SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છ જીવ નિકાય (= પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૐ જીવ નિકાય) ના સમારંભ (= પ્રાણીના વધનો સંકલ્પ- તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો- તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૭) (સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચણ્ડ મણુવ્વયાણું, ગુણ ત્વયાણં ચ તિષ્હ મઇયારે, સિક્ખાણં ચ ચઉ ં, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૮) પઢમે અણુવ્વયમ્મિ, શૂલગ પાણાઇ વાય વિરઇઓ, આયરિય મપ્પસથે, ઇત્થ પમાય પસંગેણં. (૯) (પ્રાણાતિપાત વ્રતના અતિચાર) વહ બંધ છવિચ્છેએ, અઇભારે ભત્ત પાણ વુચ્છેએ, પઢમ વયસ્સઇઆરે, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૧૦) પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો (અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી ૧- (જીવનો) વધ, ૨- બંધન, ૩- અવયવ છેદન, ૪- અતિભાર (આરોપણ) અને ૫- અન્નજળ અટકાવવારૂપ પહેલા (અણુ) વ્રતના અતિચારો છે, (તેમાં) સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦)
SR No.009200
Book TitleSamvatsari Pratikramana Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size90 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy