________________
૧૮૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ (1) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
જે ક્ષેત્રને આશ્રયીને મુનિ મહારાજા સંયમ સાધના કરતા હોય, તે ક્ષેત્ર દેવતા સુખ
આપનારા થાઓ તેવી પ્રાર્થના. યસ્યાઃ ક્ષેત્રે સમાશ્રિય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા
સા ક્ષેત્ર-દેવતા નિત્ય, ભૂયાન્ન સુખ-દાયિની (1) જે દેવીના ક્ષેત્રને આશ્રય કરીને સાધુઓ વડે ધર્મક્રિયા સધાય છે. તે ક્ષેત્રદેવી હંમેશા સુખ આપનારી થાઓ. (૧)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઈ મંગલ. (1)
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
શ્રી ક્ષેત્રદેવતાનો એક જ નવકારનો કાઉસ્સગ્ન કેમ કરાય છે? ઉત્તર : સમ્યગુદષ્ટિ એવા દેવો અલ્પ મહેનતે સિદ્ધ થતા હોવાથી આઠ શ્વાસ પ્રમાણ નવકાર મંત્રનો કાઉસ્સગ્ન કરાય છે.