજ્ઞા માન્ય છે. દુષ્કર્મ અને કુકર્મનિમિત્તે કાઉસ્સગ્ન કરું છું.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગના ૧૬ આગાર (છુટનું) વર્ણન
અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં,
સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩– ઉધરસ આવવાથી, ૪છીંક આવવાથી, ૫- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડેમૂર્છાઆવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનોસંચાર, થૂંક-કફનો સંચાર, દષ્ટિનોસંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાનેસ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માનેવોસિરાવુંછું. (૫)
અરિહંતના અનંતજ્ઞાનાદિ ગુણોની સ્મૃતિ થતાં, જ્યારે હૈયામાં અરિહંત પરમાત્મા પ્રત્યે અહોભાવ અને આદરભાવ જાગે ત્યારે એ આદરપૂર્વક જો અરિહંતના નામનું સ્મરણ કરવામાં આવે તો તે નામ સ્મરણાદિથી પુણ્યબંધ અને કર્મનિર્જરા થાય છે. આવા નામસ્મરણાદિ પરંપરાએ પરમપદની પ્રાપ્તિનું કારણ બને છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૨૧
(પછી ચાર લોગસ્સ સંપૂર્ણ અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરી ‘નમોહર્ર’ કહી વડીલ હોય તેણે મોટી શાંતિ કહેવી. બાકીના શાંતિપાઠ સાંભળી ‘નમો અરિહંતાણં’ કહી કાઉસ્સગ્ગ પારે.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
',
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસંપિ કેવલી (1) ઉસભ મજિએં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પન્હેં સુપાસ, જિણં ચ ચંદપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંતે ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંશું અરું ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિર્ણ ચ, વંદામિ રિઢનેમિ, પાસું તહ વન્દ્વમાણું ચ. (૪) એવં મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદ્રેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સુપાર્શ્વનાથનેતથા રાગ-દ્વેષને જિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરુંછું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
પંચપરમેષ્ઠિને નમસ્કાર
નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્યઃ (૧)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ. (૧)
નવકારની જેમ લોગસ્સ સૂત્ર પણ એક મંત્ર સ્વરૂપ છે. આથી જ લોગસ્સ સૂત્રના જાપથી ઘણા ઉપસર્ગો-વિઘ્નોનો નાશ થઈ શકે છે. તેનું રટણ, સ્મરણ અને જ્ઞાન વિશેષ ફળ આપે છે.
જ્ઞાનાદિ પણ નવકારમાં છે જ. નવકારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતા મંગળરૂપે બોલવામાં થાય છે.
ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભાયેલું કાર્ય ત્યાં સુધી સિદ્ધ નથી થતું જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ – નમસ્કારમંત્રને સંભારવામાં આવ્યો નથી. નમસ્કાર મંત્ર પરિણામની વિશુદ્ધિનું કારણમાત્રછે.
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી બૃહદ્શાંતિ સ્તોત્ર
સર્વ વિઘ્ન નિવા૨ક, પરમમંગલવાચક, શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના (૧ મંગલાચરણ-મંદાક્રાન્તા છંદ)
આર્હતો (અરિહંત ભગવંતના શિષ્યો)માં શાંતિ હો.
ભો ભો ભવ્યાઃ ! શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્, યે યાત્રાયાં ત્રિભુવન ગુરો રાહતા ભક્તિ ભાજઃ તેષાં શાંતિ ર્ભવતુ ભવતા મર્હદાદિ પ્રભાવા દારોગ્ય શ્રી ધૃતિ મતિ કરી ક્લેશ વિધ્વં સહેતુઃ (૧)
૨૨૩
હે ભવ્યલોકો ! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળો. જે શ્રાવકો ત્રણ લોકના ગુરુ (વીતરાગ)ની યાત્રા (જન્મ મહોત્સવ પ્રસંગે)ને વિષે ભક્તિને ભજનારા છે, તેઓને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાત્મ્ય (પ્રસાદ) થકી આરોગ્ય લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિના નાશના કારણભૂત એવી શાંતિ થાઓ. (૧)
(૨.પીઠિકા)
શાંતિની ઉદ્ઘોષણા સાંભળો
ભો ભો ભવ્યલોકા! ઇહ હિ ભરતૈરાવત વિદેહ સંભવાનાં સમસ્ત તીર્થ કૃતાં જન્મ ન્યાસન પ્રકંપાનંતર મવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષા ઘંટા ચાલનાનંતર, સકલ સુરા સુરેન્દ્રઃ સહ સમાગત્ય, સવિનય મહંદ ભટ્ટારકં ગૃહીત્વા ગત્વા કનકાદ્રિ શૃંગે, વિહિત જન્માભિષેક : શાંતિ મુદ્દોષયતિ, યથા તતો ં કૃતાનુકાર મિતિ કૃત્વા, ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ !’ ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય, શાંતિ મુદ્દોષયામિ
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તપૂજા યાત્રા સ્નાત્રાદિ મહોત્સવા નંતર મિતિ, કૃત્વા કર્યાં દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. (૨)
હે ભવ્ય જીવો, આ જ ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા સમગ્ર તીર્થંકરોના જન્મ સમયે સૌધર્મ-દેવલોકના ઈંદ્રના આસન ચલાયમાન થયા પછી, ઇંદ્ર વડે અવધિજ્ઞાનના ઉપયોગ વડે (જિન જન્મને) જાણીને (હર્ષ પામેલ), સૌ ધર્માધિપતિ - સુઘોષા નામના ઘંટને વગાડ્યા પછી, સર્વ સુર (વૈમાનિક દેવો), અસુર (ભવનપતિના દેવો) અને તેમના ઇંદ્રોની સાથે (જિન જન્મ સ્થાને) ભક્તિથી આવીને પરમ વિનય સહિત સૌધર્મેન્દ્ર, અર્હદ્ ભટ્ટારક (બાળભગવાન)ને કરસંપુટમાં ગ્રહણ કરીને મેરુ પર્વતના શિખર ઉપર જઈને સ્નાત્રમહોત્સવ કર્યો, પછી તે (સ્નાત્રમહોત્સવના અંતે) શાંતિનો મોટા શબ્દો વડે ઉદ્ઘોષણા કરે છે (તેથી તે પ્રમાણે કરેલું અનુકરણ થાય તે માટે, હું પણ ઇંદ્રાદિદેવસમૂહ જે માર્ગે ગયો, તે જ માર્ગ પ્રમાણ છે એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે (જિનાલય) ભક્તિથી રક્ત થઈને, સ્નાત્રપીઠિકા ઉપર વિધિ પ્રમાણે સ્નાત્ર કરીને મોટા શબ્દો વડે, શાંતિની, ઉદ્ઘોષણા કરું છું, તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી એ પ્રમાણે કૃત્ય કરીને કાન દઈને તમે સાંભળો, સાંભળો. (સ્વાહા). (૨)
જે માર્ગે મહાજન (પૂર્વાચાર્યો) ગયેલા છે તે માર્ગ કહેવાય, એ પ્રમાણે આચરીને ભવ્ય જનો સાથે સ્નાત્રપીઠ ઉપર આવીને, સ્નાત્ર કરીને શાંતિ બોલું છું.
(૩.શાંતિ પાઠ)
શાંતિની ઉદ્ઘોષણાનો પ્રારંભ ઃ જગતની વ્યવસ્થા અને પવિત્રતાનો મુખ્ય આધાર તીર્થંકર પરમાત્મા ઉપર છે.
ૐ પુણ્યા ં પુણ્યા ં, પ્રીયંન્તા પ્રીયંન્તા, ભગવન્તોહન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન સ્ત્રિલોકનાથા, સ્ત્રિલોકમહિતા, સ્ત્રિલોક પૂજ્યા, સ્ત્રિલોકેશ્વરા, સ્ત્રીલોકોદ્યોતકરાઃ (૩)
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૨૫
ૐ પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને કહે છે કે આજનો દિવસ ઉત્તમ છે. કેવળજ્ઞાન વડે સર્વ પદાર્થને જાણનારા, કેવળદર્શન વડે સર્વને જોનારા, જે ત્રણ લોકના સ્વામી, ત્રણ લોક વડે (ત્રિભુવનવાસી જીવો વડે) પુષ્પાદિકે પૂજાયેલા, ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્વર અને ત્રણ લોકને ઉદ્યોત (પ્રકાશ) કરનારા એવા ઐશ્વર્યાદિ યુક્ત (ચોવીશ) તીર્થંકરો અત્યંત સંતુષ્ટ થાઓ, સંતુષ્ટ થાઓ. (૩)
શાંતિના ભંડાર ચોવીસ તીર્થંકર પરમાત્માઓ
ૐ ૠષભ, અજિત, સંભવ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવન્તુ સ્વાહા (૪)
ૐ પદ વડે નમસ્કાર કરીને, શોભાયમાન થયેલા શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપુજ્યસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી પર્યંત ઉપશાંત થયેલા એવા હે (ચોવીશ) તીર્થંકરો ઉપશમ ભાવ વડે કષાયો દ્વેષાદિ વગેરે ઉપદ્રવોને નાશ કરનારા થાઓ-શાંતિકરનારાથાઓ. (૪)
ભાવના બળથી-સદાના રક્ષક મુનિ મહાત્માઓ(૧)
ૐ મુનયો મુનિપ્રવરા રિપુવિજય
દુર્ભિક્ષ કાંતા૨ેષ; દુર્ગા માર્ગેષુ રક્ષતુ વો નિત્યં સ્વાહા (૫)
ૐ પદ વડે નમસ્કાર કરીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા હે મુનિઓ, શત્રુના વિજયને વિષે, દુષ્કાળ અને મહા અટવીને વિષે, વિકટ માર્ગોને વિષે તમારું સદા રક્ષણ થાઓ. (૫)
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઉૐ હ્રીં શ્રીં ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ લક્ષ્મી મેઘા વિદ્યા સાધન
પ્રવેશ નિવેશનેષુ સુગૃહિત નામાનો જયંતુ તે જિનેદ્રા () ૐ (પ્રાણ મંત્ર), હી (માયા બીજ-વશ કરનાર) શ્રી લક્ષ્મીને આપનાર) સંતોષ મતિ- દીર્ધદષ્ટિ, યશ (આપનારી), શોભા, બુદ્ધિ (કાળ પ્રમાણે) , સંપત્તિ, ધારણ કરવાની બુદ્ધિ વિદ્યાની સાધનામાં, નગરાદિ પ્રવેશમાં, નિવાસ સ્થાનોને વિષે રૂડે પ્રકારે જેમના નામ ગ્રહણ કરાયા છે તેવા જિનેન્દ્ર જયવંતા વર્તે. (૬)
સોળ વિદ્યાદેવીઓ તરફનું રક્ષણ 3ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ વજશૃંખલા, વજાંકુશી, અપ્રતિચક્રા,
પુરૂષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વાન્ઝા-મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી,
ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્યં સ્વાહા. (૭) 3ૐ રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજકુંશી, અપ્રતિચક્ર (ચક્રેશ્વરી), નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી, સર્વ અસ્ત્રવાળી - મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા, અચ્છુપ્તા, માનસી, (અ) મહામાનસી, એ સોળે વિદ્યાદેવીઓ તમારું હંમેશાં રક્ષણ કરો. (૭)
શ્રી સંઘમાં શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ હો ૩ૐ આચાર્યો,ઉપાધ્યાય, પ્રભૂતિ, ચાતુર્વર્ણય શ્રી શ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ (૮). 3ૐ આચાર્ય, ઉપાધ્યાય, પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) છે જેને વિષે, એવા શ્રી મહાવીર પ્રભુના સંઘને ઉપશાંતિ થાઓ. સર્વ પ્રકારે સંતોષ થાઓ, સર્વ પ્રકારે ધર્મની પુષ્ટિથાઓ. (૮)
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨ ૨૭
વિવિધ પ્રકારના દેવોની પ્રસન્નતા 36 ગ્રહાશ્ચંદ્ર, સૂર્યાગારક, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનૈશ્વર,
રાહુ કેતુ સહિતા સલોકપાલા: સોમ, યમ, વરૂણ, કુબેર, વાસવાદિત્ય, સ્કંદ વિનાય કોપેતા યે ચાન્યપિ ગ્રામ નગર ક્ષેત્રદેવતા દયતે સર્વે પ્રીયંત્તાં, પ્રીયંત્તાં
અક્ષણકોશ કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા. (૯)
ૐ નવગ્રહો = ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ, (પુંછડીયા તારા) સહિત, લોકપાળના દેવો સહિત, સોમ, યમ, વરુણ, કુબેર, ઈદ્ર, બાર સંક્રાંતિના સૂર્ય, કાર્તિકેય, ગણેશ સહિત ને બીજા પણ ગામ, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે સર્વ પ્રસન્ન થાઓ. પ્રસન્ન થાઓ. ક્ષય ન પામેતેવા (નિધિ) અક્ષયભંડાર ધાન્યના કોઠારોવાળા રાજા પ્રાપ્ત થાઓ. (૯)
કુટુંબોમાં આનંદ અને પ્રમોદ 3ૐ પુત્ર, મિત્ર, ભાતૃ, કલત્ર, સુહ, સ્વજન, સંબંધિ, બંધુવર્ગ સહિતાઃ નિત્યં ચામોદ પ્રમોદ કારિણઃ (ભવતુ સ્વાહા) (૧૦)
અસ્મિશ્ચ ભૂમંડલ આયતન નિવાસિ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં રોગોપસર્ગ વ્યાધિ દુઃખ દુભિક્ષ દૌર્મનસ્યો
પશમનાય શાંતિર્ભવતુ. (૧૧) ૐ પુત્ર, હિતેચ્છુ, સહોદરબંધુ, સ્ત્રી, મિત્ર, જ્ઞાતિજન, સગાં, પોતાના કુળની ગોત્રીઓ હંમેશાં આમોદ-પ્રમોદ કરનારા થાઓ. અર્થાત્ સર્વવિશેષ કરીને પરસ્પર આનંદને કરવાવાળા થાઓ. વળી આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ. (૧૦,૧૧)
Page #281
--------------------------------------------------------------------------
________________
૨ ૨૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
એકંદરે શાંતિ કરનાર શ્રી શાંતિનાથ પ્રભુનું સ્મરણ ૐ તુષ્ટિ પુષ્ટિ ઋદ્રિ વૃદ્ધિ માંગલ્યોત્સવા, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્ત દુરિતાનિ, શત્રવઃ પરામુખા ભવંતુ સ્વાહા (૧૨) ૐ ચિત્તનો સંતોષ, ધર્મ પ્રત્યેની પુષ્ટિ, ધનસંપતિ, વંશવૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સવ થાઓ. ઉદયમાં આવેલાં પાપો નિરંતર સદા માટે શાંત થાઓ, અશુભ કર્મફળો શાંત થાઓ, શત્રુઓ અવળા મુખવાળા થાઓ. (૧૨)
શાંતિ કરનાર શ્રી શાંતિનાથપ્રભુનું સ્મરણ
(૪.શ્રી શાંતિનાથ સ્તુતિ - અનુષ્ટ્રપ) શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિ વિધાયિને રૈલોક્ય સ્યામરાધીશ મુકુટાભ્ય ચિંતાધયે (૧) (૧૩) શાંતિઃ શાંતિકરઃ શ્રીમાન્ શાંતિ દિશતુ મે ગુરુ,
શાંતિદેવ સદા તેષાં યેષા શાંતિગૃહે ગૃહે (૨) (૧૪) શ્રીમાનું, ત્રણ લોકની શાંતિને કરનારા, દેવેન્દ્રોના મુકુટો વડે પૂજાયેલા છે ચરણ કમળ જેમના એવા શ્રી શાંતિનાથ ભગવાનને નમસ્કાર થાઓ. (૧) (૧૩) તત્ત્વનો ઉપદેશ કરનારા શ્રીમાન, શાંતિને કરનારા એવા શ્રી શાંતિનાથ મને શાંતિ આપો. જેઓના ઘર ઘરમાં શ્રી શાંતિનાથ પૂજાય છે, તેઓને હંમેશા શાંતિ જ થાય છે. (૨) (૧૪)
(ગાથા)
ઉત્કૃષ્ટ રિષ્ટ દુષ્ટ, ગ્રહ ગતિ દુઃસ્વપ્ન દુનિમિત્તાદિ, સંપાદિત હિત સંપન્ નામગ્રહણ જયતિ શાંતેઃ (૩) (૧૫).
ઉપદ્રવ, જે ખરાબ રીતે અસર કરે છે તેવી દુષ્ટ ગ્રહની ગતિ, ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત (ખરાબ અંગનું ફરકવું) વગેરે દૂર કર્યા છે અને સંપાદન
Page #282
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૨૯
કરી છે શુભ લક્ષ્મી જેણે એવું શાંતિનાથ પ્રભુનું નામગ્રહણ (નામોચ્ચારણ) જયવંત વર્તે છે. (૩) (૧૫)
શાંતિના જુદા જુદા નામો લઈ ઉચ્ચાર કરવો
(૫. શાંતિવાહરણમ્ - ગાથા) શ્રી સંધ જગજ્જનપદ, રાજાધિપ રાજ સન્નિવેશાનાં ગોષ્ઠિક પર મુખ્યાણાં, વ્યાહરણે વ્યહરે થ્થાંતિમ્ (૪) (૧૬) શ્રી સંઘ, જગત, રાજારૂપ અધિપતિઓ અને રાજાના રહેવાનાં સ્થાનોનાં, તેમજ ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામ ગ્રહણ કરીને શાંતિની ઉદ્ઘોષણા કરવી. (૪) (૧૬)
શાંતિની ઉદ્ઘોષણા ક્યારે? અને કોણે કરવી? શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજાધિપાનાં શાંતિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રી પીરભુખ્યાણાં શાંતિર્ભવતુ,
શ્રી પીરજનસ્ય શા તિર્ભવતું, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ. (૧) (૧૭) શ્રી શ્રમણ સંઘને શાંતિ થાઓ, શ્રી જનપદ - દેશોને શાંતિ થાઓ, મહારાજાઓને શાંતિ થાઓ, રાજાઓના રહેવાનાં સ્થાનોને શાંતિ થાઓ, ધર્મસભાના સભ્યોને શાંતિ થાઓ, નગરના અગ્રણીઓને શાંતિ થાઓ, શ્રી નગરજનોને શાંતિ થાઓ અને શ્રી બ્રહ્મલોકને શાંતિ થાઓ. (૧) (૧૭)
(દ.આહુતિત્રયમ) 35 સ્વાહા ૐ સ્વાહા 36 શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. (૧૮) ૐ સ્વાહા, ૐ સ્વાહા 3ૐ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સ્વાહા. (૧૮)
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(૭. વિધિ-પાઠ) એષા શાંતિઃ પ્રતિષ્ઠા યાત્રા સ્નાત્રા
ઘવસાનેષુ શાંતિકલશં ગૃહીત્યા કુંકુમ ચંદનકર્પરાગરૂ ધૂપવાસ કુસુમાંજલિ સમેત
સ્નાત્ર ચતુષ્કિ કાયાં શ્રીસંઘસમેતઃ શુચિ શુચિવપુલ પુષ્પ વસ્ત્ર ચંદના ભરણા લંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા શાંતિ મુદ્દોષયિત્વા શાંતિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ. (૧૯) આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રથયાત્રા અને સ્નાત્ર મહોત્સવના અંતમાં કુંકુમ (કંકુ), ચંદન, કપૂર, અગર, ધૂપવાસ અને કસુમાંજલિથી યુક્ત બાહ્ય અને અત્યંતર રીતે પવિત્ર શરીરવાળા, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સજ્જ એવા પુરુષે પુષ્પમાળાને કંઠમાં ધારણ કરીને, સ્નાત્ર મંડપમાં, શ્રી સંઘ સહિત હાથમાં શાંતિકળશને ગ્રહણ કરીને, શાંતિની ઉદ્ઘોષણા કરીને, શાંતિ જળ મસ્તક ઉપર લગાડવું જોઈએ. (૧૯)
અભિષેક વખતે જિનેશ્વરના ભક્તોની ભક્તિના પ્રકારો
(૮. પ્રાસ્તાવિક-પઘાનિ-ઉપજાતિ) નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ,
સ્તોત્રાણિ ગોત્રાણિ પઠતિ મંત્રાનું,
કલ્યાણભાજો હિ જિનાભિષેકે, (૧) (૨૦) શ્રી જિનસ્નાત્રના પ્રસંગે રત્ન અને પુષ્પને વરસાવવા પૂર્વક પુણ્યવાનો જ નૃત્યને નાચે છે, અષ્ટમંગલની રચના કરે છે. ગીતો ગાય છે, સ્તોત્રો, તીર્થકરોના ગોત્રો અને મંત્રોને ભણે છે. (૧) (૨૦)
ઉપસંહાર
(ગાથા)
શિવમસ્તુ સર્વજગતા, પરહિત નિરતા ભવંતુ ભૂતગણા, દોષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ (૨) (૨૧)
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૧
અહં તિર્થીયર માયા, સિવાદેવી તુમ્હનયર નિવાસિની, અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવં ભવતુ સ્વાહા (૩) (૨૨) સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીઓનો સમુદાય બીજાના હિતમાં તત્પર થાઓ, દોષો નાશ પામો અને સર્વઠેકાણે લોકો સુખી થાઓ. (૨) (૨૧) હું નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી તમારાં નગરમાં રહેનારી છું. અમારું કલ્યાણ થાઓ, તમારું કલ્યાણ થાઓ. વિનનો નાશ અને કલ્યાણ થાઓ. (૩) (૨૨)
(અનુષ્ટ્રપ) ઉપસર્ગા ક્ષય યાંતિ છિદ્યતે વિદન વલ્લયા, મનઃ પ્રસન્નતા મેતિ પૂજ્યમાને જિનેશ્વરે (૪) (૨૩)
સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ્,
પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસનમ્ (૫) (૨૪) શ્રી જિનેશ્વરની પૂજા કરવાથી ઉપસર્ગો ક્ષય પામે છે. વિઘ્નરૂપી વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે. (૪) (૨૩) સર્વ મંગલોમાં મંગલકારી, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું શ્રી જૈનશાસન જય પામે છે. (૫) (૨૪)
શ્રી હરિભદ્રસૂરિ મહારાજના સંસારી અવસ્થાના ભાણેજો હંસ અને પરમહંસ - જે પાછળથી તેમના શિષ્યો બન્યા. તેઓ બંને બૌધશાળામાં ભણવા ગયા, પરંતુ ત્યાં તેમને જૈન જાણી મારી નાંખવાની ગોઠવણ થઈ. તેથી તેઓ બંને ત્યાંથી નાઠા. પરંતુ રસ્તામાં એકને મારી નાખવામાં આવ્યા અને બીજા શિષ્ય બહાદુરી સાથે ઠેઠ ઉપાશ્રય સુધી આવી પહોંચી પાસેનું પુસ્તક ઉપાશ્રયમાં ફેક્યું અને તે પછી બૌધ ભિક્ષુકોએ તેમને મારી નાખ્યા. પછી ભિક્ષુકો પૂ.શ્રી હરિભદ્ર સૂરિશ્વરજીની બીકે નાસી ગયા. તે પુસ્તકમાંથી આ ‘બ્રહશાંતિ સૂત્ર” મળી આવેલું છે. ઉપસંહારમાં “શીવાદેવીનું નામ જે શ્રી અરિષ્ઠ નેમિ ભગવંતનો માતા શીવાદેવીરૂપે હોઈ શકે. અને આ સ્તોત્ર જ એ દેવીએ બનાવીને શ્રી સંઘને અર્પણ કર્યું હોય અને આ પ્રમાણે આશીર્વાદ આપીને ગયા હોય.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(‘નમો અરિહંતાણં’ કહી કાઉસ્સગ્ગ પારીને પછી પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્યયરે જિણે, અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિએં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પહું સુપાસ, જિણં ચ ચંદુપ્પ ́ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણંત ચ જિણ, ધમ્મ સંતિ ચ વંદામિ, (૩) કુંછું અરેં ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણું ચ,
વંદામિ રિકનેમિ, પાસું તહ વન્દ્વમાણું ચ. (૪) એવં મએ અભિક્ષુઆ, વિહુયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હુંવંદન કરુંછું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને,
Page #286
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) मृत्यु સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
૨૩૩
(પ્રતિક્રમણ પુરું થયા પછી ‘સંતિકરં સ્તવ’ બોલાય છે. જેથી તે નીચે આપ્યુ છે.) સંતિકર સ્તોત્ર
નવસ્મરણમાં ત્રીજું સ્મરણ – શ્રી સંતિકર સ્તોત્ર
=
શાસન રક્ષક દેવ-દેવીઓના સ્મરણ સાથે શ્રી શાંતિનાથની ભાવવાહી સ્તવના
મંગળાચરણ અને વિષય નિર્દોષ શાંતિનાથનું સ્મરણ, ભક્તોના પાલન અને જય તથા શ્રી આપતા નિર્વાણીદેવી અને ગરુડનું સ્મરણ
સંતિકરું સંતિજિર્ણ, જગ સરણે જય સિરીઇ દાયારું, સમરામિ ભત્ત પાલગ નિવ્વાણી ગરુડ કય સેવં (૧)
જેઓ (ઉપદ્રવોને નાશ કરીને) શાંતિ કરનારા છે, જગતના જીવોને શરણરૂપ (આધાર રૂપ) છે, જય અને લક્ષ્મી આપનારા છે તથા ભક્તોનું પાલન કરવા સમર્થ એવી નિર્વાણીદેવી તથા ગરુડ યક્ષ વડે સેવાયેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનનું હું સ્મરણ કરું છું. (૧)
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સૂરિમંત્રો – ગતમંત્રાક્ષરીપૂર્વક શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ જય અને શ્રી મંત્રોનું સ્મરણ ઉપદ્રવને વ્યાધિને દુર કરી ઇચ્છિત ફળ આપે છે. ૐ નમો વિષ્પો સહિ પત્તાણું સંતિ સામિ પાયાણં, ઝીં સ્વાહા મતેણં, સવા સિવ દુરિઅ હરણાર્ણ (૨) ૐ સંતિ નમુક્કારો, ખેલોસહિમાઈ લદ્ધિ પત્તાણું,
સૌં હ્રીં નમો સવોસહિ પત્તાણં ચ દેઇ સિરિ (૩) વિપુડીષધિ (જે લબ્ધિના પ્રભાવે, વિષ્ટા (ઘૂંક) રોગને શમાવનારી થાય છે) શ્લેખૌષધિ (કફ આદિ માટે ઔષધિરૂપ હોય) સર્વોષધિ (જેના શરીરના સર્વ પદાર્થો ઔષધિરૂપ હોય) આદિ લબ્ધિઓને પામેલા તથા સર્વ ઉપદ્રવને દૂર કરનારા, એવા શ્રી શાંતિનાથ ભગવાનને “ૐ નમ:, ઝીં સ્વાહા તથા
સૌ હનમઃ” આવા મંત્રાક્ષરીપૂર્વક નમસ્કાર હો. શ્રી શાંતિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર લક્ષ્મીને આપેછે. (૨,૩)
(આ બે ગાથામાં સૂરિમંત્રના પદો છે.)
