________________
૧૨૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૩૨)
(સંલેષણાના અતિચાર) ઇહલોએ, પરલોએ, વિઅ મરણે આ આસંસ પગે,
પંચવિહો અઈયારો, મા મન્ઝ હુજ મરણંતે. (૩) ૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪-) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. (૩૩)
(ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર) કાણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ,
મણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈ આરસ્સ. (૩૪) ૧-અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨-અશુભવચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
વંદણ વય સિખા, ગારવેસુ સન્ના કસાય દંડસુ, ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઇઆરો અ તં નિંદે. (૩૫) ૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ર- વ્રત બાર પ્રકારનાં, પ- અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ - શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બે પ્રકારની