________________
૧ ૨ ૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
એવં ખુ જંત પિલ્લણ, કમ્મ નિત્યંછણં ચ દવ દાણં, સર દહ તલાય સોસ, અસઈ પોસ ચ વર્જિા (૨૩)
૧- કુંભાર, ભાડભુંજા-ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ-તે અંગારકર્મ માળી ૨-ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવા તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે વનકર્મ ૩- સુથાર, લુહાર,
ઓટો મોબાઇલ્સ, સ્પેર પાર્ટસ, વગેરેના વાહન બનાવવાં તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ- તે શકટકર્મ ૪- વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઊંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ- તે ભાટકકર્મ ૫- ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા-ખોદાવવાથી થતાં કામ - તે ફોટકકર્મ એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવાં જોઈએ. (વળી) ૧- દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર ૨- લકુખવાણિજ્ય લાખ, કુસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર ૩- રસ-વાણિજ્યઘી, તેલ વગેરેનો વ્યાપાર ૪-કેસ વાણિજ્ય = મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વગેરેના વાળનો વ્યાપાર અને પ- વિસ વિસયં-વાણિજ્ય= ‘વિસ'અફીણ, સોમલ વગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસર્ય'- તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. (૨૨) એ જ પ્રમાણે ૧- યંત્ર પીલન કર્ય=ઘંટી, ચરખા, ઘાણી-મિલ વગેરે ચલાવવાથી લાગતું કર્મ ૨- નિલંછનકર્મ-તે ઊંટ, બળદ વગેરેના નાકકાન વીંધવાથી લાગતું કર્મ ૩- દવ-દાન-કર્મ = જંગલ, ઘર વગેરેમાં આગ લગાડવાથી લાગતું કર્મ ૪) શોષણ કર્મ=સરોવર-ઝરા તથા તળાવ વગેરેનું પાણી સુકાવી નાખવાથી લાગતું કર્મ અને પ- અસતિ પોષણ કર્મ =કુતરા-બિલાડા વગેરે હિંસક પ્રાણીઓનું અને દુરાચારી માણસો (વ્યભિચારી સ્ત્રી આદિ)નું પોષણ કરવાથી લાગતું કર્મ, આ પાંચેય પ્રકારનું કર્મ શ્રાવકે વર્જવું જોઈએ. (૨૩)