એકંદરે જૈનશાસનના સર્વે રક્ષકો તરફથી રક્ષા સરસ્વતીદેવી, ત્રિભુવન સ્વામીની દેવી, શ્રીદેવી, ગણિપીટક, ગ્રહો,
દિપાલ ઇન્દ્રોનું સ્મરણ વાણી તિહુઅણ સામિણિ, સિરિદેવી જખરાય ગણિપિડગા,
ગહ દિસિપાલ સુરિંદા, સયા વિ રમુખતુ જિણભત્તે (ઈ
સરસ્વતી (શ્રુતદેવી), ત્રણ ભુવનની સ્વામિની (ત્રિભુવન સ્વામિની), શ્રી દેવી લક્ષ્મીદેવી), યક્ષરાજ ગણિપિટક, ગ્રહો, દિપાલો, દેવેન્દ્રો નિરંતરનિત્ય-સદા કાળ માટે જિનેશ્વર ભગવંતોના ભક્તોનું રક્ષણ કરો. (૪)
સોળ વિદ્યાદેવીનું સ્મરણ રકખંતુ મમ રોહિણી, પન્નત્તી, વજ્જસિંખલા ય સયા, વર્જકુસી, ચક્કસરી, નરદત્તા, કાલી, મહાકાલી, (૫)
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૫
ગોરી તહ ગંધારી, મહાલા, માણવી, અ વરુટ્ટા,
અચ્છત્તા, માણસિઆ, મહામાણસિયા, ઉ દેવીઓ (૬) રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી અને મહાકાલી મારું સદા માટે રક્ષણ કરો. (૫) વળી ગૌરી, ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોચ્યા તેવી જ રીતે અચ્છુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. (૬)
૨૪ તીર્થંકર પરમાત્માઓના શાસનના અધિષ્ઠાયક યક્ષો અને દેવીઓ તરફનું રક્ષણ જખા ગોમુહ, મજબ, તિમુહ, જમ્બેસ, તુંબરૂ, કુસુમો, માયંગ, વિજય, અજિઆ, ખંભો, મણુઓ, સુરકુમારો, (૭) છ—હ, પયાલ, કિન્નર, ગલો, ગંધવ્ય, તહ ય જખિંદો,
કૂબેર, વરુણો, ભિલડી, ગોમેહો, પાસ, માયંગા (૮) તેમજ એવા યજ્ઞ જેમકે ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબડું, કુસુમ માતંગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજ અને સુરકુમારો. (૭) ષણમુખ યક્ષો (છ મુખવાળા), પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ તે જ રીતે યક્ષેદ્ર વળી કુબેર, વરુણ, ભૂકુટિ, ગોમેધ, પાર્શ્વ અને માતંગ આ પ્રકારે ચોવશયક્ષો. (૮)
૨૪ શાસન દેવી યક્ષિણીઓનું સ્મરણ દેવીઓ ચક્કસરી, અજિઆ, દુરિઆરિ, કાલી, મહાકાલી, અચુઅ, સંતા, જાલા, સુતારયા, સોય, સિરિવચ્છા (૯) ચંડા, વિજય, કુતિ, પન્નઇત્તિ, નિવ્વાણિ, અચુઆ ધરણી,
વડરુટ્ટ, છત્ત, ગંધારી, અંબ, પઉમાવઈ, સિદ્ધા (૧૦) ચક્રેશ્વરી, અજીતા, દુરિતારિ, કાલી, મહાકાલી, અય્યતા, શાંતા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા દેવીઓ. (૯)
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચંડા, વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, અય્યતા, ધારિણી, વૈરુટ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાયિકા (આ ૨૪યક્ષિણી છે). (૧૦)
૪ નિકાયના દેવદેવીઓ, વ્યંતરો, યોગિનીઓનું સ્મરણ ઇઅ તિર્થી રખણ રયા, અન્ને વિ સુરા સુરી ય ચઉહા વિ,
વંતર જોઈણિ પમુહા, કુણંતુ રí સયા અખ્ત (૧૧) એ પ્રકારે ચતુર્વિધ શ્રી સંઘરૂપતીર્થની રક્ષામાં તત્પર એવાપૂર્વોક્ત યક્ષ અને યક્ષિણી અને બીજા પણ ચારેય પ્રકારના દેવ-દેવીઓ તથા વ્યંતર અને યોગિની વગેરે અમારું હંમેશાં રક્ષણ કરો. (૧૧)
| ઉપસંહાર
શાંતિનાથનું, સમ્યફદષ્ટિ દેવોનું સ્મરણ એવં સુદિ િસુર ગણ સહિઓ સંઘમ્સ સંતિ જિણચંદો, મઝ વિ કરેઉ રખં, મુણિસુંદરસૂરિ શુઅ મહિમા (૧૨) એ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહ સહિત એવા (અને) મુનિસુંદરસૂરિ દ્વારા સ્તવાયેલા મહિમાવાળા એવા શ્રી શાંતિજિનચંદ્ર, સંઘનું અને મારું પણ રક્ષણ કરો. (૧૨)
સ્તોત્રનું મૂળ નામ અને સ્તોત્ર ગણવાનું ફળ ઇયે “સંતિનાહ સમ્મ દિ િરમુખ સરઇ તિકાલ જો,
સવોવદવ રહિઓ, સ લહઈ સુહ સંપર્યં પરમ (૧૩) એ પ્રકારે જે સમ્યગ્દષ્ટિ મનુષ્ય શાંતિનાથની રક્ષાને ત્રણે કાળસ્મરણ કરે છે, તે સર્વ ઉપદ્રવથી રહિત થઈને ઉત્કૃષ્ટસુખસંપદાને પામે છે. (૧૩)
(પ્રશસ્તિ) ક્ષેપક છે...સ્તોત્રકારના ગુરુનું નામ સ્મરણ (તવગચ્છ ગયણ દિયર જુગવર સિરિસોમસુંદર ગુરૂછું, સુપસાય લદ્ધ ગણહર વિન્જાસિધ્ધા ભણઇ સીસો) (૧૪)
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૭
(તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન એવા યુગ પ્રધાન શ્રી સોમસુંદર ગુરૂના સુપ્રસાદથી જેણે ગણધર વિદ્યા – સૂરી મંત્રની સિધ્ધિ કરી છે, એવા તેમના શિષ્ય-શ્રી મુનિસુંદરસૂરીએ આ સ્તવન રચ્યું છે.) (૧૪)
આ સૂત્ર શ્રી મુનિસુંદરસૂરીશ્વર મહારાજાએ મેવાડમાં આવેલા ઉદેપૂરની પાસેના દેલવાડાના સંઘમાં મરકીનો ઉપદ્રવ શાંત કરવા રચેલું છે. આ સ્તોત્રમાં શ્રી શાંતિનાથ પ્રભુની ખાસ સ્તુતિ કરવામાં આવી છે, આ સ્તોત્રની ૧૨મી ગાથામાં કર્તાનું નામ આવી જાય છે તેથી ૧૪મી ગાથા બોલાતી નથી. તેને પ્રક્ષિપ્ત ગણવામાં આવે છે.
સામાયિક પારવાની વિધિ
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
જતા-આવતા જીવોની વિરાધનાની માફી
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ?
ઇચ્છે', ઈચ્છામિ પડિક્કમિઉં (1) ઇરિયાવહિયાએ, વિરાહણાએ (૨)
ગમણાગમણે, (૩) પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસા, ઉરિંગ, પણગ,
દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે (૪)
જે મે જીવા વિરાતિયા (૫) એબિંદિયા, બેઈદિયા, તેહદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા (2)
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, | કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ
વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ. (). હે ભગવાન! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો કે હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયું હોય તેનાથી પાછો ફરું? (ભગવંત કહે “પાછા ફરો') (ત્યારે શિષ્ય કહે) હું આપની આજ્ઞા ઈચ્છું છું પ્રમાણ ગણું છું. હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયેલ હોય, તેથી પાછો ફરવા ઈચ્છું છું. (૧, ૨) જેમકે જતાં-આવતાં (ગમનાગમન કરતાં), જીવો, ધાન્યના બીજો, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલી ફૂગ, સચિત્ત પાણીયુક્ત સચિત્ત માટી, કરોળીયાની જાળ, પગ નીચે આવવાથી. (૩,૪) એક ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઈન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના (નીચે જણાવ્યા મુજબ) કરી હોય. (૫,૬)
(સામાયિક દરમ્યાન કાંઈ પણ મન, વચન, કાયાથી સાવદ્ય યોગ સેવાઈ ગયા હોય, તેની શુદ્ધિ થઈ જાય. એટલે સામાયિક સાંગોપાંગ શુદ્ધ જ થાય.)
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી
તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસાહીકરણેણં,
વિસલ્લીકરણેણં, પાવાણું કમ્માણ, નિગ્ધાયટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ. (1)
(વિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ કાયાનો ત્યાગ (કાયોત્સર્ગ કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તેશ્રી અન્નત્યસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
Page #292
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૯
કાઉસ્સગના ૧૬ આગાર છુટનું) વર્ણન
અન્નત્થ ઊસસિએણે, નીસિએણે, ખાસિએણં, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧)
સુહમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિક્ટ્રિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩- ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, પ- બગાસુ આવવાથી, ૬- ઓડકાર આવવાથી, ૭- વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) સૂક્ષ્મ રીતે શરીરનો સંચારથંક-કફનો સંચાર, દષ્ટિનો સંચાર થવાથી. (૨)
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, આત્માને વોસિરાવું છું. (૫)
અનાદિકાળથી જે કાયા પોતાની નથી, તેને પોતાની માનવાનો જે દેહાધ્યાસ (મિથ્થામાન્યતા) કર્યો છે. તેનો ત્યાગ કરવાનો છે. કાયા હું નથી, પરંતુ કાયાને પ્રવતવનાર આત્મા એ હું છું. કાયા સંબંધી આ “હું” પણાના ભાવને આ પ્રતિજ્ઞા દ્વારા ત્યાગવાનો છે. કાયોત્સર્ગના યથાર્થ ઉપયોગથી ઈન્દ્રિયો, કષાયો, રાગદ્વેષ તથા મનને જીતી શકાય છે, સમત્વ સાધી શકાય છે પરિણામે આત્માનો સાક્ષાત્કાર કરી પરમસિદ્ધિને પામી શકાય છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ગ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. અને નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પન્હેં સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂછ્યું ચ, વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ, (૩) કુંશું અરું ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણ ચ,
વંદામિ રિટ્ટનેમિં, પાસું તહ વન્દ્વમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્યયરા મે પસીયંતુ. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (s) ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરુંછું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને,
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૪૧
શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વરશ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથનેહુવંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા. જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ તેમને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
(પછી ડાબો ઢીંચણ ઉંચો કરીને “ચઉક્કસાય નીચે મુજબ કહેવું.)
સુંદર અલંકાર યુક્ત ભાષામાં મંત્ર ગર્ભિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરેલ છે. ચઉકસાય પડિમલ્લ લૂરણ, દુર્જય મયણ બાણ મુસુમૂરણ,
સરસ પિયંગુ વસુ ગય ગામિલે,
જયઉ પાસુ ભુવણ ન્નય સામિઉ (૧) જસુ તણુ કંતિ કડપ્પ સિણિદ્ધઉ, સોહઈ ફણિ મણિ કિરણા સિદ્ધઉં,
ન નવ જલહર તડિલ્લય લંછિઉં,
સો જિણ પાસુ પયચ્છઉ વંછિઉ (૨) ચાર કષાયરૂપ શત્રુનો નાશ કરનાર, દુઃખે જીતાય એવા કામદેવના બાણોને ભાંગનાર, રસવાળી (નીલી) રાયણના જેવા (શરીરના) વર્ણવાળા અને હાથીની જેવી ગતિ વાળા, ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જયવંતા વર્તો. (૧)
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, (જે) સર્પની ફેણ ઉપર રહેલ મણિરત્નનાં કિરણો વડે વ્યાપ્ત છે, વળી (જે) વિજળીની લતાના ચમકારાથી યુક્ત નવા મેઘની જેમ શોભે છે, તે શ્રી પાર્શ્વજિનેશ્વર (મારા) વાંછિતોને પૂર્ણ કરો. (૨)
પ્રાકૃત ભાષામાંથી રૂપાંતર થયેલ અપભ્રંશ ભાષામાં શ્રી પાર્શ્વજિનનું ભાવવાહી ચૈત્યવંદનછે. ચર્તુવિધ શ્રી સંઘ “સંથારાપોરિસી' ભણાવતો હોય ત્યારે વડીલ આ સૂત્ર બોલે તે સિવાય “ સામાયિક પારસી વખતે લોગસ્સ સૂત્ર પછી ખમાસમણ આપ્યા વગર આ સૂત્ર ચૈત્યવંદન સ્વરૂપે બોલાય છે. શ્રાવકોએ ખેસનો ઉપયોગ આ પૂર્ણ ચૈત્યવંદન (જય વીયરાય સૂત્રની પૂર્ણતા સુધી) થાય ત્યાં સુધી કરવો જોઈએ.'
શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના
નમુત્યુ અરિહંતાણં ભગવંતાણં (૧). આઇગરાણે, તિસ્થયરા, સયંસંબુદ્ધાણં (૨) પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસ વર પુંડરીયાણું,
પુરિસ વર ગંધ હત્થાણે (૩) લોગુત્તરમાણે, લોગ નાહાણે, લોગ હિઆણં, લોગ પઈવાણું,
લોગ પજ્યોઅ ગરાણું. (૪) અભય દયાણ, ચખુ દયાણું, મગ્ન દયાણ, સરણ દયાણં,
બોહિ દયાણ. (૫) ધમ્મ દયાણ, ધમ્મ દેસયાણ, ધમ્મ નાયગાણે, ધમ્મ સારહણ,
ધમ્મ વર ચારિત ચક્રવટ્ટીણું. () અપ્પડિહય વરનાણ દંસણ ધરાણું, વિયટ્ટ છઉમાણ. (૭) જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ, બુદ્ધાણં બોયાણં,
મુત્તાણું મોઅગાણું. (૮) સવ્વલૂણં, સવ્વદરિસર્ણ સિવ મયલ મરુઅ મહંત મખય મખ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણે સંપત્તાણું,
નમો જિણાણે જિઅભયાર્ણ. (૯)
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જે અ અઇઆ સિદ્ધા, જે આ ભવિસંતિણાગયે કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (૧૦)
૨૪૩
અરિહંત ભગવંતોને નમસ્કા૨ થાઓ. (૧)
ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. (૨)
પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩)
લોકમાં ઉત્તમ, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪)
અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, મોક્ષમાર્ગ આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર, (૫)
ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠ ચક્રવર્તી. (૬)
કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું જેમનું. (૭)
રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત મુકાવનારા. (૮)
સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), અવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯)
અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા જિનચૈત્યોની વંદના જાવંતિ ચેઇઆઈ, ઉઠે અહે અતિરિઅ લોએ અ,
સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ (1)
ઉદ્ગલોકમાં, અધોલોકમાં, અને તિસ્કૃલોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે, તેને અહીં રહેલો હું, ત્યાં રહેલી સર્વે પ્રતિમાઓને વંદન કરું છું. (૧)
જાવંત ચેઇઆઈ જિન પ્રતિમા, આત્મબોધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની નિઃસીમ ભક્તિ આ ગાથા વડે પ્રદર્શિત કરાય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મયૂએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ભરત, ઐરાવત, મહાવિદેહક્ષેત્રમાં રહેલા સાધુ ભગવંતોની વંદના
જાવંત કે વિ સાહુ, ભરફેરવય મહાવિદેહે અ, સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું (1)
ભરતક્ષેત્રમાં, ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં મનદંડ-વચનદંડકાયદંડ રૂપ ત્રણ દંડથી વિરામ પામેલાં જે કોઈપણ સાધુ ભગવંતો છે, તેઓ સર્વને હું મન, વચન, કાયાથી નમેલો છું. (૧)
શ્રી વિતરાગ પરમાત્માને ઓળખનાર, સમજાવનાર અને સન્માર્ગ બતાવનાર સાધુ ભગવંતો છે. તેઓને આ જાવંત કે વિસાહુ સુત્ર દ્વારા વંદન કરાય છે. યોગ્ય બહુમાન, આદર, અહોભાવ દ્વારા હંમેશા તેઓની વંદના કરવાથી કર્મ નિર્જરા થાય છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૪૫
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (૧)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ઘર્મમાર્ગમાં અંતરાયભૂત વિપ્નોના નિવારણની પ્રાર્થના ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મ ઘણ મુક્ક, વિસ હર વિસ નિન્નાસ, મંગલ કલ્યાણ આવાસ (1) વિસહર ફુલિંગ મંત, કંઠે ધારે) જો સયા મણુઓ, તસ્ય ગહ રોગ મારી, દુઃ જરા જંતિ ઉવસામ (૨) ચિક્રેઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ દોગચ્ચે (૩) તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ પૂપાય વક્મહિએ,
પાવંતિ અવિઘૃણ, જીવા અયરામ ઠાણે (૪). ઇઅ સંથુઓ મહાયસ, ભત્તિબ્બર નિષ્ણરેણ હિયએણ, તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ (૫)
ઉપસર્ગને હરનારા, પાર્શ્વયક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષને ધારણ કરનારા એવા સર્પના વિષનો નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘરરૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. (૧) જે કોઈ મનુષ્ય વિષને હરનાર સ્ફલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટતાવ શાંતિને પામે છે. (૨) તે (સ્ફલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનાર થાય છે (અને) મનુષ્ય-તિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. (૩)
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન જીવો પામે છતે (પામવાથી) નિર્વિઘ્નપણે અજરામર (અજર-ઘડપણ રહિત=મોક્ષપાદ) ને પામે છે. (૪) હે મોટા યશવાળા (પાર્શ્વનાથ ભગવાન) ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર ! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન)ને આપો. (૫)
આ સ્તોત્ર-વ્યતંરરૂપે થયેલા પોતાના ભાઈ મિથ્યાદષ્ટિ વરાહમિહિરના ઉપદ્રવથી બચવા ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી એ રચેલ છે. તેમાં મુખ્યત્વે પાર્શ્વપ્રભુનું સ્તવન છે.
(ત્યાર પછી બે હાથ જોડી, લલાટે રાખી નીચેનું સૂત્ર બોલવું.)
પરમાત્માની પાસે ભક્તિના ફળરૂપે તેર પ્રકારની પ્રાર્થના - યાચના
જય વીયરાય! જયગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયd ભવ્ય નિવ્વઓ મગ્ગા મુસારિઆ ઇટ્ટ ફલ સિદ્ધિ. (૧) લોગ વિરુદ્ધ સ્થાઓ, ગુરૂજણપૂબ પરત્થકરણ ચ, સુહ ગુરુ જોગો તથ્વયણ સેવણા આભવમખેડા. (૨)
(આટલું બોલ્યા પછી બંને હાથ લલાટથી નીચે ઉતારવા. હાથ લલાટ અને નાભિની વચ્ચે રાખવા)
વારિજ્જઈ જઈ વિ નિયાણ બંધણું, વિયરાય! તુહ સમયે,
તહ વિ મમ હુક્ત સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. (૩) દુખ ખઓ કમ્મ ખઓ, સમાધિમરણં ચ બહિલાભો અ, સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામ કરણેણં. (૪)
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાન સર્વ ધર્માણામુ, જૈન જયતિ શાસનમ્. (૫).
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૪૭
હે વીતરાગ ! હે જગતના ગુરુ ! (તમે) જય પામો. હે ભગવંત ! મને તમારી ભક્તિના પ્રભાવથી સંસાર પરથી કંટાળો (ભવ-નિર્વેદ), (તમારા) માર્ગને અનુસરવાની બુદ્ધિ (માર્ગાનુસારીપણું) અને (મો) ઈચ્છિતફળની સિદ્ધિહોજો. (૧) લોકમાં વિરોધ ઉત્પન્ન થાય એવા કાર્યનો ત્યાગ (લોકાપવાદ-ત્યાગ), વડીલજનોની પૂજા (આદર-સત્કાર-બહુમાન), પરોપકાર કરવાની તત્પરતા અને સદ્ગુરૂભગવંતોનો ભેટો (યોગ) તેમજ તે સદ્ગુરૂભગવંતના વચનની સેવા, આ સંસારમાં જ્યાં સુધી છું, ત્યાં સુધી મને અખંડપણે પ્રાપ્ત થાઓ. (૨) હે વીતરાગ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણું બાંધવાનું વાવેલું (નિષેધેલું) છે, તો પણ મને જન્મોજન્મમાં તમારા ચરણોની સેવા પ્રાપ્ત હોજો. (૩) હે નાથ ! તમને નમસ્કાર કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિબીજ (સમ્યગ્દર્શન) એ (ચાર) પ્રાપ્ત થાઓ. (૪) સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વલ્યાણોના કારણરૂપ, સર્વધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન જય પામે છે. (૫)
આ સૂત્રની પહેલી બે ગાથા શ્રી ગણધર ભગવંતે રચેલી છે અને છેલ્લી ત્રણ ગાથા પાછળથી ઉમેરવામાં આવેલી છે. પ્રભુજીના પ્રભાવથી અર્થાત્ ભક્તિના પ્રભાવથી આઠ વસ્તુઓની માંગણી (પહેલી બે ગાથામાં) કરતી વખતે મુક્તાશક્તિ મુદ્રામાં કરવી અને પ્રભુજીના પ્રભાવથી ચાર વસ્તુઓની માંગણી (છેલ્લી ત્રણ ગાથામાં) કરતી વખતે યોગ મુદ્રા કરવી જોઈએ.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મયૂએણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
મુહપત્તિ પડિલેહણની રજા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
મુહપત્તિ પડિલેહું? ઇચ્છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ભગવંત, સામાયિક મુહપત્તિનું પડિલેહણ કરવાની આજ્ઞા આપો. આજ્ઞા માન્ય છે.
સામાયિક દરમ્યાન ત્રિકરણ કાંઈ પણ સાવદ્ય યોગ સેવાઈ ગયો હોય, તો તેની શુદ્ધિ માટે મુહપત્તિના પડિલહેણની જરૂર ફરીથી ચોક્કસાઈની માટે છે.
મુહપત્તી પડિલેહણના ૨૫ બોલ
૧- સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું, ૨- સમ્યત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪- મિથ્યાત્વ મોહનીય પરિહરું, ૫- કામરાગ,
- સ્નેહરાગ, ૭- દ્રષ્ટિરાગ પરિહરું, ૮- સુદેવ, ૯- સુગુરુ, ૧૦- સુધર્મ આદ, ૧૧- કુદેવ, ૧૨-કુગુરુ, ૧૩- કુધર્મ પરિહ, ૧૪- જ્ઞાન, ૧૫-દર્શન, ૧૬- ચારિત્ર આદ, ૧૭- જ્ઞાન-વિરાધના,
૧૮-દર્શન-વિરાધના, ૧૯- ચારિત્ર-વિરાધના પરિહરે, ૨૦- મનગુપ્તિ, ૨૧- વચનગુપ્તિ, ૨૨- કાયગુપ્તિ આદર,
ર૩- મનદંડ, ૨૪- વચનદંડ, ૨૫- કાયદંડ પરિહરું.
શરીરના અંગોના પડિલેહણના ૨૫ બોલ
(ડાબો હાથ પડિલેહતાં) ૧- હાસ્ય, ર- રતિ, ૩- અરતિ પરિહરું. (જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, ૬-દુર્ગછા પરિહરું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(માથે પડિલેહતાં) ૭- કૃષ્ણલેશ્યા, ૮-નીલેશ્યા, ૯-કાપોતલેશ્યા પરિહરું.} (મોઢે પડિલેહતાં) ૧૦-રસગારવ, ૧૧-ઋદ્ધિગારવ, ૧૨-સાતાગારવ પરિહરું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(છાતી આગળ પડિલેહતાં) ૧૩- માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય,
૧૫- મિથ્યાત્વશલ્ય પરિહર..
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭-માન પરિહરું. (ડાબા ખભે પડિલેહતાં) ૧૮-માયા, ૧૯- લોભ પરિહરું.}
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(ચરવળાથી જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય, ૨૨- તેઉકાયની રક્ષા કરું
(ચરવળાથી ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય, ૨૫- ત્રસકાયની જયણા કરું.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાસું ? યથા શક્તિ.
૨૪૯
હે ભગવન્ ! સામાયિક પાર? યથાશક્તિ
(ગુરુ ફરીથી સામાયિક કરવા કહે છે, ત્યારે પાળનાર પોતાની શક્તિ ન હોવાનું જણાવી પારે છે. ત્યારે ગુરુ છેવટે આચાર ન છોડવાનું કહે છે.)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ.
(૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
પડિલેહણા એટલે પ્રતિલેખના, જેની અનંતર ક્રિયા પ્રમાર્જના (વિશેષ માર્જના) છે. તેમાં ૧- સાધ્ય પ્રત્યેનો ઉત્સાહ છે. ૨- ઉત્તમ માર્ગનું અનુસરણ છે અને ૩- વિવેકપૂર્વકનાં પ્રમાદ-રહિત ચારિત્રનું ધડતર છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું તહત્તિ.
હે ભગવન્ ! સામાયિક પાર્યું.
પાળનાર સાધક ‘તહત્તિ’ કહી આજ્ઞા માથે ચઢાવે છે. પછી સામાયિક વારંવાર કરવાની ભાવના ભાવતા મંગળાચરણ તરીકે નવકાર ગણે છે.
(પછી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર મુકીને નવકા૨, સામાઇય વયજુત્તો કહેવું.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલં. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
વારંવાર સામાયિક કરવાથી થતા લાભ અને તેમાં લાગેલા દોષની ક્ષમા યાચના
સામાયિય વયજુત્તો, જાવ મણે હોઇ નિયમ સંજુત્તો,
છિન્નઇ અસુરું કર્માં, સામાઇય જત્તિયા વારા (૧) સામાઇયમ્મિ ઉ કએ, સમણો ઇવ સાવઓ હવઇ જમ્યા, એએણ કારણેણં, બહુસો સામાઇયં કુ (૨ )
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત - ૨૫૧
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હુ મન, વચન,
- કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૩) દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી
મિચ્છામિ દુક્કડં. (૪).
સામાયિક વ્રતથી યુક્ત જીવનું મન જ્યાં સુધી નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી જેટલી વારસામાયિક કરે છે, તેટલી વાર અશુભ કર્મને છેદે છે. (૧) વળી સામાયિક કરતી વખતે જે કારણથી શ્રાવક સાધુ જેવો થાય છે, એ કારણથી બહુવારસામાયિક કરવું જોઈએ. (૨) સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતા જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૩) દશમનના, દશ વચનના, બાર કાયાના, એબત્રીસદોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોયતે વિમન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ. (૪)
મંગળાચરણ તરીકે નવકાર ગણી, વિધિઅવિધિ તથા ૩૨ દોષોનું મિચ્છા મિ દુક્કડ દઈ સાંગોપાંગ શુદ્ધ સામાયિકનું ફળ મેળવવા સાધક ઈચ્છે છે. પહેલી બે ગાથા પ્રાકૃત છે. છેલ્લી બે ગાથા ગુજરાતીમાં છે. શ્રી વર્ધમાનસૂરિકૃત ‘આચાર-દિનકર', શ્રી મહિમાસાગરજી કૃત ‘પડાવશ્યક વિવરણ' વગેરે બે પાઠોના છેલ્લા વાક્યોનું ગુજરાતીકરણ થયેલ છે. ૧૯મી સદીથી આ સૂત્રની પછી તે બોલવાની પરંપરા શરૂ થઈ હોય તેમ જણાય છે. સામાયિકનું મહત્વ સૂચવતી અને વારંવાર સામાયિક કરવાની ભલામણ કરનારી આ બંને ગાથાઓ પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ રચેલ શ્રી આવશ્યક નિર્યુક્તિની છે.
