________________
૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
મવ્વાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણ્યું. (૯)
જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિતિણાગયે કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ.
(૧૦)
અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧) ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. (૨)
પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩)
લોકમાં ઉત્તમને, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪)
અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર. (૫)
ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠ ચક્રવર્તી. (૬)
કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું જેમનું. (૭)
રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત મુકાવનાર. (૮)
સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), આવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વપ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯)
અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધિ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)