________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧
હે ભગવંત! સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચકખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હું ત્યાગ કરું છું. (૧)
આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહાપ્રતિજ્ઞા છે. સાવદ્ય યોગનું મન, વચન, કાયા પૂર્વકનું ન કરવા, ન કરાવવાનું પચ્ચખાણ છે. તેમજ તે સંબંધી પ્રતિક્રમણ, નિંદા, ગર્તાપૂર્વક આત્માના વોસિરાવવા સંબંધી કથન છે.આ પદ ગુરૂને આમંત્રણરૂપ છે, કારણકે આવશ્યક એવા સર્વધર્મ અનુષ્ઠાનોમાં તેમની આજ્ઞા જરૂરી છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્થણ વંદામિ. (1) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
(હવે નીચે બેસવા માટે ગુરૂજીની પાસે આજ્ઞા માંગવી.) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? ઇચ્છે (1) ભગવંત, બેસવાની આજ્ઞા આપશો. આજ્ઞા માન્ય છે. (૧)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, મત્યએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)