(સ્થાપનાચાર્યનું સ્થાપન કર્યું હોય તો, જમણો હાથ સવળો (ઉત્થાપન મુદ્રા)
રાખી એક નવકાર ગણવો.)
નવકારની જેમ લોગસ્સ સૂત્ર પણ એક મંત્ર સ્વરૂપ છે. આથી જ લોગસ્સ સૂત્રના જાપથી ઘણા ઉપસર્ગો-વિનોનો નાશ થઈ શકે છે. તેનું રટણ, સ્મરણ અને જ્ઞાન વિશેષ ફળ આપે છે.
જ્ઞાનાદિ પણ નવકારમાં છે જ. નવકારનો ઉપયોગ વિદ્યાભ્યાસ, શાસ્ત્ર-પઠન, ધર્માનુષ્ઠાન અને ધર્મોત્સવ આદિનો પ્રારંભ કરતા મંગળરૂપે બોલવામાં થાય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ ક૨ના૨ છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક પારવાની વિધિ સંપૂર્ણ ઇતિ શ્રી સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ સમાપ્ત
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૩
શ્રી પચ્ચકખાણનાં સૂત્ર, અર્થ અને સમજૂતી
પચ્ચક્ખાણ લેનારને તે તે પચ્ચક્ખાણના સમયની મર્યાદા (દા.ત. સૂર્યોદયનો સમય ૭.૦૦વાગે. દિવસ ૧૨ કલાકનો ગણીને) ૧) નવકાર-સહિઅં પચ્ચખાણ સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી)
દા.ત. ૭:૪૮ મિનિટે ૨) પોરિસિ-પચ્ચકખાણ સૂર્યોદયથી દિવસના ચોથા ભાગ
(એક પ્રહર)=૩ કલાકે દા.ત. ૭:00+ ૩ કલાક = ૧૦:૦૦ વાગે ૩) સાઢ-પોરિસિ-પચ્ચકખાણ સૂર્યોદયથી દિવસનો છ આની ભાગ
(દોઢ પ્રહર)૭:૦૦+૪.૩૦ કલાક= ૧૧:૩૦ વાગે ૪) પુરિમઢ-પચ્ચક્ખાણ : સૂર્યોદયથી દિવસના મધ્યભાગ (મધ્યાહ્ન)
(બે પ્રહર) ૭:૦૦ + ૬ કલાક=૧ વાગે ૫) અવઢ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો પોણો ભાગ
(ત્રણ પ્રહર) ૭:૦૦ + ૯ કલાક=૪ વાગે (દિવસ જેટલા કલાકનો હોય, તેને ચાર વડે ભાગવાથી એક પ્રહર થાય, જ્યારે ૧૨ કલાકનો દિવસ હોય ત્યારે ૪ વડે ભાગવાથી ૩ કલાકે એકપ્રહર થાય.) પચ્ચખાણ લેનારના જાણકાર-અજ્ઞાની) વિશુદ્ધ આદિ ભેદો ૧) વિશુદ્ધઃ-પચ્ચકખાણ સૂત્ર અને અર્થ જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે. ૨) શુદ્ધ-પચ્ચકખાણ સૂત્ર અને અર્થપોતે જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. ૩) અર્ધશુદ્ધઃ- પચ્ચકખાણ સૂત્ર અને અર્થ પોતે પણ ન જાણે પણ જાણકાર
પાસે ગ્રહણ કરે. ૪) અશુદ્ધ:-પચ્ચખાણ સૂત્ર અને અર્થપોતે પણ ન જાણે અને અજ્ઞાની પાસે
ગ્રહણ કરે. (પહેલો - બીજો ભાંગો સારો, ત્રીજો જાણકાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરશે તેવી આશાથી કાંઇક સારો પણ ચોથો ભાંગો તો સર્વથા અયોગ્ય જ કહેવાય)
Page #307
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પચ્ચક્ખાણ લેવાનો સમય અને મહત્તા અંગે સમજણ
શ્રી અરિહંત પરમાત્માના ગુણોના સ્મરણ સ્વરૂપે સવારે ઉઠતાંની સાથે ૧૨ વાર શ્રી નવકાર મંત્રનું સ્મરણ મનમાં કરવું. તે વખતે યથાશક્તિ પચ્ચક્ખાણની ધારણા આત્મસાક્ષીએ કરવી. રાઇઅ પ્રતિક્રમણમાં તપચિંતામણીના કાયોત્સર્ગ વેળાએ પણ ધારણા કરવી. પછી પ્રાતઃકાળની વાસચૂર્ણ (ક્ષેપ) પૂજા કરવા જિનાલયે જવું. ત્યાં પ્રભુ સાક્ષીએ પણ ધારેલ પચ્ચક્ખાણ સૂત્ર દ્વારા ગ્રહણ કરવું. ત્યારબાદ ઉપાશ્રયે જઈને સદ્ગુરૂ ભગવંતને વંદના કરીને તેઓશ્રીના મુખે એટલે ગુરૂસાક્ષીએ પચ્ચક્ખાણ ગ્રહણ કરતી વખતે મનમાં તે સૂત્રોનો ઉચ્ચાર કરવો અને ‘પચ્ચક્ખાઇવોસિ૨ઇ’ ની જગ્યાએ ‘પચ્ચક્ખામિ-વોસિરામિ’અવશ્ય બોલવું.
આ પ્રમાણે આત્મ-સાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરૂસાક્ષીએ હમેંશા પચ્ચક્ખાણ કરવાનો આગ્રહ રાખવો.
૨૫૪
નવકા૨શી થી સાઢપોરિસિ સુધીનાં પચ્ચક્ખાણ સૂર્યોદય પહેલાં લઈ લેવાં અને પુરિમâ-અવઢનાં પચ્ચક્ખાણ સૂર્યોદય પછી પણ લઈ શકાય. ચવિહાર, તિવિહાર અને પાણહારનાં પચ્ચક્ખાણ સૂર્યાસ્ત પહેલાં લઈ લેવાં અથવા ધારી લેવાં.
ઓછામાં ઓછું નવકારશી અને રાત્રિભોજન ત્યાગનું પચ્ચક્ખાણ તેમજ મુટ્ટિસહિઅં પચ્ચક્ખાણ સદ્ગતિ ઈચ્છનારા દરેક ભાગ્યશાળીએ અવશ્ય કરવું જોઈએ. પંચમકાલમાં સંઘયણબળ ઓછું હોવાના કારણે અનિવાર્ય સંજોગોમાં લીધેલ પચ્ચક્ખાણ નો ભંગ ન થાય, તે માટેના આગાર (છૂટ) પચ્ચક્ખાણમાં બતાવવામાં આવેલા છે. પણ તેનો ઉપયોગ કરવાની છૂટ નથી, કદાચ દોષ સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત (= આલોચના) ગુરૂભગવંતને નિવેદન કરીને લેવું જોઇએ.
નમુક્કારસહિઅં (નવકારશી) આદિ સઘળાય દિવસ સંબંધિત પચ્ચક્ખાણો સાથે મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ પણ અવશ્ય લેવામાં આવે છે. તેથી પચ્ચક્ખાણ પારતી વખતે અંગૂઠો અંદર રહે તેમ મુટ્ઠિવાળીને પચ્ચક્ખાણ પારવું જોઈએ. પચ્ચક્ખાણનો સમય થઈ ગયા પછી વિશેષ
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૫
આરાધના નિમિત્તે અને કોઈક સંજોગોના કારણે કદાચ પચ્ચખાણ પારવામાં ન આવે, તો પણ પચ્ચકખાણવાળા મહાનુભાવને “મુક્રિસહિ” નો લાભ અચૂક મળે છે. દા.ત. નવકારશી પચ્ચખાણ કરનાર ભાગ્યશાળી પ્રભુભક્તિ કે જિનવાણી શ્રવણ કે વ્યવહારિક સંજોગોના કારણે તે સમયે કદાચ પચ્ચકખાણ ન પારે, તો પણ તેને નવકારશીનો સમય થઈ જવા છતાં મુદિસહિઅં પચ્ચકખાણનો લાભ મળે.
નમુક્કારસહિએ થી તિવિહાર ઉપવાસ સુધીનાં પચ્ચકખાણ વિધિ મુજબ પારવાં જોઈએ. તેમાં શ્રી ઇરિયાવહિયં થી લોગસ્સસૂત્ર સુધી..” પછી ખમાસમણ આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ?' ઈચ્છે કહી જગચિંતામણિથી પૂર્ણ જયવીયરાય ! સૂત્ર સુધી બોલી ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરે?' ઈચ્છે કહી જ ચિંતામણિ થી પૂર્ણ જયવીયરાય ! સૂત્ર સુધી બોલી ચૈત્યવંદન કરવું. પછી ખમાસમણ દઈને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું સન્ઝાય કરું ?' ઈચ્છે, કહીને ગોદોહિકા આસને (ગાય દોહવાની મુદ્રા) બેસીને શ્રી નવકારમંત્ર અને શ્રી મનહજિણાણે “ (પૂ. સાધુ સાધ્વીજીભ. માટે દશવૈકાલિકસૂત્રનું પ્રથમ અધ્યયન) બોલી ઉભા થઈ ખમાસમણ આપીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું ?” ઇચ્છે, કહી ૫૦ બોલથી મુહપત્તિ-શરીરની પડિલેહણા કરવી. પછી ફરીવાર ખમાસમણ આપીને “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચખાણ પારું? “યથાશક્તિ” બોલી સત્તર સંડાસા પૂર્વક ખમાસમણ આપીને, ઉભા થઈને યોગમુદ્રામાં ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પચ્ચખાણ પાર્યું? “તહત્તિ” કહીને ઉભડક પગે નીચે ઘુંટણના આધારે બેસીને ચરવળો/રજોહરણ/જમીન પર જમણા હાથની મુઢિ વાળીને ડાબા હાથની હથેળીમાં મુહપત્તિ (બંધ કિનાર બહાર દેખાય તેમ) મુખની પાસે રાખીને શ્રી નવકારમંત્ર બોલીને પચ્ચકખાણ પારવાનું સૂત્ર, પચ્ચખાણ લીધા પ્રમાણે બોલવું.
પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો અને પૌષધવ્રતધારી શ્રાવક-શ્રાવિકાગણ તેમજ શ્રી નવપદજીની ઓળી વિધિપૂર્વક આરાધન કરનાર આરાધકવર્ગ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઉપરોક્ત પચ્ચક્ખાણ પારવાની વિધિ કરતા હોય છે. તે સિવાય નિત્ય નવકારશી થી તિવિહાર ઉપવાસ આદિ તપ કરનાર આરાધક શ્રાવકશ્રાવિકાગણમાં પચ્ચખાણ પારવાની વિધિ કરવાની વિસરાઈ ગયેલ છે, તે યોગ્ય નથી. તે માટે યથાશક્ય પ્રયત્ન કરવો જોઈએ. કદાચ રોજે નવકારશીમાં અનુકૂળતા ન રહે તો તેથી વિશેષ તપ કરવાનો અવસરે પૌષધમાં ન હોય તો પણ પચ્ચકખાણ પારવાની વિધિનો આગ્રહ જરૂર રાખવો જોઈએ.
નવકારશીનું પચ્ચકખાણ કરનાર ભાગ્યશાળીએ દિવસ દરમ્યાન પૂર્ણ મુખશુદ્ધિ હોય ત્યારે યાદ રાખીને “મુક્રિસહિએ પચ્ચખાણ કરવું જોઈએ. તેમજ પહેલું બિયાસણું કરીને ઉઠતી વખતે અને તિવિહાર ઉપવાસમાં
જ્યારે-જ્યારે પાણી વાપરવાનું (પીવાનું) થઈ ગયા પછી અચૂકપણે આ મુક્રિસહિએ પચ્ચકખાણ કરવું જોઈએ. હમેશાં ઓછામાં ઓછું નવકારશી અને ચઉવિહારનું પચ્ચખાણ કરવા સાથે મુખશુદ્ધિ હોય ત્યારે અચૂકપણે મુક્રિસહિએ પચ્ચખાણ કરનાર મહાનુભાવને ૨૫ થી ૨૮ ઉપવાસનો લાભ એક મહિને થતો હોય છે. તે લાભ ચૂકવા જેવો નથી.
આયંબિલ, એકાસણું અને બીજું બિયાસણું કરીને ઉઠતી વખતે અચૂકપણે મહાનુભાવે તિવિહાર અને મુઢિસહિએ નું પચ્ચક્ખાણ કરવું જોઈએ. ફરીવાર જ્યારે પાણી પીવાની જરૂર જણાય ત્યારે મુઢિ વાળી શ્રી નવકારમંત્ર અને મુક્રિસહિએ પચ્ચકખાણનું પારવાનું સૂત્ર બોલીને પાણી વાપરી શકાય. કદાચ કોઈક આરાધક ને મુટ્ટિસહિએ પચ્ચક્ખાણ પારતાં ન આવડે તો જલ્દી ગુરૂભગવંત પાસે શીખી લેવું. તે ન થાય ત્યાં સુધી તિવિહારનું પચ્ચક્ખાણ તો અવશ્ય કરવું જોઈએ.
એકલઠાણ-ઠામચવિહાર આયંબિલ-એકાસણું કર્યા પછી અચૂકપણે ચઉવિહારનું પચ્ચકખાણ તે જ વખતે કરવું જોઈએ. સાંજે ગુરૂસાક્ષીએ અને દેવસાક્ષીએ પણ ચઉવિહારનું જ પચ્ચક્ખાણ લેવું જોઈએ. એક સાથે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરેલ હોવાથી વિશિષ્ટ તપ (આયંબિલ-એકાસણ આદિ) હોવાછતાં “પાણહાર' ના બદલે “ચઉવિહાર' નું જ પચ્ચકખાણ લેવું.
છટ્ટ-અટ્ટમ કે તેથી વધારે ઉપવાસના પચ્ચખાણ એક સાથે લીધા હોય તો તેના બીજા દિવસે પાણી પીતાં પહેલાં ફરીવાર પચ્ચક્ખાણ લેવાના સૂત્ર
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૭
અનુસાર “પાણહાર પોરિસિં..'નું પચ્ચખાણ અવશ્ય લેવું જોઈએ. ચઉવિહાર ઉપવાસનું પચ્ચકખાણ લીધેલ હોય તો તે દિવસે સાંજે ગુરૂસાક્ષીએ અને દેવસાક્ષીએ ફરીવાર પચ્ચકખાણનું સ્મરણ કરવું જોઈએ. એક સાથે ઘણા ઉપવાસનું પચ્ચકખાણ એક જ દિવસમાં લીધા પછી કે મનમાં ફક્ત ધારણા કરી લીધા પછી બીજા-ત્રીજા આદિ દિવસોમાં ફરીવાર પચ્ચકખાણ ન લેવાથી ઉપવાસનો લાભ મળતો નથી. પાણી મોઢાંમાં નાખ્યા પછી સવારનું કોઈપણ પચ્ચક્ખાણ ન લેવાય.
હાલ, નવકારશી આદિ પચ્ચકખાણમાં કેટલીક અજ્ઞાનતા અને દેખાદેખીના કારણે પચ્ચકખાણ પારતી વખતે પાર્યા પછી તુરંત કોગળા કરવાની કે દાંતણ કરવાની કે થોડુંક પાણી પીવાની પ્રવૃત્તિ વિધિરૂપે ચાલુ થયેલ છે, તે ઉચિત નથી. પહેલા નંબરે તો પચ્ચખાણ પારવાની વિધિનો આગ્રહ રાખવો જરૂરી છે. છતાં શક્ય ન હોય તો ત્રણવાર શ્રી નવકારમંત્ર મુદ્ધિવાળીને ગણવાથી પચ્ચક્ખાણ પારવાની પ્રથા પ્રચલિત છે.
સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે નવકારશી પચ્ચકખાણ આવે, તેમસૂર્યાસ્ત પૂર્વે (પહેલાં) બેઘડી (૪૮મિનિટ) થાય ત્યારે ચારેયપ્રકારના આહારના ત્યાગ સ્વરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ કરવાની પ્રથા જૈનશાસનમાં પ્રચલિત હતી અને અત્યારે પણ ચતુર્વિધ શ્રી સંઘમાં કેટલાંક વર્ગ આ મુજબ સુર્યાસ્ત પહેલાં બેઘડીએઆહાર-પાણીનો ત્યાગ કરે છે, તે અનુકરણીય છે.
કદાચ તે (બે ઘડી પહેલા પચ્ચકખાણ કરવું) શક્ય ન બને, તો બારે માસ ચઉવિહારનું પચ્ચખાણ સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ. રાત્રિભોજન નરકનું પ્રથમ દ્વાર છે. રાત્રે આહાર-પાણી કાંઈ પણ લેવાય નહિ અને અપાય નહિ. છતાં ધર્મમાં નવો પ્રવેશ કરનાર મહાનુભવોને કાંઈક લાભ મળે, તે આશયથી તિવિહારનું પચ્ચક્ખાણ અપાય છે. તેમાં પાણી કેટલું અને કેટલી વાર અને કેટલા વાગ્યા સુધી પીવાય, તે અંગે ઘણા મુંઝવણ અનુભવતાં હોય છે. તરસ્યા રહેવાની શક્તિ ન જ રહે અને અસમાધિ થવાની શક્યતા રહે ત્યારે તિવિહારનું પચ્ચખાણ કરનાર મહાનુભાવેલોટા-ગ્લાસ કે જગભરીને પાણી ઘટઘટાવી જવાના બદલે ઔષધ સ્વરૂપે શક્ય તેટલું ઓછું અને ઓછીવાર અને વહેલાસર ગળું ભીનું થાય તેટલુંદુ:ખતા હૃદયે પીવાય.
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તિવિહાર પચ્ચક્ખાણ કરવા અસમર્થ છતાં તે તરફ આગળ વધવાની પૂર્ણ ભાવના ધરાવનાર મહાનુભાવ કોઈક અસાધ્ય રોગના કારણે ઔષધ લીધા વગર, રાત્રે સમાધિ ટકે તેમ ન હોય અને ગુરૂભગવંત પાસે તે અંગેની નિર્બળતા અને અસમાધિ થવાના કારણોનું નિવેદન કરીને સંમતિ લીધેલ હોય તેવા રાત્રિભોજનત્યાગની ભાવનાવાળા આરાધક ને સૂર્યાસ્ત પહેલાં દુવિહારનું પચ્ચક્ખાણ અપાય છે. તેમાં શક્ય હોય ત્યાં સુધી કાંઈપણ લેવાનું ટાળવા પ્રયત્ન કરે, છતાં લેવું જ પડે તેવા સંજોગો ઉપસ્થિત થાય તો સૂર્યાસ્ત પછી ઔષધ અને પાણી લઈ શકે.
સૂર્યાસ્ત પછી જમના૨ને ચવિહાર-તિવિહાર-દુવિહારનું પચ્ચક્ખાણ ન જ કરાય. તેઓ ગુરૂભગવંત પાસે જાણીને ધારણા અભિગ્રહ પચ્ચક્ખાણ’ (જમ્યા પછી કાંઈપણ નહીં ખાવાનો અભિગ્રહ) લઈ શકે. તેઓને રાત્રિભોજનનો દોષ લાગે જ, તેમાં કોઈ શંકા ન કરવી.
પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો દીક્ષાગ્રહણ કરે ત્યાંથી, જીવે ત્યાં સુધી ગમે તેવા શારીરિક-માનસિક આદિ સંજોગો ઉપસ્થિત થાય તો પણ ક્યારેય ચારેય પ્રકારનો આહાર નજ કરે. જીવન પર્યંત રાત્રિભોજનત્યાગનુંછકુંવ્રત પાળે.
પૂ.ગુરૂભગવંત પચ્ચક્ખાણ આપે ત્યારે એક કે બે વાર ખાવાની છૂટ આદિ ના પચ્ચક્ખાણ ન આપે, પણ એકાસણા પચ્ચક્ખાણમાં એક ટાઈમ સિવાય અન્ય સમયના ભોજનનો ત્યાગ કરવાનાં પચ્ચક્ખાણ આપે. તે મુજબ સઘળાંય પચ્ચક્ખાણમાં સમજવું.
નવકારશીનું પચ્ચક્ખાણ કરનાર કોઈક સંજોગે ‘પોરિસી’ કે ‘સાઢપોરિસિ’ સુધી કાંઈ પણ ખાધા-પીધા વગર રહે અને આગળનું પચ્ચક્ખાણ ન કરે તો તેને ફક્તનવકારશી નો જલાભ મળે. કદાચ સમય વધારે થઈ જતાં ખ્યાલ આવે અને આગળનું પચ્ચક્ખાણ કરે તો તે પચ્ચક્ખાણનો લાભ મળે. પણ સૂર્યોદય પહેલાં લીધેલા પચ્ચક્ખાણ જેટલો લાભ ન મળે.
૨૫૮
આયંબિલ, એકાસણું કે બિયાસણાનું પચ્ચક્ખાણ કરેલ હોય અને ઉપવાસ કરવાની ભાવના જાગે તો, પાણી પીધેલ ન હોય અને ઉપવાસનું પચ્ચક્ખાણ કરે, તો જ ઉપવાસનો લાભ મળે. તે જ પ્રમાણે એકાસણાનું પચ્ચક્ખાણ લીધા બાદ આયંબિલ કે લુખી નીવિ કરવાની ભાવના જાગે
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૯
ત્યારે અને બિયાસણાનું પચ્ચક્ખાણ લીધા બાદ એકાસણું, આયંબિલ કે લુખીનીવિ કરવાની ભાવના જાગે તો કાંઈપણ ખાધા-પીધા વગર તે તે પચ્ચક્ખાણ લીધેલ હોય તો જ તે તે પચ્ચક્ખાણનો લાભ મળી શકે. કદાચ પ્રથમ બિયાસણું કર્યા પછી બીજું બિયાસણું કરવાની ભાવના ન હોય તો તિવિહારનું પચ્ચક્ખાણ કરી શકાય.
અન્ય પચ્ચક્ખાણોમાં પાણી વપરાઈ (પીવાય) ગયેલ હોય અને તેથી વિશેષ તપ કરવાની ભાવના જાગેતો ધારણા અભિગ્રહ પચ્ચક્ખાણ’ કરી શકાય.
લીધેલ પચ્ચક્ખાણ કરતાં આગળનાં વિશેષ પચ્ચક્ખાણ કરી શકાય, પણ તેથી ઓછું, પ્રાણાન્ત કષ્ટ પણ ન કરવા કાળજી રાખવી જોઈએ.
તિવિહાર કે ચવિહાર ઉપવાસનાં પચ્ચક્ખાણ એકથી વધારે, એક સાથે (શક્તિ મુજબ) લેવાથી ઘણો વિશેષ લાભ મળતો હોય છે. એક સાથે ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ લેવાય છે.
જૈન ધર્મની પ્રાપ્તિના કારણે જીવનમાં ક્યારેય આચરવાની શક્યતા ન હોય, તેવા અનાચારોનું પચ્ચક્ખાણ કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. જીવન દરમ્યાન ક્યારેય પણ તે તે પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચક્ખાણ ન કરવાના કારણેતેતેપાપોનાવિપાકોની ભયંકરતા સહન કરવી પડતીહોયછે.
ત્યાગ કરવા યોગ્ય અનાચારો સાત વ્યસન = માંસ, મદિરા, જુગાર, પરસ્ત્રી (પરપુરુષ) સેવન, ચોરી, શિકાર અને વેશ્યાગમન, ચાર મહાવિગઈ = મધ (HONEY), મદિરા (દારૂ), માખણ (BUTTER) અને માંસ (MUTTON), તરવાનુ(SWIMMING), ઘોડે સવારી (HORSE RIDING), ઉડન ખટોલા, સર્કસ, પ્રાણી સંગ્રાહલય (200) જોવા જવું, પંચેન્દ્રિયજીવનો વધ, આઈસ્ક્રીમ, ઠંડુંપીણું (COOL DRINKS), પરદેશ ગમન આદિ. અનાચારોમાંથી શક્ય તેટલી વસ્તુનો ‘ધારણા અભિગ્રહ’ પચ્ચક્ખાણ દેવ-ગુરુ-આત્મસાક્ષીએ કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. શક્ય હોય તો શ્રાવક-શ્રાવિકાગણે સમ્યક્ત્વમૂળ ૧૨ વ્રત ગ્રહણ કરવાં જોઈએ.
દિવસ અને રાત સંબંધિત રોજીંદા ઉપભોગમાં આવતી વસ્તુઓ આદિનું પણ નવકારશી અને ચઉવિહાર પચ્ચક્ખાણ લેતી વખતે પિરમાણ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કરીને દેશાવગાસિક' નું પચ્ચખાણ કરવું જોઈએ. દેસાવગાસિક પચ્ચકખાણમાં ૧૪નિયમની ધારણા કરવાથી તે સિવાયની જગતની તમામ વસ્તુઓના પાપથી બચી શકાય છે. સવારે ધારણા કરેલ ૧૪ નિયમોને સૂર્યાસ્ત આસપાસ સંકેલીને રાત્રી સંબંધિત નિયમો લેવાના હોય છે. રાત્રિના નિયમો સવારે સંકેલીને નવા લેવાના હોય છે. પણ તે સામાયિક કે પૌષધમાં નસંકેલી કે ન ધારી શકાય.
દેવસિઅ અને રાઈઅ પ્રતિક્રમણ ની સાથે દિવસ દરમ્યાન આઠ સામાયિક કરવાથી દેસાવગાસિકવ્રતનું પાલન થતું હોય છે.
માનવભવમાં જ શક્ય સર્વ-સંગત્યાગ સ્વરૂપ સર્વવિરતિધર્મને (સંયમને) પામવાના લક્ષ્ય સાથે, શક્તિ ગોપવ્યા વગર, યથાશક્ય વ્રતનિયમ-પચ્ચકખાણ કરવાં જોઈએ.
સવારના પચ્ચખાણ સૂત્રો ૧.નવકારશી પચ્ચખાણ સૂત્ર-અર્થ સાથે
ઉગ્ગએ સૂરે, નમુક્કાર સહિઅં, મુઠિસહિઅં, પચ્ચખાઈ (પચ્ચકખામિ) ચઉવિહં પિ આહારં, અસણં, પાણે, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, વોસિરાઈ
(વોસિરામિ) / અર્થ – સૂર્યોદયથી બે ઘડી (૪૮ મિનિટ) સુધી નમસ્કાર સહિત-મુક્રિસહિત નામનું પચ્ચકખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકાર ના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ, પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ ( દવા પાણી સાથે)નો, અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૬૧
ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે), આ ચાર આગાર છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું ).
નવકારશી પચ્ચખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ મુઠિસહિઅં પચ્ચખાણ કર્યું. ચઉવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ,
કીટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં . અર્થ - સૂર્યોદય પછી બે ઘડી (= ૪૮ મિનિટ) સુધી નમસ્કાર સહિતમુટ્ટી સહિત પચ્ચક્ખાણ કરતાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. આ પચ્ચક્ખાણ મેં સ્પેશ્ય (= વિધિ વડે ઉચિત કાળે જે પચ્ચકખાણ લીધું હોય તે) છે, પાળ્યું = કરેલાં પચ્ચખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું = ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચકખાણ પારવું તે) છે, કિીત્યું (= ભોજનના સમયે પચ્ચક્ખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (=ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચકખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ. (પચ્ચકખાણની છ શુદ્ધિ પણ કહેવાયેલી છે. ૧- શ્રદ્ધાવંત પાસે પચ્ચખાણ કરવું તે શ્રદ્ધાશુદ્ધિ; ૨-જાણ પણું મેળવવા ખપ કરવો તે જ્ઞાન-શુદ્ધિ; ૩-ગુરૂને વંદન કરવારૂપ વિનય કરીને પચ્ચકખાણ લેવું તે વિનય-શુદ્ધિ; ૪- ગુરૂ પચ્ચકખાણ આપે ત્યારે મંદસ્વરે મનમાં પચ્ચકખાણ બોલવું તે અનુભાષણ શુદ્ધિ; ૫- સંકટમાં પણ લીધેલ પચ્ચખાણ ને બરાબર પાળે તે અનુપાલન શુદ્ધિ અને ૬-આલોક-પરલોકના સુખની ઈચ્છા વિના (કેવળ કર્મક્ષય માટે) પાળે તે ભાવશુદ્ધિકહેવાય છે.)
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨. પોરિસિ અને સાતૃપોરિસિ પચ્ચખાણનું સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે પોરિસિં, સાઢ-પોરિસિં મુટ્ટિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ) ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્ન-કાલેણં,
દિસા-મોહેણં,
સાહુ-વયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) / અર્થ - સૂર્યોદયથી એક પ્રહર (= દિવસનો ચોથો ભાગ) સુધી પોરિસિ, દોઢ પ્રહર (= દિવસનો છ આની ભાગ) સુધી સાદ્ધપોરિસિ - મુક્રિસહિત નામનું પચ્ચખાણ કરે છે (કરું છું. તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન ( સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા-પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિમોહ (= દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુના પોરિસિ' એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે) આછ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
૩. પુરિમઢ અને અવઢ પચ્ચકખાણનું સૂત્ર અર્થ સાથે
સૂરે ઉગ્ગએ, પુરિમઠું, અવઢુ મુદિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ) ચઉવિલંપિ
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૬૩
આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્નકાલણ, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરાઈ
(વોસિરામિ) અર્થ – સૂર્યોદયથી મધ્યાહ્ન સમય એટલે બે પ્રહર સુધી (પુરિમર્હ) / અથવા અપરાધએટલે ત્રણ પ્રહરસુધી (અવઢ) મુટ્ટિસહિત પચ્ચખાણ કરેછે (કરુંછું). તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (Fપોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિમોહ ( દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= “બહુપડિપુન્ના પોરિસિ” એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચકખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય) મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર ( કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે) આઇ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
પોરિસિ સાઢપોરિસિપુરિમઅનેઅવઢપચ્ચખાણ પારવાનું સૂત્રઅર્થસાથે
ઉગ્ગએ સૂરે પોરિસિં, સાપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઠું, અવઢું મુક્રિસહિઅં પચ્ચખાણ કર્યું ચોવિહાર, પચ્ચખાણ ફાસિએ,
પાલિએ, સોહિએ, તીરિ, કિટ્ટિએ, આરાહિએ,
જંચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડં . અર્થ -સૂર્યોદય પછી પરિસિ, સાઢપોરિસિ, પુરિમઢ, અવઢ મુક્રિસહિત (જે
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પચ્ચક્ખાણ કર્યું હોય તે જ બોલવું) પચ્ચક્ખાણમાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યોછે.
આ પચ્ચક્ખાણ મેં સ્પશ્યું (= વિધિ વડે ઉચિત કાળે જે પચ્ચક્ખાણ લીધું હોય તે) છે, પાળ્યું (= કરેલાં પચ્ચક્ખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (= ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીર્યુ (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચક્ખાણ પારવું તે) છે, કીર્ત્ય(= ભોજનના સમયે પચ્ચક્ખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (= ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચક્ખાણ તે) છે, તેમાં જે આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ અર્થાત્ નાશ પામો.૧
૪.એકાસણું, બિયાસણું, એકલઠાણું,
નીવિ અને આયંબિલનું પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે નવકારસહિઅં, પોરિસિં, સાદ્ગપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમ ં, અવં મુટ્ટિસહિઅં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) ચઉવિહં પિ આહારં અસણં, પાણં, ખાઈમ, સાઈમેં, અન્નત્થાણા-ભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિવત્તિયાગારેણં, આયંબિલં, નિવ્વિગઈઓ, વિગઈઓ પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થ-સંસઠ્ઠેણં, ઉક્ખિત્ત-વિવેગેણં, પડુચ્ચ-મòિએણં, પારિટ્ઠાવણિયા-ગારેણં, મહત્તરાગારેણં સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, એગાસણું, બિયાસણું પચ્ચખાઇ (પચ્ચક્ખામિ), તિવિહંપિ, ચવિહંપિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયા-ગારેણં, આઉંટણ-પસારેણં,
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ગુરૂ-અબ્ભટ્ટાણેણં, પારિટ્ટા-વણિયાગારેણં,
૨૫
મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ) I
અર્થ - સૂર્યોદયથી બે ઘડી, એક પ્રહર, દોઢ પ્રહર, બે પ્રહર કે ત્રણ પ્રહર સુધી મુઢિસહિત પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે) નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિગ્મોહ (= દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુન્ના પોરિસિ’ એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચક્ખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).
આયંબિલ નીવિ/વિગઇનો ત્યાગ અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહાસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), લેપાલેપ (= ખરડાયેલી કડછી વિગેરેને લુછીને વહોરાવેલો આહાર ગ્રહણ કરતાં મુનિને (આયંબિલ કે નીવિ નો) ભંગ ન થાય તે), ગૃહસ્થ-સંસૃષ્ટ (= શાક માંડાદિક ઘી- તેલથી સંસ્કારિત કર્યો હોય તો તે મુનિને(નીવિ આદિ) માં ભંગ ન થાય તે) ઉત્સિપ-વિવેક (= શાક રોટલી ઉપરથી પિંડ વિગઇને ગૃહસ્થે ઉપાડીને અલગ મૂકી હોય તો તે વહોરતાં મુનિને (નીવિ આદિનો) ભંગ ન થાય તે), પ્રતીત્ય-પ્રક્ષિત (= કાંઈક ઘી આદિથી આંગળીઓ દ્વારા કણીક મસળી હોય તે વસ્તુ વાપરતાં મુનિને (નીવિ -
ન
Page #319
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વિગઇત્યાગનો) ભંગ ન થાય, પણ આયંબિલનો ભંગ થાય તે,) પારિષ્ઠાપનિકાકાર (= વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ નજરહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). એકાસણ/બિયાસણનું પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેના અનાભોગ (=ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (=પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજપ્રવેશ કરે તે), સાગારિકાકાર (= ગૃહસ્થાદિની નજર લાગવાથી મુનિને એકાસણાદિમાં ઉઠવું પડે તે), આકુંચન-પ્રસારણ (= હાથ-પગ વિગેરે અંગોને સંકોચવું તે), ગુરૂ-અભ્યુત્થાન (= વડીલ ગુરૂજી આવે ત્યારે તેમને વિનય સાચવવા એકાસણાદિમાં ઉભા થવુંતે), પારિષ્ઠાપનિકાકાર (=વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત પાણીના છ આગાર લેપ (= ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (= કાંજી (છાશની આસનું પાણી તે) નું અલેપકૃત પાણી તે), અચ્છ (= ત્રણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (= ચોખા-ફળ વિગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિક્સ્થ (= દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને અસિક્સ્થ (= લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).
૨૬
એકાસણું-બિયાસણું-એકલઠાણું-નીવિ અને આયંબિલ પચ્ચક્ખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે
ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગે પુરિમ ં, અવં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ કર્યું.
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨ ૬૭
ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ, બિયાસણ પચ્ચકખાણ કર્યું. તિવિહાર, પચ્ચખાણ ફાસિએ,
પાલિએ, સોહિએ, તીરિએ, કીટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડમ્ |
અર્થ – સૂર્યોદય પછી બે ઘડી એક પ્રહર દોઢ પ્રહર બે પ્રહર ત્રણ પ્રહર મુકિસહિત પચ્ચકખાણમાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. (જ પચ્ચખાણ કર્યું હોય તેજ બોલવું) આયંબિલ નીવિત એકાસણ બિયાસણ પાણી સિવાયના ત્રણ આહારના ત્યાગ સાથે કર્યું છે. મારું આ પચ્ચક્ખાણ મેં સ્પર્ફે (કવિધિ વડે ઉચિત કાળે જે પચ્ચકખાણ લીધું હોય તે) છે, પાળ્યું (= કરેલાં પચ્ચકખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (= ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચખાણ પારવું તે) છે, કિીત્યું (= ભોજનના સમયે પચ્ચકખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (= ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ અર્થાત નાશ પામો. (નોંધ – “નમુક્કારસહિઅં” થી “અવઢ” સુધીનો પાઠ સળંગ ન બોલતાં જે પચ્ચક્ખાણ કર્યુ હોય તે જ બોલવું. તેમજ આયંબિલ થી બિયાસણ સુધીમાં પણ એકાસણ-અથવા બિયાસણ બોલવું, પણ આયંબિલ કે નીવિ કરેલ હોય તો આયંબિલકે નીવિ બોલવા સાથે એકાસણ અવશ્ય બોલવું. વાપર્યા પછી તિવિહાર/મુક્રિસહિઅંનું પચ્ચખાણ લેવું હિતકર છે.)
પતિવિહાર-ઉપવાસ પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ (ચોથ-અલ્પત્તરું) અલ્પત્તરું પચ્ચખ્ખાઈ (પચ્ચકખામિ) તિવિહંપિ આહાર અસણં, ખાઇમં,
સાઇમં અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં,
Page #321
--------------------------------------------------------------------------
________________
૨ ૬૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પારિટ્ટો-વણિયાગારેણં મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં પાણહાર પોરિસિં,
સાતૃપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમુઢ, અવઢ, મુક્રિસહિઅં પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં,
મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા,
સસિત્થણ વા અસિત્થણ વા વોસિરઈ (વોસિરામિ) II અર્થ - સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચકખાણ (આગલા દિવસે અને પારણાના દિવસે એકાસણ કરનારને ચોથ-અદ્ભટ્ટ કરવું) કરે છે (કરું છું). તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે
ઓચિંતુમુખમાં કાંઈચીજપ્રવેશ કરેતે), પારિષ્ઠાનિકાકારમહત્તરાકાર =મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિનજ રહેવત) આચારઆગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
તેમાં પાણીનો આહાર એક પ્રહર (પોરિસિ) દોઢ પ્રહર (સાઢ પરિસિ) / બે પ્રહર(પુરિમઢ)| ત્રણ પ્રહર (અવઢ) મુકિસહિત પચ્ચકખાણનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિમોહ (= દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુન્ના પોરિસિ” એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનો વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), પારિષ્ઠાપનિકાકાર (= વિધિએ કરીને ગ્રહણ કરેલો
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨ ૬૯
આહાર પરઠવવા યોગ્ય હોય તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિપ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે), આ છે આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
અચિત્ત પાણીના છ આગાર લેપ (= ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (= કાંજી (છાશની આસનું પાણી તે) નું અપકૃત પાણી તે), અચ્છ (=ણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ = ચોખા-ફળ વિગેરેનું ધોવાણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિન્થ (= દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને અસિન્થ = લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).
૬. ચઉવિહાર-ઉપવાસ પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે
સૂરે ઉગ્ગએ (ચોથ-અલ્પત્તૐ) અલ્પત્તરું પચ્ચખાઇ (પચ્ચખામિ) ચઉવિહં પિ આહારં અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણે વોસિરઈ (વોસિરામિ) અર્થ - સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચખાણ (ઉપવાસના આગલા દિવસે એકાસણ/આયંબિલ અને ઉપવાસના પારણાના દિવસે પણ એકાસણ/આયંબિલ કરનારે ચોથઅભત્તä કહેવું) કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન ( સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પારિષ્ઠાપનિકાકાર (= વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-પ્રત્યાકાર (– કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
(ચઉવિહાર-ઉપવાસ પારવાનું હોતું નથી. સાંજે પ્રતિક્રમણ-દેવદર્શન વેળાએ સ્મરણ માટે પચ્ચક્ખાણ ફરીવાર લેવાની વિધિ પ્રચલિત છે. કદાચ ભૂલાઇ જવાય તો દોષ લાગતો નથી).
