________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૩
૯. ધારણા-અભિગ્રહ પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે ધારણા અભિગ્રહ પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસા-ગારેણં,
મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણે વોસિરઈ (વોસિરામિ) II અર્થ - અમુક સમયની મર્યાદા માટે ધારેલ અભિગ્રહનું પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (= પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધઃ વિગઈ ત્યાગ, દ્રવ્ય સંક્ષેપ, અનાચારોનો ત્યાગ, કર્મવશ રાત્રે ખાધા પછી ખાવાનો ત્યાગ, આદિની ધારણા કરી પચ્ચક્ખાણ લેવા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.)
૧૦. મુદિસહિઅં પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે મુક્ટિસહિઅં પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણા-ભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - મુકિસહિત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (Fપોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). નોંધ: દિવસ દરમ્યાન જ્યારે પણ મુખશુદ્ધહોય ત્યારે આ પચ્ચકખાણ કરવું હિતાવહ છે.