________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૫
વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પઠવવાની ભૂમિને) ૩- પડિલેહણપ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)
(અતિથિ સંવિભાગના અતિચાર)
સચ્ચિત્તે નિખ઼િવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ, કાલાઇક્કમ દાણે, ચઉત્ને સિક્ખાવએ નિંદે. (૩૦) સુહિએસ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા, રાગેણ વ દોસેણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ, સંતેફાસુઅ દાણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨- દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪- ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશ્ચે દાન આપવાથી અને ૫- મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા ‘અતિથિ-સંવિભાગ' નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદુ છું. (૩૦)
જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસસ્થા (=છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા દ્વેષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું. (૩૧)