૭. છટ્ઠ-અટ્ટમ-આદિ તિવિહાર ઉપવાસ પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ છટ્ઠભાં (બે ઉપવાસ)/ અક્રમભર્ત્ત (ત્રણ ઉપવાસ) /દસમભñ(ચાર ઉપવાસ) / દ્વાદશભન્ન (પાંચ ઉપવાસ) ચતુર્દશભાં (છ ઉપવાસ) / ષોડશ ભત્તું (સાત ઉપવાસ) / અષ્ટાદશ ભત્ત (આઠ ઉપવાસ) / પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) તિવિહંપિ આહારં અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
પારિઢા-વણિયાગારેણં, મહત્તરા-ગારેણં,
સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણહાર પોરિસિં, સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમુઢ,
અવઝુ મુટ્ટિસહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્ન-કાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણે વા, અસ્ત્રેણ વા, બહુલેવેણ વા,
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૭૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
- ૨૭૧ સસિર્થેણ વા, અસિથેણ વા, વોસિરઈ (વોસિરામિ) .. અર્થ – સૂર્યોદયથી માંડીને ત્રીજા દિવસના સૂર્યોદય સુધી બે ઉપવાસ, ચોથા દિવસના સુર્યોદય સુધી ત્રણ ઉપવાસ પાંચમા દિવસના સૂર્યોદય સુધી ચાર ઉપવાસ છઠ્ઠા દિવસના સૂર્યોદય સુધી પાંચ ઉપવાસ, સાતમા દિવસના સૂર્યોદય સુધીછઉપવાસઆઠમા દિવસના સૂર્યોદય સુધી સાત ઉપવાસ નવમા દિવસના સૂર્યોદય સુધી આઠ ઉપવાસ (એક-એક દિવસ વધારતાં ૧૬ ઉપવાસ સુધી એક સાથે પચ્ચકખાણ લઈ શકાય)નું પચ્ચખાણ કરેછે (કરું છું). તેમાં ત્રણ પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પારિટ્ટાવણિયાગારેણં = વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય તો (ગુરૂ ભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે, મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). - તેમાં પાણીનો આહાર એક પ્રહર દોઢ પ્રહર | બે પ્રહર | ત્રણ પ્રહર મુદ્ધિસહિત પ્રત્યાખ્યાનનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિગ્મોહ (દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= ‘બહુપડિપુન્ના પોરિસિ” એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિપ્રત્યાકાર ( કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૭૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત પાણીના છ આગાર લેપ (= ઓસામણ આદિપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (કાંજી (છાશની આસનું પાણી તે) નું અપકૃત પાણી તે), અચ્છ (= ત્રણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (= ચોખા-ફળ વિગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિન્થ (= દાણા સહિત અથવા આટાના રજકણ સહિત પાણી તે) અને અસિન્થ (= લુગડાથી ગળેલ દાણા કે આટાના રજકણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). (નોંધ – એક સાથે એક થી વધારે ઉપવાસનું પચ્ચકખાણ લીધા પછી બીજા દિવસે પાણી પીતાં પહેલાં “પાણહાર પોરિસિંથી વોસિરામિ' સુધીનું પચ્ચકખાણ અવશ્ય લેવું જોઈએ. આ પચ્ચખાણ પારવાનો સૂત્ર એક ઉપવાસમાં જણાવ્યા મુજબ જાણવું. તેમાં અબ્બત્તકૅના બદલે જેટલા ઉપવાસ કર્યા હોય તે તે બોલવું જરૂરી છે.)
૮. દેશાવગાસિક પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે
દેસાવગાસિય વિભાગ, પરિભોગે પચ્ચકખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) II અર્થ - દેશથી સંક્ષિપ્ત કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે
ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ – વિરૂદ્રવ્રુવિના...વગેરે ૧૪ નિયમોની ધારણા કરનારે સવારસાંજ આ પચ્ચકખાણ લેવું.)
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૩
૯. ધારણા-અભિગ્રહ પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે ધારણા અભિગ્રહ પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં,
મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણે વોસિરઈ (વોસિરામિ) II અર્થ - અમુક સમયની મર્યાદા માટે ધારેલ અભિગ્રહનું પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધઃ વિગઈ ત્યાગ, દ્રવ્ય સંક્ષેપ, અનાચારોનો ત્યાગ, કર્મવશ રાત્રે ખાધા પછી ખાવાનો ત્યાગ, આદિની ધારણા કરી પચ્ચક્ખાણ લેવા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.)
૧૦. મુદિસહિઅં પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે મુક્ટિસહિઅં પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણા-ભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - મુકિસહિત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (Fપોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). નોંધ: દિવસ દરમ્યાન જ્યારે પણ મુખશુદ્ધહોય ત્યારે આ પચ્ચકખાણ કરવું હિતાવહ છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧. મુફિસહિઅં પચ્ચખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે મુક્ટિસહિઅં પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ,
તીરિએ, કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડં // મુક્રિસહિત પ્રત્યાખ્યાન મેં સ્પર્ફે (= વિધિ વડે ઉચિત કાલે જે પચ્ચકખાણ લીધું હોય તે) છે, પાળ્યું (= કરેલાં પચ્ચકખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (= ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (= કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચખાણ પારવું તે) છે, કિીત્યું (= ભોજનના સમયે પચ્ચખાણ પુરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (= ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ. (નોંધ-મુકિસહિઅપચ્ચકખાણ પારવા આ સૂત્ર કંઠસ્થ કરવું ખૂબ જ જરૂરી છે.)
સાંજનાં પચ્ચકખાણ
પાણહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે પાણહાર દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં,
મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ) ..
અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પાણી નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (=ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૫
કાંઈ ચીજપ્રવેશ કરે તે), મહત્તરાકાર (=મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરેછે (કરુંછું).
(નોંધ-આયંબિલ -એકાસણ-નીવિ કે બીજા બિયાસણા વાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ આ પાણહારપચ્ચક્ખાણ કરવું.)
ચઉવિહાર પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે
દિવસ-ચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), ચઉવિહંપિ આહારં અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં,
સવ્વ-સમાહિ-વત્તિયાગારેણ વોસિરઇ (વોસિરામિ) I અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યંત પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા- પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ ઠામ ચવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ અને બિયાસણુંવાળાએ અને સૂર્યાસ્ત આસપાસ ચારે આહાર છોડનારે આ પ્રત્યાખ્યાન કરવું.)
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તિવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે દિવસ ચરિમં પચ્ચખાઇ (પચ્ચખામિ) તિવિલંપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં,
સહસા-ગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણે વોસિરઇ (વોસિરામિ) // અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પચ્ચખાણ કરે છે (કરું છું) .તેમાં ત્રણ પ્રકારના આહાર એટલે અશન (=ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છટ) રાખી ત્યાગ કરે છે (કરં છું). (નોંધ : આયંબિલ-નીવિ-એકાસણું અને બીજું બિયાસણું કરીને ઉઠતી વખતે અને છુટાવાળાએ રાત્રિ દરમ્યાન પાણી પીવાની છૂટ રાખનારે આ પચ્ચખાણ અવશ્ય કરવું જોઇએ.)
દુવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે
દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચકખામિ) દુવિહં પિ આહાર અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં,
સહસા-ગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઇ (વોસિરામિ) // અર્થ : દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેમાં બે પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૭.
આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંત મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (=મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું ). (નોંધ : પૂ.ગુરુ ભગવંતની આજ્ઞા મેળવ્યા પછી, રાત્રે સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહુંચવાની શક્તિ પ્રાપ્ત થાય, તે માટે આ પચ્ચકખાણ, ઔષધ-પાણી લેનારે લેવું).
Page #331
--------------------------------------------------------------------------
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સંવત્સરીનાં પાવન દિવસે કરાતું પ્રતિક્રમણ એક અમૃતક્રિયા છે. નિમ્નલિખીત ૧૮ પ્રકારનાં પાપસ્થાનકોમાંથી પાછા ફરવાની યાત્રા એટલે પ્રતિક્રમણ, જેને સુવિધિપૂર્વક આદરવાથી આપણે ક્ષમાયોગમાં મંગલ પ્રવેશ પામીએ છીએ.
ઇલા દીપક મહેતા પ્રજ્ઞા અને પારદર્શિતાનાં સમન્વય સમા આ ૨૧મી સદીનાં યૌવનધનમાં જૈન ધર્મનાં વિરલ પ્રતિક્રમણ સૂત્રોનાં અર્થનાં હાર્દનો ખરો લય પહોંચે અને આવનારા વર્ષોમાં તેઓ માટે સત્યમ્, શિવમ્, સુન્દરનાં અનંત દ્વારો ખૂલે તે મારા માટે આનંદોત્સવ હશે.
ભવિજનને ભાવસમાધિમાં તરબોળ કરવા સર્વથા સમર્થ એવા આ સૂત્રોએ મારી આંતરચેતનાને ઘણી વાર શાંતરસમાં ઉંડે સુધી ઝબકોળીને મંત્રમુગ્ધ કરી છે. બસ, આ જ અનુભૂતિ સૂત્રોનાં અર્થ સંદર્ભમાંથી સૌને થાય તેવી આશા છે.
મારો આ લઘુ પુરુષાર્થ મંગલનું ધામ બને.
પરમ ચેતના ઝંકૃત થાય તેવા આ સૂત્રાર્થમાંથી સૌને આત્મબ્રહ્મની પ્રાપ્તિ થાય તેવી એકમેવ અભ્યર્થના સહ વંદનો.
પ્રાણાતિપાત
મૈથુન
માન
રાગ
અભ્યાખ્યાન
પરપરિવાદ
૧૮ પાપસ્થાનકો
મૃષાવાદ
પરિગ્રહ
માયા
દ્વેષ
પૈશૂન્ય
માયા-મૃષાવાદ
૨૭૯
અદત્તાદાન
ક્રોધ
લોભ
કલહ
રિત-અરિત
મિથ્યાત્વશલ્ય
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આ ધાર્મિકગ્રંથ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરતા મને ખૂબજ આનંદ થઈ રહ્યો છે. આ ગ્રંથના નિર્માણમાં મેં ઘણા બધા સાહિત્ય ગ્રંથોમાંથી આધાર લીધેલા છે. તથા ઘણી જગ્યાએ મારા મૌલિક વિચારો પણ પ્રસ્તુત કરેલા છે. આ વિચારો પ્રસ્તુત કરવા પાછળનો મારો આશય પ્રસ્તુત સાહિત્યને સરળતા પૂર્વક દરેક વ્યક્તિ સમજી શકે તે પુરતો જ છે. જે ગ્રંથોનો મેં આધાર લીધો છે તે અલગ અલગ સમયકાળમાં રચાયેલાં છે. તેથી ઘણી જગ્યાએ એક જ અર્થવાળો શબ્દ આ ગ્રંથમાં જુદી રીતે લખાયેલો હોઈ શકે. જે ગ્રંથોનો આધાર મેં લીધો છે તેની સૂચિ અહીં આપેલી છે. આ સાથે સૌ વાચકોને વિનંતી કરું છું કે આ ગ્રંથ નિર્માણમાં મારાથી મનુષ્ય સહજ કોઈપણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો.
ઇલા મહેતા
સંદર્ભ ગ્રંથોની સૂચિ ૧. ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો
સંપાદક- મુનિ શ્રી પુણ્યકીર્તિ વિજય ૨. પંચ પ્રતિક્રમણ સૂત્ર
જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ ૩. સૂત્ર સંવેદના ભાગ-૧, ૨
સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ ૪. શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર - સંપાદક – પંડિત નરોત્તમદાસ નગીનદાસ શાહ ૫. સંવત્સરી પ્રતિક્રમણની સરળ વિધિ
સંયોજક અને સંપાદક - પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી ૬. આવશ્યક ક્રિયા-સાધના
સંપાદક અને માર્ગદર્શક - પૂજ્ય મુનિશ્રી રમ્યદર્શન વિજયજી ૭. પ્રતિક્રમણ સૂત્ર
અભિનવ વિવેચન મુનિ દીપરત્નસાગર ૮. શ્રી શ્રાધ્ધ - પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધ ટીકા)
પ્રયોજક - શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી
Page #334
--------------------------------------------------------------------------
________________ તીર્થંકર પરમાત્માએ બતાવેલ “સંવત્સરી પ્રતિક્રમણ”ની સાધના કેવી રીતે, કેવા ભાવોથી કરવી જોઈએ, તેની સંપૂર્ણ વિધિ અને સમજણથી પરિપૂર્ણ થયેલા એવા આ પુસ્તક માટે કરાયેલો પ્રયત્ન ખુબ ખુબ અનુમોદનીય છે. આ સુત્રોની અદ્દભૂત રચના અને તેનો ભાવવૈભવ દરેક જીવોને અમૃતક્રિયારૂપ બને અને આત્મહિત સાધી સર્વ જીવો મોક્ષ માર્ગના સાધક બને. પૂ.હિતાર્યાશ્રીજી મ.સા. 'પ્રતિક્રમણ એ ચિત્ત અને આત્માની શુદ્ધિ માટે છે. જેમ દેહને માટે પૌષ્ટિક ભોજનની આવશ્યકતા છે, એટલી જ આત્મિક ગુણોને પુષ્ટ કરવા માટે પ્રતિક્રમણની આવશ્યકતા છે. એ પ્રતિક્રમણ દ્વારા રાગદ્વેષાદિ કષાયોની મંદતા, વાસનાવૃત્તિમાં ક્ષીણતા અને એ રીતે ચિત્તની નિર્મળતા સાંપડે છે. આનું કારણ એ છે કે એના સૂત્રોમાં દેવ-ગુરૂની સ્તુતિ, વંદના, ધ્યાન, શ્રુતજ્ઞાન વગેરેની ઉપાસના, ક્ષમાપના આદિની ઉત્તમ અને મંગલદાયી વ્યવસ્થા છે. એ રીતે ચિત્તની વિશુદ્ધિ માટે, જૂનાં કર્મોને ખપાવવા માટે અને ચારિત્રગુણની ઉત્તરોત્તર વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ જરૂરી છે. આ પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ સંવત્સરી પ્રતિક્રમણ એટલે વડીલોના આગ્રહથી અઢી કલાક એક સ્થાને બેસીને માત્ર સૂત્રો સાંભળવા એટલું જ નહિ પણ પ્રત્યેક સૂત્ર અને ક્રિયા - વિધિનો અર્થ અને એ ક્રિયાનું વિવરણ સમજાય તો આ પ્રતિક્રમણ, કર્મ નિર્જરા, પશ્ચાતાપ અને ક્ષમાનો ત્રિવેણી સંગમ છે એની પ્રતીતિ જિજ્ઞાસુને થયા વગર રહેતી નથી. આ સત્યનું દર્શન આ પુસ્તક કરાવે છે. ડો.ધનવંત શાહ પ્રબુદ્ધ જીવન” - તંત્રી દીપક ફાર્મ, ગોત્રી રોડ, વડોદરા - 390021. ફોન નં : +91-265-2371410