________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪-) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને ૫- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી ન હોજો. (૩૩)
(ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર)
કાએણ કાઇઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ, મણસા માણસિઅસ્સ, સવ્વસ વયાઇ આરમ્સ. (૩૪)
૧૪૫
૧- અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨- અશુભવચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
વંદણ વય સિક્ખા, ગારવેસુ સન્ના કસાય દંડેસુ, ગુત્તીસુ અ સમિઇસુ અ, જો અઇઆરો અ તં નિંદે. (૩૫)
=
૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ૨- વ્રત (બાર પ્રકારનાં, ૫- અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ - શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બે પ્રકારની ગ્રહણ શિક્ષા= સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા = કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-૨સગારવ – ઘી, દુધ, દહીં આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, ૨ -ઋદ્ધિગારવ = ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) ૫ – સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧ - આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા
૩
- મૈથુન સંજ્ઞા અને ૪- પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો