________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છામિ પડિક્કમિઉં.
જો મે સંવચ્છરીઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસઓ, ઉસ્સુત્તો, ઉમ્મન્ગો, અકપ્પો, અકરણિો દુજ્માઓ, દુન્વિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિરૂં ગુત્તીણં,
૧૩૩
ચઉલ્ટું કસાયાણં, પંચહમણુવ્વયાણું, તિ ં ગુણત્વયાણું, ચઉ ં સિક્ખાવયાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ, જં ખંડિઅં, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
હું ઇચ્છું છું કે – હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં. કારણકે મેં સંવત્સરી દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકલ્પ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્ધ્યાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કશાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય જે વિરાવ્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ.
આ સુત્રનું બીજું નામ ‘અતિચાર આલોચના સૂત્ર’ પણ છે. તેથી જે કારણોથી કે કષાયોના ઉદયથી થયેલા સર્વ અતિચારો માટે સાધકે અત્યંત દિલગીર થવાનું છે અને ફરી તેવું ન કરવાના ભાવ સાથે ‘તસ્સ મિચ્છા મિ દુક્કડં' શબ્દો બોલવાના છે.
આ સૂત્રમાં પાંચ આચારોના અતિચારોના આલોચન તથા પ્રતિક્રમણમાં ‘મિચ્છા મિ દુક્કડં’ દઈ વિશેષ શુદ્ધિરૂપ સામાયિક માટે કાયોત્સર્ગ કરવાનો છે.