________________
૨૮૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આ ધાર્મિકગ્રંથ આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરતા મને ખૂબજ આનંદ થઈ રહ્યો છે. આ ગ્રંથના નિર્માણમાં મેં ઘણા બધા સાહિત્ય ગ્રંથોમાંથી આધાર લીધેલા છે. તથા ઘણી જગ્યાએ મારા મૌલિક વિચારો પણ પ્રસ્તુત કરેલા છે. આ વિચારો પ્રસ્તુત કરવા પાછળનો મારો આશય પ્રસ્તુત સાહિત્યને સરળતા પૂર્વક દરેક વ્યક્તિ સમજી શકે તે પુરતો જ છે. જે ગ્રંથોનો મેં આધાર લીધો છે તે અલગ અલગ સમયકાળમાં રચાયેલાં છે. તેથી ઘણી જગ્યાએ એક જ અર્થવાળો શબ્દ આ ગ્રંથમાં જુદી રીતે લખાયેલો હોઈ શકે. જે ગ્રંથોનો આધાર મેં લીધો છે તેની સૂચિ અહીં આપેલી છે. આ સાથે સૌ વાચકોને વિનંતી કરું છું કે આ ગ્રંથ નિર્માણમાં મારાથી મનુષ્ય સહજ કોઈપણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશો.
ઇલા મહેતા
સંદર્ભ ગ્રંથોની સૂચિ ૧. ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો
સંપાદક- મુનિ શ્રી પુણ્યકીર્તિ વિજય ૨. પંચ પ્રતિક્રમણ સૂત્ર
જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ ૩. સૂત્ર સંવેદના ભાગ-૧, ૨
સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ ૪. શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર - સંપાદક – પંડિત નરોત્તમદાસ નગીનદાસ શાહ ૫. સંવત્સરી પ્રતિક્રમણની સરળ વિધિ
સંયોજક અને સંપાદક - પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી ૬. આવશ્યક ક્રિયા-સાધના
સંપાદક અને માર્ગદર્શક - પૂજ્ય મુનિશ્રી રમ્યદર્શન વિજયજી ૭. પ્રતિક્રમણ સૂત્ર
અભિનવ વિવેચન મુનિ દીપરત્નસાગર ૮. શ્રી શ્રાધ્ધ - પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધ ટીકા)
પ્રયોજક - શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી