________________
૭૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કરવું ૫) યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવા સ્વરૂપ સ્મૃતિભ્રંશ, આ રીતે સામાયિક ખોટી રીતે કર્યું હોય તો તે પહેલાં સામાયિક શિક્ષાવ્રતને વિષે લાગેલા પાંચ અતિચારોમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું. (૨૭)
(દશાવગાસિક વ્રતના અતિચાર) આણવણે પેસવણે, સદે રૂવે અ પુગ્ગલખેવે, દેસાવગા સિઅમિ, બીએ સિખાવએ નિંદે. (૨૮)
૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨- Dષ્ય-પ્રયોગ = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને પ- પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૨૮)
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર) સંથારુચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ, પોસહ વિહિ વિવરીએ, તઈએ સિખાવએ નિંદ. (૨૯)
સંથારા સંબંધી વિધિમાં ૧- પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ ૨- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ, પ્રમાદ કરવાથી, તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) ૩- પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા કરવાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)