________________
૧૭૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
હે ભગવંત ! હું સામાયિક કરું છું. તેમાં પાપ વ્યાપારનું (સાવદ્ય યોગનું) પચ્ચક્ખાણ (પ્રતિજ્ઞા) કરું છું. જ્યાં સુધી નિયમમાં રહેલો છું, ત્યાં સુધી બે રીતે, ત્રણ પ્રકારે એટલે મનથી, વચનથી, કાયાથી (પાપવ્યાપારને) સાવદ્ય યોગને હું કરીશ નહિ અને કરાવીશ નહિ. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા તે પાપોથી હું પાછો ફરું છું. તેની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુભગવંતની સાક્ષીએ ગર્હ (વિશેષ નિંદા) કરું છું. એ પાપરૂપ આત્માનો હુંત્યાગ કરું છું. (૧)
અતિચારોને સંક્ષેપમાં સમજાવતું સૂત્ર ઇચ્છામિ ઠામિ કાઉસગ્ગ, જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મન્ગો, અકપ્પો, અકરણિો દુજ્ઞાઓ, દુન્વિચિંતિઓ, આણાયારો, અણિચ્છિઅવ્વો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે,
ચરિત્તાચરિત્તે, સુએ, સામાઈએ, તિ ં ગુત્તીર્ણ, ચઉલ્ટું કસાયાણં, પંચહ્મણુયાણું, તિ ં ગુણવ્વયાણું, ચહું સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગ ધમ્મસ, જં ખંડિઅં, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
હું ઇચ્છું છું કે – હું કાઉસ્સગ્ગમાં સ્થિર થાઉં. કારણકે દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉત્સૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકલ્પ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્ધ્યાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને