SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ઈરિયાવહી, તસઉત્તરી, અનત્ય અને લોગસ્સ એ ચારે સૂત્રો મળીને ‘ઈરિયાવહી પડિક્કમણા'નો વિધિ કહેવાય છે. કોઈપણ વિધિની શરૂઆતમાં તથા વચ્ચે અને તેના અંતમાં પણ આ વિધિ આવે છે. સામાયિક કે પ્રતિક્રમણ કરતાં, પારતાં, ચૈત્યવંદનની શરૂઆતમાં, દુઃસ્વપ્નનાં નિવારણ માટે, આશાતના નિવારવા, ગમનાગમનની પ્રવૃત્તિ કર્યા પછી શુદ્ધિ માટે આવે છે. આ વિધિનો મુખ્ય ઉદ્દેશ ત૨તના, તાજા લાગેલા કર્મોને દૂર કરી ખંખેરી નાખવાનો છે. દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧) ૯ હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧) સામાયિકની પરવાનગી માંગે છે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ? ઇચ્છે. (૧) ભગવંત, સામાયિક લેવાની આજ્ઞા આપો. આજ્ઞા માન્ય છે. અનંત પાપરાશિથી ભરેલા આપણે સામાયિકની લોકોત્તર ક્રિયામાં સ્થિર થઈ શકીએ એ માટે સુગુરૂની આજ્ઞા લેવાનીછે (b) દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ? ઇચ્છું. (૧) ભગવંત, આજ્ઞા પ્રમાણે સામાયિકમાં સ્થિર થાઉં છું. (૧)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy