SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પદ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત અત્યંતર તપ છ પ્રકારે કહ્યો છે – ૧. પ્રાયશ્ચિત-લાગેલા દોષની ગુરૂ પાસે આલોચના કરી તેની શુદ્ધિ માટે તપ કરવો તે. ૨. વિનય - દેવ, ગુરૂ, સંઘ, સાધર્મિક આદિ તરફ નમ્રતા- ભક્તિભાવ ધરાવવો તે. ૩. વૈયાવૃત્યઅરિહંત-આચાર્ય-સાધુ-સાધ્વી વગેરેની સેવા ભક્તિ કરવી તે. ૪. સ્વાધ્યાયવાચના, પૃચ્છના, પરાર્વતના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા રૂપ પાંચ પ્રકારનો અભ્યાસ કરવો તે. ૫. ધ્યાન- આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મ અને શુક્લ ધ્યાનમાં પ્રવર્તવું તે. અને ૬. ઉત્સર્ગ- કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ગા કરવો તે કાયોત્સર્ગ. (૭) વર્યાચારના ત્રણ પ્રકાર – (પોતાનું) બળ તથા વીર્યને છૂપાવ્યા વિના શાસ્ત્રાજ્ઞા મુજબ (જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ પૂર્વોક્ત આચારોમાં) સાવધાન થઈને ઉદ્યમ કરવો અને શક્તિ મુજબ પ્રવૃત્તિ કરવી (તે રૂપ જે આચાર) તે વીર્યાચાર જાણવો. (૮) આ પાંચ આચારોનાં પાલનમાં જૈન ધર્મના તમામ આચારો સમાય છે. આ પાંચે આચારોનું પાલન એ સમ્યગ્રચારિત્ર પણ છે. આ સૂત્રમાં ધર્મ પાળવાની બહુ જ વ્યવહારુ સગવડો ગોઠવી આપી છે. બીજું આવશ્યક ચોવિસત્થો (અતિચારની આઠ ગાથા બોલી, “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારીને પ્રગટ લોગસ્સ કહેવો) ૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે, અરિહંતે કિન્નઈસ્લે, ચઉવસંપિ કેવલી (1) ઉસભ મજિદં ચ વંદે, સંભવ મભિગંદણં ચ સુમઈ ચે, પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. (૨) સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચ, વિમલમણુતં ચ જિર્ણ, ઘમૅ સંતિ ચ વંદામિ. (૩)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy