________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વત્ચાસણ આભરણે, પડિક્કમે દેસિઅં સર્વાં. (૨૫) કંદપ્પે કુક્કુઇએ, મોહરિ અહિગરણ, ભોગ અઇરિત્તે, દંડસ્મિ અણટ્ટાએ, તઇઅમ્મિ ગુણત્વએ નિંદે. (૬)
શસ્ત્ર, અગ્નિ, સાંબેલું અને યંત્ર વગેરે તેમજ ઘાસ, કાષ્ટ, મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ (પ્રયોજન વિના બીજાને) આપતાં અથવા બીજા પાસે અપાવતાં (અને આપનારની અનુમોદના કરવાથી) આઠમા વ્રત (ત્રીજા અનર્થદંડ વિરમણ ગુણવ્રત)માં લાગેલા દિવસ સંબંધી (સર્વ અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૨૪)
જયણા વિના (અળગણ પાણીથી) ૧- ન્હાવું ૨- પીઠી વગેરે ચોળી, મેલ ઉતારવો ૩- અબીલ, ગુલાલ વગેરેથી રંગ કરવો ૪- કેશર-ચંદનથી વિલેપન કરવું પ– વાજીંત્રના શબ્દો સાંભળવાં ૬ - રૂપનિરખવાં ૭ અનેક રસનો સ્વાદ કરવો ૮- અનેકજાતના સુગંધી પદાર્થો સુંઘવા ૯ – વસ્ત્ર, આસન અને ઘરેણામાં આસક્તિ કરવાથી તથા આરંભ કરવાથી દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોને પડિક્કમુંછું. (૨૫)
૧-કંદર્પ= વિકાર વધે તેવી વાતો કરવી ૨- કૌકુચ્ચ = કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી ૩-મૌખર્ય = મુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું ૪- સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂ૨) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫- ઉપભોગ-પરિભોગાતિરિક્તતા ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂ૨) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જે દોષ લાગ્યો હોય, તેને હું નિંદુ છું. (૨૬)
=
—
૭૭
(સામાયિક વ્રત વિષેના અતિચાર)
તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ વિણે, સામાઇઅ વિતહ કએ, પઢમે સિક્ખાવએ નિંદે. (૭)
૧-મનનું દુષ્ટ પ્રણિધાન ૨- વચનનું દુષ્ટ પ્રણિધાન ૩- કાયાનું દુષ્ટ પ્રણિધાન (વ્યાપાર) ૪- અવિનય પણે (બે ઘડી કરતાં વહેલું) સામાયિક